Morbiમાં દલિત યુવક સાથે થયેલા વર્તન પર Jignesh Mevaniએ આપી પ્રતિક્રિયા, Rajasthanનું ઉદાહરણ લઈ સરકાર પર કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-11-24 16:09:00

દલિતો પર અત્યાચાર થવાના બનાવો સતત વધતા જઈ રહ્યા છે. દલિતોને ન્યાય મળે તે માટે એક્ટ્રોસિટી એક્ટ પણ ઘડવામાં આવ્યો છે. દલિતો પર અત્યાચાર કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી થાય તે માટે જીજ્ઞેશ મેવાણીએ માગ કરી છે. મોરબીથી એક ઘટના સામે આવી હતી જેમાં દલિત યુવાન પગાર માગવા માટે ગયો ત્યારે તેને મારવામાં આવ્યો અને જુતું ચટાડવામાં આવ્યા. આ ઘટના સામે આવ્યા બાદ જીજ્ઞેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. 

દલિતો પર થતા અત્યાચાર પર બોલ્યા જીજ્ઞેશ મેવાણી 

જીજ્ઞેશ મેવાણીએ વીડિયો શેર કર્યો છે જેમાં તેમણે દલિતો પર થયેલા અત્યાચાર અંગે વાત કરી હતી. ગુજરાતમાં દલિતો પર અત્યાચારના કિસ્સાઓ વધી રહ્યા છે પરંતુ કાર્યવાહીના રૂપે કઈ નથી કરવામાં આવી રહી. મોરબીમાં બનેલી ઘટનામાં દોષિત વિરૂદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માગ કરી હતી. જીજ્ઞેશ મેવાણીએ રાજસ્થાન અને ગુજરાતમાં દલિતોમાં પર થતા અત્યાર વિરૂદ્ધ થતી કાર્યવાહીની પણ વાત કરી હતી. જીજ્ઞેશ મેવાણીએ કહ્યું દરેક ચૂંટણીમાં દલિતો પ્રત્યે પ્રેમ દર્શાવનાર નાટકબાજ મોદીજી રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારને દલિત વિરોધી બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 


 ભાજપ સરકાર દલિતોના સ્વાભિમાન સાથે રમત કરે છે - મેવાણી 

પરંતુ તેમના ગુજરાતમાં શું થઈ રહ્યું છે તે જુઓ. રાજ્યના મોરબી જિલ્લામાં એક દલિત યુવકે જ્યારે બાકીના 15 દિવસના પગારની માંગણી કરી ત્યારે કંપનીના માલિકે તેને તેના ચંપલ ચાટવા અને મોઢામાં ચપ્પલ ભરાવી દીધા. વિકાસની મોટી મોટી બડાઈઓ કરતી ગુજરાતની ભાજપ સરકાર દલિતોના સ્વાભિમાન સાથે રમત કરે છે તેની પરવા નથી, તેઓ માત્ર મોટી મોટી વાતો અને નાટક કરે છે. 



શું હતો સમગ્ર મામલો? 

ગુજરાતના મોરબી જિલ્લામાંથી એક એવી ઘટના આવી છે જેની ચર્ચા થઈ રહી છે. એવો આરોપ છે કે વેપારી મહિલાએ પોતાના દલિત કર્મચારી પર હુમલો કર્યો છે. તેને બળજબરીથી ચપ્પલ મોઢામાં મુકી દેવાયા અને ચપ્પલ મોઢામાં મુકીને માફી માંગવા કહ્યું. દલિત કર્મચારીએ તેની પાસે તેનો બાકી પગાર માંગ્યો હતો. પરંતુ વેપારી મહિલાએ અન્ય કર્મચારીઓ સાથે મળીને તેને માર માર્યો હતો. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.