જેડીયુએ કહ્યું મોદી સરકાર અનામત ખતમ કરવાનું ષડયંત્ર કરી રહી છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 16:29:19

બિહારની રાજનીતિ પહેલેથી રોચક રહી છે. તેવામાં જેડીયુએ ભાજપ સામે પોલ ખોલ અભિયાન શરૂ કરી દીધું છે. આ અભિયાનમાં જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલ્લનસિંહે ભાજપ પર હુમલો કર્યો હતો. 

ભાજપ અનામત ખતમ કરી દેશેઃ જેડીયુ

 લલ્લનસિંહે કહ્યું હતું કે બિહારમાં નાના વર્ગના લોકોને સરકારે 20 ટકા અનામત આપ્યું હતું. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. મોદી સરકાર નવું ષડયંત્ર કરી રહ્યા છે અને આ વખતેની મનપાની ચૂંટણીમાં આરક્ષણ વ્યવસ્થા સમાપ્ત કરવાનો પ્લાન બનાવી રહી છે. 


બિહાર મનપા ચૂંટણીમાં જીત માટે દબાવ

આ એ જ બિહાર સરકાર છે જે જાતિગત જનસંખ્યાની ગણતરી કરવા માટે કેન્દ્ર સરકારના પગ પૂજી રહી છે. જેડીયુએ લોકસભામાં આ મુદ્દાને ઉઠાવ્યો હતો. નીતિશ કુમાર તો જાતિગત ગણતરી કરવા માટે પ્રધાનમંત્રીને મળવા પહોંચી ગયા હતા. લલ્લનસિંહે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર જાણે છે કે જો બિહારમાં જાતિગત જનસંખ્યાની ગણતરી કરવામાં આવશે તો અનામતને લાગુ રાખવી પડશે. અહીં લાગી રહ્યું છે કે બિહાર સરકાર પોતાના ખર્ચે બિહારમાં જાતિગત જનસંખ્યાની ગણતરી કરાવશે. જેડીયુનું કહેવું છે કે તેઓ લોકો વચ્ચે જશે અને કેન્દ્ર સરકારની અનામત ખતમ કરવાના ષડયંત્રને લોકો સમક્ષ ખુલ્લું પાડશે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.