અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રાણ-પ્રતિષ્ઠા બાદ ગુજરાત પહોંચશે જેપી નડ્ડા, મિશન 2024નો કરશે શુભારંભ


  • Published By :
  • Published Date : 2024-01-22 11:01:36

અયોધ્યમાં રામ મંદિરના ઉદઘાટન અને રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ બિજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાતનો પ્રવાસ કરશે. નડ્ડા ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચારનો શુભારંભ કરાવશે. ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) સાથે મળીને ચૂંટણી લડશે તેવી શક્યતાઓ જોતા ભાજપ અધ્યક્ષનો આ ગુજરાત પ્રવાસ ખૂબ જ મહત્વનો મનાઈ રહ્યો છે. બિજેપીના રાષ્ટ્રિય અધ્યક્ષ જેપી નડ્ડા ગાંધીનગરમાં લોકસભા સીટોના ચૂંટણી કાર્યલયની શરૂઆત કરશે. પરંતું તે સાથે જ રાજ્યના નેતાઓ અને પાર્ટીના પદાધિકારીઓ સાથે પણ ચૂંટણી રણનિતી પર ચર્ચા કરશે.  


વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે


બિજેપી અધ્યક્ષ તેમના ગાંધીનગર કાર્યાલયની સાથે જ રાજ્યની તમામ 26 લોકસભા સીટો માટે તૈયાર કરાયેલા ચૂંટણી કાર્યાલયોનું પણ વર્ચ્યુઅલ ઉદઘાટન કરશે. રાજ્યની તમામ 26 લોકસભા સીટો પર બિજેપીનો કબજો છે. જો કે આ વખતે આપ અને કોંગ્રેસ ભાજપ માટે મુશ્કેલી સર્જી શકે છે. વર્ષ 2019માં રાજ્યની 15 લોકસભા સીટો પર બિજેપીનો કબજો હતો. જો કે મોદીની પ્રધાનમંત્રી પદ માટે જાહેર થયા બાદ કોંગ્રેસ રાજ્યમાં શૂન્યમાં સમેટાઈ ગઈ છે. 

 

કમલમમાં ભાજપ પદાધિકારીઓ સાથે બેઠક


જેપી નડ્ડાના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યમાં પાર્ટી દ્વારા થઈ રહેલી ચૂંટણી તૈયારીઓનું પણ નિરિક્ષણ કરશે. ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ પાર્ટીના પ્રદેશ કાર્યલય કમલમમાં પાર્ટીના સ્થાનિક નેતાઓ અને અને સંગઠનના પદાધિકારીઓ સાથે પણ મિટિંગ કરી ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. જેપી નડ્ડા કાર્યલયમાં જ  લોકસભા ચૂંટણી માટે તૈયાર કરાયેલું  પ્રેઝન્ટેશન પણ જોશે. આમ આ વખતની ભાજપ અધ્યક્ષ નડ્ડાની ગુજરાત મુલાકાત સંપુર્ણપણે ચૂંટણીલક્ષી બની રહેશે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.