Jharkhand Train Accident : જામતાડા સ્ટેશન પાસે સર્જાઈ દુર્ઘટના, ટ્રેન નીચે કચડાઈ જિંદગી, રેલવેએ કમિટીની કરી રચના...


  • Published By :
  • Published Date : 2024-02-29 09:58:11

થોડા સમય પહેલા ઓડિશામાં એક મોટી રેલ દુર્ઘટના સર્જાઈ હતી. ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રીપલ ટ્રેન અકસ્માત થયો હતો જેમાં અનેક લોકોના મોત થયા હતા. અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ભારતીય રેલવેના ઈતિહાસમાં એ અકસ્માત સૌથી ભયાનક દુર્ઘટના તરીકે માનવામાં આવે છે ત્યારે ફરી એક મોટી રેલ દુર્ઘટના ગઈકાલ રાત્રે ઝારખંડમાં બની છે. અનેક લોકો ટ્રેનની ઝપેટમાં આવી ગયા અને તેમનું મોત થઈ ગયું. આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગેની તપાસ ચાલું છે. પરંતુ આ દુર્ઘટનામાં બે લોકોની લાશને તો ગઈકાલે જ રિકવર કરી લેવામાં આવી હતી. 


ટ્રેન નીચે કચડાઈ જિંદગી!

ઝારખંડના જામતાડા અને વિદ્યાસાગર રેલવે સ્ટેશન વચ્ચે આ દુર્ઘટના સર્જાઈ જેમાં 12 જેટલા લોકો પર ટ્રેન ચઢી ગઈ તેવી માહિતી સામે આવી છે. 12 જેટલા લોકો ટ્રેનની ચપેટમાં આવી ગયા. મળતી માહિતી અનુસાર ગઈકાલ રાત્રે જ બે મૃતદેહોને રિકવર કરી લેવામાં આવ્યા હતા. અંધારાને કારણે રેસ્ક્યુ ઓપરેશન પર અસર પડી હતી. મળતી માહિતી અનુસાર બેંગલુરુ- યસવંતપુર અંગ એક્સપ્રેસ અહીં ડાઉન લાઇન પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન લાઇનની સાથે રાખવામાં આવેલી બાલ્સ્ટની ધૂળ ઉડવા લાગી. ધૂળ ઉડવાને કારણે ટ્રેન ચાલકને આશંકા ગઈ કે ટ્રેનમાં આગ લાગી છે.

અંધારૂ હોવાને કારણે સર્જાઈ દુર્ઘટના!

મળતી માહિતી અનુસાર ટ્રેનમાં આગ લાગી છે તેવી આશંકા સાથે ટ્રેન ચાલકે ગાડીને રોકી. અંધારૂં હોવાને કારણે ટ્રેનમાં મુસાફરી કરેલા મુસાફરોને લાગ્યું કે સ્ટેશન આવી ગયું અને તે નીચે ઉતરવા લાગ્યા. મુસાફરો નીચે ઉતર્યા અને આની વચ્ચે ઈએમયૂ ટ્રેનની ઝપેટમાં મુસાફરો આવી ગયા અને ટ્રેન નીચે કચડાઈ ગયા. ટ્રેનની નીચે કપાઈ ગયા. મળતી માહિતી અનુસાર 12 જેટલા લોકો આ દુર્ઘટનાના શિકાર બન્યા છે. બે લોકોના મોત પણ થઈ ગયા છે. 


ઘટનાને લઈ પીએમ મોદીએ પાઠવી સંવેદના!

આ ઘટનાને લઈ પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો છે. શોક પ્રગટ કરતા તેમણે લખ્યું કે ઝારખંડના જામતાડામાં બનેલી ઘટનાની ખબર સાંભળતા પીડા થઈ. જે લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે તેમના પ્રતિ મારી સંવેદના છે. ઘાયલ લોકો જલ્દી ઠીક થાય તેવી કામના કરૂં છું. ઘટનાની જાણ થતાં રેસ્ક્યુ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. ઘટનાસ્થળ પર મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી. 


તપાસ માટે કમિટીની કરવામાં આવી રચના!

રેલવે મંત્રાલય દ્વારા આપવામાં આવેલા નિવેદન પ્રમાણે ટ્રેન એટલા માટે રોકવામાં આવી હતી કારણ કે એલાર્મ ચેન કોઈના દ્વારા ખેંચવામાં આવી હતી. કહેવામાં આવ્યું હતું કે એલાર્મ ચેઈન ખેંચવાને કારણે ટ્રેન નંબર 12254 રોકાઈ હતી. પછી ટ્રેક પર બે લોકો આવ્યા અને આ દુર્ઘટના બની. ટ્રેકમાં આવી રહેલા લોકોને મેમુ ટ્રેને કચડી નાખ્યા. જે લોકોના મોત થયા છે તે ટ્રેનના મુસાફરો ન હતા. આ ઘટનાને લઈ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે.   



જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.