જેપી નડ્ડાના હાથમાં જ રહેશે BJPની કમાન, પ્રમુખ પદનો કાર્યકાળ ફરી લંબાવવામાં આવ્યો


  • Published By :
  • Published Date : 2024-02-18 17:08:57

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ ફરીથી લંબાવવામાં આવ્યો છે. હવે તેઓ જૂન 2024 સુધી પ્રમુખ પદ પર રહેશે. ભાજપના સંમેલનમાં આ પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે અને હવે 2024ની લોકસભા ચૂંટણીમાં જીતની જવાબદારી નડ્ડાના ખભા પર આવવાની છે. ગયા વર્ષે પણ પાર્ટીએ તેમના પ્રમુખપદ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, હવે ફરી એકવાર તેમને આગળ કરવામાં આવ્યા છે.


નડ્ડાની અધ્યક્ષતામાં 400ને પાર કરવાની તૈયારી 


જેપી નડ્ડાની વાત કરીએ તો તેમની અધ્યક્ષતામાં બીજેપીએ અનેક રાજ્યોમાં ફરી પોતાની સરકાર બનાવી છે. સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાંથી તાજેતરમાં પૂર્ણ થયેલી ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જે રીતે મોટી જીત નોંધાવી છે તેનો શ્રેય જેપી નડ્ડાને જાય છે. આવી સ્થિતિમાં એનડીએ દ્વારા તેમની અધ્યક્ષતામાં 400ને પાર કરવાની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે.


2019 માં બન્યા હતા કાર્યકારી અધ્યક્ષ


જેપી નડ્ડાની જૂન 2019 માં ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. 20 જાન્યુઆરી 2020 ના રોજ, તેઓ સર્વસંમતિથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા, આ જવાબદારી તેમણે અમિત શાહ પાસેથી લીધી હતી. જાન્યુઆરી 2021 માં, નડ્ડાએ પશ્ચિમ બંગાળના બર્ધમાનમાં એક નવી યોજના એક મુઠ્ઠી ચાવલ યોજના શરૂ કરી. સપ્ટેમ્બર 2022માં, તેમને 2024ની લોકસભા ચૂંટણી સુધી પાર્ટીના વડા પદનું વિસ્તરણ મળ્યું હતું.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.