મહિલાને ‘ડાકણ’ કહીને જેઠ-જેઠાણીએ માર્યો માર, ન્યાય માટે મહિલાએ કરી મોડાસા SPને રજૂઆત


  • Published By :
  • Published Date : 2023-01-23 16:55:43

આજકાલ એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં મહિલાને ડાકણ સમજીને માર મારવામાં આવે છે. આવી જ ઘટના ભિલોડાના ગઢીયા ગામમાં બની છે. મહિલાને ડાકણના વહેમમાં તાલિબાની સજા આપવામાં આવી. જેઠ જેઠાણી દ્વારા મહિલાને ઢસેડવામાં આવી અને મહિલાને માર મારવામાં આવ્યો હતો. આ અંગે જ્યારે પોલીસને જાણ કરવા પોલીસ સ્ટેશન ગયા ત્યારે પોલીસે ફરીયાદ લેવાની ના પાડી દીધી. જે બાદ રજૂઆત કરવા મહિલા મોડાસા SP ઓફિસ પહોંચી હતી.  


ડાકણ કહીને મહિલા પર કરાયો અત્યાચાર 

આપણે એકવીસમી સદીની વાતો કરીએ છીએ, સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ છીએ પરંતુ અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જે આપણને વિચારવા મજબૂર કરી દેતા હોય છે. આવો જ એક કિસ્સો અરવલ્લીના ભિલોડાગઢીયા ગામમાં બન્યો હતો. મળતી માહિતી અનુસાર પોતાના પતિ અને ત્રણ બાળકો સાથે મહિલા ભિલોડાના ગઢીયા ગામમાં રહેતી હતી. બસ ડ્રાઈવર હોવાને કારણે મહિલાના પતિ બહાર રહેતા હતા.


ડાકણ કહી જેઠ-જેઠાણીએ મહિલાને માર્યો માર 

20 જાન્યુઆરીના રોજ મહિલાની બંને દીકરીઓ બહાર હતી તે દરમિયાન મહિલાના જેઠ-જેઠાણી અનેક લોકોને સાથે લઈને આવ્યા હતા. લાકડી તેમજ ધારિયા લઈને આવેલા લોકોએ ડાકણ તું ઘરની બહાર તેમ કહી ઘરની બહાર બોલાવી. મહિલા બહાર આવી તેને ઢસડીને લઈ ગયા હતા જેને કારણે તે નિર્વસ્ત્ર થઈ ગઈ. તે બાદ ગડદા-પાટુનો માર માર્યો તથા લાકડીથી ઢોર માર માર્યો હતો અને તેમના ઘરની ચોપાડની કુંભી સાથે બાંધી દીધી હતી.  


પોલીસમાં ફરિયાદ કરાઈ પરંતુ કોઈ પગલા ન લેવાયા

દીકરી જ્યારે સ્કૂલેથી ઘરે પાછી આવી તો તેને આ ઘટનાની જાણ થઈ. દીકરીએ 108 અને પોલીસને આ ઘટનાની જાણ કરી અને ઈજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મહિલા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવા ગઈ તો જમાદારે તેમની સહી લઈને કહી દીધું કે ફરિયાદ આવી ગઈ. 


ન્યાય માટે મહિલાએ કરી મોડાસા SPને રજૂઆત 

મહિલાની ફરિયાદ બાદ પણ કોઈ પગલા લેવામાં આવ્યા નથી. ઉપરાંત મહિલાને ધમકી આપવામાં આવી કે જો પોલીસમાં જઈશ તો તને નિર્વસ્ત્ર કરીને મારી તેમ તારી દીકરીઓની આબરૂ લૂંટીને તારા જેવી હાલત કરી નાખીશું.પોલીસ દ્વારા કોઈ પ્રકારના પગલા લેવામાં આવ્યા ન હતા. ઉપરાંત મહિલાને ધમકી મળી હતી પરંતુ હિમ્મત રાખીને મહિલાએ મોડાસા SP ઓફિસમાં જઈ રજૂઆત કરી હતી અને ન્યાય અપાવાની માગ કરી હતી.      



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.