Junagadh : વિસાવદરમાં ધોળા દિવસે બાળકીનું કરાયું અપહરણ, પોલીસે થોડા સમયની અંદર કેસ ઉકેલ્યો, જુઓ સીસીટીવી ફૂટેજ


  • Published By :
  • Published Date : 2023-12-28 14:31:09

જૂનાગઢના વિસાવદરમાં એક વિદ્યાર્થીનીનું અપહરણ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીની શાળાએ જઈ રહી હતી તે વખતે તેનું ફિલ્મી ઢબે અપહરણ કરાયું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 15 વર્ષની વિદ્યાર્થીની પોતાની બહેનપણી સાથે સ્કૂલે જઈ રહી હતી આ દરમિયાન નંબરપ્લેટ વગરની સ્વીફ્ટ કાર તેમની પાસે આવી. ગાડીમાંથી બે લોકો ઉતર્યા અને બળજબરીપૂર્વક બાળકીને ગાડીમાં બેસાડી. 

શાળામાં જતી વિદ્યાર્થીનીનું થયું અપહરણ 

ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. પરંતુ મહિલાઓ હવે સુરક્ષિત નથી રહી તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. કારણ કે ધોળા દિવસે બાળકીનું ઉપહરણ જૂનાગઢમાં થયું છે. વિસાવદરમાં 15 વર્ષીય દીકરીનું અપહરણ થયું છે તેવી માહિતી સામે આવી છે. જૂનાગઢના વિસાવદરમાં એક સગીરાનું અપહરણ એક તરફી પ્રેમમાં પાગલ સગીરે કર્યું છે. 

થોડા સમયની અંદર સગીરાને પોલીસે છોડાવી દીધી 

આખી ઘટનાના CCTV સામે આવ્યા છે. અપહરણ નંબર પ્લેટ વગરની કાર દ્વારા કરાયું હતું . અપહરણ થયાની જાણ તરત જ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી. સગીરાના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી . ત્યારબાદ પોલીસ તંત્ર તરત જ એકશનમાં આવી ગયું હતું અને ગણતરીના કલાકોમાં જ આ સગીરાને છોડાવી દીધી અને ત્યારબાદ યુવકને ઝડપી લેવાયો છે . સ્થાનિક પોલીસે દ્વારા ગુનો પણ નોંધાયો છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે. મળતી માહિતી અનુસાર આરોપીનું નામ ધ્યેય સૂર્યવંશી સામે આવ્યું છે ઉપરાંત આરોપીએ સગીરાના ફોટા પણ વાયરલ કરવાની ધમકી આપી છે. 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.