Rajkot TRP આગકાંડના મૃતકોને ન્યાય મળે તે માટે Jignesh Mewani મેદાને! જીગ્નેશ મેવાણીએ રિક્ષામાં ફરી લોકસંપર્ક કર્યો, જુઓ શું અપીલ કરી?


  • Published By :
  • Published Date : 2024-06-11 16:05:10

ઘણી વખત કહેતા હોઈએ છીએ કે સિસ્ટમમાં બધુ મળે છે માત્ર ન્યાય નથી મળતો. જ્યારે જ્યારે દુર્ઘટના સર્જાય છે તે બાદ તપાસ માટે એસઆઈટીની રચના થાય છે.. એસઆઈટી તપાસ પણ કરે છે પરંતુ તે બાદ પરિસ્થિતિમાં કોઈ બદલાવ નથી થતો.. એવી કડક કાર્યવાહી નથી કરવામાં આવતી જેને લઈ બીજાને બોધપાઠ મળે.. મૃતકોના પરિવારને ન્યાય મળે તેવી આશા હોય છે પરંતુ તેમને ન્યાય નથી મળતો. રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં અનેક લોકોના મોત થઈ ગયા છે. પરિવારજનો ન્યાયની માગ કરી રહ્યા છે અને આ બધા વચ્ચે જીગ્નેશ મેવાણીએ 25 જૂને રાજકોટ બંધનું એલાન આપ્યું છે. તે ઉપરાંત 15 જૂનના રોજ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.     

રાજકોટ અગ્નિકાંડ મામલે વિપક્ષ મેદાને

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં 28 લોકોના મૃત્યુ થયા અને હજુ સુધી ન્યાય નથી મળ્યો.... 25 મેના રોજ આ ઘટના બની હીતી... 16 દિવસથી પરિવારજનો ન્યાય માટે રાહ જોઈ રહ્યાં છે... તપાસ કેટલે પહોંચી એ પણ કોઈને ખબર નથી... અંદરો-અંદર શું ખીચડી રંધાઈ રહી છે એ જ ખબર નથી પડતી... વિપક્ષે હવે મુહિમ ચાલુ કરી છે કે ન્યાય મળવો જ જોઈએ... જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ સહિતના નેતાઓ ત્રણ દિવસ ધરણા પર બેઠા હતા.. ઉપવાસ આંદોલન પણ ચલાવ્યું.. હવે 15 જૂનના રોજ ઉગ્ર આંદોલન કરવાના છે અને 25 જૂને રાજકોટ બંધનું એલાન જિગ્નેશ મેવાણીએ આપ્યું છે... 



જીગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસના નેતાઓએ કર્યો ઉપવાસ 

લોકોનો સંપર્ક કરીને તેમને સમર્થન આપવા માટે સમજાવાય રહ્યાં છે.... લોકોની સંવેદનાને જગાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.. જ્યારે ઉપવાસ આંદોલન શરુ થયું એ પહેલા પણ લોકસંપર્ક કર્યો, પત્રિકાઓ વહેંચવામાં આવી...આ દરમિયાન જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે સુભાષ ત્રિવેદી જેમના વડા છે એવી સ્પેશિયલ ભીનું સંકેલો સમિતિ અમારે જોઈતી નથી. જો SITમાં નિર્લિપ્ત રાય, સુજાતા મજમુદાર અને સુધા પાંડે જેવા પ્રામાણિક અને મજબૂત અધિકારી ન હોય તો ન્યાય મેળવાની આશા પીડિતો કે અમને ન હોઈ શકે, જેથી આ પ્રકારના અધિકારીઓની SIT બનાવવામાં આવે એ જરૂરી છે.... જ્યાં સુધી પીડિતોના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડી લેવાના નિર્ધાર સાથે અહીં બેઠા છીએ... 



કોંગ્રેસ દ્વારા શું કરવામાં આવી માગ?

આ ઉપરાંત કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરવામાં આવી છે કે, પીડિત પરિવારોને ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે. સરકારના ભ્રષ્ટ તંત્રને કારણે લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે દરેક પીડિત પરિવારોને 1 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે.... રિક્ષા સવારી દરમિયાન તેમણે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. જિજ્ઞેશ મેવાણીએ ઓટોરિક્ષાની સવારી કરી લોકોને કરી અપીલ : રેસકોર્સ રિંગરોડ પર રાજકોટીયનોને અગ્નિકાંડ મામલે પત્રિકા વિતરણ કરી ૧૫ જુનના પોલીસ કમિશનર ઓફિસ ઘેરાવ અને ૨૫ જુનના રાજકોટ બંધના એલાનમાં જોડાવા અપીલ કરી...



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.