જયા બચ્ચન પાંચમી વખત રાજ્ય સભામાં જશે, સંપત્તીની કરી જાહેરાત, બચ્ચન દંપતી પાસે કેટલી છે પ્રોપર્ટી?


  • Published By :
  • Published Date : 2024-02-14 17:16:17

બોલિવુડની એક સમયની લોકપ્રિય અભિનેત્રી અને મહાનાયક અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચન પાંચમી વખત રાજ્ય સભામાં જઈ રહી છે. તે ચાર વખત સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભાની સાંસદ રહી છે અને ફરી એક વખત રાજ્યસભામાં પહોંચશે. જયા બચ્ચને સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભાનું નોમિનેશન ભરતી વખતે 13 ફેબ્રુઆરી 2024ના રોજ જયા બચ્ચને જે શપથ પત્ર ચૂંટણી પંચને આપ્યું છે તેમાં તેમણે પોતાની સ્થાવર અને જંગમ પ્રોપર્ટી અંગે જણાવ્યું છે. જયા બચ્ચનની પ્રોપર્ટીની વાત કરીએ તો તે કરોડોની માલિક છે.  


જયા બચ્ચન પાસે છે કેટલી છે સંપત્તી


ચૂંટણી પંચને આપેલા શપથ પત્ર મુજબ તો 75 વર્ષના જયા બચ્ચન અને તેમના પતિ અમિતાભ બચ્ચન પાસે કુલ 1578 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ સંપત્તી છે. તેમાં નાણાકિય વર્ષ 2022-23માં તે બંનેની કમાણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સમયગાળમાં જયા બચ્ચનની કમાણી  1,63,56,190 રહી જ્યારે અમિતાભ બચ્ચનને  273,74,96,590 રૂપિયા તેમની નેટવર્થમાં જોડ્યા છે. જયા બચ્ચન પાસે  57,507 રૂપિયા કેસ અને  10,11,33,172 રૂપિયા બેંક એકાઉન્ટમાં જમા છે. તે જ પ્રકારે અમિતાભ બચ્ચન પાસે 12,75,446 રૂપિયા રોકડા અને 120,45,62,083 રૂપિયાની બેંક ડિપોઝીટ છે. 


બચ્ચન દંપત્તીએે ક્યા કર્યું છે મૂડી રોકાણ?


જયા બચ્ચનના મૂડી રોકાણ અંગે વાત કરીએ તો તેમણે શેર, બોન્ડ અને ડિબેન્ચર્સમાં  5,18,57,928 રૂપિયાનું રોકાણ કર્યું છે. જ્યારે અમિતાભ બચ્ચનને 182,42,29,464 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. એફિડેવિટ જોઈએ તો બચ્ચન દંપત્તીએ NSS, Postal Saving કે ઈન્સ્યોરન્સ પોલીસીમાં પૈસા લગાવ્યા નથી. જયા બચ્ચન પાસે 9 લાખ રૂપિયાની ટાટા ક્વોલિસ ગાડી છે જ્યારે અમિતાભ બચ્ચન પાસે કાર કલેક્શન લગભગ 17 કરોડ રૂપિયાનું છે. જયા બચ્ચન પાસે 9 લાખની પેન અને 51 લાખની વોચ છે. તે જ પ્રકારે અમિતાભ બચ્ચન પાસે 3.4 કરોડની વોચ કલેક્સન છે. તે ઉપરાંત તેમના પતિ પાસે 3 કરોડની રોલ્સ રોયસ, બે કરોડની મર્સિડિઝ બેન્ઝ સહિત કુલ 11 ગાડીઓ છે.   જ્વેલરીની વાત કરીએ તો તેમની પાસે 40 કરોડના ઘરેણા છે જ્યારે તેમના પતિ પાસે 54 કરોડની કિમતી જ્વેલરી છે. તે ઉપરાંત બચ્ચન દંપતી પાસે કરોડોની કિંમતના ઘર અને જમીનો પણ છે.  



જમાવટની ઈલેક્શન યાત્રા ગુજરાતના અનેક લોકસભા વિસ્તારોમાં ફરી રહી છે અને મતદાતાના મિજાજને જાણવાનો પ્રયત્ન કરી રહી છે. જમાવટ પોરબંદર પહોંચી હતી જ્યાં હાજર લોકોએ ચૂંટણીનું ગણિત સમજાવી દીધું...

રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું જેને લઈ રાજકારણ ગરમાયું હતું. ક્ષત્રિય સમાજના લોકોમાં આક્રોશ જોવા મળ્યો. ત્યારે જામનગરના જામસાહેબે રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે..

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે... અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ત્યારે મોરબીથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

ગુજરાતમાં આજે પીએમ મોદી આવ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદી પ્રચાર કરવાના છે.. જે બેઠકો પર વિખવાદ ચાલી રહ્યો છે તે બેઠકો પર પીએમ મોદી સભાને સંબોધવાના છે...