ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે Jignesh Mevani પહોંચ્યા જામનગર! ઉપવાસ કરી રહેલી મહિલાઓને કરાવ્યા પારણા!


  • Published By :
  • Published Date : 2024-04-29 13:00:58

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એક મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે... પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈ આપવામાં આવેલું નિવેદન... પરષોત્તમ રૂપાલાનો વિરોધ રાજ્યના અનેક ભાગોમાં કરવામાં આવ્યો.. ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. તેમની સભામાં ક્ષત્રિય સમાજના લોકો આવી જાય છે અને ભાજપ તેમજ પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરે છે.... જામનગરથી આવા દ્રશ્યો અનેક વખત સામે આવ્યા છે.. ત્યારે અનેક ક્ષત્રિય મહિલાઓ નિવેદનના વિરોધમાં ઉપવાસમાં બેઠા હતા ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ઉપવાસ કરી રહેલા મહિલાઓને પારણા કરાવ્યા હતા...

ભાજપના અનેક નેતાઓને કરવો પડ્યો છે વિરોધનો સામનો 

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે.. એક તરફ પ્રચાર કરવા માટે પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાત આવી રહ્યા છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગોમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અનેક જગ્યાઓથી વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે. મુખ્યત્વે જામનગરથી આવા દ્રશ્યો સામે આવ્યા છે. પરષોત્તમ રૂપાલાને કદાચ એટલા વિરોધનો સામનો નથી કરવો પડ્યો જેટલા વિરોધનો સામનો ભાજપના બીજા અનેક નેતાઓને, ઉમેદવારોને કરવો પડ્યો છે..


જીજ્ઞેશ મેવાણીએ સરકાર પર કર્યા પ્રહાર 

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ અનેક ક્ષત્રિય મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. રૂપાલાના નિવેદનના પગલે જામનગરમાં ક્ષત્રિય સમાજની અનેક મહિલાઓ દ્વારા ઉપવાસ કરવામાં આવ્યો હતો.. લાંબા સમયથી ઉપવાસ પર બેઠેલી મહિલાઓને મળવા વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પહોંચ્યા હતા અને તેમના પારણા કરાવ્યા હતા. જીજ્ઞેશ મેવાણીએ પ્રતિક્રિયા પણ આપી છે જેમાં તેમણે ભાજપ પર અનેક પ્રહારો કર્યા છે... પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે જો દિલ્હીના કિસાન આંદોલનમાં અનેક ખેડૂતોના મોત થયા હતા ત્યારે સરકારના પેટનું પાણી નહોતું હલ્યું તો સરકાર તમારું પણ નહીં સાંભળે .પણ આપણે આપણો આંદોલનનો કાર્યક્રમ ચાલુ રાખીએ. ઉપવાસ ન કરતા પોતાના શરીરને તકલીફ ન આપતા માત્ર ધરણાનો કાર્યક્રમ ચાલુ રાખીએ...



વિવાદને શાંત કરવા ભાજપ કરી રહી છે સંભવ પ્રયાસ

મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતા વિવાદને શાંત કરવા માટે ભાજપ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.. ડેમેજ કંટ્રોલ કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભાજપ દ્વારા કરવામાં આવતા પ્રયાસો સફળ જશે કે કેમ તે જોવું રહ્યું..   




વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.

સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.