કલેક્ટર કચેરી ખાતે જઈ જીજ્ઞેશ મેવાણીએ આપ્યું આવેદનપત્ર


  • Published By :
  • Published Date : 2022-12-10 11:45:34

કોંગ્રેસે આ વખતની ચૂંટણીમાં સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે તેવું નિષ્ણાંતોનું માનવું છે. ભાજપે પ્રચંડ જીતનો રેકોર્ડ તોડ્યો છે જ્યારે કોંગ્રેસે હારનો રેકોર્ડ તોડ્યો છે. કોંગ્રેસના અમુક ઉમેદવારો જ વિજયી બન્યા છે તેમાં વડગામથી લડી રહેલા જીજ્ઞેશ મેવાણીનો સમાવેશ થાય છે. જીતના બીજા દિવસથી જ તેમણે કામ શરૂ કરી દીધું અને પાલનપુર કચેરી ખાતે પહોંચી પોતાના પ્રશ્નનોની રજૂઆત કરી અને નર્મદાના નીરની વડગામ સુધી લાવવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે.

  

જીત્યાના બીજા દિવસથી કામ કરવાનો કર્યો પ્રારંભ 

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપે પ્રચંડ જીત હાંસલ કરી છે. પરંતુ કોંગ્રેસે આ વખતે એકદમ નબળું પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસ વિપક્ષ તરીકે બેસી શકે તેટલી સીટો પણ હાંસલ નથી કરી. માત્ર 17 સીટો પર કોંગ્રેસ સમેટાઈ ગઈ. સૌ કોઈની નજર વડગામથી લડી રહેલા જીજ્ઞેશ મેવાણી પર હતી. જીજ્ઞેશ મેવાણી કોંગ્રેસના એવા નેતાઓમાંથી છે જેમણે જીત હાંસલ કરી છે. વિજેતા બનેલા જીજ્ઞેશ મેવાણીએ બીજા દિવસથી જ કામગીરીની શરૂઆત કરી દીધી છે.     


પાલનપુર કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા. જ્યાં તેમણે કહ્યું હતું કે 2017ની જેમ મેં મારૂ કામ શરૂ કરી દીધું છે. અનેક પ્રોજેક્ટને પરવાનગી મળી ગઈ છે પરંતુ હજી સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. સરકારને અનેક પ્રશ્નો પણ પૂછ્યા હતા. જેમાં ગરીબો માટે ઘર બનાવાની યોજના, સ્થાનિય કોલેજને ગ્રાન્ટ આપવાની વાતો પણ તેમણે કરી હતી. અને કલેક્ટરને આવેદનપત્ર આપી વડગામના મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવમાં નર્મદાનું પાણી લાવવા આવેદનપત્ર આપ્યું હતું.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.