બિહારના પૂર્વ CM જીતનરામ માંઝીનો બફાટ, "રાજ્યમાંથી દારૂબંધી હટાવે તેને જ મત આપો"


  • Published By :
  • Published Date : 2023-08-23 14:53:33

બિહારના પૂર્વ CM જીતનરામ માંઝીના એક નિવેદને દેશભરમાં વિવાદ જગાવ્યો છે. તેમણે બિહારના વજીરગંજના પતેડ મંગરાવા ગામમાં મહાદલિત સંમેલનમાં લોકોને મળવા પહોંચ્યા હતા. આ સંમેલનમાં તેમણે જણાવ્યું કે રાજ્યમાં દારૂના નામે આબકારી અને પોલીસની હેરાનગતિ વધી ગઈ છે. હિન્દુસ્તાની અવામ મોર્ચા (હમ)ના પ્રમુખે કહ્યું કે, રાજ્યમાં છેલ્લા 7 વર્ષોથી દારૂ પર પ્રતિબંધ છે અને આ કાયદાના કારણે માત્ર ગરીબ લોકોને દંડિત કરવામાં આવી રહ્યા છે.


દારૂબંધી હટાવે તેને જ મત આપો


પોલીસના અત્યાચારના મામલે લોકોએ પૂર્વ સીએમ જીતનરામ માંઝી સમક્ષ તેમની વેદના રજુ કરી હતી. આ સાંભળી તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે લોકોને સંબોધતા કહ્યું  કે જે સરકાર બાલૂ, દારૂ અને તાડી વેચવાનું શરૂ કરવાની મંજુરી આપે તેને જ મત આપવાનો છે. માંઝીએ વધુમાં કહ્યું કે, દરેક લોકો જાણે છે કે, મોટા ભાગના IAS અને IPS અધિકારીઓ, ડોક્ટર્સ, બિલેડર, કોન્ટ્રાક્ટર, મંત્રી અને રાજનેતાઓ રાત્રે 10 વાગ્યા બાદ દારૂનું સેવન કરે છે પરંતુ તેમને દંડિત કરવામાં નથી આવતા. બીજી તરફ ગરીબ મજૂર જે આખો દિવસ મહેનત કર્યા બાદ દારૂ પીવે તો તેઓ અપરાધી બની જાય છે. કારણ કે, તેઓ પોલીસ અને આબકારી વિભાગ માટે સરળ ટાર્ગેટ બની જાય છે.


ઝેરી દારૂ બનાવવામાં આવી રહ્યો છે


જીતનરામ માંઝીએ વધુમાં કહ્યું કે જ્યારે અમે મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે હતા. તે સમયે પણ અમે કહ્યું હતું કે દારૂબંધી બરાબર છે, પરંતુ બિહારમાં દારૂબંધીને લઈને જે નાટક ચાલી રહ્યું છે તે બંધ કરવામાં આવે. માંઝીએ કહ્યું કે બિહારમાં દારૂબંધીને કારણે મહાદલિત સમુદાયનું સૌથી વધુ શોષણ થઈ રહ્યું છે, તેને જલદીથી રોકવું જોઈએ. માંઝીએ વધુમાં કહ્યું કે અમારા પિતા પણ દારૂ બનાવતા હતા, પરંતુ આજકાલ જે દારૂ બનાવવામાં આવી રહ્યો છે તે ઝેરી છે. જીતનરામ માંઝીએ કહ્યું કે જ્યારે મારા પિતા ઘરે દારૂ બનાવતા હતા ત્યારે તેને બનાવવામાં સાતથી આઠ દિવસ લાગતા હતા. જો કે આજકાલ દારૂ માફિયાઓ બે કલાકમાં જ દારૂ બનાવી રહ્યા છે. દારૂ બનાવવામાં યુરિયા અને અન્ય ઝેરી પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે લોકોના મોત થઈ રહ્યા છે.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.