જુનાગઢમાં તણાયેલા 57 વર્ષના વૃદ્ધને મળ્યું જીવતદાન, હર્ષ સંઘવીએ જુનાગઢ પોલીસની કરી પ્રશંસા


  • Published By :
  • Published Date : 2023-07-23 16:19:53

જુનાગઢમાં પડેલા ભારેથી અતિભારે વરસાદના કારણે કાળવા નદીમાં ધસમસતું પૂર આવ્યું હતું. આ દરમિયાન ગઈકાલે જે 'એ.. એ.. દીદી બાપા ગ્યા.. એ.. બાપા વયા ગ્યા.. બાપા ગ્યા..' અવાજ સાથેનો એક વીડિયો વાયરલ થયો હતો. જુનાગઢના વરસાદનો વીડિયો હાલ સમગ્ર દેશમાં વાયરલ થઈ રહ્યો છે. જોકે, સૌથી વધુ ચર્ચામાં કાર સાથે પાણીમાં તણાયેલા આધેડની થઈ રહી છે. બાપા તણાયાએ વીડિયો ખૂબ જ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.  વાયરલ વીડિયોમાં એક યુવતી બુમો પાડે છે કે, બાપા તણાયા બાપા તણાયા. જો કે આ બાપાને હિમ્મતવાન લોકો અને પોલીસે  બચાવી લીધા હતા. 


પૂરમાં તણાયા હતા તે બાપા કોણ છે? 


જુનાગઢના 57 વર્ષના વિનોદભાઈ ટેકચંદાણીએ જે બન્યું તે અંગે આપવીતી જણાવતા કહ્યું કે, હું પાનની દુકાનેથી (શનિવાર) બપોરે ઘરે જમવા માટે સાઈકલ લઈને આવતો હતો, અહીં સામાન્ય રીતે વરસાદ પડે તો દોઢ ફૂટ જેટલું પાણી હોય છે, પરંતુ કાળવા નદીમાં જે પાણી આવ્યું તેના કારણે ત્રણ ફૂટ પાણી થઈ ગયું. પાણી વધવાથી પુલની ઉપરથી પાણી વહેવા લાગ્યું હતું. દીવાલ તૂટી ગયાનો મને ખ્યાલ નહોતો અને તેનું પાણી આવી રહ્યું હતું, કમર સુધી પાણી આવી ગયું હતું. મારી પાસે સાઈકલ હતી પરંતુ હું (તે લઈને) ચાલીને જ આવી રહ્યો હતો. કચરો વધવાથી સાઈકલ ચાલતી નહોતી અને આડી થઈ ગઈ હતી. પોતાનો જીવ બચાવવા માટે વિનોદભાઈએ કાર પકડી હતી તે પણ તણાવા લાગી અને સાથે તેઓ પોતે પણ તણાવા લાગ્યા હતા. જો કે કેટલાક બહાદુર યુવાનો અને જુનાગઢ પોલીસકર્મીઓએ તેમને તણાતા બચાવ્યા હતા. બાપાને જીવનદાન મળતા તેમના પરિવારે પણ ખુશી વ્યક્ત કરી હતી. 


હર્ષ સંઘવીએ પોલીસની કરી પ્રશંસા 


જુનાગઢના 57 વર્ષના વિનોદભાઈને બચાવવાનારા જુનાગઢ પોસીસના જવાનોની  ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ પ્રશંસા કરી હતી. આજે સુરત પહોંચેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જુનાગઢમાં ભારે વરસાદની સ્થિતિનો ચિતાર આપતા સંબોધન કર્યુ. તેમને કહ્યું - ગુજરાત પોલીસ માનવ સેવા કરે છે, તેમને જુનાગઢ પોલીસના ભરપુર વખાણ કર્યા હતા, તેમણે કહ્યું જૂનાગઢમાં ભારે વરસાદ પડ્યો, એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એ બાપા ગ્યા, બાપા ગ્યા... આ વૃદ્ધ વ્યક્તિને જુનાગઢ પોલીસે આબાદ રીતે બચાવી લીધા, આ પોલીસની તાકાત છે. એટલું જ નહીં વૃદ્ધ મહિલાને પણ ગુજરાત પોલીસે બચાવી છે, માતાજીને તેઓ ખભે મૂકી બચાવે છે, આવી ઘોડાપુર અને અતિવૃષ્ટિની વિકટ પરિસ્થિતિમાં ગુજરાત પોલીસે બચાવની કામગીરી કરી છે. પોલીસ રેઇન કૉટ પહેરીને આવા ધોધમાર વરસાદમાં પણ કામ કરી રહી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં જુનાગઢ પોલીસની પ્રસંશનીય કામગીરીને બિરદાવી હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.