રાજકોટમાં જન્માષ્ટમીનો લોકમેળો 5થી 9 સપ્ટેમ્બર યોજાશે, કલેક્‍ટરે સંબંધિત અધિકારીઓને આપ્યા આ મહત્વના આદેશ


  • Published By :
  • Published Date : 2023-06-06 18:10:50

રાજકોટમાં યોજાતો જન્માષ્ટમીનો લોકમેળો રાજકોટની આગવી ઓળખ છે અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં લોકો લોકમેળો માણવા આવતા હોય છે. આ વર્ષે આ લોકમેળો 5થી 9 નવેમ્બર સુધી યોજાશે.આ લોકમેળાને લઈ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં પ્રાંત અધિકારી કે.જી. ચૌધરીએ લોકમેળા સંકલન સમિતિ સહિતની કુલ 19 સમિતિઓની રૂપરેખા આપી હતી. દર વર્ષે પાંચ દિવસ દરમિયાન યોજાનારા આ લોકમેળામાં સૌરાષ્ટ્રભરમાંથી 15 લાખ લોકો મેળાનો આનંદ માણવા આવશે તેવું એક અનુમાન છે.


રેસકોર્સ મેદાન ખાતે  યોજાશે લોકમેળો 


રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજકોટમાં જન્‍માષ્ટમીના ભવ્‍ય સાંસ્‍કૃતિક લોકમેળાનું આયોજન કરવામાં આવનાર છે તા. 5 થી 9 સપ્‍ટેમ્‍બર સુધી 5 દિવસ સુધી રેસકોર્સ મેદાન ખાતે લોકમેળો યોજવામાં આવશે, જેને લઈને જિલ્લા કલેકટરના અધ્‍યક્ષસ્‍થાને લોકમેળા સમિતિઓના જુદા જુદા અધ્‍યક્ષ અને સહઅધ્‍યક્ષની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારી કે.જી ચૌધરીએ લોકમેળા સંકલન સમિતિ, અમલીકરણ સમિતિ, ડ્રો તથા હરરાજી સમિતિ, કાયદો વ્‍યવસ્‍થા, ટ્રાફિક તેમજ પાર્કિગ નિયમન સમિતિ સહિતની કુલ 19 સમિતિઓની રૂપરેખા આપી હતી.નાગરિકોના લાભાર્થે સી.સી.ટી.વી. કેમેરા, ફાયર સેફટી, આરોગ્‍ય સુવિધા, કંટ્રોલ રૂમ અને ઇમર્જન્‍સી હેલ્‍પલાઇન, સાઈન બોર્ડ વગેરે કામગીરી સારી રીતે થાય તે માટે કલેક્‍ટરે સંબંધિત અધિકારીઓને આદેશો આપ્યા હતા. આ સાથે ચોમાસાના સમયમાં ખાણીપીણીની ગુણવત્તા અંગે ખાસ તકેદારી રાખવા સૂચના આપી હતી. 


લોકમેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત


રાજકોટનો લોકમેળો સૌરાષ્ટ્રભરમાં સૌથી મોટો છે. લોકમેળામાં લાખોની જનમેદની એકત્ર થવાની છે. જેથી સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. લોકમેળામાં પોલીસ બંદોબસ્ત સાથે ખાનગી સિક્યુરીટી પણ તૈનાત રહેશે. જેનું મોનિટરીંગ પોલીસ કન્ટ્રોલ રૂમ અને વહીવટી તંત્ર દ્વારા કરાશે. લોકમેળામાં ખાદ્યસામગ્રી અને રાઇડ્સના ભાવ ખોટી રીતે વસૂલવામાં ન આવે અને લૂંટ મેળો ન બને તે માટે પણ વિશેષ દરકાર રાખવામાં આવશે.



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?