ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે Jignesh Mevani પહોંચ્યા જામનગર! ઉપવાસ કરી રહેલી મહિલાઓને કરાવ્યા પારણા!


  • Published By :
  • Published Date : 2024-04-29 13:00:58

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એક મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે... પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈ આપવામાં આવેલું નિવેદન... પરષોત્તમ રૂપાલાનો વિરોધ રાજ્યના અનેક ભાગોમાં કરવામાં આવ્યો.. ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. તેમની સભામાં ક્ષત્રિય સમાજના લોકો આવી જાય છે અને ભાજપ તેમજ પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરે છે.... જામનગરથી આવા દ્રશ્યો અનેક વખત સામે આવ્યા છે.. ત્યારે અનેક ક્ષત્રિય મહિલાઓ નિવેદનના વિરોધમાં ઉપવાસમાં બેઠા હતા ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ઉપવાસ કરી રહેલા મહિલાઓને પારણા કરાવ્યા હતા...

ભાજપના અનેક નેતાઓને કરવો પડ્યો છે વિરોધનો સામનો 

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે.. એક તરફ પ્રચાર કરવા માટે પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાત આવી રહ્યા છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગોમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અનેક જગ્યાઓથી વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે. મુખ્યત્વે જામનગરથી આવા દ્રશ્યો સામે આવ્યા છે. પરષોત્તમ રૂપાલાને કદાચ એટલા વિરોધનો સામનો નથી કરવો પડ્યો જેટલા વિરોધનો સામનો ભાજપના બીજા અનેક નેતાઓને, ઉમેદવારોને કરવો પડ્યો છે..


જીજ્ઞેશ મેવાણીએ સરકાર પર કર્યા પ્રહાર 

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ અનેક ક્ષત્રિય મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. રૂપાલાના નિવેદનના પગલે જામનગરમાં ક્ષત્રિય સમાજની અનેક મહિલાઓ દ્વારા ઉપવાસ કરવામાં આવ્યો હતો.. લાંબા સમયથી ઉપવાસ પર બેઠેલી મહિલાઓને મળવા વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પહોંચ્યા હતા અને તેમના પારણા કરાવ્યા હતા. જીજ્ઞેશ મેવાણીએ પ્રતિક્રિયા પણ આપી છે જેમાં તેમણે ભાજપ પર અનેક પ્રહારો કર્યા છે... પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે જો દિલ્હીના કિસાન આંદોલનમાં અનેક ખેડૂતોના મોત થયા હતા ત્યારે સરકારના પેટનું પાણી નહોતું હલ્યું તો સરકાર તમારું પણ નહીં સાંભળે .પણ આપણે આપણો આંદોલનનો કાર્યક્રમ ચાલુ રાખીએ. ઉપવાસ ન કરતા પોતાના શરીરને તકલીફ ન આપતા માત્ર ધરણાનો કાર્યક્રમ ચાલુ રાખીએ...



વિવાદને શાંત કરવા ભાજપ કરી રહી છે સંભવ પ્રયાસ

મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતા વિવાદને શાંત કરવા માટે ભાજપ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.. ડેમેજ કંટ્રોલ કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભાજપ દ્વારા કરવામાં આવતા પ્રયાસો સફળ જશે કે કેમ તે જોવું રહ્યું..   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.