જેડીયુએ કહ્યું મોદી સરકાર અનામત ખતમ કરવાનું ષડયંત્ર કરી રહી છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 16:29:19

બિહારની રાજનીતિ પહેલેથી રોચક રહી છે. તેવામાં જેડીયુએ ભાજપ સામે પોલ ખોલ અભિયાન શરૂ કરી દીધું છે. આ અભિયાનમાં જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલ્લનસિંહે ભાજપ પર હુમલો કર્યો હતો. 

ભાજપ અનામત ખતમ કરી દેશેઃ જેડીયુ

 લલ્લનસિંહે કહ્યું હતું કે બિહારમાં નાના વર્ગના લોકોને સરકારે 20 ટકા અનામત આપ્યું હતું. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. મોદી સરકાર નવું ષડયંત્ર કરી રહ્યા છે અને આ વખતેની મનપાની ચૂંટણીમાં આરક્ષણ વ્યવસ્થા સમાપ્ત કરવાનો પ્લાન બનાવી રહી છે. 


બિહાર મનપા ચૂંટણીમાં જીત માટે દબાવ

આ એ જ બિહાર સરકાર છે જે જાતિગત જનસંખ્યાની ગણતરી કરવા માટે કેન્દ્ર સરકારના પગ પૂજી રહી છે. જેડીયુએ લોકસભામાં આ મુદ્દાને ઉઠાવ્યો હતો. નીતિશ કુમાર તો જાતિગત ગણતરી કરવા માટે પ્રધાનમંત્રીને મળવા પહોંચી ગયા હતા. લલ્લનસિંહે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર જાણે છે કે જો બિહારમાં જાતિગત જનસંખ્યાની ગણતરી કરવામાં આવશે તો અનામતને લાગુ રાખવી પડશે. અહીં લાગી રહ્યું છે કે બિહાર સરકાર પોતાના ખર્ચે બિહારમાં જાતિગત જનસંખ્યાની ગણતરી કરાવશે. જેડીયુનું કહેવું છે કે તેઓ લોકો વચ્ચે જશે અને કેન્દ્ર સરકારની અનામત ખતમ કરવાના ષડયંત્રને લોકો સમક્ષ ખુલ્લું પાડશે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .