હરેન પંડ્યાની હત્યાનો ઉલ્લેખ થતાં જ ભાજપના ધારાસભ્યોના પેટમાં તેલ કેમ રેડાયું, વિધાનસભામાં હોબાળો શા માટે?


  • Published By :
  • Published Date : 2023-03-21 17:15:33

PMOના એડિશનલ ડાયરેક્ટર બની કાશ્મીરમાં ઝેડ પ્લસ સુરક્ષા અને સરકારી ખર્ચે તાગડધિન્ના કરતા પકડાયેલા મહાઠગ કિરણ પટેલનો મામલો આજે વિધાનસભામાં પણ ઉઠ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર અને જિજ્ઞેશ મેવાણી સહિતના ધારાસભ્યોએ કિરણ પટેલ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન ગૃહ વિભાગની માગણીઓની ચર્ચા દરમિયાન ભાજપના પૂર્વ નેતા અને ગૃહમંત્રી સ્વ. હરેન પંડ્યાનું નામ આવતા જ ગૃહમાં મામલો ગરમાયો હતો.


જિજ્ઞેશ મેવાણીની ટિપ્પણીથી ગૃહમાં હોબાળો


વિધાનસભામાં ગુજરાતના મહાઠગ કિરણ પટેલના મુદ્દે સરકારી કામગીરી સામે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સવાલો કર્યા હતાં. આ દરમિયાન ભાજપના ધારાસભ્યો જીતુ વાઘાણી અને ઉદય કાનગડે સરકારનો બચાવ કર્યો હતો. આ દરમિયાન ઉદય કાનગડે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના શાસનમાં મંત્રીની હત્યા થતી હતી. આ સાંભળી કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ તરત જ વેધક કોમેન્ટ કરી હતી કે હરેન પંડ્યાની હત્યા ભાજપના શાસનમાં થઈ હતી. જિજ્ઞેશ મેવાણીની આ ટિપ્પણીથી શાસક પક્ષ ભાજપના ધારાસભ્યો ઉશ્કેરાઈ ગયા હતા. મામલો વણસતો જોઈ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ દરમિયાનગીરી કરતા અંતે હોબાળો શાંત થયો હતો.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.