Jharkhand : પતિ સાથે Spainથી ભારત ફરવા આવેલી મહિલા પર થયો ગેંગરેપ! આટલા લોકો વિરૂદ્ધ પોલીસે લીધા એક્શન.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-04 12:58:32

જેમ અનેક ભારતીયો વિદેશમાં ફરવા જતા હોય છે તેવી જ રીતે ભારતની મુલાકાતે પણ અનેક વિદેશી લોકો આવતા હોય છે. જ્યારે કોઈ વિદેશી યાત્રી ભારત આવે છે ત્યારે આપણી ફરજ બની જાય છે કે પોતાના દેશ જ્યારે પરત ફરે ત્યારે ભારતની સારી છબી લઈને જાય. ભારતની પાસે પોતાની સંસ્કૃતિનો વારસો છે, એવી સંસ્કૃતિ છે જ્યાં આપણે સ્ત્રીને માતાજીનું રૂપ માનવામાં આવે છે પરંતુ થોડા દિવસ પહેલા ઝારખંડથી જે સમાચાર સામે આવ્યા તે દરેક ભારતીયને શર્માવી દે તેવા છે. સ્પેનથી પતિ સાથે ભારત ફરવા આવેલી મહિલા ઝારખંડના દુમકા પહોંચી હતી અને ત્યાં તેની સાથે 8થી 10 જેટલા લોકોએ દુષ્કર્મ આચર્યું હતું. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી અને પોલીસે આ મામલે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

        



8થી 10 લોકોએ સ્પેનથી આવેલી મહિલા પર આચર્યું દુષ્કર્મ! 

આપણે ત્યાં કહેવાય છે "યત્ર નાર્યસ્તુ પૂજ્યતે રમન્તે તત્ર દેવતા" અર્થાત જ્યાં નારીનું સન્માન થાય છે, નારીને માન આપવામાં આવે છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. આપણી સંસ્કૃતિમાં સ્ત્રીને શક્તિનું રૂપ માનવામાં આવે છે. પરંતુ આપણો સમાજ કઈ દિશા તરફ આગળ વધી રહ્યો છે તે એક પ્રશ્ન છે. પ્રતિદિન બળાત્કારના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે. નાની નાની બાળકીઓને લોકો પોતાના હવસનો શિકાર બનાવી રહ્યા છે. ત્યારે ઝારખંડથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં સ્પેનથી આવેલા મહિલા પર 8થી 10 લોકોએ સામુહિક બળાત્કાર કર્યો. જે મહિલા પર આ કૃત્ય કરવામાં આવ્યું છે તે વિદેશથી આવી હતી ભારત ફરવા માટે પોતાના પતિ સાથે આવી હતી.


પોલીસે આ મામલે શરૂ કર્યો તપાસનો ધમધમાટ!

મળતી માહિતી અનુસાર આ ઘટના હંસદિહા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. સ્પેનથી ભારતની મુલાકાતે આવેલી મહિલા પર 8થી 10 લોકોએ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના શુક્રવારની છે. પાકિસ્તાનથી બાંગ્લાદેશ અને પછી બાંગ્લાદેશ થઈને ઝારખંડના દુમકા તે પહોંચ્યા હતા. હંસદિહા પોલીસ સ્ટેશન વિસ્તારના કુંજી ગામમાં તંબુઓમાં રોકાયા હતા જ્યાં સ્પેનની મહિલા સાથે આવું કૃત્ય થયું. મળતી માહિતી અનુસાર પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ થરૂ કરી દીધો છે. અનેક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે આ મામલે એફઆઈઆર દર્જ કરી છે. 


ભારતની છબી સારી લઈને જાય તે જવાબદારી આપણી!

મહત્વનું છે કે આપણે ત્યાં મહેમાનને ભગવાનનું રૂપ માનવામાં આવે છે. "અતિથિ દેવો ભવ"ની સંસ્કૃતિ છે આપણે ત્યા. જ્યારે કોઈ વિદેશથી મહેમાન ભારત ફરવા આવે છે ત્યારે આપણે તેમને એવી રીતે માન આપવું જોઈએ જાણે તે આપણા મહેમાન હોય. જ્યારે કોઈ ભારતનું મહેમાન બને છે ત્યારે તે ભારતની સારી છબી લઈને પોતાના મનમાં જાય તે જવાબદારી આપણી છે.               




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.