જયેશ રાદડિયાએ લેઉવા પાટીદારોને આપ્યો ઠપકો, 'માયકાંગલા નેતાઓ ના સ્વીકારતા', Video વાયરલ


  • Published By :
  • Published Date : 2024-02-04 13:07:33

રાજકોટના જામકંડોરણામાં સૌરાષ્ટ્રના લેઉવા સમાજના શાહી સમૂહ લગ્નોત્સવ હાલમાં જ યોજાયો હતો. લેહુઆ પાટીદાર સમાજની લાડકડી દીકરીઓના શાહી સમૂહ લગ્નોત્સવમાં જયેશ રાદડિયાએ હાજરી આપી હતી. આ આઠમા શાહી સમૂહ લગ્નોત્સવમાં જયેશ રાદડિયાએ સમાજ સમક્ષ રોષ ઠાલવતું ભાષણ આપ્યુ હતુ. આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ જાહેર મંચ ઉપર લેઉવા પટેલ સમાજને લઈ આક્રોશ ઠાલવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, 2024નું વર્ષ આવ્યું છતાં લેઉવા પટેલ સમાજને એક થવા માટે કહેવું પડી રહ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ પછી આટલા વર્ષે સમાજને હજી કોઈ સરદાર મળ્યા નથી. સમાજના આગેવાનને પાડી દેવાનું ચાલુ રાખશો તો 6-6 મહિને નેતા થતા નથી. જ્યારે માયકાંગલા આગેવાન તરીકે બેસે તો તેને ન સ્વીકારતા. તેવું ધારાસભ્ય જયેશ રાદડિયાએ કહ્યું હતું 


શું કહ્યું જયેશ  રાદડિયાએ?


જયેશ રાદડિયાએ જામકંડોરણા સમૂહ લગ્નમાં સમાજને લઈ નિવેદન એક મોટુ નિવેદન આપ્યુ હતું, જે ચર્ચાનો વિષય બન્યું છે. જયેશ રાદડિયાએ કહ્યું હતુ કે, જ્યારે સમાજની વાત આવે છે ત્યારે હું રાજકારણ કરતો નથી, અને કરવાનો પણ નથી, સમાજની વાત આવે ત્યારે રાજકારણ એકબાજએ રાખુ છું. સમાજનો આગેવાન આગળ આવે તો સ્વીકાર કરજો, સમાજના આગેવાનને પાડી દે તે લેઉવા પટેલ સમાજનો ના કહેવાય. સમાજ સંગઠિત નહીં થાય તો સમાજને કોઈ બચાવી નહીં શકે. સરદાર પટેલ બાદ બીજો કોઈ સરદાર સમાજને નથી મળ્યો, એ સમાજની કમનસીબી કહેવાય. જયેશ રાદડિયાએ વધુ હૂંકાર કરતાં કહ્યું કે, મજબૂત નેતા-આગેવાનને સ્વીકારજો માયકાંગલાને નહીં, ગમે તે વિસ્તાર કે ગામનો હોઈ કોઈપણ કામ હોઈ જામકંડોરણાના દરવાજા ખુલ્લા છે.


વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ


જયેશ રાદડિયાએ લેઉવા પટેલ સમાજને હાંકલ કરતા જણાવ્યું હતું કે, આટલા બધા જ્ઞાતિબંધુઓની હાજરીમાં હું કહું છું કે, રાજકીય માણસ શું? પણ સમાજની વાત આવે ત્યારે મારું રાજકારણ કાયમી માટે મેં એકબાજુ રાખ્યું છે. સમાજની વાત આવે ત્યારે રાજકારણ ક્યારેય નહીં. રાજકારણ કરવા પણ માગતો નથી. સમાજમાં રાજકારણ કર્યું નથી અને કરવા માગતા નથી. કોઈ રાજકારણ કરતા હોય એને પણ કહ્યું છે કે, સમાજની વાત આવે ત્યાં રાજનીતિથી એકબાજુ રહો. જે દિવસે અમારે ભરી પીવાનો સમય આવે તે દિવસે અમે ભરી પીવા તૈયાર છીએ. જેને લઈને આ વિડિઓ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે