જયા બચ્ચન પાંચમી વખત રાજ્ય સભામાં જશે, સંપત્તીની કરી જાહેરાત, બચ્ચન દંપતી પાસે કેટલી છે પ્રોપર્ટી?


  • Published By :
  • Published Date : 2024-02-14 17:16:17

બોલિવુડની એક સમયની લોકપ્રિય અભિનેત્રી અને મહાનાયક અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચન પાંચમી વખત રાજ્ય સભામાં જઈ રહી છે. તે ચાર વખત સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભાની સાંસદ રહી છે અને ફરી એક વખત રાજ્યસભામાં પહોંચશે. જયા બચ્ચને સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભાનું નોમિનેશન ભરતી વખતે 13 ફેબ્રુઆરી 2024ના રોજ જયા બચ્ચને જે શપથ પત્ર ચૂંટણી પંચને આપ્યું છે તેમાં તેમણે પોતાની સ્થાવર અને જંગમ પ્રોપર્ટી અંગે જણાવ્યું છે. જયા બચ્ચનની પ્રોપર્ટીની વાત કરીએ તો તે કરોડોની માલિક છે.  


જયા બચ્ચન પાસે છે કેટલી છે સંપત્તી


ચૂંટણી પંચને આપેલા શપથ પત્ર મુજબ તો 75 વર્ષના જયા બચ્ચન અને તેમના પતિ અમિતાભ બચ્ચન પાસે કુલ 1578 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ સંપત્તી છે. તેમાં નાણાકિય વર્ષ 2022-23માં તે બંનેની કમાણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સમયગાળમાં જયા બચ્ચનની કમાણી  1,63,56,190 રહી જ્યારે અમિતાભ બચ્ચનને  273,74,96,590 રૂપિયા તેમની નેટવર્થમાં જોડ્યા છે. જયા બચ્ચન પાસે  57,507 રૂપિયા કેસ અને  10,11,33,172 રૂપિયા બેંક એકાઉન્ટમાં જમા છે. તે જ પ્રકારે અમિતાભ બચ્ચન પાસે 12,75,446 રૂપિયા રોકડા અને 120,45,62,083 રૂપિયાની બેંક ડિપોઝીટ છે. 


બચ્ચન દંપત્તીએે ક્યા કર્યું છે મૂડી રોકાણ?


જયા બચ્ચનના મૂડી રોકાણ અંગે વાત કરીએ તો તેમણે શેર, બોન્ડ અને ડિબેન્ચર્સમાં  5,18,57,928 રૂપિયાનું રોકાણ કર્યું છે. જ્યારે અમિતાભ બચ્ચનને 182,42,29,464 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. એફિડેવિટ જોઈએ તો બચ્ચન દંપત્તીએ NSS, Postal Saving કે ઈન્સ્યોરન્સ પોલીસીમાં પૈસા લગાવ્યા નથી. જયા બચ્ચન પાસે 9 લાખ રૂપિયાની ટાટા ક્વોલિસ ગાડી છે જ્યારે અમિતાભ બચ્ચન પાસે કાર કલેક્શન લગભગ 17 કરોડ રૂપિયાનું છે. જયા બચ્ચન પાસે 9 લાખની પેન અને 51 લાખની વોચ છે. તે જ પ્રકારે અમિતાભ બચ્ચન પાસે 3.4 કરોડની વોચ કલેક્સન છે. તે ઉપરાંત તેમના પતિ પાસે 3 કરોડની રોલ્સ રોયસ, બે કરોડની મર્સિડિઝ બેન્ઝ સહિત કુલ 11 ગાડીઓ છે.   જ્વેલરીની વાત કરીએ તો તેમની પાસે 40 કરોડના ઘરેણા છે જ્યારે તેમના પતિ પાસે 54 કરોડની કિમતી જ્વેલરી છે. તે ઉપરાંત બચ્ચન દંપતી પાસે કરોડોની કિંમતના ઘર અને જમીનો પણ છે.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.