મહિલાને ‘ડાકણ’ કહીને જેઠ-જેઠાણીએ માર્યો માર, ન્યાય માટે મહિલાએ કરી મોડાસા SPને રજૂઆત


  • Published By :
  • Published Date : 2023-01-23 16:55:43

આજકાલ એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં મહિલાને ડાકણ સમજીને માર મારવામાં આવે છે. આવી જ ઘટના ભિલોડાના ગઢીયા ગામમાં બની છે. મહિલાને ડાકણના વહેમમાં તાલિબાની સજા આપવામાં આવી. જેઠ જેઠાણી દ્વારા મહિલાને ઢસેડવામાં આવી અને મહિલાને માર મારવામાં આવ્યો હતો. આ અંગે જ્યારે પોલીસને જાણ કરવા પોલીસ સ્ટેશન ગયા ત્યારે પોલીસે ફરીયાદ લેવાની ના પાડી દીધી. જે બાદ રજૂઆત કરવા મહિલા મોડાસા SP ઓફિસ પહોંચી હતી.  


ડાકણ કહીને મહિલા પર કરાયો અત્યાચાર 

આપણે એકવીસમી સદીની વાતો કરીએ છીએ, સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ છીએ પરંતુ અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જે આપણને વિચારવા મજબૂર કરી દેતા હોય છે. આવો જ એક કિસ્સો અરવલ્લીના ભિલોડાગઢીયા ગામમાં બન્યો હતો. મળતી માહિતી અનુસાર પોતાના પતિ અને ત્રણ બાળકો સાથે મહિલા ભિલોડાના ગઢીયા ગામમાં રહેતી હતી. બસ ડ્રાઈવર હોવાને કારણે મહિલાના પતિ બહાર રહેતા હતા.


ડાકણ કહી જેઠ-જેઠાણીએ મહિલાને માર્યો માર 

20 જાન્યુઆરીના રોજ મહિલાની બંને દીકરીઓ બહાર હતી તે દરમિયાન મહિલાના જેઠ-જેઠાણી અનેક લોકોને સાથે લઈને આવ્યા હતા. લાકડી તેમજ ધારિયા લઈને આવેલા લોકોએ ડાકણ તું ઘરની બહાર તેમ કહી ઘરની બહાર બોલાવી. મહિલા બહાર આવી તેને ઢસડીને લઈ ગયા હતા જેને કારણે તે નિર્વસ્ત્ર થઈ ગઈ. તે બાદ ગડદા-પાટુનો માર માર્યો તથા લાકડીથી ઢોર માર માર્યો હતો અને તેમના ઘરની ચોપાડની કુંભી સાથે બાંધી દીધી હતી.  


પોલીસમાં ફરિયાદ કરાઈ પરંતુ કોઈ પગલા ન લેવાયા

દીકરી જ્યારે સ્કૂલેથી ઘરે પાછી આવી તો તેને આ ઘટનાની જાણ થઈ. દીકરીએ 108 અને પોલીસને આ ઘટનાની જાણ કરી અને ઈજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મહિલા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવા ગઈ તો જમાદારે તેમની સહી લઈને કહી દીધું કે ફરિયાદ આવી ગઈ. 


ન્યાય માટે મહિલાએ કરી મોડાસા SPને રજૂઆત 

મહિલાની ફરિયાદ બાદ પણ કોઈ પગલા લેવામાં આવ્યા નથી. ઉપરાંત મહિલાને ધમકી આપવામાં આવી કે જો પોલીસમાં જઈશ તો તને નિર્વસ્ત્ર કરીને મારી તેમ તારી દીકરીઓની આબરૂ લૂંટીને તારા જેવી હાલત કરી નાખીશું.પોલીસ દ્વારા કોઈ પ્રકારના પગલા લેવામાં આવ્યા ન હતા. ઉપરાંત મહિલાને ધમકી મળી હતી પરંતુ હિમ્મત રાખીને મહિલાએ મોડાસા SP ઓફિસમાં જઈ રજૂઆત કરી હતી અને ન્યાય અપાવાની માગ કરી હતી.      



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.