Junagadh - ફરી ઉડ્યા દારૂબંધી કાયદાના ધજાગરા! પાનની દુકાનમાં થઈ રહ્યું છે દેશી દારૂનું વેચાણ! જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-24 15:58:06

ગુજરાતમાં દારૂબંધી છે તેવી વાતો અનેક વખત સાંભળી હશે પરંતુ ગાંધીના ગુજરાતમાંથી જે દ્રશ્યો સામે આવે છે તે આ કાયદાને જાણે તમાચો મારતા હોય તેવું લાગે... અનેક વીડિયો આપણી સામે આવ્યા છે જેમાં દારૂબંધી કાયદાના લીરેલીરા ઉડ્યા હોય.. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે દારૂ અડ્ડા પર વેચાય છે પરંતુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પાન પાર્લરમાં દારૂ વેચાઈ રહ્યું છે... આ વીડિયો જૂનાગઢનો હોય તેવી ચર્ચામાં કરવામાં આવી રહી છે. ના માત્ર દારૂની પરંતુ ચખનાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે...!

ડ્રાય સ્ટેટ ગણાતા ગુજરાતમાં થાય છે ખુલ્લેઆમ દારૂનું વેચાણ

સોશિયલ મીડિયા પર વાયરલ થતા અનેક વીડિયો કાયદાનો અમલ કેટલો થાય છે તેની પોલ ખોલી નાખતા હોય છે. દારૂ ખુલ્લેઆમ વેચાય છે, લોકો પીવે છે તેવા વીડિયો અનેક આપણી સામે છે. કોઈ વખત શિક્ષક તો કોઈ વખત બસ ડ્રાઈવર દારૂના નશામાં દેખાય છે. ડ્રાય સ્ટેટ ગણાતા ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. દર થોડા દિવસે આવા વીડિયો આપણી સામે આવતા હોય છે. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે જાશીપુરા વિસ્તારનો હોવાનું માનવામાં આવે છે. 




પાનની દુકાનમાં દારૂનું વેચાણ!

જૂનાગઢનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. પાનની દુકાનમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી પાનની દુકાનમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આવા વીડિયો અવાર નવાર સામે આવી રહ્યા છે જેને કારણે તંત્રની કાર્યવાહી પર સવાલ થઈ રહ્યા છે. 



પોલીસની કામગીરી પર પણ ઉઠે સવાલ 

અનેક વખત આવા વીડિયો સામે આવતા સવાલ એ પણ થાય કે શું પોલીસને ખબર નહીં હોય કે પાનની દુકાનમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. એવી પણ માહિતી સામે આવી છે કે વીડિયો વાયરલ થયા બાદ એક વ્યક્તિની અટકાયત કરી છે. આ વીડિયો જોયા બાદ તમે પણ કહેશો કે આવી ઘટનાઓ, આવા વીડિયો જોવા તો હવે ગુજરાતીઓ માટે સામાન્ય થઈ ગયા છે... ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો... 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.