Junagadh : વિસાવદરમાં ધોળા દિવસે બાળકીનું કરાયું અપહરણ, પોલીસે થોડા સમયની અંદર કેસ ઉકેલ્યો, જુઓ સીસીટીવી ફૂટેજ


  • Published By :
  • Published Date : 2023-12-28 14:31:09

જૂનાગઢના વિસાવદરમાં એક વિદ્યાર્થીનીનું અપહરણ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીની શાળાએ જઈ રહી હતી તે વખતે તેનું ફિલ્મી ઢબે અપહરણ કરાયું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 15 વર્ષની વિદ્યાર્થીની પોતાની બહેનપણી સાથે સ્કૂલે જઈ રહી હતી આ દરમિયાન નંબરપ્લેટ વગરની સ્વીફ્ટ કાર તેમની પાસે આવી. ગાડીમાંથી બે લોકો ઉતર્યા અને બળજબરીપૂર્વક બાળકીને ગાડીમાં બેસાડી. 

શાળામાં જતી વિદ્યાર્થીનીનું થયું અપહરણ 

ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. પરંતુ મહિલાઓ હવે સુરક્ષિત નથી રહી તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. કારણ કે ધોળા દિવસે બાળકીનું ઉપહરણ જૂનાગઢમાં થયું છે. વિસાવદરમાં 15 વર્ષીય દીકરીનું અપહરણ થયું છે તેવી માહિતી સામે આવી છે. જૂનાગઢના વિસાવદરમાં એક સગીરાનું અપહરણ એક તરફી પ્રેમમાં પાગલ સગીરે કર્યું છે. 

થોડા સમયની અંદર સગીરાને પોલીસે છોડાવી દીધી 

આખી ઘટનાના CCTV સામે આવ્યા છે. અપહરણ નંબર પ્લેટ વગરની કાર દ્વારા કરાયું હતું . અપહરણ થયાની જાણ તરત જ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી. સગીરાના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી . ત્યારબાદ પોલીસ તંત્ર તરત જ એકશનમાં આવી ગયું હતું અને ગણતરીના કલાકોમાં જ આ સગીરાને છોડાવી દીધી અને ત્યારબાદ યુવકને ઝડપી લેવાયો છે . સ્થાનિક પોલીસે દ્વારા ગુનો પણ નોંધાયો છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે. મળતી માહિતી અનુસાર આરોપીનું નામ ધ્યેય સૂર્યવંશી સામે આવ્યું છે ઉપરાંત આરોપીએ સગીરાના ફોટા પણ વાયરલ કરવાની ધમકી આપી છે. 



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.