જૂનાગઢઃ ભાજપના કોર્પોરેટ પુત્રએ યુવકને છરીના ઘા માર્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 15:02:04

જૂનાગઢમાં ગઈકાલે મોડી રાત્રે ભાજપના કોર્પોરેટરના પુત્ર હરેશ સોલંકીએ એક યુવાનને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો છે. જૂનાગઢના બીલખા રોડ પર આવેલા ધરાનગરના સીએલ કોલેજ રોડ પર લોહિયાળ બનાવ બનતા લોકોમાં નાસભાગ બની ગઈ હતી. 


અંગત અદાવતમાં મોતને ઘાટ ઉતાર્યો 

સ્થાનિક સૂત્રના જણાવ્યા મુજબ જયેશ પાતર અને હરેશ સોલંકી વચ્ચે પહેલેથી જ અણબનાવો ચાલી રહ્યા હતા. સૂત્રનું કહેવું છે હરેશ સોલંકીએ જયેશ પાતરની પત્નીનો હાથ પકડીને છેડતી કરી હતી જેથી બંને વચ્ચે તકરાર ચાલી રહી હતી. જોકે સૂત્રએ આ મામલે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે નવરાત્રિના સમયે બધા મળીને દારૂ પી રહ્યા હતા ત્યારે વાત ઉગ્ર બની હતી અને અંતે કોર્પોરેટ પુત્ર હરેશ સોલંકીએ જયેશ પાતરને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. 


લોહીલુહાણ હાલતે લથડીયા મારતો રહ્યો જયેશ પાતર

મૃતકની માતાએ પોલીસને ફરિયાદ કરવા પહોંચ્યા હતા ત્યારે તેમણે પોલીસને જણાવ્યું હતું કે, બધા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેના પરિણામે જયેશ પાતરને છરીના ઘા મારી હત્યા કરાઈ હતી. છરી માર્યા બાદ જયેશ લથડીયા ખાતો મદદ માટે 108 બોલાવવા પોકારી રહ્યો અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. 


જૂનાગઢનો ધરાનગર વિસ્તાર અનુસૂચિત જાતિ ધરાવતો વિસ્તાર છે, જેમાં આ પ્રકારના બનાવ બનતા રહે છે. અગાઉ પણ આ પ્રકારના બનાવો આ વિસ્તારમાં બન્યા છે. જૂનાગઢ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.  



લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી ગયું છે. આજે ફોર્મની ચકાસણી કરાઈ. આ બધા વચ્ચે ગેનીબેન ઠાકોર પર પાલનપુરના પૂર્વ ધારાસભ્યએ ગંભીર આરોપો લગાવ્યા છે. ગેનીબેન ઠાકોર દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે.

ગુજરાત માટે ભાજપ પાંચ લાખની લીડ સાથે દરેક બેઠક પર જીત હાંસલ કરશે તેવો લક્ષ્ય રાખ્યો છે. આ લક્ષ્યને પાર કરવા માટે ભાજપનું સંગઠન કામ કરશે. પેજ પ્રમુખ તેમજ સમિતીને આને લઈ જવાબદારી સોંપવામાં આવી છે.

અનેક ઉદાહરણો આપણે જોયા હશે જેમાં માણસો આપણી સામે કંઈ અલગ હોય છે અને બીજાની સામે કંઈ અલગ હોય છે.. પારકી પંચાતમાં અનેક લોકો પોતાની જીંદગીને વેડફી નાખે છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે બેફામસાહેબની રચના

એક વીડિયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાના કાર્યક્રમમાં એક યુવાન સ્ટેજ પર ચઢી જાય છે અને સાંસદને સવાલો કરે છે.. કામ અંગે તેમને સવાલ કરે છે. મનસુખ વસાવાએ પ્રશ્નોના જવાબ તો ના આપ્યા પરંતુ તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા.