ભ્રષ્ટાચાર સામે જૂનાગઢના MLA સંજય કોરડિયા મેદાને? નાગરિકોને અપીલ કરતા કહ્યું કે.. સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-06-15 13:38:43

સામાન્ય રીતે આપણને લાગતું હોય છે કે કામ કરાવવા માટે પૈસા આપવા પડે છે.... જ્યાં સુધી પૈસા નથી આપતા ત્યાં સુધી આપણું કામ નહીં થાય.. ભ્રષ્ટાચારને કારણે સિસ્ટમ કરપ્ટ થઈ ગઈ છે તેવું આપણે કહીએ છીએ. અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે માગ કરવામાં આવતી હોય છે સામાન્ય માણસો દ્વારા.. સાચા કામ માટે અધિકારીઓને પૈસા ના આપવા તેવી વાત ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા કરવામાં આવી છે. 

ભ્રષ્ટાચારી વિરૂદ્ધ થવી જોઈએ કાર્યવાહી!

સિસ્ટમમાં એ હદે ભ્રષ્ટાચાર ઘૂસી ગયો છે કે જ્યાં સુધી પૈસા નથી આપવામાં આવતા અધિકારીઓને ત્યાં સુધી આપણી ફાઈલ આગળ નથી વધતી. આ નરી વાસ્તવિક્તા છે, અનેક લોકો સાથે આવું થતું હશે, થયું હશે.. ભ્રષ્ટાચારી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવે છે.. સામાન્ય માણસો દ્વારા ભ્રષ્ટાચારને લઈ વાતો કરવામાં આવે છે પરંતુ હવે ભાજપના નેતાના નિવેદનો સામે આવી રહ્યા છે.  


સંજય કોરડિયાએ લોકોને કરી અપીલ કે... 

જૂનાગઢના ભાજપના ધારાસભ્યસંજય કોરડીયાએ અધિકારીઓ અને ભ્રષ્ટાચાર પર મોટું નિવેદન આપ્યું છે. એક વીડિયો સામે આવ્યો છે સંજય કોરડીયા કહી રહ્યા છે કે એક પણ અધિકારીને પૈસા આપતા નહીં. તમારી પાસે કોઇ પૈસા માગે તો મારી પાસે આવજો. હું સાચુ કામ હશે તો કરાવી દઇશ. સંજય કોરડીયાએ લોકોને અપીલ કરતાં કહ્યું છે કે તમે એક પણ અધિકારીને પૈસા આપતા નહી. હું બે હાથ જોડીને વિનંતી કરું છું. 


મુખ્યમંત્રી પણ કડક વલણ અપનાવી રહ્યા હોય તેવું લાગે.. 

ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે. મુખ્યમંત્રી દ્વારા પણ કડક વલણ અપનાવામાં આવી રહ્યું છે.. સીએમના અનેક નિવેદનો સામે આવ્યા છે જેમાં મક્કમતા દર્શાવી રહ્યા હોય તેવું લાગે છે કે બસ, હવે આવું નહીં ચાલે...! ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.