જીગ્નેશ મેવાણી આવતીકાલે ઉમેદવારી નોંધાવશે, કનૈયા કુમાર રહેશે હાજર


  • Published By :
  • Published Date : 2022-11-14 16:35:59

વડગામ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આવતીકાલે ઉમેદવારી નોંધાવશે. કોંગ્રેસે ફરીવાર તેમને વડગામનું સુકાન સોંપ્યું છે ત્યારે તેઓ આવતીકાલે કોંગ્રેસના કનૈયા કુમારની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર ભરશે. વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિએ સત્તાવાર રીતે જાહેરાત કરીને જણાવ્યું હતું કે આવતીકાલે જાહેર સભાઓ બાદ જીગ્નેશ મેવાણી કનૈયા કુમાર સાથે કોંગ્રેસ પક્ષમાંથી વડગામના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરશે. 

Curious case of MLA Jignesh Mevani: Appointed Gujarat Congress working  president, attracts disqualification | India News - Times of India

આવતીકાલે મેવાણીનો શું છે પ્લાન?

આવતીકાલે સવારે નવ વાગ્યે જીગ્નેશ મેવાણી કનૈયા કુમાર સાથે ભાંગરોડિયા ગામથી વડગામ સુધી બાઈક રેલી કરશે. ત્યાર બાદ સવારે દસ કલાકે જીગ્નેશ મેવાણી અને કનૈયા કુમારની વીજે સ્કૂલ ખાતે સભા યોજાવા જઈ રહી છે. સભા બાદ બપોરે દોઢ વાગ્યે જીગ્નેશ મેવાણી કનૈયા કુમાર સાથે મામલતદાર કચેરી ખાતે વિધાનસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારી પત્ર ભરશે. 

What Kanhaiya Kumar actually brings to Congress - India Today

ભારત જોડો યાત્રામાં કનૈયા રાહુલ ગાંધી પછીનો સૌથી મોટો ચહેરો

ગઈકાલે કોંગ્રેસના 33 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ હતી. આ સાથે જ કોંગ્રેસના કુલ 144 ઉમેદવારો કોંગ્રેસે જાહેર કરી દીધા છે. કોંગ્રેસે વડગામથી જીગ્નેશ મેવાણીને ઉતારવાની જાહેરાત કરી દીધી છે. કનૈયા કુમારે ટૂંક સમય પહેલા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પર પણ હાજરી આપી હતી. કનૈયા કુમારને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. જેથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે જાહેરાત કરી હતી કે કનૈયા કુમારની લોકપ્રીયતા જોઈને લાગી રહ્યું છે કે ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી પછીના સૌથી મોટા નેતા કનૈયા કુમાર છે. આથી જીગ્નેશ મેવાણી પોતાના પ્રચાર માટે કનૈયા કુમારના ચહેરાનો ઉપયોગ કરશે તેવું લાગી રહ્યું છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.