ચૂંટણી પહેલા જય નારાયણ વ્યાસે કરી અશોક ગેહલોતની સાથે મુલાકાત, ગરમાયું અટકળોનું બજાર


  • Published By :
  • Published Date : 2022-10-30 10:33:02

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. ચૂંટણી નજીક આવતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસનો પ્રચાર કરવા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતના પ્રવાસે આવ્યા. આ બધા વચ્ચે ભાજપના નેતા અને પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસ ગેહલોતની મુલાકાત કરવા પહોંચ્યા હતા. ચૂંટણી પહેલા તેમની આ મુલાકાત થવાને કારણે રાજકારણમાં નવા-જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે. 

ગુજરાતના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે અશોક ગહેલોત સાથે કરી મુલાકાત, શું આ બેઠક પરથી ચૂંટણી લડશે?

બંધબારણે બંને નેતાઓ વચ્ચે થઈ બેઠક

ચૂંટણી પંચ ગમે ત્યારે ગુજરાતની ચૂંટણી તારીખોનું એલાન કરી શકે છે. તે પહેલા દરેક પાર્ટી પોતાના પ્રચાર માટે મહેનત કરી રહી છે. ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન મોદી તેમજ અમિત શાહ આવી રહ્યા છે તો આપનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે. ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રીએ કોંગ્રેસના પ્રચારની કમાન સંભાળી છે. ગુજરાતના પ્રવાસ દરમિયાન રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે તેમની મુલાકાત કરી હતી. ચૂંટણી પહેલા બંધબારણે બંને નેતાઓની મુલાકાત થતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. એવી અટકળોએ જોર પકડ્યું છે જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. 


ચૂંટણી પહેલા અનેક નેતાઓ કરી રહ્યા છે પક્ષપલટો

અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે બન્ને નેતાઓ વચ્ચે બંધબારણે બેઠક થઈ હતી. જે બાદ જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાઈ શકે છે તેવી અટકળોએ જોર પકડ્યું છે. ચૂંટણી પહેલા અનેક નેતાઓ પક્ષપલટો કરી લેતા હોય છે. પક્ષપલટો કરવાથી રાજકારણમાં સતત ગરમાવો આવતો રહે છે. અલ્પેશ કથિરીયા આપમાં જોડાવાના છે. અલ્પેશ કથિરીયાએ કહ્યું કે તેમને ભાજપ અને આપ દ્વારા પાર્ટીમાં સામેલ થવા માટે આમંત્રણો મળી રહ્યા હતા. જે બાદ તેમણે આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.