જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ અતુલ ચગ આત્મહત્યા કેસને લઈ આપ્યું નિવેદન, કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-03-18 16:45:25

લોહાણા સમાજના અગ્રણી અને વેરાવળ સોમનાથ પંથકના ડો. અતુલ ચગે થોડા સમય પહેલા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. અતુલ ચગે આત્મહત્યા કરતા સમયે સ્યુસાઈડ નોટ લખી હતી જેમાં સાંસદ રાજેશ ચૂડાસમા અને નારણભાઈ ચુડાસમાનું નામ લખ્યું હતું. પોલીસને સુસાઈડ નોટ મળી હતી પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે પ્રથમ વખત સાંસદ રાજેશ ચૂડાસમાએ નિવેદન આપ્યું છે અને કાર્યવાહીમાં સહકાર આપવાની વાત કરી છે. પોતાના સંબોધનમાં તેમણે સ્વીકાર્યું કે ડોક્ટર ચગ સાથે તેમના પારિવારિક સંબંધો હતા.  

વેરાવળના તબીબે પોતાની હોસ્પિ.ના ઉપર એક રૂમમાં ગળેફાંસો ખાધો; પંખે લટકતા  પહેલાં સ્યુસાઇડ નોટમાં બે રાજકીય નેતાનો ઉલ્લેખ | Veraval's doctor hanged  himself ...


સુસાઈડ નોટમાં સાંસદ રાજેશ ચૂડાસમાનો કર્યો હતો ઉલ્લેખ 

વેરાવળના જાણીતા ડો. અતુલ ચગે આપઘાત કર્યો હતો. તેમના આપઘાતને એક મહિના જેટલો સમય વીતી ગયો છે પરંતુ હજી સુધી આ અંગે કાર્યવાહી કરવામાં આવી ન હતી. ડો. ચગ પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે હું નારાણભાઈ અને રાજેશભાઈ ચુડાસમાના કારણે આત્મહત્યા કરૂ છું. આ ચિઠ્ઠીમાં ભાજપના જૂનાગઢના સાંસદ રાજેશ ચૂડાસમાના નામનો ઉલ્લેખ કર્યો હતો. 


આ મામલે પહેલી વખત બોલ્યા જૂનાગઢના સાંસદ 

મૃતકના પુત્રએ આ અંગે વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ લાંબો સમય વીતી ગયો હોવા છતાંય કોઈ પ્રકારની કાર્યવાહી ન કરાતા પરિવારે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જે બાદ હાઈકોર્ટે ડીઆઈજી, એસપી તથા પીઆઈને નોટીસ ફટકારી હતી. 28 માર્ચના રોજ આ અંગે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. આ બધા વચ્ચે સાંસદ રાજેશ ચુડાસમાએ નિવેદન આપ્યું છે જેમાં કહ્યું કે ડો. ચગ સાથે તેમના પારિવારીક સંબંધ હતા અને આ સંબંધ 35 વર્ષો જૂના હતા. તેમણે ઈશ્વરને પ્રાર્થના કરી કે ચગ પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે. ઉપરાંત તેમણે કહ્યું કે પોલીસ તપાસમાં તે પૂરી રીતે સહયોગ કરશે.          



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.