Jharkhand : આ બિલ્ડીંગમાં યુવકે લિફ્ટનું બટન દબાવ્યું, લિફ્ટનો દરવાજો ખુલ્યો પરંતુ તેની સાથે સર્જાઈ દુર્ઘટના, કારણ કે.....


  • Published By :
  • Published Date : 2023-10-30 12:47:23

ટેક્નોલોજી જેટલી વિકસીત થતી ગઈ તેમ તેમ આપણે ટેક્નોલોજીને આધીન થઈ ગયા. ટેક્નોલોજીના જેટલા ફાયદા છે તેટલા ગેરફાયદા પણ છે. ઘણા એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં ટેક્નોલોજી પ્રાણઘાતક સાબિત થઈ છે. દરરોજ આપણે આવવા જવા માટે લિફ્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પહેલા માળે પણ જો આપણે જવું હોય તો કદાચ આપણામાંથી અનેક લોકો એવા હશે જે લિફ્ટનો ઉપયોગ કરતા હશે. ત્યારે એક કિસ્સો ઝારખંડથી સામે આવ્યો છે જેમાં એક યુવકે લિફ્ટનું બટન દબાવ્યું, દરવાજો ખુલ્યો અને તે 40 ફૂટ નીચે પટકાયો કારણ કે લિફ્ટ આવી ન હતી. 

લિફ્ટ ન આવતા યુવકનો જીવ ગયો 

જો તમે પણ લિફ્ટનો ઉપયોગ કરો છો તો સાવધાન થઈ જજો કારણ કે જે દુર્ઘટના વિશે અહીં વાત થઈ રહી છે તે કદાચ તમારી સાથે પણ સર્જાઈ શકે છે. ઝારખંડમાં લિફ્ટનો ઉપયોગ યુવકના મોતનું કારણ બન્યું. આ ભયાનક અકસ્માત રાંચીના ચૂટિયા પોલીસ સ્ટેશન વિસ્તારના અનંતપુર સ્થિત સમૃદ્ધિ એન્ક્લેવ એપાર્ટમેન્ટમાં બન્યો છે. બટન દબાવ્યા બાદ લિફ્ટનો ગેટ ખુલ્યો પરંતુ લિફ્ટ ન આવી. યુવાન ઉતાવળમાં હતો જેને કારણે તેણે જોયું નહીં કે લિફ્ટ આવી છે કે નથી આવી. યુવકે માની લીધું કે દરવાજો ખુલ્યો એટલે લિફ્ટ આવી જ ગઈ હશે. કદાચ આપણે પણ ઘણી વખત આવું માની લેતા હોઈશું. પરંતુ જો તમે પણ આવું માનો છો તે ચેતી જજો... 

लिफ्ट का बटन दबाया और अंदर गया, फिर मिली शख्स की लाश; वजह जान डर जाएंगे –  TV9 Bharatvarsh

ઘટના બાદ ફ્લેટના લોકોએ આપી પ્રતિક્રિયા 

લિફ્ટમાં ઉતર્યો ત્યારે તે સીધો 40 ફૂટ નીચે પડ્યો હતો. યુવકનું નામ શૈલેન્દ્ર કુમાર શ્રીવાસ્તવ હતું ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થતા તરત તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા પણ કમનસીબે તેમનો જીવ ન બચ્યો. ચોથા માળે દરવાજો તો ખુલ્યો પરંતુ લિફ્ટ તો ગ્રાઉન્ડ ફ્લોર પર જ હતી. જેને કારણે તે યુવક ચોથા માળેથી પટકાયો. આ દુર્ઘટના બાદ બિલ્ડિંગના લોકોએ કહ્યું જાળવણીના અભાવે બિલ્ડીંગની લિફ્ટ દરરોજ ખરાબ થતી હતી પરંતુ, કોઈ સાંભળતું ન હતું. તેમણે આ ઘટના માટે સંચાલકોને જવાબદાર ઠેરવ્યા છે. આ કરૂણ અકસ્માતના સમાચારથી સમગ્ર બિલ્ડીંગના લોકો ડરી ગયા છે.


લિફ્ટનો દરવાજો ખુલે તો લિફ્ટ આવી કે નહીં તેનું રાખો ધ્યાન  

પણ આ કેટલી ગંભીર ઘટના છે બિલ્ડીંગના લોકો મેન્ટેનન્સના નામે હજારો રૂપિયા લે અને એવું મેન્ટેઈન કરે? આપણા દેશમાં જે ઇમર્જન્સીના સાધનો જરૂર પડે ત્યારે કામ આવતાજ નથી માણસ ક્યારે કલ્પના પણ કરી શકે કે ભાઈ લિફ્ટનું બટન દાબ્યું છે અને લિફ્ટ નહિ આવે તો આવી ઘટના બાદ તમે ધ્યાન રાખજો લિફ્ટની રાહ જોઈને પહેલા જોજો જે લિફ્ટ આવી કે નહિ. અનેક વખત કદાચ આપણે પણ મોબાઈલમાં મોઢું નાખીને લિફ્ટની અંદર જતા રહેતા હોઈશું. ટેક્નોલોજીનો ઉપયોગ આપણે એ હદે કરી રહ્યા છીએ કે ટેક્નોલોજીને આધીન આપણે થઈ ગયા છીએ.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.