ભ્રષ્ટાચાર સામે જૂનાગઢના MLA સંજય કોરડિયા મેદાને? નાગરિકોને અપીલ કરતા કહ્યું કે.. સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-06-15 13:38:43

સામાન્ય રીતે આપણને લાગતું હોય છે કે કામ કરાવવા માટે પૈસા આપવા પડે છે.... જ્યાં સુધી પૈસા નથી આપતા ત્યાં સુધી આપણું કામ નહીં થાય.. ભ્રષ્ટાચારને કારણે સિસ્ટમ કરપ્ટ થઈ ગઈ છે તેવું આપણે કહીએ છીએ. અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે માગ કરવામાં આવતી હોય છે સામાન્ય માણસો દ્વારા.. સાચા કામ માટે અધિકારીઓને પૈસા ના આપવા તેવી વાત ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા કરવામાં આવી છે. 

ભ્રષ્ટાચારી વિરૂદ્ધ થવી જોઈએ કાર્યવાહી!

સિસ્ટમમાં એ હદે ભ્રષ્ટાચાર ઘૂસી ગયો છે કે જ્યાં સુધી પૈસા નથી આપવામાં આવતા અધિકારીઓને ત્યાં સુધી આપણી ફાઈલ આગળ નથી વધતી. આ નરી વાસ્તવિક્તા છે, અનેક લોકો સાથે આવું થતું હશે, થયું હશે.. ભ્રષ્ટાચારી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવે છે.. સામાન્ય માણસો દ્વારા ભ્રષ્ટાચારને લઈ વાતો કરવામાં આવે છે પરંતુ હવે ભાજપના નેતાના નિવેદનો સામે આવી રહ્યા છે.  


સંજય કોરડિયાએ લોકોને કરી અપીલ કે... 

જૂનાગઢના ભાજપના ધારાસભ્યસંજય કોરડીયાએ અધિકારીઓ અને ભ્રષ્ટાચાર પર મોટું નિવેદન આપ્યું છે. એક વીડિયો સામે આવ્યો છે સંજય કોરડીયા કહી રહ્યા છે કે એક પણ અધિકારીને પૈસા આપતા નહીં. તમારી પાસે કોઇ પૈસા માગે તો મારી પાસે આવજો. હું સાચુ કામ હશે તો કરાવી દઇશ. સંજય કોરડીયાએ લોકોને અપીલ કરતાં કહ્યું છે કે તમે એક પણ અધિકારીને પૈસા આપતા નહી. હું બે હાથ જોડીને વિનંતી કરું છું. 


મુખ્યમંત્રી પણ કડક વલણ અપનાવી રહ્યા હોય તેવું લાગે.. 

ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે. મુખ્યમંત્રી દ્વારા પણ કડક વલણ અપનાવામાં આવી રહ્યું છે.. સીએમના અનેક નિવેદનો સામે આવ્યા છે જેમાં મક્કમતા દર્શાવી રહ્યા હોય તેવું લાગે છે કે બસ, હવે આવું નહીં ચાલે...! ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .