સાંસદે શાળાનું ટોઈલેટ સાફ કર્યું, સોશિયલ મીડિયા પર વીડિયો પણ પોસ્ટ કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 18:50:20

રાજકારણીઓ પણ મીડિયામાં રહેવા માટે અવનવા તિકડમ કરતા રહે છે. જનતાના કલ્યાણ માટે થોડું કામ કરે અને તેનો પ્રચાર સોશિયમ મીડિયા પર જોરશોરથી કરતા આ રાજનેતાઓને જો કે લોકો હવે સારી રીતે જાણી ગયા છે. આવા જ એક નેતાજીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.  મધ્યપ્રદેશના રીવા સાંસદ જનાર્દન બ્રશ વિના ડોલમાં પાણી લઈને પોતાના હાથથી જ ટૉઈલેટને સાફ કરી રહ્યાં છે. મિશ્રા પોતાના આગવા અંદાજ માટે જાણીતા છે.


બાલિકા વિદ્યાલયનું ટૉઈલેટ સાફ કર્યું


રીવા સાંસદ જનાર્દન મિશ્રા પોતાની પાર્ટી દ્વારા ચલાવવામાં આવી રહેલા સેવા પખવાડિયા અંતર્ગત યુવા મોરચા દ્વારા બાલિકા વિદ્યાલય ખટખરીમાં આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં સામેલ થયા હતા. વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે, વિદ્યાલયનું ટૉઈલેટ ખૂબ જ ગંદુ છે. આ કારણે વિદ્યાલયમાં બાળકોને તેનો ઉપયોગ કરવામાં ઘણી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી તેઓએ બ્રશ મળે તેની રાહ જોયા વિના પોતાના હાથમાં પાણીની ડોલ લઈને હાથથી ટૉઈલેટને સાફ કરવા લાગી ગયા.


પોતાના ટ્વીટર એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કર્યો


સાંસદને વિદ્યાલયનું ગંદુ ટૉઈલેટ સાફ કરતા જોઈને તમામ લોકો ચોંકી ગયા. સાંસદે સ્વચ્છ ભારતનો સંદેશ આપતાં લોકોને સ્વચ્છતા જાળવવાની અપીલ કરી. તેમના આ પ્રકારે સફાઈ કરવાનો વીડિયો ઈન્ટરનેટમાં વાયરલ થઈ રહ્યો છે. તેઓએ ખુદ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટૈગ કર્યો છે.



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.