જય શાહના નિવેદન પર PCB ભડક્યું, ODI વર્લ્ડ કપ બહિષ્કારની આપી ધમકી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 19:20:53

ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં એશિયા કપ 2023 ટુર્નામેન્ટ નહીં રમે તેવા BCCI સેક્રેટરી જય શાહના નિવેદન પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ધુઆપુઆ થઈ ગયું છે. PCBએ કહ્યું છે કે આ પ્રકારનું નિવેદન નિયમોની વિરુદ્ધ છે, આ અંગે તરત જ એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠક બોલાવવી જોઈએ.


PCBએ નિવેદન આપી શું કહ્યું?


PCBએ જણાવ્યું કે તેને જય શાહના નિવેદનથી આશ્ચર્ય અને નિરાશ થયું છે. જય શાહે એશિયા કપને ન્યુટ્રલ વેન્યુ પર શિફ્ટ કરવાનું જે નિવેદન આપ્યું છે તે નિંદનીય છે. આ નિવેદન કોઈ બોર્ડ મેમ્બર સાથે વાતચીત કે કોઈપણ જાતની ચર્ચા વગર આપવામાં આવ્યું છે. જેનું મોટું પરિણામ આવી શકે છે.


PCBએ ધમકીના સ્વરમાં કહ્યું કે આ પ્રકારના નિવેદન એશિયન ક્રિકેટ દેશો અને ઇન્ટરનેશનલ ક્રિકેટ સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે અને દેશોને વહેંચે છે. આ સિવાય પાકિસ્તાનના ભારતમાં થવાવાળા 2023 વનડે વર્લ્ડકપ કે 2031 સુધી થવાવાળી બીજ મેચ પર પણ અસર કરી શકે છે. પીસીબીએ આ મામલે એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠક બોલાવવાની માંગ કરી છે કારણકે હજુ સુધી જય શાહ કે બીસીસીઆઈ તરફથી કોઇ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી.


પાકિસ્તાનની ODI વર્લ્ડ કપ નહીં રમવાની ધમકી


એશિયા કપ માટે પાકિસ્તાન ન આવવાના ભારતના નિર્ણય પર પીસીબીનું કહેવું છે કે તે 2023માં ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચી શકે છે. જો કે જય શાહના નિવેદન પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.