જેડીયુએ કહ્યું મોદી સરકાર અનામત ખતમ કરવાનું ષડયંત્ર કરી રહી છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 16:29:19

બિહારની રાજનીતિ પહેલેથી રોચક રહી છે. તેવામાં જેડીયુએ ભાજપ સામે પોલ ખોલ અભિયાન શરૂ કરી દીધું છે. આ અભિયાનમાં જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલ્લનસિંહે ભાજપ પર હુમલો કર્યો હતો. 

ભાજપ અનામત ખતમ કરી દેશેઃ જેડીયુ

 લલ્લનસિંહે કહ્યું હતું કે બિહારમાં નાના વર્ગના લોકોને સરકારે 20 ટકા અનામત આપ્યું હતું. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. મોદી સરકાર નવું ષડયંત્ર કરી રહ્યા છે અને આ વખતેની મનપાની ચૂંટણીમાં આરક્ષણ વ્યવસ્થા સમાપ્ત કરવાનો પ્લાન બનાવી રહી છે. 


બિહાર મનપા ચૂંટણીમાં જીત માટે દબાવ

આ એ જ બિહાર સરકાર છે જે જાતિગત જનસંખ્યાની ગણતરી કરવા માટે કેન્દ્ર સરકારના પગ પૂજી રહી છે. જેડીયુએ લોકસભામાં આ મુદ્દાને ઉઠાવ્યો હતો. નીતિશ કુમાર તો જાતિગત ગણતરી કરવા માટે પ્રધાનમંત્રીને મળવા પહોંચી ગયા હતા. લલ્લનસિંહે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર જાણે છે કે જો બિહારમાં જાતિગત જનસંખ્યાની ગણતરી કરવામાં આવશે તો અનામતને લાગુ રાખવી પડશે. અહીં લાગી રહ્યું છે કે બિહાર સરકાર પોતાના ખર્ચે બિહારમાં જાતિગત જનસંખ્યાની ગણતરી કરાવશે. જેડીયુનું કહેવું છે કે તેઓ લોકો વચ્ચે જશે અને કેન્દ્ર સરકારની અનામત ખતમ કરવાના ષડયંત્રને લોકો સમક્ષ ખુલ્લું પાડશે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે