જીગ્નેશ મેવાણી આવતીકાલે ઉમેદવારી નોંધાવશે, કનૈયા કુમાર રહેશે હાજર


  • Published By :
  • Published Date : 2022-11-14 16:35:59

વડગામ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આવતીકાલે ઉમેદવારી નોંધાવશે. કોંગ્રેસે ફરીવાર તેમને વડગામનું સુકાન સોંપ્યું છે ત્યારે તેઓ આવતીકાલે કોંગ્રેસના કનૈયા કુમારની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર ભરશે. વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિએ સત્તાવાર રીતે જાહેરાત કરીને જણાવ્યું હતું કે આવતીકાલે જાહેર સભાઓ બાદ જીગ્નેશ મેવાણી કનૈયા કુમાર સાથે કોંગ્રેસ પક્ષમાંથી વડગામના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરશે. 

Curious case of MLA Jignesh Mevani: Appointed Gujarat Congress working  president, attracts disqualification | India News - Times of India

આવતીકાલે મેવાણીનો શું છે પ્લાન?

આવતીકાલે સવારે નવ વાગ્યે જીગ્નેશ મેવાણી કનૈયા કુમાર સાથે ભાંગરોડિયા ગામથી વડગામ સુધી બાઈક રેલી કરશે. ત્યાર બાદ સવારે દસ કલાકે જીગ્નેશ મેવાણી અને કનૈયા કુમારની વીજે સ્કૂલ ખાતે સભા યોજાવા જઈ રહી છે. સભા બાદ બપોરે દોઢ વાગ્યે જીગ્નેશ મેવાણી કનૈયા કુમાર સાથે મામલતદાર કચેરી ખાતે વિધાનસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારી પત્ર ભરશે. 

What Kanhaiya Kumar actually brings to Congress - India Today

ભારત જોડો યાત્રામાં કનૈયા રાહુલ ગાંધી પછીનો સૌથી મોટો ચહેરો

ગઈકાલે કોંગ્રેસના 33 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ હતી. આ સાથે જ કોંગ્રેસના કુલ 144 ઉમેદવારો કોંગ્રેસે જાહેર કરી દીધા છે. કોંગ્રેસે વડગામથી જીગ્નેશ મેવાણીને ઉતારવાની જાહેરાત કરી દીધી છે. કનૈયા કુમારે ટૂંક સમય પહેલા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પર પણ હાજરી આપી હતી. કનૈયા કુમારને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. જેથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે જાહેરાત કરી હતી કે કનૈયા કુમારની લોકપ્રીયતા જોઈને લાગી રહ્યું છે કે ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી પછીના સૌથી મોટા નેતા કનૈયા કુમાર છે. આથી જીગ્નેશ મેવાણી પોતાના પ્રચાર માટે કનૈયા કુમારના ચહેરાનો ઉપયોગ કરશે તેવું લાગી રહ્યું છે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"