રાજકોટમાં જન્માષ્ટમીનો લોકમેળો 5થી 9 સપ્ટેમ્બર યોજાશે, કલેક્‍ટરે સંબંધિત અધિકારીઓને આપ્યા આ મહત્વના આદેશ


  • Published By :
  • Published Date : 2023-06-06 18:10:50

રાજકોટમાં યોજાતો જન્માષ્ટમીનો લોકમેળો રાજકોટની આગવી ઓળખ છે અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં લોકો લોકમેળો માણવા આવતા હોય છે. આ વર્ષે આ લોકમેળો 5થી 9 નવેમ્બર સુધી યોજાશે.આ લોકમેળાને લઈ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં પ્રાંત અધિકારી કે.જી. ચૌધરીએ લોકમેળા સંકલન સમિતિ સહિતની કુલ 19 સમિતિઓની રૂપરેખા આપી હતી. દર વર્ષે પાંચ દિવસ દરમિયાન યોજાનારા આ લોકમેળામાં સૌરાષ્ટ્રભરમાંથી 15 લાખ લોકો મેળાનો આનંદ માણવા આવશે તેવું એક અનુમાન છે.


રેસકોર્સ મેદાન ખાતે  યોજાશે લોકમેળો 


રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજકોટમાં જન્‍માષ્ટમીના ભવ્‍ય સાંસ્‍કૃતિક લોકમેળાનું આયોજન કરવામાં આવનાર છે તા. 5 થી 9 સપ્‍ટેમ્‍બર સુધી 5 દિવસ સુધી રેસકોર્સ મેદાન ખાતે લોકમેળો યોજવામાં આવશે, જેને લઈને જિલ્લા કલેકટરના અધ્‍યક્ષસ્‍થાને લોકમેળા સમિતિઓના જુદા જુદા અધ્‍યક્ષ અને સહઅધ્‍યક્ષની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારી કે.જી ચૌધરીએ લોકમેળા સંકલન સમિતિ, અમલીકરણ સમિતિ, ડ્રો તથા હરરાજી સમિતિ, કાયદો વ્‍યવસ્‍થા, ટ્રાફિક તેમજ પાર્કિગ નિયમન સમિતિ સહિતની કુલ 19 સમિતિઓની રૂપરેખા આપી હતી.નાગરિકોના લાભાર્થે સી.સી.ટી.વી. કેમેરા, ફાયર સેફટી, આરોગ્‍ય સુવિધા, કંટ્રોલ રૂમ અને ઇમર્જન્‍સી હેલ્‍પલાઇન, સાઈન બોર્ડ વગેરે કામગીરી સારી રીતે થાય તે માટે કલેક્‍ટરે સંબંધિત અધિકારીઓને આદેશો આપ્યા હતા. આ સાથે ચોમાસાના સમયમાં ખાણીપીણીની ગુણવત્તા અંગે ખાસ તકેદારી રાખવા સૂચના આપી હતી. 


લોકમેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત


રાજકોટનો લોકમેળો સૌરાષ્ટ્રભરમાં સૌથી મોટો છે. લોકમેળામાં લાખોની જનમેદની એકત્ર થવાની છે. જેથી સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. લોકમેળામાં પોલીસ બંદોબસ્ત સાથે ખાનગી સિક્યુરીટી પણ તૈનાત રહેશે. જેનું મોનિટરીંગ પોલીસ કન્ટ્રોલ રૂમ અને વહીવટી તંત્ર દ્વારા કરાશે. લોકમેળામાં ખાદ્યસામગ્રી અને રાઇડ્સના ભાવ ખોટી રીતે વસૂલવામાં ન આવે અને લૂંટ મેળો ન બને તે માટે પણ વિશેષ દરકાર રાખવામાં આવશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.