જુનાગઢ: ગિરનારની લીલી પરિક્રમા માટે ઉમટ્યા 2 લાખથી વધુ લોકો, શ્રધ્ધાળુઓની સુવિધા માટે તંત્ર ખડેપગે


  • Published By :
  • Published Date : 2023-11-23 14:48:58

જુનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો આજે શુભારંભ થઈ ચુક્યો છે, દેશ અને રાજ્યના વિવિધ ભાગોમાંથી આવેલા શ્રધ્ધાળુઓનો ધસારો જોતા આજે વહેલી સવારે 4.15 કલાકે પ્રવેશ ગેઇટ ખોલી નાખવાની તંત્રને ફરજ પડી હતી. જેથી વિધિવત પ્રારંભ પૂર્વે પરિક્રમામાં બે લાખ કરતા વધુ શ્રધ્ધાળુઓએ રૂટ ઉપર પ્રવેશ કરી લીધો છે. જેમાં રાત સુધીમાં અઢી લાખ જેટલા યાત્રિકો રૂટ ઉપર છે. તો 50 હજારથી વધુ ભાવિકોએ નળપાણીની થોડી વટાવી દીધી છે. ઉલ્લેખનિય છે  કે આમ તો કારતક સુદ 11ને ગુરુવારે મધરાતે 12 વાગ્યે ગિરનારની લીલી પરિક્રમાનો સાધુ-સંતો વિધિવત રીતે પ્રારંભ કરાવવાના હતા પણ  તે પૂર્વે જ ગીરી તળેટીમાં લાખો ભાવિકો ઉમટી પડ્યા હતા. 36 કિલોમીટર લાંબી આ પરિક્રમા માટે ભાવિકભક્તોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે એક સાથે બે લાખ જેટલા શ્રધ્ધાળુઓ ઉમટી પડતા સ્થિતી વણસી હતી, જેમાં કેટલાકની લોકોની હાલત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.


જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે


ગિરનારની લીલી પરિક્રમા માટે આવનારા શ્રધ્ધાળુંઓને તમામ પ્રકારીની સુવિધા મળી રહે તે માટે જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સજાગતા રાખવામાં આવી છે. જિલ્લા પંચાયત ખાતે 80 જેટલા અન્નક્ષેત્રોના સંચાલકો ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાના લોકોને નિષ્ણાંત ડોક્ટરો દ્વારા CPRની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ લોકોના જીવ બચાવવા માટે ખૂબ ઉપયેગી થઈ પડશે. યાત્રા દરમિયાન ભાવિકોને મેડિકલ સેવા મળી રહે માટે 108ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કેટલાક રૂટના અંતરે 108 સેવા સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ભાવિકો રાજકોટથી જૂનાગઢ સરળતાથી પહોંચી શકે તે માટે ગુજરાત એસટી વિભાગ તરફથી 100 જેટલી એક્સ્ટ્રા બસ મૂકવામાં આવી છે. 5 દિવસ સુધી આ એક્સ્ટ્રા બસ દોડાવામાં આવી છે. આ સાથે કલેક્ટરે અન્નક્ષેત્રના સંચાલકોને કોઈ ગંદકી ન કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, લોકોના સહયોગથી આપણા ગિરનારને સ્વચ્છ અને સુંદર જાળવી રાખીશું.    


100 જેટલા અન્નક્ષેત્રો આપી રહ્યા છે સેવા


ગિરનાર પરિક્રમા માટે આવનારા શ્રધ્ધાળુઓના ભોજન માટે 36 કિલોમીટરના પરિક્રમાના રૂટ પર નાના-મોટા મળી કુલ 100 જેટલા અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં વિવિધ વાનગીઓની સેવા પૂરી પાડવામાં આવી રહી છે. આ અન્નક્ષેત્રોમાં ગાંઠીયા, જલેબી, ખમણ, પુરી સહિતની વિવિધ વાનગીઓ બનાવી યાત્રિકોને ભાવપૂર્વક ભોજન-પ્રસાદની સેવા પુરી પાડી પુણ્યનું બાંધી રહ્યા છે. ઘણા પરિક્રમાર્થીઓ પોતાની જાતે જ પ્રકૃતિના ખોળે રસોઈ બનાવી ભોજનનો આનંદ માણી રહ્યા છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી