કલેક્ટર કચેરી ખાતે જઈ જીજ્ઞેશ મેવાણીએ આપ્યું આવેદનપત્ર


  • Published By :
  • Published Date : 2022-12-10 11:45:34

કોંગ્રેસે આ વખતની ચૂંટણીમાં સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે તેવું નિષ્ણાંતોનું માનવું છે. ભાજપે પ્રચંડ જીતનો રેકોર્ડ તોડ્યો છે જ્યારે કોંગ્રેસે હારનો રેકોર્ડ તોડ્યો છે. કોંગ્રેસના અમુક ઉમેદવારો જ વિજયી બન્યા છે તેમાં વડગામથી લડી રહેલા જીજ્ઞેશ મેવાણીનો સમાવેશ થાય છે. જીતના બીજા દિવસથી જ તેમણે કામ શરૂ કરી દીધું અને પાલનપુર કચેરી ખાતે પહોંચી પોતાના પ્રશ્નનોની રજૂઆત કરી અને નર્મદાના નીરની વડગામ સુધી લાવવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે.

  

જીત્યાના બીજા દિવસથી કામ કરવાનો કર્યો પ્રારંભ 

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપે પ્રચંડ જીત હાંસલ કરી છે. પરંતુ કોંગ્રેસે આ વખતે એકદમ નબળું પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસ વિપક્ષ તરીકે બેસી શકે તેટલી સીટો પણ હાંસલ નથી કરી. માત્ર 17 સીટો પર કોંગ્રેસ સમેટાઈ ગઈ. સૌ કોઈની નજર વડગામથી લડી રહેલા જીજ્ઞેશ મેવાણી પર હતી. જીજ્ઞેશ મેવાણી કોંગ્રેસના એવા નેતાઓમાંથી છે જેમણે જીત હાંસલ કરી છે. વિજેતા બનેલા જીજ્ઞેશ મેવાણીએ બીજા દિવસથી જ કામગીરીની શરૂઆત કરી દીધી છે.     


પાલનપુર કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા. જ્યાં તેમણે કહ્યું હતું કે 2017ની જેમ મેં મારૂ કામ શરૂ કરી દીધું છે. અનેક પ્રોજેક્ટને પરવાનગી મળી ગઈ છે પરંતુ હજી સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. સરકારને અનેક પ્રશ્નો પણ પૂછ્યા હતા. જેમાં ગરીબો માટે ઘર બનાવાની યોજના, સ્થાનિય કોલેજને ગ્રાન્ટ આપવાની વાતો પણ તેમણે કરી હતી. અને કલેક્ટરને આવેદનપત્ર આપી વડગામના મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવમાં નર્મદાનું પાણી લાવવા આવેદનપત્ર આપ્યું હતું.  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.