Morbiમાં દલિત યુવક સાથે થયેલા વર્તન પર Jignesh Mevaniએ આપી પ્રતિક્રિયા, Rajasthanનું ઉદાહરણ લઈ સરકાર પર કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-11-24 16:09:00

દલિતો પર અત્યાચાર થવાના બનાવો સતત વધતા જઈ રહ્યા છે. દલિતોને ન્યાય મળે તે માટે એક્ટ્રોસિટી એક્ટ પણ ઘડવામાં આવ્યો છે. દલિતો પર અત્યાચાર કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી થાય તે માટે જીજ્ઞેશ મેવાણીએ માગ કરી છે. મોરબીથી એક ઘટના સામે આવી હતી જેમાં દલિત યુવાન પગાર માગવા માટે ગયો ત્યારે તેને મારવામાં આવ્યો અને જુતું ચટાડવામાં આવ્યા. આ ઘટના સામે આવ્યા બાદ જીજ્ઞેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. 

દલિતો પર થતા અત્યાચાર પર બોલ્યા જીજ્ઞેશ મેવાણી 

જીજ્ઞેશ મેવાણીએ વીડિયો શેર કર્યો છે જેમાં તેમણે દલિતો પર થયેલા અત્યાચાર અંગે વાત કરી હતી. ગુજરાતમાં દલિતો પર અત્યાચારના કિસ્સાઓ વધી રહ્યા છે પરંતુ કાર્યવાહીના રૂપે કઈ નથી કરવામાં આવી રહી. મોરબીમાં બનેલી ઘટનામાં દોષિત વિરૂદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માગ કરી હતી. જીજ્ઞેશ મેવાણીએ રાજસ્થાન અને ગુજરાતમાં દલિતોમાં પર થતા અત્યાર વિરૂદ્ધ થતી કાર્યવાહીની પણ વાત કરી હતી. જીજ્ઞેશ મેવાણીએ કહ્યું દરેક ચૂંટણીમાં દલિતો પ્રત્યે પ્રેમ દર્શાવનાર નાટકબાજ મોદીજી રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારને દલિત વિરોધી બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 


 ભાજપ સરકાર દલિતોના સ્વાભિમાન સાથે રમત કરે છે - મેવાણી 

પરંતુ તેમના ગુજરાતમાં શું થઈ રહ્યું છે તે જુઓ. રાજ્યના મોરબી જિલ્લામાં એક દલિત યુવકે જ્યારે બાકીના 15 દિવસના પગારની માંગણી કરી ત્યારે કંપનીના માલિકે તેને તેના ચંપલ ચાટવા અને મોઢામાં ચપ્પલ ભરાવી દીધા. વિકાસની મોટી મોટી બડાઈઓ કરતી ગુજરાતની ભાજપ સરકાર દલિતોના સ્વાભિમાન સાથે રમત કરે છે તેની પરવા નથી, તેઓ માત્ર મોટી મોટી વાતો અને નાટક કરે છે. 



શું હતો સમગ્ર મામલો? 

ગુજરાતના મોરબી જિલ્લામાંથી એક એવી ઘટના આવી છે જેની ચર્ચા થઈ રહી છે. એવો આરોપ છે કે વેપારી મહિલાએ પોતાના દલિત કર્મચારી પર હુમલો કર્યો છે. તેને બળજબરીથી ચપ્પલ મોઢામાં મુકી દેવાયા અને ચપ્પલ મોઢામાં મુકીને માફી માંગવા કહ્યું. દલિત કર્મચારીએ તેની પાસે તેનો બાકી પગાર માંગ્યો હતો. પરંતુ વેપારી મહિલાએ અન્ય કર્મચારીઓ સાથે મળીને તેને માર માર્યો હતો. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.