સાંસદે શાળાનું ટોઈલેટ સાફ કર્યું, સોશિયલ મીડિયા પર વીડિયો પણ પોસ્ટ કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 18:50:20

રાજકારણીઓ પણ મીડિયામાં રહેવા માટે અવનવા તિકડમ કરતા રહે છે. જનતાના કલ્યાણ માટે થોડું કામ કરે અને તેનો પ્રચાર સોશિયમ મીડિયા પર જોરશોરથી કરતા આ રાજનેતાઓને જો કે લોકો હવે સારી રીતે જાણી ગયા છે. આવા જ એક નેતાજીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.  મધ્યપ્રદેશના રીવા સાંસદ જનાર્દન બ્રશ વિના ડોલમાં પાણી લઈને પોતાના હાથથી જ ટૉઈલેટને સાફ કરી રહ્યાં છે. મિશ્રા પોતાના આગવા અંદાજ માટે જાણીતા છે.


બાલિકા વિદ્યાલયનું ટૉઈલેટ સાફ કર્યું


રીવા સાંસદ જનાર્દન મિશ્રા પોતાની પાર્ટી દ્વારા ચલાવવામાં આવી રહેલા સેવા પખવાડિયા અંતર્ગત યુવા મોરચા દ્વારા બાલિકા વિદ્યાલય ખટખરીમાં આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં સામેલ થયા હતા. વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે, વિદ્યાલયનું ટૉઈલેટ ખૂબ જ ગંદુ છે. આ કારણે વિદ્યાલયમાં બાળકોને તેનો ઉપયોગ કરવામાં ઘણી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી તેઓએ બ્રશ મળે તેની રાહ જોયા વિના પોતાના હાથમાં પાણીની ડોલ લઈને હાથથી ટૉઈલેટને સાફ કરવા લાગી ગયા.


પોતાના ટ્વીટર એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કર્યો


સાંસદને વિદ્યાલયનું ગંદુ ટૉઈલેટ સાફ કરતા જોઈને તમામ લોકો ચોંકી ગયા. સાંસદે સ્વચ્છ ભારતનો સંદેશ આપતાં લોકોને સ્વચ્છતા જાળવવાની અપીલ કરી. તેમના આ પ્રકારે સફાઈ કરવાનો વીડિયો ઈન્ટરનેટમાં વાયરલ થઈ રહ્યો છે. તેઓએ ખુદ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટૈગ કર્યો છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.