Jharkhand Train Accident : જામતાડા સ્ટેશન પાસે સર્જાઈ દુર્ઘટના, ટ્રેન નીચે કચડાઈ જિંદગી, રેલવેએ કમિટીની કરી રચના...


  • Published By :
  • Published Date : 2024-02-29 09:58:11

થોડા સમય પહેલા ઓડિશામાં એક મોટી રેલ દુર્ઘટના સર્જાઈ હતી. ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રીપલ ટ્રેન અકસ્માત થયો હતો જેમાં અનેક લોકોના મોત થયા હતા. અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ભારતીય રેલવેના ઈતિહાસમાં એ અકસ્માત સૌથી ભયાનક દુર્ઘટના તરીકે માનવામાં આવે છે ત્યારે ફરી એક મોટી રેલ દુર્ઘટના ગઈકાલ રાત્રે ઝારખંડમાં બની છે. અનેક લોકો ટ્રેનની ઝપેટમાં આવી ગયા અને તેમનું મોત થઈ ગયું. આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગેની તપાસ ચાલું છે. પરંતુ આ દુર્ઘટનામાં બે લોકોની લાશને તો ગઈકાલે જ રિકવર કરી લેવામાં આવી હતી. 


ટ્રેન નીચે કચડાઈ જિંદગી!

ઝારખંડના જામતાડા અને વિદ્યાસાગર રેલવે સ્ટેશન વચ્ચે આ દુર્ઘટના સર્જાઈ જેમાં 12 જેટલા લોકો પર ટ્રેન ચઢી ગઈ તેવી માહિતી સામે આવી છે. 12 જેટલા લોકો ટ્રેનની ચપેટમાં આવી ગયા. મળતી માહિતી અનુસાર ગઈકાલ રાત્રે જ બે મૃતદેહોને રિકવર કરી લેવામાં આવ્યા હતા. અંધારાને કારણે રેસ્ક્યુ ઓપરેશન પર અસર પડી હતી. મળતી માહિતી અનુસાર બેંગલુરુ- યસવંતપુર અંગ એક્સપ્રેસ અહીં ડાઉન લાઇન પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન લાઇનની સાથે રાખવામાં આવેલી બાલ્સ્ટની ધૂળ ઉડવા લાગી. ધૂળ ઉડવાને કારણે ટ્રેન ચાલકને આશંકા ગઈ કે ટ્રેનમાં આગ લાગી છે.

અંધારૂ હોવાને કારણે સર્જાઈ દુર્ઘટના!

મળતી માહિતી અનુસાર ટ્રેનમાં આગ લાગી છે તેવી આશંકા સાથે ટ્રેન ચાલકે ગાડીને રોકી. અંધારૂં હોવાને કારણે ટ્રેનમાં મુસાફરી કરેલા મુસાફરોને લાગ્યું કે સ્ટેશન આવી ગયું અને તે નીચે ઉતરવા લાગ્યા. મુસાફરો નીચે ઉતર્યા અને આની વચ્ચે ઈએમયૂ ટ્રેનની ઝપેટમાં મુસાફરો આવી ગયા અને ટ્રેન નીચે કચડાઈ ગયા. ટ્રેનની નીચે કપાઈ ગયા. મળતી માહિતી અનુસાર 12 જેટલા લોકો આ દુર્ઘટનાના શિકાર બન્યા છે. બે લોકોના મોત પણ થઈ ગયા છે. 


ઘટનાને લઈ પીએમ મોદીએ પાઠવી સંવેદના!

આ ઘટનાને લઈ પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો છે. શોક પ્રગટ કરતા તેમણે લખ્યું કે ઝારખંડના જામતાડામાં બનેલી ઘટનાની ખબર સાંભળતા પીડા થઈ. જે લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે તેમના પ્રતિ મારી સંવેદના છે. ઘાયલ લોકો જલ્દી ઠીક થાય તેવી કામના કરૂં છું. ઘટનાની જાણ થતાં રેસ્ક્યુ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. ઘટનાસ્થળ પર મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી. 


તપાસ માટે કમિટીની કરવામાં આવી રચના!

રેલવે મંત્રાલય દ્વારા આપવામાં આવેલા નિવેદન પ્રમાણે ટ્રેન એટલા માટે રોકવામાં આવી હતી કારણ કે એલાર્મ ચેન કોઈના દ્વારા ખેંચવામાં આવી હતી. કહેવામાં આવ્યું હતું કે એલાર્મ ચેઈન ખેંચવાને કારણે ટ્રેન નંબર 12254 રોકાઈ હતી. પછી ટ્રેક પર બે લોકો આવ્યા અને આ દુર્ઘટના બની. ટ્રેકમાં આવી રહેલા લોકોને મેમુ ટ્રેને કચડી નાખ્યા. જે લોકોના મોત થયા છે તે ટ્રેનના મુસાફરો ન હતા. આ ઘટનાને લઈ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.