જૂનાગઢઃ ભાજપના કોર્પોરેટ પુત્રએ યુવકને છરીના ઘા માર્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 15:02:04

જૂનાગઢમાં ગઈકાલે મોડી રાત્રે ભાજપના કોર્પોરેટરના પુત્ર હરેશ સોલંકીએ એક યુવાનને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો છે. જૂનાગઢના બીલખા રોડ પર આવેલા ધરાનગરના સીએલ કોલેજ રોડ પર લોહિયાળ બનાવ બનતા લોકોમાં નાસભાગ બની ગઈ હતી. 


અંગત અદાવતમાં મોતને ઘાટ ઉતાર્યો 

સ્થાનિક સૂત્રના જણાવ્યા મુજબ જયેશ પાતર અને હરેશ સોલંકી વચ્ચે પહેલેથી જ અણબનાવો ચાલી રહ્યા હતા. સૂત્રનું કહેવું છે હરેશ સોલંકીએ જયેશ પાતરની પત્નીનો હાથ પકડીને છેડતી કરી હતી જેથી બંને વચ્ચે તકરાર ચાલી રહી હતી. જોકે સૂત્રએ આ મામલે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે નવરાત્રિના સમયે બધા મળીને દારૂ પી રહ્યા હતા ત્યારે વાત ઉગ્ર બની હતી અને અંતે કોર્પોરેટ પુત્ર હરેશ સોલંકીએ જયેશ પાતરને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. 


લોહીલુહાણ હાલતે લથડીયા મારતો રહ્યો જયેશ પાતર

મૃતકની માતાએ પોલીસને ફરિયાદ કરવા પહોંચ્યા હતા ત્યારે તેમણે પોલીસને જણાવ્યું હતું કે, બધા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેના પરિણામે જયેશ પાતરને છરીના ઘા મારી હત્યા કરાઈ હતી. છરી માર્યા બાદ જયેશ લથડીયા ખાતો મદદ માટે 108 બોલાવવા પોકારી રહ્યો અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. 


જૂનાગઢનો ધરાનગર વિસ્તાર અનુસૂચિત જાતિ ધરાવતો વિસ્તાર છે, જેમાં આ પ્રકારના બનાવ બનતા રહે છે. અગાઉ પણ આ પ્રકારના બનાવો આ વિસ્તારમાં બન્યા છે. જૂનાગઢ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.