જૂનાગઢઃ ભાજપના કોર્પોરેટ પુત્રએ યુવકને છરીના ઘા માર્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 15:02:04

જૂનાગઢમાં ગઈકાલે મોડી રાત્રે ભાજપના કોર્પોરેટરના પુત્ર હરેશ સોલંકીએ એક યુવાનને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો છે. જૂનાગઢના બીલખા રોડ પર આવેલા ધરાનગરના સીએલ કોલેજ રોડ પર લોહિયાળ બનાવ બનતા લોકોમાં નાસભાગ બની ગઈ હતી. 


અંગત અદાવતમાં મોતને ઘાટ ઉતાર્યો 

સ્થાનિક સૂત્રના જણાવ્યા મુજબ જયેશ પાતર અને હરેશ સોલંકી વચ્ચે પહેલેથી જ અણબનાવો ચાલી રહ્યા હતા. સૂત્રનું કહેવું છે હરેશ સોલંકીએ જયેશ પાતરની પત્નીનો હાથ પકડીને છેડતી કરી હતી જેથી બંને વચ્ચે તકરાર ચાલી રહી હતી. જોકે સૂત્રએ આ મામલે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે નવરાત્રિના સમયે બધા મળીને દારૂ પી રહ્યા હતા ત્યારે વાત ઉગ્ર બની હતી અને અંતે કોર્પોરેટ પુત્ર હરેશ સોલંકીએ જયેશ પાતરને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. 


લોહીલુહાણ હાલતે લથડીયા મારતો રહ્યો જયેશ પાતર

મૃતકની માતાએ પોલીસને ફરિયાદ કરવા પહોંચ્યા હતા ત્યારે તેમણે પોલીસને જણાવ્યું હતું કે, બધા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેના પરિણામે જયેશ પાતરને છરીના ઘા મારી હત્યા કરાઈ હતી. છરી માર્યા બાદ જયેશ લથડીયા ખાતો મદદ માટે 108 બોલાવવા પોકારી રહ્યો અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. 


જૂનાગઢનો ધરાનગર વિસ્તાર અનુસૂચિત જાતિ ધરાવતો વિસ્તાર છે, જેમાં આ પ્રકારના બનાવ બનતા રહે છે. અગાઉ પણ આ પ્રકારના બનાવો આ વિસ્તારમાં બન્યા છે. જૂનાગઢ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.