કલેક્ટર કચેરી ખાતે જઈ જીજ્ઞેશ મેવાણીએ આપ્યું આવેદનપત્ર


  • Published By :
  • Published Date : 2022-12-10 11:45:34

કોંગ્રેસે આ વખતની ચૂંટણીમાં સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે તેવું નિષ્ણાંતોનું માનવું છે. ભાજપે પ્રચંડ જીતનો રેકોર્ડ તોડ્યો છે જ્યારે કોંગ્રેસે હારનો રેકોર્ડ તોડ્યો છે. કોંગ્રેસના અમુક ઉમેદવારો જ વિજયી બન્યા છે તેમાં વડગામથી લડી રહેલા જીજ્ઞેશ મેવાણીનો સમાવેશ થાય છે. જીતના બીજા દિવસથી જ તેમણે કામ શરૂ કરી દીધું અને પાલનપુર કચેરી ખાતે પહોંચી પોતાના પ્રશ્નનોની રજૂઆત કરી અને નર્મદાના નીરની વડગામ સુધી લાવવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે.

  

જીત્યાના બીજા દિવસથી કામ કરવાનો કર્યો પ્રારંભ 

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપે પ્રચંડ જીત હાંસલ કરી છે. પરંતુ કોંગ્રેસે આ વખતે એકદમ નબળું પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસ વિપક્ષ તરીકે બેસી શકે તેટલી સીટો પણ હાંસલ નથી કરી. માત્ર 17 સીટો પર કોંગ્રેસ સમેટાઈ ગઈ. સૌ કોઈની નજર વડગામથી લડી રહેલા જીજ્ઞેશ મેવાણી પર હતી. જીજ્ઞેશ મેવાણી કોંગ્રેસના એવા નેતાઓમાંથી છે જેમણે જીત હાંસલ કરી છે. વિજેતા બનેલા જીજ્ઞેશ મેવાણીએ બીજા દિવસથી જ કામગીરીની શરૂઆત કરી દીધી છે.     


પાલનપુર કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા. જ્યાં તેમણે કહ્યું હતું કે 2017ની જેમ મેં મારૂ કામ શરૂ કરી દીધું છે. અનેક પ્રોજેક્ટને પરવાનગી મળી ગઈ છે પરંતુ હજી સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. સરકારને અનેક પ્રશ્નો પણ પૂછ્યા હતા. જેમાં ગરીબો માટે ઘર બનાવાની યોજના, સ્થાનિય કોલેજને ગ્રાન્ટ આપવાની વાતો પણ તેમણે કરી હતી. અને કલેક્ટરને આવેદનપત્ર આપી વડગામના મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવમાં નર્મદાનું પાણી લાવવા આવેદનપત્ર આપ્યું હતું.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.