Junagadh : વિસાવદરમાં ધોળા દિવસે બાળકીનું કરાયું અપહરણ, પોલીસે થોડા સમયની અંદર કેસ ઉકેલ્યો, જુઓ સીસીટીવી ફૂટેજ


  • Published By :
  • Published Date : 2023-12-28 14:31:09

જૂનાગઢના વિસાવદરમાં એક વિદ્યાર્થીનીનું અપહરણ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીની શાળાએ જઈ રહી હતી તે વખતે તેનું ફિલ્મી ઢબે અપહરણ કરાયું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 15 વર્ષની વિદ્યાર્થીની પોતાની બહેનપણી સાથે સ્કૂલે જઈ રહી હતી આ દરમિયાન નંબરપ્લેટ વગરની સ્વીફ્ટ કાર તેમની પાસે આવી. ગાડીમાંથી બે લોકો ઉતર્યા અને બળજબરીપૂર્વક બાળકીને ગાડીમાં બેસાડી. 

શાળામાં જતી વિદ્યાર્થીનીનું થયું અપહરણ 

ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. પરંતુ મહિલાઓ હવે સુરક્ષિત નથી રહી તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. કારણ કે ધોળા દિવસે બાળકીનું ઉપહરણ જૂનાગઢમાં થયું છે. વિસાવદરમાં 15 વર્ષીય દીકરીનું અપહરણ થયું છે તેવી માહિતી સામે આવી છે. જૂનાગઢના વિસાવદરમાં એક સગીરાનું અપહરણ એક તરફી પ્રેમમાં પાગલ સગીરે કર્યું છે. 

થોડા સમયની અંદર સગીરાને પોલીસે છોડાવી દીધી 

આખી ઘટનાના CCTV સામે આવ્યા છે. અપહરણ નંબર પ્લેટ વગરની કાર દ્વારા કરાયું હતું . અપહરણ થયાની જાણ તરત જ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી. સગીરાના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી . ત્યારબાદ પોલીસ તંત્ર તરત જ એકશનમાં આવી ગયું હતું અને ગણતરીના કલાકોમાં જ આ સગીરાને છોડાવી દીધી અને ત્યારબાદ યુવકને ઝડપી લેવાયો છે . સ્થાનિક પોલીસે દ્વારા ગુનો પણ નોંધાયો છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે. મળતી માહિતી અનુસાર આરોપીનું નામ ધ્યેય સૂર્યવંશી સામે આવ્યું છે ઉપરાંત આરોપીએ સગીરાના ફોટા પણ વાયરલ કરવાની ધમકી આપી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.