Rajkot TRP આગકાંડના મૃતકોને ન્યાય મળે તે માટે Jignesh Mewani મેદાને! જીગ્નેશ મેવાણીએ રિક્ષામાં ફરી લોકસંપર્ક કર્યો, જુઓ શું અપીલ કરી?


  • Published By :
  • Published Date : 2024-06-11 16:05:10

ઘણી વખત કહેતા હોઈએ છીએ કે સિસ્ટમમાં બધુ મળે છે માત્ર ન્યાય નથી મળતો. જ્યારે જ્યારે દુર્ઘટના સર્જાય છે તે બાદ તપાસ માટે એસઆઈટીની રચના થાય છે.. એસઆઈટી તપાસ પણ કરે છે પરંતુ તે બાદ પરિસ્થિતિમાં કોઈ બદલાવ નથી થતો.. એવી કડક કાર્યવાહી નથી કરવામાં આવતી જેને લઈ બીજાને બોધપાઠ મળે.. મૃતકોના પરિવારને ન્યાય મળે તેવી આશા હોય છે પરંતુ તેમને ન્યાય નથી મળતો. રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં અનેક લોકોના મોત થઈ ગયા છે. પરિવારજનો ન્યાયની માગ કરી રહ્યા છે અને આ બધા વચ્ચે જીગ્નેશ મેવાણીએ 25 જૂને રાજકોટ બંધનું એલાન આપ્યું છે. તે ઉપરાંત 15 જૂનના રોજ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.     

રાજકોટ અગ્નિકાંડ મામલે વિપક્ષ મેદાને

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં 28 લોકોના મૃત્યુ થયા અને હજુ સુધી ન્યાય નથી મળ્યો.... 25 મેના રોજ આ ઘટના બની હીતી... 16 દિવસથી પરિવારજનો ન્યાય માટે રાહ જોઈ રહ્યાં છે... તપાસ કેટલે પહોંચી એ પણ કોઈને ખબર નથી... અંદરો-અંદર શું ખીચડી રંધાઈ રહી છે એ જ ખબર નથી પડતી... વિપક્ષે હવે મુહિમ ચાલુ કરી છે કે ન્યાય મળવો જ જોઈએ... જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ સહિતના નેતાઓ ત્રણ દિવસ ધરણા પર બેઠા હતા.. ઉપવાસ આંદોલન પણ ચલાવ્યું.. હવે 15 જૂનના રોજ ઉગ્ર આંદોલન કરવાના છે અને 25 જૂને રાજકોટ બંધનું એલાન જિગ્નેશ મેવાણીએ આપ્યું છે... 



જીગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસના નેતાઓએ કર્યો ઉપવાસ 

લોકોનો સંપર્ક કરીને તેમને સમર્થન આપવા માટે સમજાવાય રહ્યાં છે.... લોકોની સંવેદનાને જગાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.. જ્યારે ઉપવાસ આંદોલન શરુ થયું એ પહેલા પણ લોકસંપર્ક કર્યો, પત્રિકાઓ વહેંચવામાં આવી...આ દરમિયાન જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે સુભાષ ત્રિવેદી જેમના વડા છે એવી સ્પેશિયલ ભીનું સંકેલો સમિતિ અમારે જોઈતી નથી. જો SITમાં નિર્લિપ્ત રાય, સુજાતા મજમુદાર અને સુધા પાંડે જેવા પ્રામાણિક અને મજબૂત અધિકારી ન હોય તો ન્યાય મેળવાની આશા પીડિતો કે અમને ન હોઈ શકે, જેથી આ પ્રકારના અધિકારીઓની SIT બનાવવામાં આવે એ જરૂરી છે.... જ્યાં સુધી પીડિતોના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડી લેવાના નિર્ધાર સાથે અહીં બેઠા છીએ... 



કોંગ્રેસ દ્વારા શું કરવામાં આવી માગ?

આ ઉપરાંત કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરવામાં આવી છે કે, પીડિત પરિવારોને ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે. સરકારના ભ્રષ્ટ તંત્રને કારણે લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે દરેક પીડિત પરિવારોને 1 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે.... રિક્ષા સવારી દરમિયાન તેમણે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. જિજ્ઞેશ મેવાણીએ ઓટોરિક્ષાની સવારી કરી લોકોને કરી અપીલ : રેસકોર્સ રિંગરોડ પર રાજકોટીયનોને અગ્નિકાંડ મામલે પત્રિકા વિતરણ કરી ૧૫ જુનના પોલીસ કમિશનર ઓફિસ ઘેરાવ અને ૨૫ જુનના રાજકોટ બંધના એલાનમાં જોડાવા અપીલ કરી...



૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.