BJP નેતા નારણ કાછડિયાના નિવેદન પછી જેનીબેન ઠુંમરે કર્યા પ્રહાર, તો ભરત કાનાબારે શું સ્વીકાર્યું? સાંભળો શું કહ્યું..


  • Published By :
  • Published Date : 2024-05-10 17:12:44

ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી ભરતી મેળો જોવા મળી રહ્યો છે...છેલ્લા થોડા સમયની અંદર અનેક નેતાઓએ કેસરિયો ધારણ કરી લીધો છે.. ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે. ના માત્ર નારણ કાછડિયા પરંતુ ભાજપના અનેક નેતાઓ નારાજ હોય તેવું લાગી રહ્યું છે.

જેની ઠુંમરે આપી પ્રતિક્રિયા 

છેલ્લા ઘણા સમયથી ભાજપમાં ચાલતા આંતરિક ડખા ખુલ્લીને સામે આવી રહ્યા છે. નેતાઓની નારાજગી જાણે ખુલ્લીને સામે આવી રહી છે. એક સમય એવો હતો જ્યારે કોંગ્રેસ માટે કહેવાતું હતું કે કોંગ્રેસમાં ડખા છે, વિખવાદ છે, કકળાટ છે તેવા દ્રશ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહ્યા છે. આ બધા વચ્ચે કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. જેનીબેન ઠુંમરે ભાજપમાં ચાલતા વિખવાદને લઈ પ્રતિક્રિયા આપી છે..  

પક્ષપલટા બાદ બદલાઈ જાય છે નેતાના બોલ!

મહત્વનું છે કે જ્યારે પણ નેતા પક્ષપલટો કરતા હોય છે ત્યારે પ્રશ્ન થાય કે જે નેતાઓ માટે, જે પાર્ટી માટે અપશબ્દો બોલ્યા હોય, જેની ટિકા કરી હોય તે જ પાર્ટી માટે વિચારો અચાનક કેવી રીતે બદલાઈ જાય છે.. જે પાર્ટીના સારા કામો, જેમની યોજનાઓમાં ખામીઓ દેખાતી હોય તે અચાનક કેવી રીતે બદલાઈ જાય છે જ્યારે તે પાર્ટીનો ખેસ તે નેતા પહેરી લે છે.. ખેર આ તો રાજનીતિ છે.. રોજે નવા નવા ખેલ જોવા મળી રહ્યા છે...!     



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."