Jharkhand Train Accident : જામતાડા સ્ટેશન પાસે સર્જાઈ દુર્ઘટના, ટ્રેન નીચે કચડાઈ જિંદગી, રેલવેએ કમિટીની કરી રચના...


  • Published By :
  • Published Date : 2024-02-29 09:58:11

થોડા સમય પહેલા ઓડિશામાં એક મોટી રેલ દુર્ઘટના સર્જાઈ હતી. ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રીપલ ટ્રેન અકસ્માત થયો હતો જેમાં અનેક લોકોના મોત થયા હતા. અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ભારતીય રેલવેના ઈતિહાસમાં એ અકસ્માત સૌથી ભયાનક દુર્ઘટના તરીકે માનવામાં આવે છે ત્યારે ફરી એક મોટી રેલ દુર્ઘટના ગઈકાલ રાત્રે ઝારખંડમાં બની છે. અનેક લોકો ટ્રેનની ઝપેટમાં આવી ગયા અને તેમનું મોત થઈ ગયું. આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગેની તપાસ ચાલું છે. પરંતુ આ દુર્ઘટનામાં બે લોકોની લાશને તો ગઈકાલે જ રિકવર કરી લેવામાં આવી હતી. 


ટ્રેન નીચે કચડાઈ જિંદગી!

ઝારખંડના જામતાડા અને વિદ્યાસાગર રેલવે સ્ટેશન વચ્ચે આ દુર્ઘટના સર્જાઈ જેમાં 12 જેટલા લોકો પર ટ્રેન ચઢી ગઈ તેવી માહિતી સામે આવી છે. 12 જેટલા લોકો ટ્રેનની ચપેટમાં આવી ગયા. મળતી માહિતી અનુસાર ગઈકાલ રાત્રે જ બે મૃતદેહોને રિકવર કરી લેવામાં આવ્યા હતા. અંધારાને કારણે રેસ્ક્યુ ઓપરેશન પર અસર પડી હતી. મળતી માહિતી અનુસાર બેંગલુરુ- યસવંતપુર અંગ એક્સપ્રેસ અહીં ડાઉન લાઇન પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન લાઇનની સાથે રાખવામાં આવેલી બાલ્સ્ટની ધૂળ ઉડવા લાગી. ધૂળ ઉડવાને કારણે ટ્રેન ચાલકને આશંકા ગઈ કે ટ્રેનમાં આગ લાગી છે.

અંધારૂ હોવાને કારણે સર્જાઈ દુર્ઘટના!

મળતી માહિતી અનુસાર ટ્રેનમાં આગ લાગી છે તેવી આશંકા સાથે ટ્રેન ચાલકે ગાડીને રોકી. અંધારૂં હોવાને કારણે ટ્રેનમાં મુસાફરી કરેલા મુસાફરોને લાગ્યું કે સ્ટેશન આવી ગયું અને તે નીચે ઉતરવા લાગ્યા. મુસાફરો નીચે ઉતર્યા અને આની વચ્ચે ઈએમયૂ ટ્રેનની ઝપેટમાં મુસાફરો આવી ગયા અને ટ્રેન નીચે કચડાઈ ગયા. ટ્રેનની નીચે કપાઈ ગયા. મળતી માહિતી અનુસાર 12 જેટલા લોકો આ દુર્ઘટનાના શિકાર બન્યા છે. બે લોકોના મોત પણ થઈ ગયા છે. 


ઘટનાને લઈ પીએમ મોદીએ પાઠવી સંવેદના!

આ ઘટનાને લઈ પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો છે. શોક પ્રગટ કરતા તેમણે લખ્યું કે ઝારખંડના જામતાડામાં બનેલી ઘટનાની ખબર સાંભળતા પીડા થઈ. જે લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે તેમના પ્રતિ મારી સંવેદના છે. ઘાયલ લોકો જલ્દી ઠીક થાય તેવી કામના કરૂં છું. ઘટનાની જાણ થતાં રેસ્ક્યુ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. ઘટનાસ્થળ પર મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી. 


તપાસ માટે કમિટીની કરવામાં આવી રચના!

રેલવે મંત્રાલય દ્વારા આપવામાં આવેલા નિવેદન પ્રમાણે ટ્રેન એટલા માટે રોકવામાં આવી હતી કારણ કે એલાર્મ ચેન કોઈના દ્વારા ખેંચવામાં આવી હતી. કહેવામાં આવ્યું હતું કે એલાર્મ ચેઈન ખેંચવાને કારણે ટ્રેન નંબર 12254 રોકાઈ હતી. પછી ટ્રેક પર બે લોકો આવ્યા અને આ દુર્ઘટના બની. ટ્રેકમાં આવી રહેલા લોકોને મેમુ ટ્રેને કચડી નાખ્યા. જે લોકોના મોત થયા છે તે ટ્રેનના મુસાફરો ન હતા. આ ઘટનાને લઈ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે.   



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.