જૂનાગઢના MLA સંજય કોરડીયાએ સિવિલ હોસ્પિટલની ત્રીજી વખત લીધી સરપ્રાઈઝ વિઝીટ, તબીબો ગેરહાજર રહેતા સુપરિન્ટેન્ડેન્ટનો ઉધડો લીધો


  • Published By :
  • Published Date : 2023-06-25 15:13:22

સરકારી હોસ્પિટલો રામ ભરોસે ચાલી રહી છે, સરકારી હોસ્પિટલના તબીબો, નર્સો તથા અન્ય સ્ટાફની ગેરહાજરીથી સામાન્ય લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ડોક્ટરો ન હોવાના કારણે દર્દીઓને પ્રાઈવેટ હોસ્પિટલોમાં તબીબી સારવાર લેવી પડે છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલોમાં ચાલતી લાલિયાવાડીથી વાકેફ ધારાસભ્ય સંજય કોરડીયાએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી. ધારાસભ્ય સંજય કોરડીયાએ હોસ્પિટલની આ ત્રીજી વખત મુલાકાત હોવા છતાં પણ સ્થિતી જેમની તેમ જોવા મળી હતી. ધારાસભ્યે સિવિલના ડીનને  વારંવાર ફોન લગાડ્યો હોવા છતાં તેમણે પણ ફોન રિસીવ કર્યો ન હતો.

ઓપિડી બંધ રહેતા MLA વિફર્યા


જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત અંગે ધારાસભ્યએ જણાવ્યું કે, ડોક્ટરો સાથે વાત કરતા તેમને કહ્યું હતું કે, શનિવારે ઓપીડી બંધ હોય છે. પરંતુ 2022ના સરકારના પરિપત્ર પ્રમાણે સોમથી શનિ સવારે 9 થી 1 અને 4 થી 8 ઓપીડી શરૂ રાખવાની હોય છે. તેમજ રવિવારે પણ અડધો દિવસ ઓપીડી શરૂ રાખવાનો સરકારનો પરિપત્ર છે. તબીબ અધિક્ષક નયના નકુમને ફોન કરતા તેમને કહ્યું હતું કે, અમે મૌખિક રજૂઆત કરેલી છે. ધારાસભ્યએ કહ્યું કે, આ કોઈ પ્રાઇવેટ પેઢી નથી કે મૌખિક રજૂઆત ચાલે. જૂનાગઢ સિવિલની ઓપિડી બંધ રહેતા MLA સંજય કોરડીયાએ વિફર્યા હતા અને તેમણે સિવિલ સુપરિન્ટેન્ડેન્ટનો ઉધડો લીધો હતો.


ધારાસભ્યએ ટ્વીટ કરી આક્રોસ વ્યક્ત કર્યો


ધારાસભ્ય સંજય કોરડીયાએ હોસ્પિટલની તેમની મુલાકાત અંતે ટ્વીટ કરીને આક્રોસ વ્યક્ત કરતા લખ્યું હતું કે "ઘણા લોકોની ફરિયાદ હતી કે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં બપોર પછીના સમયમાં ઓ.પી.ડી વિભાગ બંધ હોય છે, ડૉક્ટર્સની ગેરહાજરી હોય છે. આજે ત્યાં સરપ્રાઈઝ ચેકીંગ માટે પહોંચ્યો અને મેં વિભાગની બેદરકારી જોઇ. જૂનિયર અને સિનિયર સ્ટાફના ભરોસે ઓ.પી.ડી. મૂકીને ડ્યૂટી મૂકીને જતાં રહેતાં ડૉક્ટર્સની ગેરરીતી ચલાવી નહીં લેવાય. ગરીબ લોકો અને પીડાતા દર્દીઓ સાથેની આ વર્તણૂક યોગ્ય નથી. આ દિશામાં યોગ્ય પગલાં જલદી લઈશું !"



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.