જુનાગઢમાં તણાયેલા 57 વર્ષના વૃદ્ધને મળ્યું જીવતદાન, હર્ષ સંઘવીએ જુનાગઢ પોલીસની કરી પ્રશંસા


  • Published By :
  • Published Date : 2023-07-23 16:19:53

જુનાગઢમાં પડેલા ભારેથી અતિભારે વરસાદના કારણે કાળવા નદીમાં ધસમસતું પૂર આવ્યું હતું. આ દરમિયાન ગઈકાલે જે 'એ.. એ.. દીદી બાપા ગ્યા.. એ.. બાપા વયા ગ્યા.. બાપા ગ્યા..' અવાજ સાથેનો એક વીડિયો વાયરલ થયો હતો. જુનાગઢના વરસાદનો વીડિયો હાલ સમગ્ર દેશમાં વાયરલ થઈ રહ્યો છે. જોકે, સૌથી વધુ ચર્ચામાં કાર સાથે પાણીમાં તણાયેલા આધેડની થઈ રહી છે. બાપા તણાયાએ વીડિયો ખૂબ જ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.  વાયરલ વીડિયોમાં એક યુવતી બુમો પાડે છે કે, બાપા તણાયા બાપા તણાયા. જો કે આ બાપાને હિમ્મતવાન લોકો અને પોલીસે  બચાવી લીધા હતા. 


પૂરમાં તણાયા હતા તે બાપા કોણ છે? 


જુનાગઢના 57 વર્ષના વિનોદભાઈ ટેકચંદાણીએ જે બન્યું તે અંગે આપવીતી જણાવતા કહ્યું કે, હું પાનની દુકાનેથી (શનિવાર) બપોરે ઘરે જમવા માટે સાઈકલ લઈને આવતો હતો, અહીં સામાન્ય રીતે વરસાદ પડે તો દોઢ ફૂટ જેટલું પાણી હોય છે, પરંતુ કાળવા નદીમાં જે પાણી આવ્યું તેના કારણે ત્રણ ફૂટ પાણી થઈ ગયું. પાણી વધવાથી પુલની ઉપરથી પાણી વહેવા લાગ્યું હતું. દીવાલ તૂટી ગયાનો મને ખ્યાલ નહોતો અને તેનું પાણી આવી રહ્યું હતું, કમર સુધી પાણી આવી ગયું હતું. મારી પાસે સાઈકલ હતી પરંતુ હું (તે લઈને) ચાલીને જ આવી રહ્યો હતો. કચરો વધવાથી સાઈકલ ચાલતી નહોતી અને આડી થઈ ગઈ હતી. પોતાનો જીવ બચાવવા માટે વિનોદભાઈએ કાર પકડી હતી તે પણ તણાવા લાગી અને સાથે તેઓ પોતે પણ તણાવા લાગ્યા હતા. જો કે કેટલાક બહાદુર યુવાનો અને જુનાગઢ પોલીસકર્મીઓએ તેમને તણાતા બચાવ્યા હતા. બાપાને જીવનદાન મળતા તેમના પરિવારે પણ ખુશી વ્યક્ત કરી હતી. 


હર્ષ સંઘવીએ પોલીસની કરી પ્રશંસા 


જુનાગઢના 57 વર્ષના વિનોદભાઈને બચાવવાનારા જુનાગઢ પોસીસના જવાનોની  ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ પ્રશંસા કરી હતી. આજે સુરત પહોંચેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જુનાગઢમાં ભારે વરસાદની સ્થિતિનો ચિતાર આપતા સંબોધન કર્યુ. તેમને કહ્યું - ગુજરાત પોલીસ માનવ સેવા કરે છે, તેમને જુનાગઢ પોલીસના ભરપુર વખાણ કર્યા હતા, તેમણે કહ્યું જૂનાગઢમાં ભારે વરસાદ પડ્યો, એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એ બાપા ગ્યા, બાપા ગ્યા... આ વૃદ્ધ વ્યક્તિને જુનાગઢ પોલીસે આબાદ રીતે બચાવી લીધા, આ પોલીસની તાકાત છે. એટલું જ નહીં વૃદ્ધ મહિલાને પણ ગુજરાત પોલીસે બચાવી છે, માતાજીને તેઓ ખભે મૂકી બચાવે છે, આવી ઘોડાપુર અને અતિવૃષ્ટિની વિકટ પરિસ્થિતિમાં ગુજરાત પોલીસે બચાવની કામગીરી કરી છે. પોલીસ રેઇન કૉટ પહેરીને આવા ધોધમાર વરસાદમાં પણ કામ કરી રહી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં જુનાગઢ પોલીસની પ્રસંશનીય કામગીરીને બિરદાવી હતી.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.