સાંસદે શાળાનું ટોઈલેટ સાફ કર્યું, સોશિયલ મીડિયા પર વીડિયો પણ પોસ્ટ કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 18:50:20

રાજકારણીઓ પણ મીડિયામાં રહેવા માટે અવનવા તિકડમ કરતા રહે છે. જનતાના કલ્યાણ માટે થોડું કામ કરે અને તેનો પ્રચાર સોશિયમ મીડિયા પર જોરશોરથી કરતા આ રાજનેતાઓને જો કે લોકો હવે સારી રીતે જાણી ગયા છે. આવા જ એક નેતાજીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.  મધ્યપ્રદેશના રીવા સાંસદ જનાર્દન બ્રશ વિના ડોલમાં પાણી લઈને પોતાના હાથથી જ ટૉઈલેટને સાફ કરી રહ્યાં છે. મિશ્રા પોતાના આગવા અંદાજ માટે જાણીતા છે.


બાલિકા વિદ્યાલયનું ટૉઈલેટ સાફ કર્યું


રીવા સાંસદ જનાર્દન મિશ્રા પોતાની પાર્ટી દ્વારા ચલાવવામાં આવી રહેલા સેવા પખવાડિયા અંતર્ગત યુવા મોરચા દ્વારા બાલિકા વિદ્યાલય ખટખરીમાં આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં સામેલ થયા હતા. વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે, વિદ્યાલયનું ટૉઈલેટ ખૂબ જ ગંદુ છે. આ કારણે વિદ્યાલયમાં બાળકોને તેનો ઉપયોગ કરવામાં ઘણી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી તેઓએ બ્રશ મળે તેની રાહ જોયા વિના પોતાના હાથમાં પાણીની ડોલ લઈને હાથથી ટૉઈલેટને સાફ કરવા લાગી ગયા.


પોતાના ટ્વીટર એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કર્યો


સાંસદને વિદ્યાલયનું ગંદુ ટૉઈલેટ સાફ કરતા જોઈને તમામ લોકો ચોંકી ગયા. સાંસદે સ્વચ્છ ભારતનો સંદેશ આપતાં લોકોને સ્વચ્છતા જાળવવાની અપીલ કરી. તેમના આ પ્રકારે સફાઈ કરવાનો વીડિયો ઈન્ટરનેટમાં વાયરલ થઈ રહ્યો છે. તેઓએ ખુદ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટૈગ કર્યો છે.



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.