જયા બચ્ચન પાંચમી વખત રાજ્ય સભામાં જશે, સંપત્તીની કરી જાહેરાત, બચ્ચન દંપતી પાસે કેટલી છે પ્રોપર્ટી?


  • Published By :
  • Published Date : 2024-02-14 17:16:17

બોલિવુડની એક સમયની લોકપ્રિય અભિનેત્રી અને મહાનાયક અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચન પાંચમી વખત રાજ્ય સભામાં જઈ રહી છે. તે ચાર વખત સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભાની સાંસદ રહી છે અને ફરી એક વખત રાજ્યસભામાં પહોંચશે. જયા બચ્ચને સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભાનું નોમિનેશન ભરતી વખતે 13 ફેબ્રુઆરી 2024ના રોજ જયા બચ્ચને જે શપથ પત્ર ચૂંટણી પંચને આપ્યું છે તેમાં તેમણે પોતાની સ્થાવર અને જંગમ પ્રોપર્ટી અંગે જણાવ્યું છે. જયા બચ્ચનની પ્રોપર્ટીની વાત કરીએ તો તે કરોડોની માલિક છે.  


જયા બચ્ચન પાસે છે કેટલી છે સંપત્તી


ચૂંટણી પંચને આપેલા શપથ પત્ર મુજબ તો 75 વર્ષના જયા બચ્ચન અને તેમના પતિ અમિતાભ બચ્ચન પાસે કુલ 1578 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ સંપત્તી છે. તેમાં નાણાકિય વર્ષ 2022-23માં તે બંનેની કમાણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સમયગાળમાં જયા બચ્ચનની કમાણી  1,63,56,190 રહી જ્યારે અમિતાભ બચ્ચનને  273,74,96,590 રૂપિયા તેમની નેટવર્થમાં જોડ્યા છે. જયા બચ્ચન પાસે  57,507 રૂપિયા કેસ અને  10,11,33,172 રૂપિયા બેંક એકાઉન્ટમાં જમા છે. તે જ પ્રકારે અમિતાભ બચ્ચન પાસે 12,75,446 રૂપિયા રોકડા અને 120,45,62,083 રૂપિયાની બેંક ડિપોઝીટ છે. 


બચ્ચન દંપત્તીએે ક્યા કર્યું છે મૂડી રોકાણ?


જયા બચ્ચનના મૂડી રોકાણ અંગે વાત કરીએ તો તેમણે શેર, બોન્ડ અને ડિબેન્ચર્સમાં  5,18,57,928 રૂપિયાનું રોકાણ કર્યું છે. જ્યારે અમિતાભ બચ્ચનને 182,42,29,464 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. એફિડેવિટ જોઈએ તો બચ્ચન દંપત્તીએ NSS, Postal Saving કે ઈન્સ્યોરન્સ પોલીસીમાં પૈસા લગાવ્યા નથી. જયા બચ્ચન પાસે 9 લાખ રૂપિયાની ટાટા ક્વોલિસ ગાડી છે જ્યારે અમિતાભ બચ્ચન પાસે કાર કલેક્શન લગભગ 17 કરોડ રૂપિયાનું છે. જયા બચ્ચન પાસે 9 લાખની પેન અને 51 લાખની વોચ છે. તે જ પ્રકારે અમિતાભ બચ્ચન પાસે 3.4 કરોડની વોચ કલેક્સન છે. તે ઉપરાંત તેમના પતિ પાસે 3 કરોડની રોલ્સ રોયસ, બે કરોડની મર્સિડિઝ બેન્ઝ સહિત કુલ 11 ગાડીઓ છે.   જ્વેલરીની વાત કરીએ તો તેમની પાસે 40 કરોડના ઘરેણા છે જ્યારે તેમના પતિ પાસે 54 કરોડની કિમતી જ્વેલરી છે. તે ઉપરાંત બચ્ચન દંપતી પાસે કરોડોની કિંમતના ઘર અને જમીનો પણ છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.