Junagadh : વિસાવદરમાં ધોળા દિવસે બાળકીનું કરાયું અપહરણ, પોલીસે થોડા સમયની અંદર કેસ ઉકેલ્યો, જુઓ સીસીટીવી ફૂટેજ


  • Published By :
  • Published Date : 2023-12-28 14:31:09

જૂનાગઢના વિસાવદરમાં એક વિદ્યાર્થીનીનું અપહરણ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીની શાળાએ જઈ રહી હતી તે વખતે તેનું ફિલ્મી ઢબે અપહરણ કરાયું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 15 વર્ષની વિદ્યાર્થીની પોતાની બહેનપણી સાથે સ્કૂલે જઈ રહી હતી આ દરમિયાન નંબરપ્લેટ વગરની સ્વીફ્ટ કાર તેમની પાસે આવી. ગાડીમાંથી બે લોકો ઉતર્યા અને બળજબરીપૂર્વક બાળકીને ગાડીમાં બેસાડી. 

શાળામાં જતી વિદ્યાર્થીનીનું થયું અપહરણ 

ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. પરંતુ મહિલાઓ હવે સુરક્ષિત નથી રહી તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. કારણ કે ધોળા દિવસે બાળકીનું ઉપહરણ જૂનાગઢમાં થયું છે. વિસાવદરમાં 15 વર્ષીય દીકરીનું અપહરણ થયું છે તેવી માહિતી સામે આવી છે. જૂનાગઢના વિસાવદરમાં એક સગીરાનું અપહરણ એક તરફી પ્રેમમાં પાગલ સગીરે કર્યું છે. 

થોડા સમયની અંદર સગીરાને પોલીસે છોડાવી દીધી 

આખી ઘટનાના CCTV સામે આવ્યા છે. અપહરણ નંબર પ્લેટ વગરની કાર દ્વારા કરાયું હતું . અપહરણ થયાની જાણ તરત જ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી. સગીરાના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી . ત્યારબાદ પોલીસ તંત્ર તરત જ એકશનમાં આવી ગયું હતું અને ગણતરીના કલાકોમાં જ આ સગીરાને છોડાવી દીધી અને ત્યારબાદ યુવકને ઝડપી લેવાયો છે . સ્થાનિક પોલીસે દ્વારા ગુનો પણ નોંધાયો છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે. મળતી માહિતી અનુસાર આરોપીનું નામ ધ્યેય સૂર્યવંશી સામે આવ્યું છે ઉપરાંત આરોપીએ સગીરાના ફોટા પણ વાયરલ કરવાની ધમકી આપી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.