અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રાણ-પ્રતિષ્ઠા બાદ ગુજરાત પહોંચશે જેપી નડ્ડા, મિશન 2024નો કરશે શુભારંભ


  • Published By :
  • Published Date : 2024-01-22 11:01:36

અયોધ્યમાં રામ મંદિરના ઉદઘાટન અને રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ બિજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાતનો પ્રવાસ કરશે. નડ્ડા ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચારનો શુભારંભ કરાવશે. ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) સાથે મળીને ચૂંટણી લડશે તેવી શક્યતાઓ જોતા ભાજપ અધ્યક્ષનો આ ગુજરાત પ્રવાસ ખૂબ જ મહત્વનો મનાઈ રહ્યો છે. બિજેપીના રાષ્ટ્રિય અધ્યક્ષ જેપી નડ્ડા ગાંધીનગરમાં લોકસભા સીટોના ચૂંટણી કાર્યલયની શરૂઆત કરશે. પરંતું તે સાથે જ રાજ્યના નેતાઓ અને પાર્ટીના પદાધિકારીઓ સાથે પણ ચૂંટણી રણનિતી પર ચર્ચા કરશે.  


વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે


બિજેપી અધ્યક્ષ તેમના ગાંધીનગર કાર્યાલયની સાથે જ રાજ્યની તમામ 26 લોકસભા સીટો માટે તૈયાર કરાયેલા ચૂંટણી કાર્યાલયોનું પણ વર્ચ્યુઅલ ઉદઘાટન કરશે. રાજ્યની તમામ 26 લોકસભા સીટો પર બિજેપીનો કબજો છે. જો કે આ વખતે આપ અને કોંગ્રેસ ભાજપ માટે મુશ્કેલી સર્જી શકે છે. વર્ષ 2019માં રાજ્યની 15 લોકસભા સીટો પર બિજેપીનો કબજો હતો. જો કે મોદીની પ્રધાનમંત્રી પદ માટે જાહેર થયા બાદ કોંગ્રેસ રાજ્યમાં શૂન્યમાં સમેટાઈ ગઈ છે. 

 

કમલમમાં ભાજપ પદાધિકારીઓ સાથે બેઠક


જેપી નડ્ડાના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યમાં પાર્ટી દ્વારા થઈ રહેલી ચૂંટણી તૈયારીઓનું પણ નિરિક્ષણ કરશે. ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ પાર્ટીના પ્રદેશ કાર્યલય કમલમમાં પાર્ટીના સ્થાનિક નેતાઓ અને અને સંગઠનના પદાધિકારીઓ સાથે પણ મિટિંગ કરી ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. જેપી નડ્ડા કાર્યલયમાં જ  લોકસભા ચૂંટણી માટે તૈયાર કરાયેલું  પ્રેઝન્ટેશન પણ જોશે. આમ આ વખતની ભાજપ અધ્યક્ષ નડ્ડાની ગુજરાત મુલાકાત સંપુર્ણપણે ચૂંટણીલક્ષી બની રહેશે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે