ચૂંટણી પહેલા જય નારાયણ વ્યાસે કરી અશોક ગેહલોતની સાથે મુલાકાત, ગરમાયું અટકળોનું બજાર


  • Published By :
  • Published Date : 2022-10-30 10:33:02

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. ચૂંટણી નજીક આવતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસનો પ્રચાર કરવા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતના પ્રવાસે આવ્યા. આ બધા વચ્ચે ભાજપના નેતા અને પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસ ગેહલોતની મુલાકાત કરવા પહોંચ્યા હતા. ચૂંટણી પહેલા તેમની આ મુલાકાત થવાને કારણે રાજકારણમાં નવા-જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે. 

ગુજરાતના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે અશોક ગહેલોત સાથે કરી મુલાકાત, શું આ બેઠક પરથી ચૂંટણી લડશે?

બંધબારણે બંને નેતાઓ વચ્ચે થઈ બેઠક

ચૂંટણી પંચ ગમે ત્યારે ગુજરાતની ચૂંટણી તારીખોનું એલાન કરી શકે છે. તે પહેલા દરેક પાર્ટી પોતાના પ્રચાર માટે મહેનત કરી રહી છે. ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન મોદી તેમજ અમિત શાહ આવી રહ્યા છે તો આપનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે. ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રીએ કોંગ્રેસના પ્રચારની કમાન સંભાળી છે. ગુજરાતના પ્રવાસ દરમિયાન રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે તેમની મુલાકાત કરી હતી. ચૂંટણી પહેલા બંધબારણે બંને નેતાઓની મુલાકાત થતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. એવી અટકળોએ જોર પકડ્યું છે જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. 


ચૂંટણી પહેલા અનેક નેતાઓ કરી રહ્યા છે પક્ષપલટો

અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે બન્ને નેતાઓ વચ્ચે બંધબારણે બેઠક થઈ હતી. જે બાદ જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાઈ શકે છે તેવી અટકળોએ જોર પકડ્યું છે. ચૂંટણી પહેલા અનેક નેતાઓ પક્ષપલટો કરી લેતા હોય છે. પક્ષપલટો કરવાથી રાજકારણમાં સતત ગરમાવો આવતો રહે છે. અલ્પેશ કથિરીયા આપમાં જોડાવાના છે. અલ્પેશ કથિરીયાએ કહ્યું કે તેમને ભાજપ અને આપ દ્વારા પાર્ટીમાં સામેલ થવા માટે આમંત્રણો મળી રહ્યા હતા. જે બાદ તેમણે આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.