જેપી નડ્ડાના હાથમાં જ રહેશે BJPની કમાન, પ્રમુખ પદનો કાર્યકાળ ફરી લંબાવવામાં આવ્યો


  • Published By :
  • Published Date : 2024-02-18 17:08:57

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ ફરીથી લંબાવવામાં આવ્યો છે. હવે તેઓ જૂન 2024 સુધી પ્રમુખ પદ પર રહેશે. ભાજપના સંમેલનમાં આ પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે અને હવે 2024ની લોકસભા ચૂંટણીમાં જીતની જવાબદારી નડ્ડાના ખભા પર આવવાની છે. ગયા વર્ષે પણ પાર્ટીએ તેમના પ્રમુખપદ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, હવે ફરી એકવાર તેમને આગળ કરવામાં આવ્યા છે.


નડ્ડાની અધ્યક્ષતામાં 400ને પાર કરવાની તૈયારી 


જેપી નડ્ડાની વાત કરીએ તો તેમની અધ્યક્ષતામાં બીજેપીએ અનેક રાજ્યોમાં ફરી પોતાની સરકાર બનાવી છે. સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાંથી તાજેતરમાં પૂર્ણ થયેલી ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જે રીતે મોટી જીત નોંધાવી છે તેનો શ્રેય જેપી નડ્ડાને જાય છે. આવી સ્થિતિમાં એનડીએ દ્વારા તેમની અધ્યક્ષતામાં 400ને પાર કરવાની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે.


2019 માં બન્યા હતા કાર્યકારી અધ્યક્ષ


જેપી નડ્ડાની જૂન 2019 માં ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. 20 જાન્યુઆરી 2020 ના રોજ, તેઓ સર્વસંમતિથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા, આ જવાબદારી તેમણે અમિત શાહ પાસેથી લીધી હતી. જાન્યુઆરી 2021 માં, નડ્ડાએ પશ્ચિમ બંગાળના બર્ધમાનમાં એક નવી યોજના એક મુઠ્ઠી ચાવલ યોજના શરૂ કરી. સપ્ટેમ્બર 2022માં, તેમને 2024ની લોકસભા ચૂંટણી સુધી પાર્ટીના વડા પદનું વિસ્તરણ મળ્યું હતું.



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .