માલ્યા, મોદી, ભંડારી...ભાગેડુઓની વતન વાપસી માટે ED, CBI અને NIAની ટીમ બ્રિટન જશે


  • Published By :
  • Published Date : 2024-01-16 18:13:42

ભારતમાં કરોડો અને અબજો રૂપિયાની છેતરપિંડી કરીને વિદેશ ભાગી ગયેલા આરોપીઓને વહેલી તકે સ્વદેશ પરત લાવવાની દિશામાં સરકારે મોટું પગલું ભર્યું છે. બ્રિટનમાં બેઠેલા કૌભાંડીઓને ભારત પરત લાવવા માટે કેન્દ્રીય એજન્સીઓની એક ટીમ બનાવવામાં આવી છે. સરકાર ટૂંક સમયમાં સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (CBI), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની બનેલી એક ઉચ્ચ સ્તરીય ટીમ બ્રિટન મોકલી રહી છે. તેનો હેતુ હથિયારોના ડીલર સંજય ભંડારી, હીરાના વેપારી નીરવ મોદી અને કિંગફિશર એરલાઇન્સના પ્રમોટર વિજય માલ્યા સહિત ભારતના મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓને પરત લાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવવાનો છે. આ ઉપરાંત, ટીમ ભાગેડુઓની ગેરકાયદેસર કમાણીનો પણ તાગ મેળવવાનો પ્રયાસ કરશે, જે તેમણે બ્રિટન અને અન્ય દેશોમાં મિલકતો ખરીદવા પાછળ ખર્ચી છે.


બ્રિટિશ અધિકારીઓ સાથે બેઠક કરશે


સૂત્રોનું કહેવું છે કે આ ટીમનું નેતૃત્વ વિદેશ મંત્રાલયના એક સિનિયર અધિકારી કરી રહ્યા છે. લંડનમાં ભારતીય હાઈ કમિશને યુકેના અધિકારીઓ સાથે બેઠકો નક્કી કરી છે. આ બેઠકોમાં માત્ર એ જ પુરાવા એકત્ર કરવામાં આવશે જેનાથી ખબર પડશે કે ભાગેડુઓએ લંડનમાં કેટલી મિલકત ભેગી કરી છે અને તેમના બેંક ખાતામાં શું ટ્રાન્ઝેક્શન થયા છે.


આર્મ્સ ડીલર ભંડારી 2016માં ફરાર થઈ ગયો હતો. અગાઉ, આવકવેરા વિભાગ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે યુપીએ સરકાર દરમિયાન કરવામાં આવેલા અનેક સંરક્ષણ સોદાઓની તપાસ શરૂ કરી હતી. ED મુજબ, ભંડારીએ લંડન અને દુબઈમાં મિલકતો હસ્તગત કરી હતી, જે બાદમાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાના સહયોગી ગણાતા સીસી થમ્પી દ્વારા નિયંત્રિત કંપનીઓને ટ્રાન્સફર કરવામાં આવી હતી.


ત્રણ ભાગેડુઓનું પ્રત્યાર્પણ અટવાયું છે


ભંડારી, મોદી અને માલ્યાનું પ્રત્યાર્પણ હાલમાં બ્રિટનમાં અટવાયું છે કારણ કે તેઓએ ભારત પરત ફરવા સામે ઉચ્ચ અદાલતોમાં અપીલ કરી છે. EDએ ભારતમાં તેમની મિલકતો જપ્ત કરી લીધી છે. વિજય માલ્યા અને નીરવ મોદીની હજારો કરોડની પ્રોપર્ટી વેચીને બેંકોના લેણાં ચૂકવવામાં આવ્યા છે.


મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્સ ટ્રીટી (MLAT) હેઠળ લાંબા સમયથી બ્રિટિશ સત્તાવાળાઓ સાથે પેન્ડિંગ રહેલી માહિતીના આદાન-પ્રદાન માટે લંડન જતી ટીમ વાટાઘાટ કરવાની છે. ભારત અને બ્રિટન બંને દેશોએ MLAT કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને આર્થિક અપરાધીઓ અને અન્યને સંડોવતા ફોજદારી કેસોની તપાસ માટે માહિતી શેર કરવા માટે બંધાયેલા છે. NIAની ટીમ હાલમાં ખાલિસ્તાની ચળવળ સાથે સંકળાયેલા કેટલાય આતંકવાદી શકમંદોની તપાસ કરી રહી છે.


હજારો કરોડના કૌભાંડનો આરોપ


જોકે કેન્દ્રીય ગૃહ મંત્રાલય MLAT સંબંધિત તમામ બાબતોની દેખરેખ રાખવા માટે નોડલ મંત્રાલય છે, વિદેશ મંત્રાલય યુકે સાથે વાટાઘાટો કરવા માટે આ બાબતમાં સામેલ છે કારણ કે તેના દ્વારા તમામ વિનંતીઓ અન્ય દેશોને મોકલવામાં આવે છે. નીરવ મોદી પર PNB સાથે રૂ. 6,500 કરોડથી વધુની છેતરપિંડી કરવાનો આરોપોનો છે, જ્યારે માલ્યાની રૂ. 5,000 કરોડથી વધુની સંપત્તિઓ બેંકો સાથે છેતરપિંડી કરવા બદલ જપ્ત કરવામાં આવી છે.


ED અનેક સંરક્ષણ સોદાઓમાં કથિત લાંચના સંબંધમાં ભંડારી, થમ્પી અને વાડ્રાની તપાસ કરી રહી છે. એજન્સીએ પહેલાથી જ ભંડારીની ભારતમાં રૂ. 26 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે અને તેમની સામે ચાર્જશીટ પણ દાખલ કરી છે, જ્યારે સ્પેશિયલ કોર્ટે તેમને માલ્યા અને મોદીની જેમ ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કર્યા છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.