અંબાજી મંદિરમાં નકલીના ઘી સપ્લાયર નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે કરી આત્મહત્યા


  • Published By :
  • Published Date : 2023-12-07 19:35:12

ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આપવામાં આવેલા મોહનથાળના પ્રસાદમાં નકલી ઘી વાપરવાનો મામલો સામે આવ્યો હતો. મોહનથાળના પ્રસાદ માટે અંબાજી પહોંચાડવામાં આવતું ઘી હલકી ગુણવત્તાનું હતું. જે બાબતે અનેક તપાસ થઈ, આ ઘીનો સપ્લાય માધુપુરાના નીલકંઠ ટ્રેડર્સ માંથી થયું હોવાનો ખુલાસો થયો હતો. નીલકંઠ ટ્રેડર્સના વેપારી જતિન શાહએ આજે સવારે અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ ઘરે પહોંચીને તપાસ શરૂ કરી હતી. અત્યાર સુધી કોઈ પણ સુસાઇડ નોટ ત્યાંથી મળી આવી નથી, પરંતુ તેઓ દબાણમાં હોવાના કારણે આત્મહત્યા કરી હોવાનું પોલીસ માની રહી છે. મૃતહેદને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. જતીન શાહની આત્મહત્યા કેસમાં નારોલ પોલીસે કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ જતિન શાહનો પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો છે.  


ધરપકડ બાદ જામીન પર છુટ્યા હતા


અંબાજી મંદિરનો મોહનથાળનો પ્રસાદ બનાવવા માટે નકલી ઘીનું કૌભાંડ ચાર મહિના અગાઉ સામે આવ્યું હતુ. અંબાજી મંદિરનો પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ મોહિની કેટરર્સને મળ્યો હતો. મોહિની કેટરર્સને મોહનથાળનો પ્રસાદ બનાવવા માટેનું ઘી અમદાવાદના દિલ્હી દરવાજા સ્થિત માધુપુરા બજારમાં આવેલી નીલકંઠ ટ્રેડર્સ દ્વારા મોકલવામાં આવ્યુ હતુ. આ નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહ હતા. અંબાજી મંદિર પ્રસાદમાં નકલી ઘીનો ભાંડો ફૂટતા   પોલીસ કેસ દાખલ થયો હતો અને પોલીસે જતીન શાહની ધરપકડ પણ કરી હતી. જો કે અદાલતે જતીન શાહને 10 હજાર રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા હતા.  ઉલ્લેખનીય છે કે, 3જી ઓક્ટોબરે ગોડાઉન સીલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. માધુપુરાના વેપારી જતિન શાહે પાલડીના દુષ્યંત સોની પાસેથી ઘી ખરીદ્યુ હોવાની વાત જાણવા મળી છે. અહીં ઉલ્લેખનીય છે કે, નકલી ઘી મામલે સંડોવાયેલા તમામ શખ્સોની પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી.



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.