અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રાણ-પ્રતિષ્ઠા બાદ ગુજરાત પહોંચશે જેપી નડ્ડા, મિશન 2024નો કરશે શુભારંભ


  • Published By :
  • Published Date : 2024-01-22 11:01:36

અયોધ્યમાં રામ મંદિરના ઉદઘાટન અને રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ બિજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાતનો પ્રવાસ કરશે. નડ્ડા ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચારનો શુભારંભ કરાવશે. ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) સાથે મળીને ચૂંટણી લડશે તેવી શક્યતાઓ જોતા ભાજપ અધ્યક્ષનો આ ગુજરાત પ્રવાસ ખૂબ જ મહત્વનો મનાઈ રહ્યો છે. બિજેપીના રાષ્ટ્રિય અધ્યક્ષ જેપી નડ્ડા ગાંધીનગરમાં લોકસભા સીટોના ચૂંટણી કાર્યલયની શરૂઆત કરશે. પરંતું તે સાથે જ રાજ્યના નેતાઓ અને પાર્ટીના પદાધિકારીઓ સાથે પણ ચૂંટણી રણનિતી પર ચર્ચા કરશે.  


વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે


બિજેપી અધ્યક્ષ તેમના ગાંધીનગર કાર્યાલયની સાથે જ રાજ્યની તમામ 26 લોકસભા સીટો માટે તૈયાર કરાયેલા ચૂંટણી કાર્યાલયોનું પણ વર્ચ્યુઅલ ઉદઘાટન કરશે. રાજ્યની તમામ 26 લોકસભા સીટો પર બિજેપીનો કબજો છે. જો કે આ વખતે આપ અને કોંગ્રેસ ભાજપ માટે મુશ્કેલી સર્જી શકે છે. વર્ષ 2019માં રાજ્યની 15 લોકસભા સીટો પર બિજેપીનો કબજો હતો. જો કે મોદીની પ્રધાનમંત્રી પદ માટે જાહેર થયા બાદ કોંગ્રેસ રાજ્યમાં શૂન્યમાં સમેટાઈ ગઈ છે. 

 

કમલમમાં ભાજપ પદાધિકારીઓ સાથે બેઠક


જેપી નડ્ડાના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યમાં પાર્ટી દ્વારા થઈ રહેલી ચૂંટણી તૈયારીઓનું પણ નિરિક્ષણ કરશે. ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ પાર્ટીના પ્રદેશ કાર્યલય કમલમમાં પાર્ટીના સ્થાનિક નેતાઓ અને અને સંગઠનના પદાધિકારીઓ સાથે પણ મિટિંગ કરી ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. જેપી નડ્ડા કાર્યલયમાં જ  લોકસભા ચૂંટણી માટે તૈયાર કરાયેલું  પ્રેઝન્ટેશન પણ જોશે. આમ આ વખતની ભાજપ અધ્યક્ષ નડ્ડાની ગુજરાત મુલાકાત સંપુર્ણપણે ચૂંટણીલક્ષી બની રહેશે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.