જૂનાગઢઃ ભાજપના કોર્પોરેટ પુત્રએ યુવકને છરીના ઘા માર્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 15:02:04

જૂનાગઢમાં ગઈકાલે મોડી રાત્રે ભાજપના કોર્પોરેટરના પુત્ર હરેશ સોલંકીએ એક યુવાનને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો છે. જૂનાગઢના બીલખા રોડ પર આવેલા ધરાનગરના સીએલ કોલેજ રોડ પર લોહિયાળ બનાવ બનતા લોકોમાં નાસભાગ બની ગઈ હતી. 


અંગત અદાવતમાં મોતને ઘાટ ઉતાર્યો 

સ્થાનિક સૂત્રના જણાવ્યા મુજબ જયેશ પાતર અને હરેશ સોલંકી વચ્ચે પહેલેથી જ અણબનાવો ચાલી રહ્યા હતા. સૂત્રનું કહેવું છે હરેશ સોલંકીએ જયેશ પાતરની પત્નીનો હાથ પકડીને છેડતી કરી હતી જેથી બંને વચ્ચે તકરાર ચાલી રહી હતી. જોકે સૂત્રએ આ મામલે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે નવરાત્રિના સમયે બધા મળીને દારૂ પી રહ્યા હતા ત્યારે વાત ઉગ્ર બની હતી અને અંતે કોર્પોરેટ પુત્ર હરેશ સોલંકીએ જયેશ પાતરને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. 


લોહીલુહાણ હાલતે લથડીયા મારતો રહ્યો જયેશ પાતર

મૃતકની માતાએ પોલીસને ફરિયાદ કરવા પહોંચ્યા હતા ત્યારે તેમણે પોલીસને જણાવ્યું હતું કે, બધા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેના પરિણામે જયેશ પાતરને છરીના ઘા મારી હત્યા કરાઈ હતી. છરી માર્યા બાદ જયેશ લથડીયા ખાતો મદદ માટે 108 બોલાવવા પોકારી રહ્યો અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. 


જૂનાગઢનો ધરાનગર વિસ્તાર અનુસૂચિત જાતિ ધરાવતો વિસ્તાર છે, જેમાં આ પ્રકારના બનાવ બનતા રહે છે. અગાઉ પણ આ પ્રકારના બનાવો આ વિસ્તારમાં બન્યા છે. જૂનાગઢ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે