સાંસદે શાળાનું ટોઈલેટ સાફ કર્યું, સોશિયલ મીડિયા પર વીડિયો પણ પોસ્ટ કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 18:50:20

રાજકારણીઓ પણ મીડિયામાં રહેવા માટે અવનવા તિકડમ કરતા રહે છે. જનતાના કલ્યાણ માટે થોડું કામ કરે અને તેનો પ્રચાર સોશિયમ મીડિયા પર જોરશોરથી કરતા આ રાજનેતાઓને જો કે લોકો હવે સારી રીતે જાણી ગયા છે. આવા જ એક નેતાજીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.  મધ્યપ્રદેશના રીવા સાંસદ જનાર્દન બ્રશ વિના ડોલમાં પાણી લઈને પોતાના હાથથી જ ટૉઈલેટને સાફ કરી રહ્યાં છે. મિશ્રા પોતાના આગવા અંદાજ માટે જાણીતા છે.


બાલિકા વિદ્યાલયનું ટૉઈલેટ સાફ કર્યું


રીવા સાંસદ જનાર્દન મિશ્રા પોતાની પાર્ટી દ્વારા ચલાવવામાં આવી રહેલા સેવા પખવાડિયા અંતર્ગત યુવા મોરચા દ્વારા બાલિકા વિદ્યાલય ખટખરીમાં આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં સામેલ થયા હતા. વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે, વિદ્યાલયનું ટૉઈલેટ ખૂબ જ ગંદુ છે. આ કારણે વિદ્યાલયમાં બાળકોને તેનો ઉપયોગ કરવામાં ઘણી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી તેઓએ બ્રશ મળે તેની રાહ જોયા વિના પોતાના હાથમાં પાણીની ડોલ લઈને હાથથી ટૉઈલેટને સાફ કરવા લાગી ગયા.


પોતાના ટ્વીટર એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કર્યો


સાંસદને વિદ્યાલયનું ગંદુ ટૉઈલેટ સાફ કરતા જોઈને તમામ લોકો ચોંકી ગયા. સાંસદે સ્વચ્છ ભારતનો સંદેશ આપતાં લોકોને સ્વચ્છતા જાળવવાની અપીલ કરી. તેમના આ પ્રકારે સફાઈ કરવાનો વીડિયો ઈન્ટરનેટમાં વાયરલ થઈ રહ્યો છે. તેઓએ ખુદ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટૈગ કર્યો છે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.