Junagadh - ફરી ઉડ્યા દારૂબંધી કાયદાના ધજાગરા! પાનની દુકાનમાં થઈ રહ્યું છે દેશી દારૂનું વેચાણ! જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-24 15:58:06

ગુજરાતમાં દારૂબંધી છે તેવી વાતો અનેક વખત સાંભળી હશે પરંતુ ગાંધીના ગુજરાતમાંથી જે દ્રશ્યો સામે આવે છે તે આ કાયદાને જાણે તમાચો મારતા હોય તેવું લાગે... અનેક વીડિયો આપણી સામે આવ્યા છે જેમાં દારૂબંધી કાયદાના લીરેલીરા ઉડ્યા હોય.. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે દારૂ અડ્ડા પર વેચાય છે પરંતુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પાન પાર્લરમાં દારૂ વેચાઈ રહ્યું છે... આ વીડિયો જૂનાગઢનો હોય તેવી ચર્ચામાં કરવામાં આવી રહી છે. ના માત્ર દારૂની પરંતુ ચખનાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે...!

ડ્રાય સ્ટેટ ગણાતા ગુજરાતમાં થાય છે ખુલ્લેઆમ દારૂનું વેચાણ

સોશિયલ મીડિયા પર વાયરલ થતા અનેક વીડિયો કાયદાનો અમલ કેટલો થાય છે તેની પોલ ખોલી નાખતા હોય છે. દારૂ ખુલ્લેઆમ વેચાય છે, લોકો પીવે છે તેવા વીડિયો અનેક આપણી સામે છે. કોઈ વખત શિક્ષક તો કોઈ વખત બસ ડ્રાઈવર દારૂના નશામાં દેખાય છે. ડ્રાય સ્ટેટ ગણાતા ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. દર થોડા દિવસે આવા વીડિયો આપણી સામે આવતા હોય છે. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે જાશીપુરા વિસ્તારનો હોવાનું માનવામાં આવે છે. 




પાનની દુકાનમાં દારૂનું વેચાણ!

જૂનાગઢનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. પાનની દુકાનમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી પાનની દુકાનમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આવા વીડિયો અવાર નવાર સામે આવી રહ્યા છે જેને કારણે તંત્રની કાર્યવાહી પર સવાલ થઈ રહ્યા છે. 



પોલીસની કામગીરી પર પણ ઉઠે સવાલ 

અનેક વખત આવા વીડિયો સામે આવતા સવાલ એ પણ થાય કે શું પોલીસને ખબર નહીં હોય કે પાનની દુકાનમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. એવી પણ માહિતી સામે આવી છે કે વીડિયો વાયરલ થયા બાદ એક વ્યક્તિની અટકાયત કરી છે. આ વીડિયો જોયા બાદ તમે પણ કહેશો કે આવી ઘટનાઓ, આવા વીડિયો જોવા તો હવે ગુજરાતીઓ માટે સામાન્ય થઈ ગયા છે... ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો... 



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.