જય શાહના નિવેદન પર PCB ભડક્યું, ODI વર્લ્ડ કપ બહિષ્કારની આપી ધમકી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 19:20:53

ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં એશિયા કપ 2023 ટુર્નામેન્ટ નહીં રમે તેવા BCCI સેક્રેટરી જય શાહના નિવેદન પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ધુઆપુઆ થઈ ગયું છે. PCBએ કહ્યું છે કે આ પ્રકારનું નિવેદન નિયમોની વિરુદ્ધ છે, આ અંગે તરત જ એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠક બોલાવવી જોઈએ.


PCBએ નિવેદન આપી શું કહ્યું?


PCBએ જણાવ્યું કે તેને જય શાહના નિવેદનથી આશ્ચર્ય અને નિરાશ થયું છે. જય શાહે એશિયા કપને ન્યુટ્રલ વેન્યુ પર શિફ્ટ કરવાનું જે નિવેદન આપ્યું છે તે નિંદનીય છે. આ નિવેદન કોઈ બોર્ડ મેમ્બર સાથે વાતચીત કે કોઈપણ જાતની ચર્ચા વગર આપવામાં આવ્યું છે. જેનું મોટું પરિણામ આવી શકે છે.


PCBએ ધમકીના સ્વરમાં કહ્યું કે આ પ્રકારના નિવેદન એશિયન ક્રિકેટ દેશો અને ઇન્ટરનેશનલ ક્રિકેટ સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે અને દેશોને વહેંચે છે. આ સિવાય પાકિસ્તાનના ભારતમાં થવાવાળા 2023 વનડે વર્લ્ડકપ કે 2031 સુધી થવાવાળી બીજ મેચ પર પણ અસર કરી શકે છે. પીસીબીએ આ મામલે એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠક બોલાવવાની માંગ કરી છે કારણકે હજુ સુધી જય શાહ કે બીસીસીઆઈ તરફથી કોઇ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી.


પાકિસ્તાનની ODI વર્લ્ડ કપ નહીં રમવાની ધમકી


એશિયા કપ માટે પાકિસ્તાન ન આવવાના ભારતના નિર્ણય પર પીસીબીનું કહેવું છે કે તે 2023માં ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચી શકે છે. જો કે જય શાહના નિવેદન પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.