Jharkhand : આ બિલ્ડીંગમાં યુવકે લિફ્ટનું બટન દબાવ્યું, લિફ્ટનો દરવાજો ખુલ્યો પરંતુ તેની સાથે સર્જાઈ દુર્ઘટના, કારણ કે.....


  • Published By :
  • Published Date : 2023-10-30 12:47:23

ટેક્નોલોજી જેટલી વિકસીત થતી ગઈ તેમ તેમ આપણે ટેક્નોલોજીને આધીન થઈ ગયા. ટેક્નોલોજીના જેટલા ફાયદા છે તેટલા ગેરફાયદા પણ છે. ઘણા એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં ટેક્નોલોજી પ્રાણઘાતક સાબિત થઈ છે. દરરોજ આપણે આવવા જવા માટે લિફ્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પહેલા માળે પણ જો આપણે જવું હોય તો કદાચ આપણામાંથી અનેક લોકો એવા હશે જે લિફ્ટનો ઉપયોગ કરતા હશે. ત્યારે એક કિસ્સો ઝારખંડથી સામે આવ્યો છે જેમાં એક યુવકે લિફ્ટનું બટન દબાવ્યું, દરવાજો ખુલ્યો અને તે 40 ફૂટ નીચે પટકાયો કારણ કે લિફ્ટ આવી ન હતી. 

લિફ્ટ ન આવતા યુવકનો જીવ ગયો 

જો તમે પણ લિફ્ટનો ઉપયોગ કરો છો તો સાવધાન થઈ જજો કારણ કે જે દુર્ઘટના વિશે અહીં વાત થઈ રહી છે તે કદાચ તમારી સાથે પણ સર્જાઈ શકે છે. ઝારખંડમાં લિફ્ટનો ઉપયોગ યુવકના મોતનું કારણ બન્યું. આ ભયાનક અકસ્માત રાંચીના ચૂટિયા પોલીસ સ્ટેશન વિસ્તારના અનંતપુર સ્થિત સમૃદ્ધિ એન્ક્લેવ એપાર્ટમેન્ટમાં બન્યો છે. બટન દબાવ્યા બાદ લિફ્ટનો ગેટ ખુલ્યો પરંતુ લિફ્ટ ન આવી. યુવાન ઉતાવળમાં હતો જેને કારણે તેણે જોયું નહીં કે લિફ્ટ આવી છે કે નથી આવી. યુવકે માની લીધું કે દરવાજો ખુલ્યો એટલે લિફ્ટ આવી જ ગઈ હશે. કદાચ આપણે પણ ઘણી વખત આવું માની લેતા હોઈશું. પરંતુ જો તમે પણ આવું માનો છો તે ચેતી જજો... 

लिफ्ट का बटन दबाया और अंदर गया, फिर मिली शख्स की लाश; वजह जान डर जाएंगे –  TV9 Bharatvarsh

ઘટના બાદ ફ્લેટના લોકોએ આપી પ્રતિક્રિયા 

લિફ્ટમાં ઉતર્યો ત્યારે તે સીધો 40 ફૂટ નીચે પડ્યો હતો. યુવકનું નામ શૈલેન્દ્ર કુમાર શ્રીવાસ્તવ હતું ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થતા તરત તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા પણ કમનસીબે તેમનો જીવ ન બચ્યો. ચોથા માળે દરવાજો તો ખુલ્યો પરંતુ લિફ્ટ તો ગ્રાઉન્ડ ફ્લોર પર જ હતી. જેને કારણે તે યુવક ચોથા માળેથી પટકાયો. આ દુર્ઘટના બાદ બિલ્ડિંગના લોકોએ કહ્યું જાળવણીના અભાવે બિલ્ડીંગની લિફ્ટ દરરોજ ખરાબ થતી હતી પરંતુ, કોઈ સાંભળતું ન હતું. તેમણે આ ઘટના માટે સંચાલકોને જવાબદાર ઠેરવ્યા છે. આ કરૂણ અકસ્માતના સમાચારથી સમગ્ર બિલ્ડીંગના લોકો ડરી ગયા છે.


લિફ્ટનો દરવાજો ખુલે તો લિફ્ટ આવી કે નહીં તેનું રાખો ધ્યાન  

પણ આ કેટલી ગંભીર ઘટના છે બિલ્ડીંગના લોકો મેન્ટેનન્સના નામે હજારો રૂપિયા લે અને એવું મેન્ટેઈન કરે? આપણા દેશમાં જે ઇમર્જન્સીના સાધનો જરૂર પડે ત્યારે કામ આવતાજ નથી માણસ ક્યારે કલ્પના પણ કરી શકે કે ભાઈ લિફ્ટનું બટન દાબ્યું છે અને લિફ્ટ નહિ આવે તો આવી ઘટના બાદ તમે ધ્યાન રાખજો લિફ્ટની રાહ જોઈને પહેલા જોજો જે લિફ્ટ આવી કે નહિ. અનેક વખત કદાચ આપણે પણ મોબાઈલમાં મોઢું નાખીને લિફ્ટની અંદર જતા રહેતા હોઈશું. ટેક્નોલોજીનો ઉપયોગ આપણે એ હદે કરી રહ્યા છીએ કે ટેક્નોલોજીને આધીન આપણે થઈ ગયા છીએ.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.