Jharkhand : પતિ સાથે Spainથી ભારત ફરવા આવેલી મહિલા પર થયો ગેંગરેપ! આટલા લોકો વિરૂદ્ધ પોલીસે લીધા એક્શન.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-04 12:58:32

જેમ અનેક ભારતીયો વિદેશમાં ફરવા જતા હોય છે તેવી જ રીતે ભારતની મુલાકાતે પણ અનેક વિદેશી લોકો આવતા હોય છે. જ્યારે કોઈ વિદેશી યાત્રી ભારત આવે છે ત્યારે આપણી ફરજ બની જાય છે કે પોતાના દેશ જ્યારે પરત ફરે ત્યારે ભારતની સારી છબી લઈને જાય. ભારતની પાસે પોતાની સંસ્કૃતિનો વારસો છે, એવી સંસ્કૃતિ છે જ્યાં આપણે સ્ત્રીને માતાજીનું રૂપ માનવામાં આવે છે પરંતુ થોડા દિવસ પહેલા ઝારખંડથી જે સમાચાર સામે આવ્યા તે દરેક ભારતીયને શર્માવી દે તેવા છે. સ્પેનથી પતિ સાથે ભારત ફરવા આવેલી મહિલા ઝારખંડના દુમકા પહોંચી હતી અને ત્યાં તેની સાથે 8થી 10 જેટલા લોકોએ દુષ્કર્મ આચર્યું હતું. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી અને પોલીસે આ મામલે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

        



8થી 10 લોકોએ સ્પેનથી આવેલી મહિલા પર આચર્યું દુષ્કર્મ! 

આપણે ત્યાં કહેવાય છે "યત્ર નાર્યસ્તુ પૂજ્યતે રમન્તે તત્ર દેવતા" અર્થાત જ્યાં નારીનું સન્માન થાય છે, નારીને માન આપવામાં આવે છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. આપણી સંસ્કૃતિમાં સ્ત્રીને શક્તિનું રૂપ માનવામાં આવે છે. પરંતુ આપણો સમાજ કઈ દિશા તરફ આગળ વધી રહ્યો છે તે એક પ્રશ્ન છે. પ્રતિદિન બળાત્કારના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે. નાની નાની બાળકીઓને લોકો પોતાના હવસનો શિકાર બનાવી રહ્યા છે. ત્યારે ઝારખંડથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં સ્પેનથી આવેલા મહિલા પર 8થી 10 લોકોએ સામુહિક બળાત્કાર કર્યો. જે મહિલા પર આ કૃત્ય કરવામાં આવ્યું છે તે વિદેશથી આવી હતી ભારત ફરવા માટે પોતાના પતિ સાથે આવી હતી.


પોલીસે આ મામલે શરૂ કર્યો તપાસનો ધમધમાટ!

મળતી માહિતી અનુસાર આ ઘટના હંસદિહા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. સ્પેનથી ભારતની મુલાકાતે આવેલી મહિલા પર 8થી 10 લોકોએ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના શુક્રવારની છે. પાકિસ્તાનથી બાંગ્લાદેશ અને પછી બાંગ્લાદેશ થઈને ઝારખંડના દુમકા તે પહોંચ્યા હતા. હંસદિહા પોલીસ સ્ટેશન વિસ્તારના કુંજી ગામમાં તંબુઓમાં રોકાયા હતા જ્યાં સ્પેનની મહિલા સાથે આવું કૃત્ય થયું. મળતી માહિતી અનુસાર પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ થરૂ કરી દીધો છે. અનેક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે આ મામલે એફઆઈઆર દર્જ કરી છે. 


ભારતની છબી સારી લઈને જાય તે જવાબદારી આપણી!

મહત્વનું છે કે આપણે ત્યાં મહેમાનને ભગવાનનું રૂપ માનવામાં આવે છે. "અતિથિ દેવો ભવ"ની સંસ્કૃતિ છે આપણે ત્યા. જ્યારે કોઈ વિદેશથી મહેમાન ભારત ફરવા આવે છે ત્યારે આપણે તેમને એવી રીતે માન આપવું જોઈએ જાણે તે આપણા મહેમાન હોય. જ્યારે કોઈ ભારતનું મહેમાન બને છે ત્યારે તે ભારતની સારી છબી લઈને પોતાના મનમાં જાય તે જવાબદારી આપણી છે.               




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.