જયસુખ પટેલને હજી પણ ભોગવવો પડશે જેલવાસ! કોર્ટે જામીન અરજી કરી નામંજૂર


  • Published By :
  • Published Date : 2023-04-01 17:43:58

દિવાળીના સમયે મચ્છુ નદી પર બનેલો ઝૂલતો બ્રિજ તૂટી પડ્યો હતો. મોરબીની આ હોનારતમાં 135 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ વિરૂદ્ધ કેસ ચાલી રહ્યો હતો. જયસુખ પટેલ જેલવાસ ભોગવી રહ્યા છે. જયસુખ પટેલ જામીન માટે સતત અરજી કરી રહ્યા છે. આજે પણ જયસુખ પટેલે જામીન માટે અરજી કરી હતી પરંતુ તેમની અરજીને ફગાવી દેવામાં આવી છે. રેગ્યુલર જામીન માટે મોરબી સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી પરંતુ કોર્ટે અરજીને નામંજૂર કરી છે. જયસુખ પટેલ હવે હાઈકોર્ટના દ્વાર ખખડાવી શકે છે.


જયસુખ પટેલની જામીનની અરજી કોર્ટે ફટકારી

મોરબીમાં દિવાળી દરમિયાન એક હોનારત બની હતી. ઝુલતો બ્રિજ તૂટી પડતા 135 જેટલા લોકએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. દિવાળીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ વિરૂદ્ધ આ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી. જયસુખ પટેલ જેલવાસ ભોગવી રહ્યા છે. અરજી માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ અનેક વખત તેમની અરજીને ફગાવી દેવામાં આવી છે. 


તબિયત લથડતા જયસુખ પટેલને હોસ્પિટલ ખસેડાયા!          

જયસુખ પટેલે જામીન માટે આજે પણ અરજી કરી હતી પરંતુ તેમની અરજીને ફગાવી દેવામાં આવી છે. મોરબી સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરવામાં આવી હતી પરંતુ કોર્ટે અરજીને નામંજૂર કરી છે. જયસુખ પટેલ હવે હાઈકોર્ટના દ્વાર ખખડાવી શકે છે. એવી પણ માહિતી મળી રહી છે કે જયસુખ પટેલની તબિયત લથડી છે. છાતીમાં દુખાવો થવાને કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.   




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .