જયસુખ પટેલને હજી પણ ભોગવવો પડશે જેલવાસ! કોર્ટે જામીન અરજી કરી નામંજૂર


  • Published By :
  • Published Date : 2023-04-01 17:43:58

દિવાળીના સમયે મચ્છુ નદી પર બનેલો ઝૂલતો બ્રિજ તૂટી પડ્યો હતો. મોરબીની આ હોનારતમાં 135 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ વિરૂદ્ધ કેસ ચાલી રહ્યો હતો. જયસુખ પટેલ જેલવાસ ભોગવી રહ્યા છે. જયસુખ પટેલ જામીન માટે સતત અરજી કરી રહ્યા છે. આજે પણ જયસુખ પટેલે જામીન માટે અરજી કરી હતી પરંતુ તેમની અરજીને ફગાવી દેવામાં આવી છે. રેગ્યુલર જામીન માટે મોરબી સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી પરંતુ કોર્ટે અરજીને નામંજૂર કરી છે. જયસુખ પટેલ હવે હાઈકોર્ટના દ્વાર ખખડાવી શકે છે.


જયસુખ પટેલની જામીનની અરજી કોર્ટે ફટકારી

મોરબીમાં દિવાળી દરમિયાન એક હોનારત બની હતી. ઝુલતો બ્રિજ તૂટી પડતા 135 જેટલા લોકએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. દિવાળીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ વિરૂદ્ધ આ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી. જયસુખ પટેલ જેલવાસ ભોગવી રહ્યા છે. અરજી માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ અનેક વખત તેમની અરજીને ફગાવી દેવામાં આવી છે. 


તબિયત લથડતા જયસુખ પટેલને હોસ્પિટલ ખસેડાયા!          

જયસુખ પટેલે જામીન માટે આજે પણ અરજી કરી હતી પરંતુ તેમની અરજીને ફગાવી દેવામાં આવી છે. મોરબી સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરવામાં આવી હતી પરંતુ કોર્ટે અરજીને નામંજૂર કરી છે. જયસુખ પટેલ હવે હાઈકોર્ટના દ્વાર ખખડાવી શકે છે. એવી પણ માહિતી મળી રહી છે કે જયસુખ પટેલની તબિયત લથડી છે. છાતીમાં દુખાવો થવાને કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.   




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.