મહીસાગર જિલ્લાના ભાજપના બળવાખોર નેતાનું પાટીલે કર્યું સહર્ષ સ્વાગત, જે.પી.પટેલે ફરી કેસરીયો ધારણ કર્યો


  • Published By :
  • Published Date : 2023-06-06 14:16:29

ભારતીય જનતા પાર્ટીએ વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા નેતાઓનું ભરતી અભિયાન શરૂ કર્યું છે. વિરોધ પક્ષોના આગેવાનો અને અગ્રણી પદાધિકારીઓને કેશરીયો ખેસ પહેરાવીને ભાજપમાં આવકારવામાં આવી રહ્યા છે. ભાજપ દ્વારા કોંગ્રેસના નેતાઓની સાથે સાથે હવે આપ નેતાઓને પણ ભાજપમાં લાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે, આ કડીમાં હવે બાલાસિનોરના આપના નેતા ઉદયસિંહ ચૌહાણ ભાજપમાં જોડાઇ ગયા છે. ઉદયસિંહ ચૌહાણ ઉપરાંત ભાજપના પૂર્વ મહીસાગર જિલ્લા પ્રમુખ રહી ચૂકેલા જયપ્રકાશ પટેલ (જે.પી.પટેલ)એ પણ ઘરવાપસી કરી છે. ઉદયસિંહ ચૌહાણ તથા જે.પી.પટેલે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હાજરીમાં આજે કેસરિયા ધારણ કરી લીધો છે. જે.પી.પટેલ અને ઉદેસિંહ ચૌહાણ સહિત લુણાવાડા, મહીસાગર અને ખેડા જિલ્લાના આગેવાનો અને સમર્થકો પણ ભાજપમાં જોડાયા છે. આ તમામને સીઆર પાટિલની હાજરીમાં કેસરિયો ખેસ પહેરાવવામાં આવ્યો હતો. 


પક્ષ પલટુ નેતાઓનું ભાજપમાં સહર્ષ સ્વાગત


લોકસભાની ચૂંટણી પહેલા મહીસાગર જિલ્લાના બે કદાવાર નેતાઓએ આજે ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ કારોબારી બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા છે. ભાજપના પૂર્વ મહીસાગર જિલ્લા પ્રમુખ રહી ચૂકેલા જયપ્રકાશ પટેલ (જે.પી.પટેલ) જેઓ ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપમાંથી લુણાવાડા વિધાનસભા બેઠક માટે દાવેદારી નોંધાવી હતી, પરંતુ ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જેથી તેમને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તો ઉદયસિંહ ચૌહાણ મહીસાગર જિલ્લા અને બાલાસિનોર વિધાનસભા કોંગ્રેસના કદાવર નેતા અને જૂના જોગી હતા. જેઓ ચૂંટણી ટાણે મહીસાગર જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. બાદમાં બાલાસિનોર વિધાનસભા બેઠક પર 'આપ'માંથી તેઓએ ગત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતાં. આમ આજે આ બંને પક્ષ પલટુ નેતાઓ ભાજપમાં જોડાયા છે.


કમલમ ખાતે યોજાયો નેતાઓનો ભરતી મેળો


જયપ્રકાશ પટેલ (જે.પી.પટેલ) અને ઉદયસિંહ ચૌહાણ ભાજપમાં જોડાયા છે. ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે બંને નેતાઓએ ખેસ ધારણ કર્યો હતો. આ સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાયા હતા. ગાંધીનગર કમલમ ખાતે તમામ કાર્યકર્તાઓનું બીજેપીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.


પાટીલ અને વાઘાણીએ બળવાખોરો સામે આપ્યું હતું ઉગ્ર નિવેદન


અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે અગાઉ બળવાખોરોને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે બળવાખોરો જીતી જશે તો પણ ભાજપમાં નહીં મળે સ્થાન નહીં આપવાની ચીમકી આપી હતી. આ જ પ્રકારે લુણાવાડામાં જ પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પણ ભાજપ સાથે દ્રોહ કરનારાને પાર્ટીમાં પાછા લેવામાં નહીં આવે તેવું સોઈ ઝાટકીને કહ્યું હતું. જો કે આજે જે સી આર પાટીલે જ જે.પી.પટેલ સહિતના બળવાખોરોને સહર્ષ આવકાર્યા છે.


પક્ષ પલટુ નેતાઓ અંગે કાર્યકરો બેવાર વિચારે


કોઈ પણ પાર્ટીના નેતાના કાર્યકરો તેના નેતાની આંધળી ભક્તિ કરતા હોય છે. નેતા પર ભરોસો રાખીને તેને સમર્થન આપતા અને ચૂંટણી પ્રચારમાં દિવસ-રાત મહેનત કરતા હોય છે. જો કે આ નેતાઓ ચૂંટણી જીત્યા બાદ કાર્યકરોને પૂછ્યા વગર જ પક્ષપલટો કરતા હોય છે, આ વખતે કાર્યકરોની હાલત કફોડી થાય છે. વિરોધી પાર્ટીમાં જોડાતા તેમના નેતાઓને જીતાડવા માટે તેમણે તે પાર્ટી સામે જ પ્રચાર કર્યો હોય છે. જો કે આ મોટા નેતાઓ કાર્યકરોની લાગણીની ચિંતા કર્યા વગર પક્ષ પલટો કરે ત્યારે કાર્યકરો પણ જાણે તેમની જાગીર હોય તેમ તેમનો પણ પક્ષપલટો કરાવતા હોય છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.