BJP નેતા નારણ કાછડિયાના નિવેદન પછી જેનીબેન ઠુંમરે કર્યા પ્રહાર, તો ભરત કાનાબારે શું સ્વીકાર્યું? સાંભળો શું કહ્યું..


  • Published By :
  • Published Date : 2024-05-10 17:12:44

ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી ભરતી મેળો જોવા મળી રહ્યો છે...છેલ્લા થોડા સમયની અંદર અનેક નેતાઓએ કેસરિયો ધારણ કરી લીધો છે.. ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે. ના માત્ર નારણ કાછડિયા પરંતુ ભાજપના અનેક નેતાઓ નારાજ હોય તેવું લાગી રહ્યું છે.

જેની ઠુંમરે આપી પ્રતિક્રિયા 

છેલ્લા ઘણા સમયથી ભાજપમાં ચાલતા આંતરિક ડખા ખુલ્લીને સામે આવી રહ્યા છે. નેતાઓની નારાજગી જાણે ખુલ્લીને સામે આવી રહી છે. એક સમય એવો હતો જ્યારે કોંગ્રેસ માટે કહેવાતું હતું કે કોંગ્રેસમાં ડખા છે, વિખવાદ છે, કકળાટ છે તેવા દ્રશ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહ્યા છે. આ બધા વચ્ચે કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. જેનીબેન ઠુંમરે ભાજપમાં ચાલતા વિખવાદને લઈ પ્રતિક્રિયા આપી છે..  

પક્ષપલટા બાદ બદલાઈ જાય છે નેતાના બોલ!

મહત્વનું છે કે જ્યારે પણ નેતા પક્ષપલટો કરતા હોય છે ત્યારે પ્રશ્ન થાય કે જે નેતાઓ માટે, જે પાર્ટી માટે અપશબ્દો બોલ્યા હોય, જેની ટિકા કરી હોય તે જ પાર્ટી માટે વિચારો અચાનક કેવી રીતે બદલાઈ જાય છે.. જે પાર્ટીના સારા કામો, જેમની યોજનાઓમાં ખામીઓ દેખાતી હોય તે અચાનક કેવી રીતે બદલાઈ જાય છે જ્યારે તે પાર્ટીનો ખેસ તે નેતા પહેરી લે છે.. ખેર આ તો રાજનીતિ છે.. રોજે નવા નવા ખેલ જોવા મળી રહ્યા છે...!     



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે