જે.પી.નડ્ડા અને સી.આર.પાટીલ બન્યા કેબિનેટમાં મંત્રી, ભાજપને બે અધ્યક્ષ શોધવા પડશે. આ નામોની થઈ રહી છે ચર્ચા..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-10 17:45:27

ત્રીજી વખત ગઈકાલે નરેન્દ્ર મોદીએ પીએમ તરીકેના શપથ લીધા છે.. તેમની સાથે સાથે 72 સાંસદોએ શપથ લીધા છે. ગુજરાતના નેતાઓની બહું ચર્ચા છે અને એમાંથી એક છે સી.આર.પાટિલ બીજા જે.પી.નડ્ડા છે.. બંને અધ્યક્ષ છે.. એક કેન્દ્રના અને એક ગુજરાતના.. અને હવે ભાજપને 2 નવા અધ્યક્ષ શોધવા પડશે. અધ્યક્ષ તરીકે અનેક નામોની ચર્ચા થઈ રહી છે.. 


આ નેતાઓના નામની થઈ રહી છે ચર્ચા.. 

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલનો સમાવેશ મોદી કેબિનેટમાં થયો છે એટલે ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ કોણ એ ચર્ચા થવી સ્વભાવિક છે. સાથે જ રાજ્ય સરકારમાં પણ મંત્રીમંડળનું વિસ્તરણ અને ખાતાઓની ફેરબદલી થાય એવી પૂરી શકયતાઓ છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ પદ માટે પક્ષના વરિષ્ઠ અને સંગઠનના અનુભવી નેતાની પસંદગી થાય એવી શક્યતા છે. હાલ પ્રદેશ અધ્યક્ષમાં મુખ્ય 6 જેટલા નામ ચર્ચામાં છે. આ નામમાં દેવુસિંહ ચૌહાણ, જગદીશ પંચાલ, આઈ.કે.જાડેજા, બાબુભાઈ જેબલિયા, પ્રદિપસિંહ જાડેજા અને વિનોદ ચાવડાનો સમાવેશ થાય છે. 



જો કોઈ સરપ્રાઈઝ મળે તો પણ નવાઈ નહીં કારણ કે.. 

પણ ભાજપ જેના માટે એવું કહેવાય છે કે એમ કોઈ નેતા બદલવાના હોય તો કોઈને ખબર નથી પડતી બધા prediction ખોટ પડે છે એટલે આમાંથી પણ કોઈ નામ ના હોય અને નવો ચહેરો જ ઉતારવામાં આવે તેવી શક્યતાઓ પૂરે પૂરી છે.. અત્યારે ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન સૌથી વધારે પ્રભાવિત હતું એટલે અત્યારે સંગઠનમાં કોઈ ક્ષત્રિય નેતાને મોટું પદ મળી શકે તેવી સાંભવન છે 


આ નેતાઓના નામની હતી ચર્ચા

હવે દેશની વાત કરીએ તો ગઈકાલ સુધી જે નામો સામે આવી રહ્યા હતા તેમાં ભૂપેન્દ્ર યાદવ, શિવરાજ સિંહ ચૌહાણ, મનોહર લાલ અને ધર્મેન્દ્ર પ્રધાનનો સમાવેશ થાય છે. પરંતુ તમામે જેપી નડ્ડા સાથે મોદી કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા છે. તેથી, આ તમામ નામો હવે રેસમાંથી બહાર છે. જોકે બીજા અનેક નામો પણ આવ્યા છે જેમાં અનુરાગ ઠાકુર પણ છે.. જોકે આપણે જાણીએ જ છીએ કે ભાજપ હમેશા સરપ્રાઇઝ આપવામાં માને છે એટલે આ પદ માટે પણ કોનું નામ ખૂલે છે કોને લોટરી લાગે છે એ જોવાનું રહ્યું. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



લીંબડી સર્કલ પર આવેલા ઓવરબ્રિજ પર આઠથી દસ ફૂટનું ગાબડું પડતા એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે તંત્રએ મરામતની કામગીરી હાથ ધરી છે. મહત્વનું છે કે જે બ્રિજ પર ગાબડા પડવાની ઘટના સામે આવી છે તે બ્રિજને બને એક વર્ષ પણ નથી થયું , ત્યાં આ રીતે ગાબડું પડતા બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે.

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.