જુનાગઢમાં તણાયેલા 57 વર્ષના વૃદ્ધને મળ્યું જીવતદાન, હર્ષ સંઘવીએ જુનાગઢ પોલીસની કરી પ્રશંસા


  • Published By :
  • Published Date : 2023-07-23 16:19:53

જુનાગઢમાં પડેલા ભારેથી અતિભારે વરસાદના કારણે કાળવા નદીમાં ધસમસતું પૂર આવ્યું હતું. આ દરમિયાન ગઈકાલે જે 'એ.. એ.. દીદી બાપા ગ્યા.. એ.. બાપા વયા ગ્યા.. બાપા ગ્યા..' અવાજ સાથેનો એક વીડિયો વાયરલ થયો હતો. જુનાગઢના વરસાદનો વીડિયો હાલ સમગ્ર દેશમાં વાયરલ થઈ રહ્યો છે. જોકે, સૌથી વધુ ચર્ચામાં કાર સાથે પાણીમાં તણાયેલા આધેડની થઈ રહી છે. બાપા તણાયાએ વીડિયો ખૂબ જ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.  વાયરલ વીડિયોમાં એક યુવતી બુમો પાડે છે કે, બાપા તણાયા બાપા તણાયા. જો કે આ બાપાને હિમ્મતવાન લોકો અને પોલીસે  બચાવી લીધા હતા. 


પૂરમાં તણાયા હતા તે બાપા કોણ છે? 


જુનાગઢના 57 વર્ષના વિનોદભાઈ ટેકચંદાણીએ જે બન્યું તે અંગે આપવીતી જણાવતા કહ્યું કે, હું પાનની દુકાનેથી (શનિવાર) બપોરે ઘરે જમવા માટે સાઈકલ લઈને આવતો હતો, અહીં સામાન્ય રીતે વરસાદ પડે તો દોઢ ફૂટ જેટલું પાણી હોય છે, પરંતુ કાળવા નદીમાં જે પાણી આવ્યું તેના કારણે ત્રણ ફૂટ પાણી થઈ ગયું. પાણી વધવાથી પુલની ઉપરથી પાણી વહેવા લાગ્યું હતું. દીવાલ તૂટી ગયાનો મને ખ્યાલ નહોતો અને તેનું પાણી આવી રહ્યું હતું, કમર સુધી પાણી આવી ગયું હતું. મારી પાસે સાઈકલ હતી પરંતુ હું (તે લઈને) ચાલીને જ આવી રહ્યો હતો. કચરો વધવાથી સાઈકલ ચાલતી નહોતી અને આડી થઈ ગઈ હતી. પોતાનો જીવ બચાવવા માટે વિનોદભાઈએ કાર પકડી હતી તે પણ તણાવા લાગી અને સાથે તેઓ પોતે પણ તણાવા લાગ્યા હતા. જો કે કેટલાક બહાદુર યુવાનો અને જુનાગઢ પોલીસકર્મીઓએ તેમને તણાતા બચાવ્યા હતા. બાપાને જીવનદાન મળતા તેમના પરિવારે પણ ખુશી વ્યક્ત કરી હતી. 


હર્ષ સંઘવીએ પોલીસની કરી પ્રશંસા 


જુનાગઢના 57 વર્ષના વિનોદભાઈને બચાવવાનારા જુનાગઢ પોસીસના જવાનોની  ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ પ્રશંસા કરી હતી. આજે સુરત પહોંચેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જુનાગઢમાં ભારે વરસાદની સ્થિતિનો ચિતાર આપતા સંબોધન કર્યુ. તેમને કહ્યું - ગુજરાત પોલીસ માનવ સેવા કરે છે, તેમને જુનાગઢ પોલીસના ભરપુર વખાણ કર્યા હતા, તેમણે કહ્યું જૂનાગઢમાં ભારે વરસાદ પડ્યો, એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એ બાપા ગ્યા, બાપા ગ્યા... આ વૃદ્ધ વ્યક્તિને જુનાગઢ પોલીસે આબાદ રીતે બચાવી લીધા, આ પોલીસની તાકાત છે. એટલું જ નહીં વૃદ્ધ મહિલાને પણ ગુજરાત પોલીસે બચાવી છે, માતાજીને તેઓ ખભે મૂકી બચાવે છે, આવી ઘોડાપુર અને અતિવૃષ્ટિની વિકટ પરિસ્થિતિમાં ગુજરાત પોલીસે બચાવની કામગીરી કરી છે. પોલીસ રેઇન કૉટ પહેરીને આવા ધોધમાર વરસાદમાં પણ કામ કરી રહી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં જુનાગઢ પોલીસની પ્રસંશનીય કામગીરીને બિરદાવી હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.