જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ અતુલ ચગ આત્મહત્યા કેસને લઈ આપ્યું નિવેદન, કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-03-18 16:45:25

લોહાણા સમાજના અગ્રણી અને વેરાવળ સોમનાથ પંથકના ડો. અતુલ ચગે થોડા સમય પહેલા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. અતુલ ચગે આત્મહત્યા કરતા સમયે સ્યુસાઈડ નોટ લખી હતી જેમાં સાંસદ રાજેશ ચૂડાસમા અને નારણભાઈ ચુડાસમાનું નામ લખ્યું હતું. પોલીસને સુસાઈડ નોટ મળી હતી પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે પ્રથમ વખત સાંસદ રાજેશ ચૂડાસમાએ નિવેદન આપ્યું છે અને કાર્યવાહીમાં સહકાર આપવાની વાત કરી છે. પોતાના સંબોધનમાં તેમણે સ્વીકાર્યું કે ડોક્ટર ચગ સાથે તેમના પારિવારિક સંબંધો હતા.  

વેરાવળના તબીબે પોતાની હોસ્પિ.ના ઉપર એક રૂમમાં ગળેફાંસો ખાધો; પંખે લટકતા  પહેલાં સ્યુસાઇડ નોટમાં બે રાજકીય નેતાનો ઉલ્લેખ | Veraval's doctor hanged  himself ...


સુસાઈડ નોટમાં સાંસદ રાજેશ ચૂડાસમાનો કર્યો હતો ઉલ્લેખ 

વેરાવળના જાણીતા ડો. અતુલ ચગે આપઘાત કર્યો હતો. તેમના આપઘાતને એક મહિના જેટલો સમય વીતી ગયો છે પરંતુ હજી સુધી આ અંગે કાર્યવાહી કરવામાં આવી ન હતી. ડો. ચગ પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે હું નારાણભાઈ અને રાજેશભાઈ ચુડાસમાના કારણે આત્મહત્યા કરૂ છું. આ ચિઠ્ઠીમાં ભાજપના જૂનાગઢના સાંસદ રાજેશ ચૂડાસમાના નામનો ઉલ્લેખ કર્યો હતો. 


આ મામલે પહેલી વખત બોલ્યા જૂનાગઢના સાંસદ 

મૃતકના પુત્રએ આ અંગે વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ લાંબો સમય વીતી ગયો હોવા છતાંય કોઈ પ્રકારની કાર્યવાહી ન કરાતા પરિવારે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જે બાદ હાઈકોર્ટે ડીઆઈજી, એસપી તથા પીઆઈને નોટીસ ફટકારી હતી. 28 માર્ચના રોજ આ અંગે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. આ બધા વચ્ચે સાંસદ રાજેશ ચુડાસમાએ નિવેદન આપ્યું છે જેમાં કહ્યું કે ડો. ચગ સાથે તેમના પારિવારીક સંબંધ હતા અને આ સંબંધ 35 વર્ષો જૂના હતા. તેમણે ઈશ્વરને પ્રાર્થના કરી કે ચગ પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે. ઉપરાંત તેમણે કહ્યું કે પોલીસ તપાસમાં તે પૂરી રીતે સહયોગ કરશે.          



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.