જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ અતુલ ચગ આત્મહત્યા કેસને લઈ આપ્યું નિવેદન, કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-03-18 16:45:25

લોહાણા સમાજના અગ્રણી અને વેરાવળ સોમનાથ પંથકના ડો. અતુલ ચગે થોડા સમય પહેલા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. અતુલ ચગે આત્મહત્યા કરતા સમયે સ્યુસાઈડ નોટ લખી હતી જેમાં સાંસદ રાજેશ ચૂડાસમા અને નારણભાઈ ચુડાસમાનું નામ લખ્યું હતું. પોલીસને સુસાઈડ નોટ મળી હતી પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે પ્રથમ વખત સાંસદ રાજેશ ચૂડાસમાએ નિવેદન આપ્યું છે અને કાર્યવાહીમાં સહકાર આપવાની વાત કરી છે. પોતાના સંબોધનમાં તેમણે સ્વીકાર્યું કે ડોક્ટર ચગ સાથે તેમના પારિવારિક સંબંધો હતા.  

વેરાવળના તબીબે પોતાની હોસ્પિ.ના ઉપર એક રૂમમાં ગળેફાંસો ખાધો; પંખે લટકતા  પહેલાં સ્યુસાઇડ નોટમાં બે રાજકીય નેતાનો ઉલ્લેખ | Veraval's doctor hanged  himself ...


સુસાઈડ નોટમાં સાંસદ રાજેશ ચૂડાસમાનો કર્યો હતો ઉલ્લેખ 

વેરાવળના જાણીતા ડો. અતુલ ચગે આપઘાત કર્યો હતો. તેમના આપઘાતને એક મહિના જેટલો સમય વીતી ગયો છે પરંતુ હજી સુધી આ અંગે કાર્યવાહી કરવામાં આવી ન હતી. ડો. ચગ પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે હું નારાણભાઈ અને રાજેશભાઈ ચુડાસમાના કારણે આત્મહત્યા કરૂ છું. આ ચિઠ્ઠીમાં ભાજપના જૂનાગઢના સાંસદ રાજેશ ચૂડાસમાના નામનો ઉલ્લેખ કર્યો હતો. 


આ મામલે પહેલી વખત બોલ્યા જૂનાગઢના સાંસદ 

મૃતકના પુત્રએ આ અંગે વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ લાંબો સમય વીતી ગયો હોવા છતાંય કોઈ પ્રકારની કાર્યવાહી ન કરાતા પરિવારે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જે બાદ હાઈકોર્ટે ડીઆઈજી, એસપી તથા પીઆઈને નોટીસ ફટકારી હતી. 28 માર્ચના રોજ આ અંગે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. આ બધા વચ્ચે સાંસદ રાજેશ ચુડાસમાએ નિવેદન આપ્યું છે જેમાં કહ્યું કે ડો. ચગ સાથે તેમના પારિવારીક સંબંધ હતા અને આ સંબંધ 35 વર્ષો જૂના હતા. તેમણે ઈશ્વરને પ્રાર્થના કરી કે ચગ પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે. ઉપરાંત તેમણે કહ્યું કે પોલીસ તપાસમાં તે પૂરી રીતે સહયોગ કરશે.          



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.