BJP નેતા નારણ કાછડિયાના નિવેદન પછી જેનીબેન ઠુંમરે કર્યા પ્રહાર, તો ભરત કાનાબારે શું સ્વીકાર્યું? સાંભળો શું કહ્યું..


  • Published By :
  • Published Date : 2024-05-10 17:12:44

ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી ભરતી મેળો જોવા મળી રહ્યો છે...છેલ્લા થોડા સમયની અંદર અનેક નેતાઓએ કેસરિયો ધારણ કરી લીધો છે.. ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે. ના માત્ર નારણ કાછડિયા પરંતુ ભાજપના અનેક નેતાઓ નારાજ હોય તેવું લાગી રહ્યું છે.

જેની ઠુંમરે આપી પ્રતિક્રિયા 

છેલ્લા ઘણા સમયથી ભાજપમાં ચાલતા આંતરિક ડખા ખુલ્લીને સામે આવી રહ્યા છે. નેતાઓની નારાજગી જાણે ખુલ્લીને સામે આવી રહી છે. એક સમય એવો હતો જ્યારે કોંગ્રેસ માટે કહેવાતું હતું કે કોંગ્રેસમાં ડખા છે, વિખવાદ છે, કકળાટ છે તેવા દ્રશ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહ્યા છે. આ બધા વચ્ચે કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. જેનીબેન ઠુંમરે ભાજપમાં ચાલતા વિખવાદને લઈ પ્રતિક્રિયા આપી છે..  

પક્ષપલટા બાદ બદલાઈ જાય છે નેતાના બોલ!

મહત્વનું છે કે જ્યારે પણ નેતા પક્ષપલટો કરતા હોય છે ત્યારે પ્રશ્ન થાય કે જે નેતાઓ માટે, જે પાર્ટી માટે અપશબ્દો બોલ્યા હોય, જેની ટિકા કરી હોય તે જ પાર્ટી માટે વિચારો અચાનક કેવી રીતે બદલાઈ જાય છે.. જે પાર્ટીના સારા કામો, જેમની યોજનાઓમાં ખામીઓ દેખાતી હોય તે અચાનક કેવી રીતે બદલાઈ જાય છે જ્યારે તે પાર્ટીનો ખેસ તે નેતા પહેરી લે છે.. ખેર આ તો રાજનીતિ છે.. રોજે નવા નવા ખેલ જોવા મળી રહ્યા છે...!     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.