Jharkhand : આ બિલ્ડીંગમાં યુવકે લિફ્ટનું બટન દબાવ્યું, લિફ્ટનો દરવાજો ખુલ્યો પરંતુ તેની સાથે સર્જાઈ દુર્ઘટના, કારણ કે.....


  • Published By :
  • Published Date : 2023-10-30 12:47:23

ટેક્નોલોજી જેટલી વિકસીત થતી ગઈ તેમ તેમ આપણે ટેક્નોલોજીને આધીન થઈ ગયા. ટેક્નોલોજીના જેટલા ફાયદા છે તેટલા ગેરફાયદા પણ છે. ઘણા એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં ટેક્નોલોજી પ્રાણઘાતક સાબિત થઈ છે. દરરોજ આપણે આવવા જવા માટે લિફ્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પહેલા માળે પણ જો આપણે જવું હોય તો કદાચ આપણામાંથી અનેક લોકો એવા હશે જે લિફ્ટનો ઉપયોગ કરતા હશે. ત્યારે એક કિસ્સો ઝારખંડથી સામે આવ્યો છે જેમાં એક યુવકે લિફ્ટનું બટન દબાવ્યું, દરવાજો ખુલ્યો અને તે 40 ફૂટ નીચે પટકાયો કારણ કે લિફ્ટ આવી ન હતી. 

લિફ્ટ ન આવતા યુવકનો જીવ ગયો 

જો તમે પણ લિફ્ટનો ઉપયોગ કરો છો તો સાવધાન થઈ જજો કારણ કે જે દુર્ઘટના વિશે અહીં વાત થઈ રહી છે તે કદાચ તમારી સાથે પણ સર્જાઈ શકે છે. ઝારખંડમાં લિફ્ટનો ઉપયોગ યુવકના મોતનું કારણ બન્યું. આ ભયાનક અકસ્માત રાંચીના ચૂટિયા પોલીસ સ્ટેશન વિસ્તારના અનંતપુર સ્થિત સમૃદ્ધિ એન્ક્લેવ એપાર્ટમેન્ટમાં બન્યો છે. બટન દબાવ્યા બાદ લિફ્ટનો ગેટ ખુલ્યો પરંતુ લિફ્ટ ન આવી. યુવાન ઉતાવળમાં હતો જેને કારણે તેણે જોયું નહીં કે લિફ્ટ આવી છે કે નથી આવી. યુવકે માની લીધું કે દરવાજો ખુલ્યો એટલે લિફ્ટ આવી જ ગઈ હશે. કદાચ આપણે પણ ઘણી વખત આવું માની લેતા હોઈશું. પરંતુ જો તમે પણ આવું માનો છો તે ચેતી જજો... 

लिफ्ट का बटन दबाया और अंदर गया, फिर मिली शख्स की लाश; वजह जान डर जाएंगे –  TV9 Bharatvarsh

ઘટના બાદ ફ્લેટના લોકોએ આપી પ્રતિક્રિયા 

લિફ્ટમાં ઉતર્યો ત્યારે તે સીધો 40 ફૂટ નીચે પડ્યો હતો. યુવકનું નામ શૈલેન્દ્ર કુમાર શ્રીવાસ્તવ હતું ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થતા તરત તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા પણ કમનસીબે તેમનો જીવ ન બચ્યો. ચોથા માળે દરવાજો તો ખુલ્યો પરંતુ લિફ્ટ તો ગ્રાઉન્ડ ફ્લોર પર જ હતી. જેને કારણે તે યુવક ચોથા માળેથી પટકાયો. આ દુર્ઘટના બાદ બિલ્ડિંગના લોકોએ કહ્યું જાળવણીના અભાવે બિલ્ડીંગની લિફ્ટ દરરોજ ખરાબ થતી હતી પરંતુ, કોઈ સાંભળતું ન હતું. તેમણે આ ઘટના માટે સંચાલકોને જવાબદાર ઠેરવ્યા છે. આ કરૂણ અકસ્માતના સમાચારથી સમગ્ર બિલ્ડીંગના લોકો ડરી ગયા છે.


લિફ્ટનો દરવાજો ખુલે તો લિફ્ટ આવી કે નહીં તેનું રાખો ધ્યાન  

પણ આ કેટલી ગંભીર ઘટના છે બિલ્ડીંગના લોકો મેન્ટેનન્સના નામે હજારો રૂપિયા લે અને એવું મેન્ટેઈન કરે? આપણા દેશમાં જે ઇમર્જન્સીના સાધનો જરૂર પડે ત્યારે કામ આવતાજ નથી માણસ ક્યારે કલ્પના પણ કરી શકે કે ભાઈ લિફ્ટનું બટન દાબ્યું છે અને લિફ્ટ નહિ આવે તો આવી ઘટના બાદ તમે ધ્યાન રાખજો લિફ્ટની રાહ જોઈને પહેલા જોજો જે લિફ્ટ આવી કે નહિ. અનેક વખત કદાચ આપણે પણ મોબાઈલમાં મોઢું નાખીને લિફ્ટની અંદર જતા રહેતા હોઈશું. ટેક્નોલોજીનો ઉપયોગ આપણે એ હદે કરી રહ્યા છીએ કે ટેક્નોલોજીને આધીન આપણે થઈ ગયા છીએ.   



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.