જનતા વતી જમાવટે કર્યો Sabarkanthaના બંને ઉમેદવારોને સવાલ, જાણો Shobhnaben baria અને Tushar Chaudharyનું શું વિઝન?


  • Published By :
  • Published Date : 2024-04-30 15:07:47

લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે... બે તબક્કા માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે.. આપણા રાજ્યમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.. મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાના ગમતા ઉમેદવારને સંસદ પહોંચાડશે.. મતદાન કરતા પહેલા મતદાતાને ખબર હોય છે કે કયો ઉમેદવાર કયા વિઝન સાથે આગળ વધશે.. આગામી પાંચ વર્ષમાં સાંસદ તરીકે ઉમેદવાર કેવા કામ કરશે તે જાણવાનો અધિકાર મતદાતાને હોય છે. 

સાબરકાંઠા બેઠક પર ભાજપે બદલ્યા છે ઉમેદવાર

મતદાતાને ખબર પડે કે તેમના ઉમેદવાર શું કામ કરશે તે માટે જનતા વતી જમાવટની ટીમ અલગ અલગ લોકસભા બેઠકના બંને પાર્ટીના ઉમેદવારોને ફોન કરી રહી છે અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી રહી છે.. જમાવટની ટીમ દ્વારા સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવારોને ફોન કરવામાં આવ્યો. આ બેઠક પર ભાજપે પહેલા ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા પરંતુ તે બાદ તેમની જગ્યા પર શોભનાબેન બારૈયાને ઉમેદવાર બનાવાયા.. તો ઈન્ડિયા ગઠબંધન તરફથી તુષારભાઈ ચૌધરી...


શું કહ્યું ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ?

વિઝન જાણવા માટે પહેલા ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાને ફોન કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે તે પાંચ વર્ષમાં જનહિતના કાર્યો કરશે.. જનતાની સમસ્યાને ઉકેલવાનો પ્રયત્ન કરશે તેવું તે કહી રહ્યા હતા.. મુદ્દાઓની વાત કરી તો તેમણે કહ્યું કે સાબરકાંઠાની જનતાને પાણી મળી રહ્યું છે, સારા રોડ રસ્તા છે, તળાવ ભરાવવાની કામગીરી થઈ રહી છે... 



વિઝનને લઈ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે? 

તો ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તુષાર ચૌધરીએ તેમના વિઝન જણાવતા કહ્યું કે દેશની દરેક શક્તિપીઠને રેલવેથી જોડવાનો પ્રયત્ન થયો હતો, તેના ભાગ રૂપે અંબાજી મંદિરને પણ રેલવે ટ્રેકથી જોડવાની વાત હતી પણ હજી સુધી સાબરકાંઠામાં રેલવે લાઈનનું કામ પૂર્ણ થયું નથી. ત્યારે જોવું રહ્યું કે જનતા કોને મત આપી સાંસદ બનાવે છે.... 




ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.