જુનાગઢ: ગિરનારની લીલી પરિક્રમા માટે ઉમટ્યા 2 લાખથી વધુ લોકો, શ્રધ્ધાળુઓની સુવિધા માટે તંત્ર ખડેપગે


  • Published By :
  • Published Date : 2023-11-23 14:48:58

જુનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો આજે શુભારંભ થઈ ચુક્યો છે, દેશ અને રાજ્યના વિવિધ ભાગોમાંથી આવેલા શ્રધ્ધાળુઓનો ધસારો જોતા આજે વહેલી સવારે 4.15 કલાકે પ્રવેશ ગેઇટ ખોલી નાખવાની તંત્રને ફરજ પડી હતી. જેથી વિધિવત પ્રારંભ પૂર્વે પરિક્રમામાં બે લાખ કરતા વધુ શ્રધ્ધાળુઓએ રૂટ ઉપર પ્રવેશ કરી લીધો છે. જેમાં રાત સુધીમાં અઢી લાખ જેટલા યાત્રિકો રૂટ ઉપર છે. તો 50 હજારથી વધુ ભાવિકોએ નળપાણીની થોડી વટાવી દીધી છે. ઉલ્લેખનિય છે  કે આમ તો કારતક સુદ 11ને ગુરુવારે મધરાતે 12 વાગ્યે ગિરનારની લીલી પરિક્રમાનો સાધુ-સંતો વિધિવત રીતે પ્રારંભ કરાવવાના હતા પણ  તે પૂર્વે જ ગીરી તળેટીમાં લાખો ભાવિકો ઉમટી પડ્યા હતા. 36 કિલોમીટર લાંબી આ પરિક્રમા માટે ભાવિકભક્તોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે એક સાથે બે લાખ જેટલા શ્રધ્ધાળુઓ ઉમટી પડતા સ્થિતી વણસી હતી, જેમાં કેટલાકની લોકોની હાલત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.


જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે


ગિરનારની લીલી પરિક્રમા માટે આવનારા શ્રધ્ધાળુંઓને તમામ પ્રકારીની સુવિધા મળી રહે તે માટે જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સજાગતા રાખવામાં આવી છે. જિલ્લા પંચાયત ખાતે 80 જેટલા અન્નક્ષેત્રોના સંચાલકો ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાના લોકોને નિષ્ણાંત ડોક્ટરો દ્વારા CPRની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ લોકોના જીવ બચાવવા માટે ખૂબ ઉપયેગી થઈ પડશે. યાત્રા દરમિયાન ભાવિકોને મેડિકલ સેવા મળી રહે માટે 108ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કેટલાક રૂટના અંતરે 108 સેવા સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ભાવિકો રાજકોટથી જૂનાગઢ સરળતાથી પહોંચી શકે તે માટે ગુજરાત એસટી વિભાગ તરફથી 100 જેટલી એક્સ્ટ્રા બસ મૂકવામાં આવી છે. 5 દિવસ સુધી આ એક્સ્ટ્રા બસ દોડાવામાં આવી છે. આ સાથે કલેક્ટરે અન્નક્ષેત્રના સંચાલકોને કોઈ ગંદકી ન કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, લોકોના સહયોગથી આપણા ગિરનારને સ્વચ્છ અને સુંદર જાળવી રાખીશું.    


100 જેટલા અન્નક્ષેત્રો આપી રહ્યા છે સેવા


ગિરનાર પરિક્રમા માટે આવનારા શ્રધ્ધાળુઓના ભોજન માટે 36 કિલોમીટરના પરિક્રમાના રૂટ પર નાના-મોટા મળી કુલ 100 જેટલા અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં વિવિધ વાનગીઓની સેવા પૂરી પાડવામાં આવી રહી છે. આ અન્નક્ષેત્રોમાં ગાંઠીયા, જલેબી, ખમણ, પુરી સહિતની વિવિધ વાનગીઓ બનાવી યાત્રિકોને ભાવપૂર્વક ભોજન-પ્રસાદની સેવા પુરી પાડી પુણ્યનું બાંધી રહ્યા છે. ઘણા પરિક્રમાર્થીઓ પોતાની જાતે જ પ્રકૃતિના ખોળે રસોઈ બનાવી ભોજનનો આનંદ માણી રહ્યા છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.