જયા બચ્ચન પાંચમી વખત રાજ્ય સભામાં જશે, સંપત્તીની કરી જાહેરાત, બચ્ચન દંપતી પાસે કેટલી છે પ્રોપર્ટી?


  • Published By :
  • Published Date : 2024-02-14 17:16:17

બોલિવુડની એક સમયની લોકપ્રિય અભિનેત્રી અને મહાનાયક અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચન પાંચમી વખત રાજ્ય સભામાં જઈ રહી છે. તે ચાર વખત સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભાની સાંસદ રહી છે અને ફરી એક વખત રાજ્યસભામાં પહોંચશે. જયા બચ્ચને સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભાનું નોમિનેશન ભરતી વખતે 13 ફેબ્રુઆરી 2024ના રોજ જયા બચ્ચને જે શપથ પત્ર ચૂંટણી પંચને આપ્યું છે તેમાં તેમણે પોતાની સ્થાવર અને જંગમ પ્રોપર્ટી અંગે જણાવ્યું છે. જયા બચ્ચનની પ્રોપર્ટીની વાત કરીએ તો તે કરોડોની માલિક છે.  


જયા બચ્ચન પાસે છે કેટલી છે સંપત્તી


ચૂંટણી પંચને આપેલા શપથ પત્ર મુજબ તો 75 વર્ષના જયા બચ્ચન અને તેમના પતિ અમિતાભ બચ્ચન પાસે કુલ 1578 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ સંપત્તી છે. તેમાં નાણાકિય વર્ષ 2022-23માં તે બંનેની કમાણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સમયગાળમાં જયા બચ્ચનની કમાણી  1,63,56,190 રહી જ્યારે અમિતાભ બચ્ચનને  273,74,96,590 રૂપિયા તેમની નેટવર્થમાં જોડ્યા છે. જયા બચ્ચન પાસે  57,507 રૂપિયા કેસ અને  10,11,33,172 રૂપિયા બેંક એકાઉન્ટમાં જમા છે. તે જ પ્રકારે અમિતાભ બચ્ચન પાસે 12,75,446 રૂપિયા રોકડા અને 120,45,62,083 રૂપિયાની બેંક ડિપોઝીટ છે. 


બચ્ચન દંપત્તીએે ક્યા કર્યું છે મૂડી રોકાણ?


જયા બચ્ચનના મૂડી રોકાણ અંગે વાત કરીએ તો તેમણે શેર, બોન્ડ અને ડિબેન્ચર્સમાં  5,18,57,928 રૂપિયાનું રોકાણ કર્યું છે. જ્યારે અમિતાભ બચ્ચનને 182,42,29,464 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. એફિડેવિટ જોઈએ તો બચ્ચન દંપત્તીએ NSS, Postal Saving કે ઈન્સ્યોરન્સ પોલીસીમાં પૈસા લગાવ્યા નથી. જયા બચ્ચન પાસે 9 લાખ રૂપિયાની ટાટા ક્વોલિસ ગાડી છે જ્યારે અમિતાભ બચ્ચન પાસે કાર કલેક્શન લગભગ 17 કરોડ રૂપિયાનું છે. જયા બચ્ચન પાસે 9 લાખની પેન અને 51 લાખની વોચ છે. તે જ પ્રકારે અમિતાભ બચ્ચન પાસે 3.4 કરોડની વોચ કલેક્સન છે. તે ઉપરાંત તેમના પતિ પાસે 3 કરોડની રોલ્સ રોયસ, બે કરોડની મર્સિડિઝ બેન્ઝ સહિત કુલ 11 ગાડીઓ છે.   જ્વેલરીની વાત કરીએ તો તેમની પાસે 40 કરોડના ઘરેણા છે જ્યારે તેમના પતિ પાસે 54 કરોડની કિમતી જ્વેલરી છે. તે ઉપરાંત બચ્ચન દંપતી પાસે કરોડોની કિંમતના ઘર અને જમીનો પણ છે.  



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.