જેડીયુએ કહ્યું મોદી સરકાર અનામત ખતમ કરવાનું ષડયંત્ર કરી રહી છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 16:29:19

બિહારની રાજનીતિ પહેલેથી રોચક રહી છે. તેવામાં જેડીયુએ ભાજપ સામે પોલ ખોલ અભિયાન શરૂ કરી દીધું છે. આ અભિયાનમાં જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલ્લનસિંહે ભાજપ પર હુમલો કર્યો હતો. 

ભાજપ અનામત ખતમ કરી દેશેઃ જેડીયુ

 લલ્લનસિંહે કહ્યું હતું કે બિહારમાં નાના વર્ગના લોકોને સરકારે 20 ટકા અનામત આપ્યું હતું. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. મોદી સરકાર નવું ષડયંત્ર કરી રહ્યા છે અને આ વખતેની મનપાની ચૂંટણીમાં આરક્ષણ વ્યવસ્થા સમાપ્ત કરવાનો પ્લાન બનાવી રહી છે. 


બિહાર મનપા ચૂંટણીમાં જીત માટે દબાવ

આ એ જ બિહાર સરકાર છે જે જાતિગત જનસંખ્યાની ગણતરી કરવા માટે કેન્દ્ર સરકારના પગ પૂજી રહી છે. જેડીયુએ લોકસભામાં આ મુદ્દાને ઉઠાવ્યો હતો. નીતિશ કુમાર તો જાતિગત ગણતરી કરવા માટે પ્રધાનમંત્રીને મળવા પહોંચી ગયા હતા. લલ્લનસિંહે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર જાણે છે કે જો બિહારમાં જાતિગત જનસંખ્યાની ગણતરી કરવામાં આવશે તો અનામતને લાગુ રાખવી પડશે. અહીં લાગી રહ્યું છે કે બિહાર સરકાર પોતાના ખર્ચે બિહારમાં જાતિગત જનસંખ્યાની ગણતરી કરાવશે. જેડીયુનું કહેવું છે કે તેઓ લોકો વચ્ચે જશે અને કેન્દ્ર સરકારની અનામત ખતમ કરવાના ષડયંત્રને લોકો સમક્ષ ખુલ્લું પાડશે. 



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.