જેતપુર સીટી પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ


  • Published By :
  • Published Date : 2023-09-06 19:20:51

રાજ્યના લોકોના જાનમાલની રક્ષા કરનારા તથા કાયદો અને વ્યવસ્થા જાળવી રાખનારા પોલીસકર્મીઓમાં આત્મહત્યાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. જેતપુર પોલીસ ક્વાર્ટરમાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈને આપઘાત કરતા અરેરાટી મચી ગઈ છે. મૃતક મહિલા કોન્સ્ટેબલ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા હતા. મહિલા પોલીસના આપઘાતને કારણે અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.  


ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું


જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દયાબેન શંભુભાઈ સરિયાએ આપઘાત કર્યો છે. તેમણે પોલીસ લાઈનમાં આવેલા પોતાના ક્વાર્ટરમાં ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મહિલા કોન્સ્ટેબલ દયાબેન જસદણના શિવરાજપુરની વતની છે. કૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દયાબેન શંભુભાઈ સરિયા (25)એ આજે પોતાના પોલીસ ક્વાર્ટરમાં જ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો આજે સવારે દરવાજો ખટખટાવવા છતાં દયાબેને ખોલ્યો નહોતો. આખરે દરવાજો તોડીને અંદર જોતા દયાબેન ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતા જોવા મળ્યા હતા. જેથી તેમને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતા. પોલીસે ડેડ બોડી પોસ્ટમોર્ટમ માટે ખસેડી કેસની વધુ તપાસ કરી છે. આ બાબતની જાણ થતાં સિવિલ હોસ્પિટલ ખાતે દયાબેનના પરિવારજનો સહિત મિત્ર વર્તુળ એકઠું થઈ ગયું હતુ. જેના પગલે સિવિલ હોસ્પિટલમાં પણ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 


અગમ્ય કારણોથી આપઘાત 


જેતપુર સીટી પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલે કોઈ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાની પ્રાથમિક વિગત બહાર આવી છે. મહીલા કોન્સ્ટેબલના આપઘાતની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રોબેશન IPS કેશવાલા, Dysp સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ લાઈનમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાતની ઘટનાથી પોલીસ બેડામાં શોકની લાગણી છે. જેતપુર પોલીસે દયાબેનના આપઘાત કરવા પાછળનું ચોક્કસ કારણ જાણવાની દિશામાં તપાસ હાથ ધરી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.