જયેશ રાદડિયાએ લેઉવા પાટીદારોને આપ્યો ઠપકો, 'માયકાંગલા નેતાઓ ના સ્વીકારતા', Video વાયરલ


  • Published By :
  • Published Date : 2024-02-04 13:07:33

રાજકોટના જામકંડોરણામાં સૌરાષ્ટ્રના લેઉવા સમાજના શાહી સમૂહ લગ્નોત્સવ હાલમાં જ યોજાયો હતો. લેહુઆ પાટીદાર સમાજની લાડકડી દીકરીઓના શાહી સમૂહ લગ્નોત્સવમાં જયેશ રાદડિયાએ હાજરી આપી હતી. આ આઠમા શાહી સમૂહ લગ્નોત્સવમાં જયેશ રાદડિયાએ સમાજ સમક્ષ રોષ ઠાલવતું ભાષણ આપ્યુ હતુ. આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ જાહેર મંચ ઉપર લેઉવા પટેલ સમાજને લઈ આક્રોશ ઠાલવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, 2024નું વર્ષ આવ્યું છતાં લેઉવા પટેલ સમાજને એક થવા માટે કહેવું પડી રહ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ પછી આટલા વર્ષે સમાજને હજી કોઈ સરદાર મળ્યા નથી. સમાજના આગેવાનને પાડી દેવાનું ચાલુ રાખશો તો 6-6 મહિને નેતા થતા નથી. જ્યારે માયકાંગલા આગેવાન તરીકે બેસે તો તેને ન સ્વીકારતા. તેવું ધારાસભ્ય જયેશ રાદડિયાએ કહ્યું હતું 


શું કહ્યું જયેશ  રાદડિયાએ?


જયેશ રાદડિયાએ જામકંડોરણા સમૂહ લગ્નમાં સમાજને લઈ નિવેદન એક મોટુ નિવેદન આપ્યુ હતું, જે ચર્ચાનો વિષય બન્યું છે. જયેશ રાદડિયાએ કહ્યું હતુ કે, જ્યારે સમાજની વાત આવે છે ત્યારે હું રાજકારણ કરતો નથી, અને કરવાનો પણ નથી, સમાજની વાત આવે ત્યારે રાજકારણ એકબાજએ રાખુ છું. સમાજનો આગેવાન આગળ આવે તો સ્વીકાર કરજો, સમાજના આગેવાનને પાડી દે તે લેઉવા પટેલ સમાજનો ના કહેવાય. સમાજ સંગઠિત નહીં થાય તો સમાજને કોઈ બચાવી નહીં શકે. સરદાર પટેલ બાદ બીજો કોઈ સરદાર સમાજને નથી મળ્યો, એ સમાજની કમનસીબી કહેવાય. જયેશ રાદડિયાએ વધુ હૂંકાર કરતાં કહ્યું કે, મજબૂત નેતા-આગેવાનને સ્વીકારજો માયકાંગલાને નહીં, ગમે તે વિસ્તાર કે ગામનો હોઈ કોઈપણ કામ હોઈ જામકંડોરણાના દરવાજા ખુલ્લા છે.


વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ


જયેશ રાદડિયાએ લેઉવા પટેલ સમાજને હાંકલ કરતા જણાવ્યું હતું કે, આટલા બધા જ્ઞાતિબંધુઓની હાજરીમાં હું કહું છું કે, રાજકીય માણસ શું? પણ સમાજની વાત આવે ત્યારે મારું રાજકારણ કાયમી માટે મેં એકબાજુ રાખ્યું છે. સમાજની વાત આવે ત્યારે રાજકારણ ક્યારેય નહીં. રાજકારણ કરવા પણ માગતો નથી. સમાજમાં રાજકારણ કર્યું નથી અને કરવા માગતા નથી. કોઈ રાજકારણ કરતા હોય એને પણ કહ્યું છે કે, સમાજની વાત આવે ત્યાં રાજનીતિથી એકબાજુ રહો. જે દિવસે અમારે ભરી પીવાનો સમય આવે તે દિવસે અમે ભરી પીવા તૈયાર છીએ. જેને લઈને આ વિડિઓ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.