અંબાજી મંદિરમાં નકલીના ઘી સપ્લાયર નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે કરી આત્મહત્યા


  • Published By :
  • Published Date : 2023-12-07 19:35:12

ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આપવામાં આવેલા મોહનથાળના પ્રસાદમાં નકલી ઘી વાપરવાનો મામલો સામે આવ્યો હતો. મોહનથાળના પ્રસાદ માટે અંબાજી પહોંચાડવામાં આવતું ઘી હલકી ગુણવત્તાનું હતું. જે બાબતે અનેક તપાસ થઈ, આ ઘીનો સપ્લાય માધુપુરાના નીલકંઠ ટ્રેડર્સ માંથી થયું હોવાનો ખુલાસો થયો હતો. નીલકંઠ ટ્રેડર્સના વેપારી જતિન શાહએ આજે સવારે અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ ઘરે પહોંચીને તપાસ શરૂ કરી હતી. અત્યાર સુધી કોઈ પણ સુસાઇડ નોટ ત્યાંથી મળી આવી નથી, પરંતુ તેઓ દબાણમાં હોવાના કારણે આત્મહત્યા કરી હોવાનું પોલીસ માની રહી છે. મૃતહેદને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. જતીન શાહની આત્મહત્યા કેસમાં નારોલ પોલીસે કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ જતિન શાહનો પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો છે.  


ધરપકડ બાદ જામીન પર છુટ્યા હતા


અંબાજી મંદિરનો મોહનથાળનો પ્રસાદ બનાવવા માટે નકલી ઘીનું કૌભાંડ ચાર મહિના અગાઉ સામે આવ્યું હતુ. અંબાજી મંદિરનો પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ મોહિની કેટરર્સને મળ્યો હતો. મોહિની કેટરર્સને મોહનથાળનો પ્રસાદ બનાવવા માટેનું ઘી અમદાવાદના દિલ્હી દરવાજા સ્થિત માધુપુરા બજારમાં આવેલી નીલકંઠ ટ્રેડર્સ દ્વારા મોકલવામાં આવ્યુ હતુ. આ નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહ હતા. અંબાજી મંદિર પ્રસાદમાં નકલી ઘીનો ભાંડો ફૂટતા   પોલીસ કેસ દાખલ થયો હતો અને પોલીસે જતીન શાહની ધરપકડ પણ કરી હતી. જો કે અદાલતે જતીન શાહને 10 હજાર રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા હતા.  ઉલ્લેખનીય છે કે, 3જી ઓક્ટોબરે ગોડાઉન સીલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. માધુપુરાના વેપારી જતિન શાહે પાલડીના દુષ્યંત સોની પાસેથી ઘી ખરીદ્યુ હોવાની વાત જાણવા મળી છે. અહીં ઉલ્લેખનીય છે કે, નકલી ઘી મામલે સંડોવાયેલા તમામ શખ્સોની પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.