જૂનાગઢના MLA સંજય કોરડીયાએ સિવિલ હોસ્પિટલની ત્રીજી વખત લીધી સરપ્રાઈઝ વિઝીટ, તબીબો ગેરહાજર રહેતા સુપરિન્ટેન્ડેન્ટનો ઉધડો લીધો


  • Published By :
  • Published Date : 2023-06-25 15:13:22

સરકારી હોસ્પિટલો રામ ભરોસે ચાલી રહી છે, સરકારી હોસ્પિટલના તબીબો, નર્સો તથા અન્ય સ્ટાફની ગેરહાજરીથી સામાન્ય લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ડોક્ટરો ન હોવાના કારણે દર્દીઓને પ્રાઈવેટ હોસ્પિટલોમાં તબીબી સારવાર લેવી પડે છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલોમાં ચાલતી લાલિયાવાડીથી વાકેફ ધારાસભ્ય સંજય કોરડીયાએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી. ધારાસભ્ય સંજય કોરડીયાએ હોસ્પિટલની આ ત્રીજી વખત મુલાકાત હોવા છતાં પણ સ્થિતી જેમની તેમ જોવા મળી હતી. ધારાસભ્યે સિવિલના ડીનને  વારંવાર ફોન લગાડ્યો હોવા છતાં તેમણે પણ ફોન રિસીવ કર્યો ન હતો.

ઓપિડી બંધ રહેતા MLA વિફર્યા


જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત અંગે ધારાસભ્યએ જણાવ્યું કે, ડોક્ટરો સાથે વાત કરતા તેમને કહ્યું હતું કે, શનિવારે ઓપીડી બંધ હોય છે. પરંતુ 2022ના સરકારના પરિપત્ર પ્રમાણે સોમથી શનિ સવારે 9 થી 1 અને 4 થી 8 ઓપીડી શરૂ રાખવાની હોય છે. તેમજ રવિવારે પણ અડધો દિવસ ઓપીડી શરૂ રાખવાનો સરકારનો પરિપત્ર છે. તબીબ અધિક્ષક નયના નકુમને ફોન કરતા તેમને કહ્યું હતું કે, અમે મૌખિક રજૂઆત કરેલી છે. ધારાસભ્યએ કહ્યું કે, આ કોઈ પ્રાઇવેટ પેઢી નથી કે મૌખિક રજૂઆત ચાલે. જૂનાગઢ સિવિલની ઓપિડી બંધ રહેતા MLA સંજય કોરડીયાએ વિફર્યા હતા અને તેમણે સિવિલ સુપરિન્ટેન્ડેન્ટનો ઉધડો લીધો હતો.


ધારાસભ્યએ ટ્વીટ કરી આક્રોસ વ્યક્ત કર્યો


ધારાસભ્ય સંજય કોરડીયાએ હોસ્પિટલની તેમની મુલાકાત અંતે ટ્વીટ કરીને આક્રોસ વ્યક્ત કરતા લખ્યું હતું કે "ઘણા લોકોની ફરિયાદ હતી કે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં બપોર પછીના સમયમાં ઓ.પી.ડી વિભાગ બંધ હોય છે, ડૉક્ટર્સની ગેરહાજરી હોય છે. આજે ત્યાં સરપ્રાઈઝ ચેકીંગ માટે પહોંચ્યો અને મેં વિભાગની બેદરકારી જોઇ. જૂનિયર અને સિનિયર સ્ટાફના ભરોસે ઓ.પી.ડી. મૂકીને ડ્યૂટી મૂકીને જતાં રહેતાં ડૉક્ટર્સની ગેરરીતી ચલાવી નહીં લેવાય. ગરીબ લોકો અને પીડાતા દર્દીઓ સાથેની આ વર્તણૂક યોગ્ય નથી. આ દિશામાં યોગ્ય પગલાં જલદી લઈશું !"



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.