Jharkhand : પતિ સાથે Spainથી ભારત ફરવા આવેલી મહિલા પર થયો ગેંગરેપ! આટલા લોકો વિરૂદ્ધ પોલીસે લીધા એક્શન.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-04 12:58:32

જેમ અનેક ભારતીયો વિદેશમાં ફરવા જતા હોય છે તેવી જ રીતે ભારતની મુલાકાતે પણ અનેક વિદેશી લોકો આવતા હોય છે. જ્યારે કોઈ વિદેશી યાત્રી ભારત આવે છે ત્યારે આપણી ફરજ બની જાય છે કે પોતાના દેશ જ્યારે પરત ફરે ત્યારે ભારતની સારી છબી લઈને જાય. ભારતની પાસે પોતાની સંસ્કૃતિનો વારસો છે, એવી સંસ્કૃતિ છે જ્યાં આપણે સ્ત્રીને માતાજીનું રૂપ માનવામાં આવે છે પરંતુ થોડા દિવસ પહેલા ઝારખંડથી જે સમાચાર સામે આવ્યા તે દરેક ભારતીયને શર્માવી દે તેવા છે. સ્પેનથી પતિ સાથે ભારત ફરવા આવેલી મહિલા ઝારખંડના દુમકા પહોંચી હતી અને ત્યાં તેની સાથે 8થી 10 જેટલા લોકોએ દુષ્કર્મ આચર્યું હતું. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી અને પોલીસે આ મામલે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

        



8થી 10 લોકોએ સ્પેનથી આવેલી મહિલા પર આચર્યું દુષ્કર્મ! 

આપણે ત્યાં કહેવાય છે "યત્ર નાર્યસ્તુ પૂજ્યતે રમન્તે તત્ર દેવતા" અર્થાત જ્યાં નારીનું સન્માન થાય છે, નારીને માન આપવામાં આવે છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. આપણી સંસ્કૃતિમાં સ્ત્રીને શક્તિનું રૂપ માનવામાં આવે છે. પરંતુ આપણો સમાજ કઈ દિશા તરફ આગળ વધી રહ્યો છે તે એક પ્રશ્ન છે. પ્રતિદિન બળાત્કારના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે. નાની નાની બાળકીઓને લોકો પોતાના હવસનો શિકાર બનાવી રહ્યા છે. ત્યારે ઝારખંડથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં સ્પેનથી આવેલા મહિલા પર 8થી 10 લોકોએ સામુહિક બળાત્કાર કર્યો. જે મહિલા પર આ કૃત્ય કરવામાં આવ્યું છે તે વિદેશથી આવી હતી ભારત ફરવા માટે પોતાના પતિ સાથે આવી હતી.


પોલીસે આ મામલે શરૂ કર્યો તપાસનો ધમધમાટ!

મળતી માહિતી અનુસાર આ ઘટના હંસદિહા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. સ્પેનથી ભારતની મુલાકાતે આવેલી મહિલા પર 8થી 10 લોકોએ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના શુક્રવારની છે. પાકિસ્તાનથી બાંગ્લાદેશ અને પછી બાંગ્લાદેશ થઈને ઝારખંડના દુમકા તે પહોંચ્યા હતા. હંસદિહા પોલીસ સ્ટેશન વિસ્તારના કુંજી ગામમાં તંબુઓમાં રોકાયા હતા જ્યાં સ્પેનની મહિલા સાથે આવું કૃત્ય થયું. મળતી માહિતી અનુસાર પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ થરૂ કરી દીધો છે. અનેક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે આ મામલે એફઆઈઆર દર્જ કરી છે. 


ભારતની છબી સારી લઈને જાય તે જવાબદારી આપણી!

મહત્વનું છે કે આપણે ત્યાં મહેમાનને ભગવાનનું રૂપ માનવામાં આવે છે. "અતિથિ દેવો ભવ"ની સંસ્કૃતિ છે આપણે ત્યા. જ્યારે કોઈ વિદેશથી મહેમાન ભારત ફરવા આવે છે ત્યારે આપણે તેમને એવી રીતે માન આપવું જોઈએ જાણે તે આપણા મહેમાન હોય. જ્યારે કોઈ ભારતનું મહેમાન બને છે ત્યારે તે ભારતની સારી છબી લઈને પોતાના મનમાં જાય તે જવાબદારી આપણી છે.               




રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .