બિહારના પૂર્વ CM જીતનરામ માંઝીનો બફાટ, "રાજ્યમાંથી દારૂબંધી હટાવે તેને જ મત આપો"


  • Published By :
  • Published Date : 2023-08-23 14:53:33

બિહારના પૂર્વ CM જીતનરામ માંઝીના એક નિવેદને દેશભરમાં વિવાદ જગાવ્યો છે. તેમણે બિહારના વજીરગંજના પતેડ મંગરાવા ગામમાં મહાદલિત સંમેલનમાં લોકોને મળવા પહોંચ્યા હતા. આ સંમેલનમાં તેમણે જણાવ્યું કે રાજ્યમાં દારૂના નામે આબકારી અને પોલીસની હેરાનગતિ વધી ગઈ છે. હિન્દુસ્તાની અવામ મોર્ચા (હમ)ના પ્રમુખે કહ્યું કે, રાજ્યમાં છેલ્લા 7 વર્ષોથી દારૂ પર પ્રતિબંધ છે અને આ કાયદાના કારણે માત્ર ગરીબ લોકોને દંડિત કરવામાં આવી રહ્યા છે.


દારૂબંધી હટાવે તેને જ મત આપો


પોલીસના અત્યાચારના મામલે લોકોએ પૂર્વ સીએમ જીતનરામ માંઝી સમક્ષ તેમની વેદના રજુ કરી હતી. આ સાંભળી તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે લોકોને સંબોધતા કહ્યું  કે જે સરકાર બાલૂ, દારૂ અને તાડી વેચવાનું શરૂ કરવાની મંજુરી આપે તેને જ મત આપવાનો છે. માંઝીએ વધુમાં કહ્યું કે, દરેક લોકો જાણે છે કે, મોટા ભાગના IAS અને IPS અધિકારીઓ, ડોક્ટર્સ, બિલેડર, કોન્ટ્રાક્ટર, મંત્રી અને રાજનેતાઓ રાત્રે 10 વાગ્યા બાદ દારૂનું સેવન કરે છે પરંતુ તેમને દંડિત કરવામાં નથી આવતા. બીજી તરફ ગરીબ મજૂર જે આખો દિવસ મહેનત કર્યા બાદ દારૂ પીવે તો તેઓ અપરાધી બની જાય છે. કારણ કે, તેઓ પોલીસ અને આબકારી વિભાગ માટે સરળ ટાર્ગેટ બની જાય છે.


ઝેરી દારૂ બનાવવામાં આવી રહ્યો છે


જીતનરામ માંઝીએ વધુમાં કહ્યું કે જ્યારે અમે મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે હતા. તે સમયે પણ અમે કહ્યું હતું કે દારૂબંધી બરાબર છે, પરંતુ બિહારમાં દારૂબંધીને લઈને જે નાટક ચાલી રહ્યું છે તે બંધ કરવામાં આવે. માંઝીએ કહ્યું કે બિહારમાં દારૂબંધીને કારણે મહાદલિત સમુદાયનું સૌથી વધુ શોષણ થઈ રહ્યું છે, તેને જલદીથી રોકવું જોઈએ. માંઝીએ વધુમાં કહ્યું કે અમારા પિતા પણ દારૂ બનાવતા હતા, પરંતુ આજકાલ જે દારૂ બનાવવામાં આવી રહ્યો છે તે ઝેરી છે. જીતનરામ માંઝીએ કહ્યું કે જ્યારે મારા પિતા ઘરે દારૂ બનાવતા હતા ત્યારે તેને બનાવવામાં સાતથી આઠ દિવસ લાગતા હતા. જો કે આજકાલ દારૂ માફિયાઓ બે કલાકમાં જ દારૂ બનાવી રહ્યા છે. દારૂ બનાવવામાં યુરિયા અને અન્ય ઝેરી પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે લોકોના મોત થઈ રહ્યા છે.



IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .