જનતા વતી જમાવટે કર્યો Sabarkanthaના બંને ઉમેદવારોને સવાલ, જાણો Shobhnaben baria અને Tushar Chaudharyનું શું વિઝન?


  • Published By :
  • Published Date : 2024-04-30 15:07:47

લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે... બે તબક્કા માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે.. આપણા રાજ્યમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.. મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાના ગમતા ઉમેદવારને સંસદ પહોંચાડશે.. મતદાન કરતા પહેલા મતદાતાને ખબર હોય છે કે કયો ઉમેદવાર કયા વિઝન સાથે આગળ વધશે.. આગામી પાંચ વર્ષમાં સાંસદ તરીકે ઉમેદવાર કેવા કામ કરશે તે જાણવાનો અધિકાર મતદાતાને હોય છે. 

સાબરકાંઠા બેઠક પર ભાજપે બદલ્યા છે ઉમેદવાર

મતદાતાને ખબર પડે કે તેમના ઉમેદવાર શું કામ કરશે તે માટે જનતા વતી જમાવટની ટીમ અલગ અલગ લોકસભા બેઠકના બંને પાર્ટીના ઉમેદવારોને ફોન કરી રહી છે અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી રહી છે.. જમાવટની ટીમ દ્વારા સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવારોને ફોન કરવામાં આવ્યો. આ બેઠક પર ભાજપે પહેલા ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા પરંતુ તે બાદ તેમની જગ્યા પર શોભનાબેન બારૈયાને ઉમેદવાર બનાવાયા.. તો ઈન્ડિયા ગઠબંધન તરફથી તુષારભાઈ ચૌધરી...


શું કહ્યું ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ?

વિઝન જાણવા માટે પહેલા ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાને ફોન કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે તે પાંચ વર્ષમાં જનહિતના કાર્યો કરશે.. જનતાની સમસ્યાને ઉકેલવાનો પ્રયત્ન કરશે તેવું તે કહી રહ્યા હતા.. મુદ્દાઓની વાત કરી તો તેમણે કહ્યું કે સાબરકાંઠાની જનતાને પાણી મળી રહ્યું છે, સારા રોડ રસ્તા છે, તળાવ ભરાવવાની કામગીરી થઈ રહી છે... 



વિઝનને લઈ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે? 

તો ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તુષાર ચૌધરીએ તેમના વિઝન જણાવતા કહ્યું કે દેશની દરેક શક્તિપીઠને રેલવેથી જોડવાનો પ્રયત્ન થયો હતો, તેના ભાગ રૂપે અંબાજી મંદિરને પણ રેલવે ટ્રેકથી જોડવાની વાત હતી પણ હજી સુધી સાબરકાંઠામાં રેલવે લાઈનનું કામ પૂર્ણ થયું નથી. ત્યારે જોવું રહ્યું કે જનતા કોને મત આપી સાંસદ બનાવે છે.... 




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .