મહિલાને ‘ડાકણ’ કહીને જેઠ-જેઠાણીએ માર્યો માર, ન્યાય માટે મહિલાએ કરી મોડાસા SPને રજૂઆત


  • Published By :
  • Published Date : 2023-01-23 16:55:43

આજકાલ એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં મહિલાને ડાકણ સમજીને માર મારવામાં આવે છે. આવી જ ઘટના ભિલોડાના ગઢીયા ગામમાં બની છે. મહિલાને ડાકણના વહેમમાં તાલિબાની સજા આપવામાં આવી. જેઠ જેઠાણી દ્વારા મહિલાને ઢસેડવામાં આવી અને મહિલાને માર મારવામાં આવ્યો હતો. આ અંગે જ્યારે પોલીસને જાણ કરવા પોલીસ સ્ટેશન ગયા ત્યારે પોલીસે ફરીયાદ લેવાની ના પાડી દીધી. જે બાદ રજૂઆત કરવા મહિલા મોડાસા SP ઓફિસ પહોંચી હતી.  


ડાકણ કહીને મહિલા પર કરાયો અત્યાચાર 

આપણે એકવીસમી સદીની વાતો કરીએ છીએ, સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ છીએ પરંતુ અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જે આપણને વિચારવા મજબૂર કરી દેતા હોય છે. આવો જ એક કિસ્સો અરવલ્લીના ભિલોડાગઢીયા ગામમાં બન્યો હતો. મળતી માહિતી અનુસાર પોતાના પતિ અને ત્રણ બાળકો સાથે મહિલા ભિલોડાના ગઢીયા ગામમાં રહેતી હતી. બસ ડ્રાઈવર હોવાને કારણે મહિલાના પતિ બહાર રહેતા હતા.


ડાકણ કહી જેઠ-જેઠાણીએ મહિલાને માર્યો માર 

20 જાન્યુઆરીના રોજ મહિલાની બંને દીકરીઓ બહાર હતી તે દરમિયાન મહિલાના જેઠ-જેઠાણી અનેક લોકોને સાથે લઈને આવ્યા હતા. લાકડી તેમજ ધારિયા લઈને આવેલા લોકોએ ડાકણ તું ઘરની બહાર તેમ કહી ઘરની બહાર બોલાવી. મહિલા બહાર આવી તેને ઢસડીને લઈ ગયા હતા જેને કારણે તે નિર્વસ્ત્ર થઈ ગઈ. તે બાદ ગડદા-પાટુનો માર માર્યો તથા લાકડીથી ઢોર માર માર્યો હતો અને તેમના ઘરની ચોપાડની કુંભી સાથે બાંધી દીધી હતી.  


પોલીસમાં ફરિયાદ કરાઈ પરંતુ કોઈ પગલા ન લેવાયા

દીકરી જ્યારે સ્કૂલેથી ઘરે પાછી આવી તો તેને આ ઘટનાની જાણ થઈ. દીકરીએ 108 અને પોલીસને આ ઘટનાની જાણ કરી અને ઈજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મહિલા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવા ગઈ તો જમાદારે તેમની સહી લઈને કહી દીધું કે ફરિયાદ આવી ગઈ. 


ન્યાય માટે મહિલાએ કરી મોડાસા SPને રજૂઆત 

મહિલાની ફરિયાદ બાદ પણ કોઈ પગલા લેવામાં આવ્યા નથી. ઉપરાંત મહિલાને ધમકી આપવામાં આવી કે જો પોલીસમાં જઈશ તો તને નિર્વસ્ત્ર કરીને મારી તેમ તારી દીકરીઓની આબરૂ લૂંટીને તારા જેવી હાલત કરી નાખીશું.પોલીસ દ્વારા કોઈ પ્રકારના પગલા લેવામાં આવ્યા ન હતા. ઉપરાંત મહિલાને ધમકી મળી હતી પરંતુ હિમ્મત રાખીને મહિલાએ મોડાસા SP ઓફિસમાં જઈ રજૂઆત કરી હતી અને ન્યાય અપાવાની માગ કરી હતી.      



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.