જીગ્નેશ મેવાણી આવતીકાલે ઉમેદવારી નોંધાવશે, કનૈયા કુમાર રહેશે હાજર


  • Published By :
  • Published Date : 2022-11-14 16:35:59

વડગામ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આવતીકાલે ઉમેદવારી નોંધાવશે. કોંગ્રેસે ફરીવાર તેમને વડગામનું સુકાન સોંપ્યું છે ત્યારે તેઓ આવતીકાલે કોંગ્રેસના કનૈયા કુમારની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર ભરશે. વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિએ સત્તાવાર રીતે જાહેરાત કરીને જણાવ્યું હતું કે આવતીકાલે જાહેર સભાઓ બાદ જીગ્નેશ મેવાણી કનૈયા કુમાર સાથે કોંગ્રેસ પક્ષમાંથી વડગામના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરશે. 

Curious case of MLA Jignesh Mevani: Appointed Gujarat Congress working  president, attracts disqualification | India News - Times of India

આવતીકાલે મેવાણીનો શું છે પ્લાન?

આવતીકાલે સવારે નવ વાગ્યે જીગ્નેશ મેવાણી કનૈયા કુમાર સાથે ભાંગરોડિયા ગામથી વડગામ સુધી બાઈક રેલી કરશે. ત્યાર બાદ સવારે દસ કલાકે જીગ્નેશ મેવાણી અને કનૈયા કુમારની વીજે સ્કૂલ ખાતે સભા યોજાવા જઈ રહી છે. સભા બાદ બપોરે દોઢ વાગ્યે જીગ્નેશ મેવાણી કનૈયા કુમાર સાથે મામલતદાર કચેરી ખાતે વિધાનસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારી પત્ર ભરશે. 

What Kanhaiya Kumar actually brings to Congress - India Today

ભારત જોડો યાત્રામાં કનૈયા રાહુલ ગાંધી પછીનો સૌથી મોટો ચહેરો

ગઈકાલે કોંગ્રેસના 33 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ હતી. આ સાથે જ કોંગ્રેસના કુલ 144 ઉમેદવારો કોંગ્રેસે જાહેર કરી દીધા છે. કોંગ્રેસે વડગામથી જીગ્નેશ મેવાણીને ઉતારવાની જાહેરાત કરી દીધી છે. કનૈયા કુમારે ટૂંક સમય પહેલા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પર પણ હાજરી આપી હતી. કનૈયા કુમારને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. જેથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે જાહેરાત કરી હતી કે કનૈયા કુમારની લોકપ્રીયતા જોઈને લાગી રહ્યું છે કે ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી પછીના સૌથી મોટા નેતા કનૈયા કુમાર છે. આથી જીગ્નેશ મેવાણી પોતાના પ્રચાર માટે કનૈયા કુમારના ચહેરાનો ઉપયોગ કરશે તેવું લાગી રહ્યું છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.