જૂનાગઢ વિવાદ અપડેટ: બબાલ કરનારા લોકોને પોલીસે ચખાડ્યો મેથી પાક! સોશિયલ મીડિયા પર વાયરલ થયો પોલીસનો વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-17 18:36:50

જૂનાગઢમાં મનપા દ્વારા દરગાહને તોડી પાડવાની નોટિસ આપવામાં આવી હતી. જ્યારે નોટિસ ચોંટાડવવા માટે પોલીસ ત્યાં પહોંચી ત્યારે ત્યાં ઉપસ્થિત લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને હિંસા ભડકી ઉઠી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ટોળા પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે જ્યારે પાંચ જેટલા પોલીસકર્મીઓને ઈજા પહોંચી છે. ત્યારે સોશિયલ મીડિયા આ ઘટનાને લઈ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દરગાહ આગળ પોલીસે થોડા આરોપીઓને ઉભા રાખ્યા છે અને તેમને મારી રહી છે. આ મામલે 170થી વધારે લોકો વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.    

લોકો અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ!    

ગેરકાયદેસર રીતે બાંધકામ હટવવાની કામગીરી અનેક મનપા દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢ મનપા દ્વારા મજેવડી ગેટ પર દરગાહ દબાણ હટાવવા મામલે નોટિસ લગાવવામાં આવી હતી. જ્યારે નોટિસ લગાવવા માટે પોલીસ પહોંચી ત્યારે આ મામલે મોડી રાત્રે પોલીસ અને લોકો વચ્ચે અથડામણ થયું હતું. મામલો ઉગ્ર બનતો ગયો અને તે બાદ પરિસ્થિતિ પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ તેમજ ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. 

દરગાહ બહાર પોલીસે અસામાજીક તત્વોને માર્યા!

ત્યારે આ મામલાના અનેક વીડિયો તેમજ તસવીરો સામે આવી રહી છે. પોલીસે પણ પોતાનું નિવેદન આપી દીધું છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પોલીસ દરગાહની બહાર ઉભા રાખી લોકોને મારી રહી છે. વીડિયોમાં અંદાજીત સાત લોકો છે. જે લોકોને માર મારવામાં આવી રહ્યો છે તેમના ચહેરાને ઢાંકી દેવામાં આવ્યો છે. આ વીડિયો પર પોલીસ દ્વારા કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. 



કોંગ્રેસના સાંસદે કરી આ ટ્વિટ!

આ ઘટનાને લઈ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદે ટ્વિટ કરી હતી. આ વીડિયો શેર કરતા સાંસદે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. ટ્વિટમાં તેમણે લખ્યું કે "अब गुजरात की पुलिस को अदालतों से कोई लेना देना नहीं है वो सीधे चौराहे पर सज़ा देती है, खुलेआम पीटती है और आरोपी घोषित कर देती है, कोई जांच नहीं कोई तफ्तीश नहीं. ये जूनागढ़ का वीडियो है, गुजरात पुलिस क्या यही है संविधान का पालन??"



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.