બિહારના પૂર્વ CM જીતનરામ માંઝીનો બફાટ, "રાજ્યમાંથી દારૂબંધી હટાવે તેને જ મત આપો"


  • Published By :
  • Published Date : 2023-08-23 14:53:33

બિહારના પૂર્વ CM જીતનરામ માંઝીના એક નિવેદને દેશભરમાં વિવાદ જગાવ્યો છે. તેમણે બિહારના વજીરગંજના પતેડ મંગરાવા ગામમાં મહાદલિત સંમેલનમાં લોકોને મળવા પહોંચ્યા હતા. આ સંમેલનમાં તેમણે જણાવ્યું કે રાજ્યમાં દારૂના નામે આબકારી અને પોલીસની હેરાનગતિ વધી ગઈ છે. હિન્દુસ્તાની અવામ મોર્ચા (હમ)ના પ્રમુખે કહ્યું કે, રાજ્યમાં છેલ્લા 7 વર્ષોથી દારૂ પર પ્રતિબંધ છે અને આ કાયદાના કારણે માત્ર ગરીબ લોકોને દંડિત કરવામાં આવી રહ્યા છે.


દારૂબંધી હટાવે તેને જ મત આપો


પોલીસના અત્યાચારના મામલે લોકોએ પૂર્વ સીએમ જીતનરામ માંઝી સમક્ષ તેમની વેદના રજુ કરી હતી. આ સાંભળી તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે લોકોને સંબોધતા કહ્યું  કે જે સરકાર બાલૂ, દારૂ અને તાડી વેચવાનું શરૂ કરવાની મંજુરી આપે તેને જ મત આપવાનો છે. માંઝીએ વધુમાં કહ્યું કે, દરેક લોકો જાણે છે કે, મોટા ભાગના IAS અને IPS અધિકારીઓ, ડોક્ટર્સ, બિલેડર, કોન્ટ્રાક્ટર, મંત્રી અને રાજનેતાઓ રાત્રે 10 વાગ્યા બાદ દારૂનું સેવન કરે છે પરંતુ તેમને દંડિત કરવામાં નથી આવતા. બીજી તરફ ગરીબ મજૂર જે આખો દિવસ મહેનત કર્યા બાદ દારૂ પીવે તો તેઓ અપરાધી બની જાય છે. કારણ કે, તેઓ પોલીસ અને આબકારી વિભાગ માટે સરળ ટાર્ગેટ બની જાય છે.


ઝેરી દારૂ બનાવવામાં આવી રહ્યો છે


જીતનરામ માંઝીએ વધુમાં કહ્યું કે જ્યારે અમે મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે હતા. તે સમયે પણ અમે કહ્યું હતું કે દારૂબંધી બરાબર છે, પરંતુ બિહારમાં દારૂબંધીને લઈને જે નાટક ચાલી રહ્યું છે તે બંધ કરવામાં આવે. માંઝીએ કહ્યું કે બિહારમાં દારૂબંધીને કારણે મહાદલિત સમુદાયનું સૌથી વધુ શોષણ થઈ રહ્યું છે, તેને જલદીથી રોકવું જોઈએ. માંઝીએ વધુમાં કહ્યું કે અમારા પિતા પણ દારૂ બનાવતા હતા, પરંતુ આજકાલ જે દારૂ બનાવવામાં આવી રહ્યો છે તે ઝેરી છે. જીતનરામ માંઝીએ કહ્યું કે જ્યારે મારા પિતા ઘરે દારૂ બનાવતા હતા ત્યારે તેને બનાવવામાં સાતથી આઠ દિવસ લાગતા હતા. જો કે આજકાલ દારૂ માફિયાઓ બે કલાકમાં જ દારૂ બનાવી રહ્યા છે. દારૂ બનાવવામાં યુરિયા અને અન્ય ઝેરી પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે લોકોના મોત થઈ રહ્યા છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.