હરેન પંડ્યાની હત્યાનો ઉલ્લેખ થતાં જ ભાજપના ધારાસભ્યોના પેટમાં તેલ કેમ રેડાયું, વિધાનસભામાં હોબાળો શા માટે?


  • Published By :
  • Published Date : 2023-03-21 17:15:33

PMOના એડિશનલ ડાયરેક્ટર બની કાશ્મીરમાં ઝેડ પ્લસ સુરક્ષા અને સરકારી ખર્ચે તાગડધિન્ના કરતા પકડાયેલા મહાઠગ કિરણ પટેલનો મામલો આજે વિધાનસભામાં પણ ઉઠ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર અને જિજ્ઞેશ મેવાણી સહિતના ધારાસભ્યોએ કિરણ પટેલ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન ગૃહ વિભાગની માગણીઓની ચર્ચા દરમિયાન ભાજપના પૂર્વ નેતા અને ગૃહમંત્રી સ્વ. હરેન પંડ્યાનું નામ આવતા જ ગૃહમાં મામલો ગરમાયો હતો.


જિજ્ઞેશ મેવાણીની ટિપ્પણીથી ગૃહમાં હોબાળો


વિધાનસભામાં ગુજરાતના મહાઠગ કિરણ પટેલના મુદ્દે સરકારી કામગીરી સામે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સવાલો કર્યા હતાં. આ દરમિયાન ભાજપના ધારાસભ્યો જીતુ વાઘાણી અને ઉદય કાનગડે સરકારનો બચાવ કર્યો હતો. આ દરમિયાન ઉદય કાનગડે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના શાસનમાં મંત્રીની હત્યા થતી હતી. આ સાંભળી કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ તરત જ વેધક કોમેન્ટ કરી હતી કે હરેન પંડ્યાની હત્યા ભાજપના શાસનમાં થઈ હતી. જિજ્ઞેશ મેવાણીની આ ટિપ્પણીથી શાસક પક્ષ ભાજપના ધારાસભ્યો ઉશ્કેરાઈ ગયા હતા. મામલો વણસતો જોઈ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ દરમિયાનગીરી કરતા અંતે હોબાળો શાંત થયો હતો.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે