BJP નેતા નારણ કાછડિયાના નિવેદન પછી જેનીબેન ઠુંમરે કર્યા પ્રહાર, તો ભરત કાનાબારે શું સ્વીકાર્યું? સાંભળો શું કહ્યું..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-10 17:12:44

ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી ભરતી મેળો જોવા મળી રહ્યો છે...છેલ્લા થોડા સમયની અંદર અનેક નેતાઓએ કેસરિયો ધારણ કરી લીધો છે.. ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે. ના માત્ર નારણ કાછડિયા પરંતુ ભાજપના અનેક નેતાઓ નારાજ હોય તેવું લાગી રહ્યું છે.

જેની ઠુંમરે આપી પ્રતિક્રિયા 

છેલ્લા ઘણા સમયથી ભાજપમાં ચાલતા આંતરિક ડખા ખુલ્લીને સામે આવી રહ્યા છે. નેતાઓની નારાજગી જાણે ખુલ્લીને સામે આવી રહી છે. એક સમય એવો હતો જ્યારે કોંગ્રેસ માટે કહેવાતું હતું કે કોંગ્રેસમાં ડખા છે, વિખવાદ છે, કકળાટ છે તેવા દ્રશ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહ્યા છે. આ બધા વચ્ચે કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. જેનીબેન ઠુંમરે ભાજપમાં ચાલતા વિખવાદને લઈ પ્રતિક્રિયા આપી છે..  

પક્ષપલટા બાદ બદલાઈ જાય છે નેતાના બોલ!

મહત્વનું છે કે જ્યારે પણ નેતા પક્ષપલટો કરતા હોય છે ત્યારે પ્રશ્ન થાય કે જે નેતાઓ માટે, જે પાર્ટી માટે અપશબ્દો બોલ્યા હોય, જેની ટિકા કરી હોય તે જ પાર્ટી માટે વિચારો અચાનક કેવી રીતે બદલાઈ જાય છે.. જે પાર્ટીના સારા કામો, જેમની યોજનાઓમાં ખામીઓ દેખાતી હોય તે અચાનક કેવી રીતે બદલાઈ જાય છે જ્યારે તે પાર્ટીનો ખેસ તે નેતા પહેરી લે છે.. ખેર આ તો રાજનીતિ છે.. રોજે નવા નવા ખેલ જોવા મળી રહ્યા છે...!     



લીંબડી સર્કલ પર આવેલા ઓવરબ્રિજ પર આઠથી દસ ફૂટનું ગાબડું પડતા એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે તંત્રએ મરામતની કામગીરી હાથ ધરી છે. મહત્વનું છે કે જે બ્રિજ પર ગાબડા પડવાની ઘટના સામે આવી છે તે બ્રિજને બને એક વર્ષ પણ નથી થયું , ત્યાં આ રીતે ગાબડું પડતા બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે.

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.