સંતરામપુરની જાનવડ હાઈસ્કૂલના આચાર્ય રાજેશ પટેલે 17 વર્ષેની વિદ્યાર્થીની પર આચર્યું દુષ્કર્મ, સગીરા સારવાર હેઠળ


  • Published By :
  • Published Date : 2023-10-15 17:13:10

ગુરૂ અને શિષ્યાનો સંબંધ પવિત્ર મનાય છે જોકે, મહીસાગર જિલ્લામાં શિક્ષણ જગતને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે. સંતરામપુર ના જાનવડ હાઈસ્કૂલના આચાર્ય રાજેશ પટેલે 17 વર્ષેની વિદ્યાર્થીની પર કર્યું દુષ્કર્મ આચરતા હાહાકાર મચી ગયો છે. વિદ્યાર્થીની પોતાની ખરીદી કરવા માટે લુણાવાડા બજારમાં આવી હતી ત્યારે આચાર્ય મળતા વાત કરી અને આચાર્ય રાજેશ પટેલે કીધું કે "બેટા ચલ મારા ઘરે ચા પીને જા બહુ સમયે આવી છે" તેમ કહી ઘરે લઈ ગયો હતો બાદમાં આચાર્યની નજર બાળા પર બગડી હતી અને હવસખોર આચાર્યએ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. 



વિદ્યાર્થિની હાલ સારવાર હેઠળ


વિદ્યાર્થીનીની મરજી વિરુદ્ધ ઘરમાં દુષ્કર્મ આચરી વિદ્યાર્થીનીને તેનાં ગામની સીમમાં છોડી આચાર્ય ભાગી છૂટયો હતો. વિદ્યાર્થીનીના પરિવારજનોને જાણ થતા વિદ્યાર્થીનીને લઈ લુણાવાડા સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. વિદ્યાર્થીની હાલ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ આરોપી વિરુદ્ધ પોસ્કો એકટ હેઠળ ગુનો દાખલ આગળ ની કાર્યવાહી હાથ ધરી છે. લુણાવાડા ટાઉન પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી