જુનાગઢ: ગિરનારની લીલી પરિક્રમા માટે ઉમટ્યા 2 લાખથી વધુ લોકો, શ્રધ્ધાળુઓની સુવિધા માટે તંત્ર ખડેપગે


  • Published By :
  • Published Date : 2023-11-23 14:48:58

જુનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો આજે શુભારંભ થઈ ચુક્યો છે, દેશ અને રાજ્યના વિવિધ ભાગોમાંથી આવેલા શ્રધ્ધાળુઓનો ધસારો જોતા આજે વહેલી સવારે 4.15 કલાકે પ્રવેશ ગેઇટ ખોલી નાખવાની તંત્રને ફરજ પડી હતી. જેથી વિધિવત પ્રારંભ પૂર્વે પરિક્રમામાં બે લાખ કરતા વધુ શ્રધ્ધાળુઓએ રૂટ ઉપર પ્રવેશ કરી લીધો છે. જેમાં રાત સુધીમાં અઢી લાખ જેટલા યાત્રિકો રૂટ ઉપર છે. તો 50 હજારથી વધુ ભાવિકોએ નળપાણીની થોડી વટાવી દીધી છે. ઉલ્લેખનિય છે  કે આમ તો કારતક સુદ 11ને ગુરુવારે મધરાતે 12 વાગ્યે ગિરનારની લીલી પરિક્રમાનો સાધુ-સંતો વિધિવત રીતે પ્રારંભ કરાવવાના હતા પણ  તે પૂર્વે જ ગીરી તળેટીમાં લાખો ભાવિકો ઉમટી પડ્યા હતા. 36 કિલોમીટર લાંબી આ પરિક્રમા માટે ભાવિકભક્તોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે એક સાથે બે લાખ જેટલા શ્રધ્ધાળુઓ ઉમટી પડતા સ્થિતી વણસી હતી, જેમાં કેટલાકની લોકોની હાલત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.


જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે


ગિરનારની લીલી પરિક્રમા માટે આવનારા શ્રધ્ધાળુંઓને તમામ પ્રકારીની સુવિધા મળી રહે તે માટે જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સજાગતા રાખવામાં આવી છે. જિલ્લા પંચાયત ખાતે 80 જેટલા અન્નક્ષેત્રોના સંચાલકો ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાના લોકોને નિષ્ણાંત ડોક્ટરો દ્વારા CPRની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ લોકોના જીવ બચાવવા માટે ખૂબ ઉપયેગી થઈ પડશે. યાત્રા દરમિયાન ભાવિકોને મેડિકલ સેવા મળી રહે માટે 108ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કેટલાક રૂટના અંતરે 108 સેવા સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ભાવિકો રાજકોટથી જૂનાગઢ સરળતાથી પહોંચી શકે તે માટે ગુજરાત એસટી વિભાગ તરફથી 100 જેટલી એક્સ્ટ્રા બસ મૂકવામાં આવી છે. 5 દિવસ સુધી આ એક્સ્ટ્રા બસ દોડાવામાં આવી છે. આ સાથે કલેક્ટરે અન્નક્ષેત્રના સંચાલકોને કોઈ ગંદકી ન કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, લોકોના સહયોગથી આપણા ગિરનારને સ્વચ્છ અને સુંદર જાળવી રાખીશું.    


100 જેટલા અન્નક્ષેત્રો આપી રહ્યા છે સેવા


ગિરનાર પરિક્રમા માટે આવનારા શ્રધ્ધાળુઓના ભોજન માટે 36 કિલોમીટરના પરિક્રમાના રૂટ પર નાના-મોટા મળી કુલ 100 જેટલા અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં વિવિધ વાનગીઓની સેવા પૂરી પાડવામાં આવી રહી છે. આ અન્નક્ષેત્રોમાં ગાંઠીયા, જલેબી, ખમણ, પુરી સહિતની વિવિધ વાનગીઓ બનાવી યાત્રિકોને ભાવપૂર્વક ભોજન-પ્રસાદની સેવા પુરી પાડી પુણ્યનું બાંધી રહ્યા છે. ઘણા પરિક્રમાર્થીઓ પોતાની જાતે જ પ્રકૃતિના ખોળે રસોઈ બનાવી ભોજનનો આનંદ માણી રહ્યા છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.