ભ્રષ્ટાચાર સામે જૂનાગઢના MLA સંજય કોરડિયા મેદાને? નાગરિકોને અપીલ કરતા કહ્યું કે.. સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-06-15 13:38:43

સામાન્ય રીતે આપણને લાગતું હોય છે કે કામ કરાવવા માટે પૈસા આપવા પડે છે.... જ્યાં સુધી પૈસા નથી આપતા ત્યાં સુધી આપણું કામ નહીં થાય.. ભ્રષ્ટાચારને કારણે સિસ્ટમ કરપ્ટ થઈ ગઈ છે તેવું આપણે કહીએ છીએ. અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે માગ કરવામાં આવતી હોય છે સામાન્ય માણસો દ્વારા.. સાચા કામ માટે અધિકારીઓને પૈસા ના આપવા તેવી વાત ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા કરવામાં આવી છે. 

ભ્રષ્ટાચારી વિરૂદ્ધ થવી જોઈએ કાર્યવાહી!

સિસ્ટમમાં એ હદે ભ્રષ્ટાચાર ઘૂસી ગયો છે કે જ્યાં સુધી પૈસા નથી આપવામાં આવતા અધિકારીઓને ત્યાં સુધી આપણી ફાઈલ આગળ નથી વધતી. આ નરી વાસ્તવિક્તા છે, અનેક લોકો સાથે આવું થતું હશે, થયું હશે.. ભ્રષ્ટાચારી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવે છે.. સામાન્ય માણસો દ્વારા ભ્રષ્ટાચારને લઈ વાતો કરવામાં આવે છે પરંતુ હવે ભાજપના નેતાના નિવેદનો સામે આવી રહ્યા છે.  


સંજય કોરડિયાએ લોકોને કરી અપીલ કે... 

જૂનાગઢના ભાજપના ધારાસભ્યસંજય કોરડીયાએ અધિકારીઓ અને ભ્રષ્ટાચાર પર મોટું નિવેદન આપ્યું છે. એક વીડિયો સામે આવ્યો છે સંજય કોરડીયા કહી રહ્યા છે કે એક પણ અધિકારીને પૈસા આપતા નહીં. તમારી પાસે કોઇ પૈસા માગે તો મારી પાસે આવજો. હું સાચુ કામ હશે તો કરાવી દઇશ. સંજય કોરડીયાએ લોકોને અપીલ કરતાં કહ્યું છે કે તમે એક પણ અધિકારીને પૈસા આપતા નહી. હું બે હાથ જોડીને વિનંતી કરું છું. 


મુખ્યમંત્રી પણ કડક વલણ અપનાવી રહ્યા હોય તેવું લાગે.. 

ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે. મુખ્યમંત્રી દ્વારા પણ કડક વલણ અપનાવામાં આવી રહ્યું છે.. સીએમના અનેક નિવેદનો સામે આવ્યા છે જેમાં મક્કમતા દર્શાવી રહ્યા હોય તેવું લાગે છે કે બસ, હવે આવું નહીં ચાલે...! ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.