જૂનાગઢ વિવાદ અપડેટ: બબાલ કરનારા લોકોને પોલીસે ચખાડ્યો મેથી પાક! સોશિયલ મીડિયા પર વાયરલ થયો પોલીસનો વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-17 18:36:50

જૂનાગઢમાં મનપા દ્વારા દરગાહને તોડી પાડવાની નોટિસ આપવામાં આવી હતી. જ્યારે નોટિસ ચોંટાડવવા માટે પોલીસ ત્યાં પહોંચી ત્યારે ત્યાં ઉપસ્થિત લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને હિંસા ભડકી ઉઠી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ટોળા પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે જ્યારે પાંચ જેટલા પોલીસકર્મીઓને ઈજા પહોંચી છે. ત્યારે સોશિયલ મીડિયા આ ઘટનાને લઈ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દરગાહ આગળ પોલીસે થોડા આરોપીઓને ઉભા રાખ્યા છે અને તેમને મારી રહી છે. આ મામલે 170થી વધારે લોકો વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.    

લોકો અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ!    

ગેરકાયદેસર રીતે બાંધકામ હટવવાની કામગીરી અનેક મનપા દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢ મનપા દ્વારા મજેવડી ગેટ પર દરગાહ દબાણ હટાવવા મામલે નોટિસ લગાવવામાં આવી હતી. જ્યારે નોટિસ લગાવવા માટે પોલીસ પહોંચી ત્યારે આ મામલે મોડી રાત્રે પોલીસ અને લોકો વચ્ચે અથડામણ થયું હતું. મામલો ઉગ્ર બનતો ગયો અને તે બાદ પરિસ્થિતિ પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ તેમજ ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. 

દરગાહ બહાર પોલીસે અસામાજીક તત્વોને માર્યા!

ત્યારે આ મામલાના અનેક વીડિયો તેમજ તસવીરો સામે આવી રહી છે. પોલીસે પણ પોતાનું નિવેદન આપી દીધું છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પોલીસ દરગાહની બહાર ઉભા રાખી લોકોને મારી રહી છે. વીડિયોમાં અંદાજીત સાત લોકો છે. જે લોકોને માર મારવામાં આવી રહ્યો છે તેમના ચહેરાને ઢાંકી દેવામાં આવ્યો છે. આ વીડિયો પર પોલીસ દ્વારા કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. 



કોંગ્રેસના સાંસદે કરી આ ટ્વિટ!

આ ઘટનાને લઈ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદે ટ્વિટ કરી હતી. આ વીડિયો શેર કરતા સાંસદે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. ટ્વિટમાં તેમણે લખ્યું કે "अब गुजरात की पुलिस को अदालतों से कोई लेना देना नहीं है वो सीधे चौराहे पर सज़ा देती है, खुलेआम पीटती है और आरोपी घोषित कर देती है, कोई जांच नहीं कोई तफ्तीश नहीं. ये जूनागढ़ का वीडियो है, गुजरात पुलिस क्या यही है संविधान का पालन??"



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.