જૂનાગઢ વિવાદ અપડેટ: બબાલ કરનારા લોકોને પોલીસે ચખાડ્યો મેથી પાક! સોશિયલ મીડિયા પર વાયરલ થયો પોલીસનો વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-17 18:36:50

જૂનાગઢમાં મનપા દ્વારા દરગાહને તોડી પાડવાની નોટિસ આપવામાં આવી હતી. જ્યારે નોટિસ ચોંટાડવવા માટે પોલીસ ત્યાં પહોંચી ત્યારે ત્યાં ઉપસ્થિત લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને હિંસા ભડકી ઉઠી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ટોળા પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે જ્યારે પાંચ જેટલા પોલીસકર્મીઓને ઈજા પહોંચી છે. ત્યારે સોશિયલ મીડિયા આ ઘટનાને લઈ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દરગાહ આગળ પોલીસે થોડા આરોપીઓને ઉભા રાખ્યા છે અને તેમને મારી રહી છે. આ મામલે 170થી વધારે લોકો વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.    

લોકો અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ!    

ગેરકાયદેસર રીતે બાંધકામ હટવવાની કામગીરી અનેક મનપા દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢ મનપા દ્વારા મજેવડી ગેટ પર દરગાહ દબાણ હટાવવા મામલે નોટિસ લગાવવામાં આવી હતી. જ્યારે નોટિસ લગાવવા માટે પોલીસ પહોંચી ત્યારે આ મામલે મોડી રાત્રે પોલીસ અને લોકો વચ્ચે અથડામણ થયું હતું. મામલો ઉગ્ર બનતો ગયો અને તે બાદ પરિસ્થિતિ પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ તેમજ ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. 

દરગાહ બહાર પોલીસે અસામાજીક તત્વોને માર્યા!

ત્યારે આ મામલાના અનેક વીડિયો તેમજ તસવીરો સામે આવી રહી છે. પોલીસે પણ પોતાનું નિવેદન આપી દીધું છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પોલીસ દરગાહની બહાર ઉભા રાખી લોકોને મારી રહી છે. વીડિયોમાં અંદાજીત સાત લોકો છે. જે લોકોને માર મારવામાં આવી રહ્યો છે તેમના ચહેરાને ઢાંકી દેવામાં આવ્યો છે. આ વીડિયો પર પોલીસ દ્વારા કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. 



કોંગ્રેસના સાંસદે કરી આ ટ્વિટ!

આ ઘટનાને લઈ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદે ટ્વિટ કરી હતી. આ વીડિયો શેર કરતા સાંસદે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. ટ્વિટમાં તેમણે લખ્યું કે "अब गुजरात की पुलिस को अदालतों से कोई लेना देना नहीं है वो सीधे चौराहे पर सज़ा देती है, खुलेआम पीटती है और आरोपी घोषित कर देती है, कोई जांच नहीं कोई तफ्तीश नहीं. ये जूनागढ़ का वीडियो है, गुजरात पुलिस क्या यही है संविधान का पालन??"



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.