જે.પી.નડ્ડા અને સી.આર.પાટીલ બન્યા કેબિનેટમાં મંત્રી, ભાજપને બે અધ્યક્ષ શોધવા પડશે. આ નામોની થઈ રહી છે ચર્ચા..


  • Published By :
  • Published Date : 2024-06-10 17:45:27

ત્રીજી વખત ગઈકાલે નરેન્દ્ર મોદીએ પીએમ તરીકેના શપથ લીધા છે.. તેમની સાથે સાથે 72 સાંસદોએ શપથ લીધા છે. ગુજરાતના નેતાઓની બહું ચર્ચા છે અને એમાંથી એક છે સી.આર.પાટિલ બીજા જે.પી.નડ્ડા છે.. બંને અધ્યક્ષ છે.. એક કેન્દ્રના અને એક ગુજરાતના.. અને હવે ભાજપને 2 નવા અધ્યક્ષ શોધવા પડશે. અધ્યક્ષ તરીકે અનેક નામોની ચર્ચા થઈ રહી છે.. 


આ નેતાઓના નામની થઈ રહી છે ચર્ચા.. 

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલનો સમાવેશ મોદી કેબિનેટમાં થયો છે એટલે ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ કોણ એ ચર્ચા થવી સ્વભાવિક છે. સાથે જ રાજ્ય સરકારમાં પણ મંત્રીમંડળનું વિસ્તરણ અને ખાતાઓની ફેરબદલી થાય એવી પૂરી શકયતાઓ છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ પદ માટે પક્ષના વરિષ્ઠ અને સંગઠનના અનુભવી નેતાની પસંદગી થાય એવી શક્યતા છે. હાલ પ્રદેશ અધ્યક્ષમાં મુખ્ય 6 જેટલા નામ ચર્ચામાં છે. આ નામમાં દેવુસિંહ ચૌહાણ, જગદીશ પંચાલ, આઈ.કે.જાડેજા, બાબુભાઈ જેબલિયા, પ્રદિપસિંહ જાડેજા અને વિનોદ ચાવડાનો સમાવેશ થાય છે. 



જો કોઈ સરપ્રાઈઝ મળે તો પણ નવાઈ નહીં કારણ કે.. 

પણ ભાજપ જેના માટે એવું કહેવાય છે કે એમ કોઈ નેતા બદલવાના હોય તો કોઈને ખબર નથી પડતી બધા prediction ખોટ પડે છે એટલે આમાંથી પણ કોઈ નામ ના હોય અને નવો ચહેરો જ ઉતારવામાં આવે તેવી શક્યતાઓ પૂરે પૂરી છે.. અત્યારે ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન સૌથી વધારે પ્રભાવિત હતું એટલે અત્યારે સંગઠનમાં કોઈ ક્ષત્રિય નેતાને મોટું પદ મળી શકે તેવી સાંભવન છે 


આ નેતાઓના નામની હતી ચર્ચા

હવે દેશની વાત કરીએ તો ગઈકાલ સુધી જે નામો સામે આવી રહ્યા હતા તેમાં ભૂપેન્દ્ર યાદવ, શિવરાજ સિંહ ચૌહાણ, મનોહર લાલ અને ધર્મેન્દ્ર પ્રધાનનો સમાવેશ થાય છે. પરંતુ તમામે જેપી નડ્ડા સાથે મોદી કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા છે. તેથી, આ તમામ નામો હવે રેસમાંથી બહાર છે. જોકે બીજા અનેક નામો પણ આવ્યા છે જેમાં અનુરાગ ઠાકુર પણ છે.. જોકે આપણે જાણીએ જ છીએ કે ભાજપ હમેશા સરપ્રાઇઝ આપવામાં માને છે એટલે આ પદ માટે પણ કોનું નામ ખૂલે છે કોને લોટરી લાગે છે એ જોવાનું રહ્યું. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.