ભ્રષ્ટાચાર સામે જૂનાગઢના MLA સંજય કોરડિયા મેદાને? નાગરિકોને અપીલ કરતા કહ્યું કે.. સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-06-15 13:38:43

સામાન્ય રીતે આપણને લાગતું હોય છે કે કામ કરાવવા માટે પૈસા આપવા પડે છે.... જ્યાં સુધી પૈસા નથી આપતા ત્યાં સુધી આપણું કામ નહીં થાય.. ભ્રષ્ટાચારને કારણે સિસ્ટમ કરપ્ટ થઈ ગઈ છે તેવું આપણે કહીએ છીએ. અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે માગ કરવામાં આવતી હોય છે સામાન્ય માણસો દ્વારા.. સાચા કામ માટે અધિકારીઓને પૈસા ના આપવા તેવી વાત ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા કરવામાં આવી છે. 

ભ્રષ્ટાચારી વિરૂદ્ધ થવી જોઈએ કાર્યવાહી!

સિસ્ટમમાં એ હદે ભ્રષ્ટાચાર ઘૂસી ગયો છે કે જ્યાં સુધી પૈસા નથી આપવામાં આવતા અધિકારીઓને ત્યાં સુધી આપણી ફાઈલ આગળ નથી વધતી. આ નરી વાસ્તવિક્તા છે, અનેક લોકો સાથે આવું થતું હશે, થયું હશે.. ભ્રષ્ટાચારી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવે છે.. સામાન્ય માણસો દ્વારા ભ્રષ્ટાચારને લઈ વાતો કરવામાં આવે છે પરંતુ હવે ભાજપના નેતાના નિવેદનો સામે આવી રહ્યા છે.  


સંજય કોરડિયાએ લોકોને કરી અપીલ કે... 

જૂનાગઢના ભાજપના ધારાસભ્યસંજય કોરડીયાએ અધિકારીઓ અને ભ્રષ્ટાચાર પર મોટું નિવેદન આપ્યું છે. એક વીડિયો સામે આવ્યો છે સંજય કોરડીયા કહી રહ્યા છે કે એક પણ અધિકારીને પૈસા આપતા નહીં. તમારી પાસે કોઇ પૈસા માગે તો મારી પાસે આવજો. હું સાચુ કામ હશે તો કરાવી દઇશ. સંજય કોરડીયાએ લોકોને અપીલ કરતાં કહ્યું છે કે તમે એક પણ અધિકારીને પૈસા આપતા નહી. હું બે હાથ જોડીને વિનંતી કરું છું. 


મુખ્યમંત્રી પણ કડક વલણ અપનાવી રહ્યા હોય તેવું લાગે.. 

ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે. મુખ્યમંત્રી દ્વારા પણ કડક વલણ અપનાવામાં આવી રહ્યું છે.. સીએમના અનેક નિવેદનો સામે આવ્યા છે જેમાં મક્કમતા દર્શાવી રહ્યા હોય તેવું લાગે છે કે બસ, હવે આવું નહીં ચાલે...! ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.