જૂનાગઢ વિવાદ અપડેટ: બબાલ કરનારા લોકોને પોલીસે ચખાડ્યો મેથી પાક! સોશિયલ મીડિયા પર વાયરલ થયો પોલીસનો વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-17 18:36:50

જૂનાગઢમાં મનપા દ્વારા દરગાહને તોડી પાડવાની નોટિસ આપવામાં આવી હતી. જ્યારે નોટિસ ચોંટાડવવા માટે પોલીસ ત્યાં પહોંચી ત્યારે ત્યાં ઉપસ્થિત લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને હિંસા ભડકી ઉઠી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ટોળા પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે જ્યારે પાંચ જેટલા પોલીસકર્મીઓને ઈજા પહોંચી છે. ત્યારે સોશિયલ મીડિયા આ ઘટનાને લઈ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દરગાહ આગળ પોલીસે થોડા આરોપીઓને ઉભા રાખ્યા છે અને તેમને મારી રહી છે. આ મામલે 170થી વધારે લોકો વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.    

લોકો અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ!    

ગેરકાયદેસર રીતે બાંધકામ હટવવાની કામગીરી અનેક મનપા દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢ મનપા દ્વારા મજેવડી ગેટ પર દરગાહ દબાણ હટાવવા મામલે નોટિસ લગાવવામાં આવી હતી. જ્યારે નોટિસ લગાવવા માટે પોલીસ પહોંચી ત્યારે આ મામલે મોડી રાત્રે પોલીસ અને લોકો વચ્ચે અથડામણ થયું હતું. મામલો ઉગ્ર બનતો ગયો અને તે બાદ પરિસ્થિતિ પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ તેમજ ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. 

દરગાહ બહાર પોલીસે અસામાજીક તત્વોને માર્યા!

ત્યારે આ મામલાના અનેક વીડિયો તેમજ તસવીરો સામે આવી રહી છે. પોલીસે પણ પોતાનું નિવેદન આપી દીધું છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પોલીસ દરગાહની બહાર ઉભા રાખી લોકોને મારી રહી છે. વીડિયોમાં અંદાજીત સાત લોકો છે. જે લોકોને માર મારવામાં આવી રહ્યો છે તેમના ચહેરાને ઢાંકી દેવામાં આવ્યો છે. આ વીડિયો પર પોલીસ દ્વારા કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. 



કોંગ્રેસના સાંસદે કરી આ ટ્વિટ!

આ ઘટનાને લઈ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદે ટ્વિટ કરી હતી. આ વીડિયો શેર કરતા સાંસદે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. ટ્વિટમાં તેમણે લખ્યું કે "अब गुजरात की पुलिस को अदालतों से कोई लेना देना नहीं है वो सीधे चौराहे पर सज़ा देती है, खुलेआम पीटती है और आरोपी घोषित कर देती है, कोई जांच नहीं कोई तफ्तीश नहीं. ये जूनागढ़ का वीडियो है, गुजरात पुलिस क्या यही है संविधान का पालन??"



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.