Junagadh - ફરી ઉડ્યા દારૂબંધી કાયદાના ધજાગરા! પાનની દુકાનમાં થઈ રહ્યું છે દેશી દારૂનું વેચાણ! જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-24 15:58:06

ગુજરાતમાં દારૂબંધી છે તેવી વાતો અનેક વખત સાંભળી હશે પરંતુ ગાંધીના ગુજરાતમાંથી જે દ્રશ્યો સામે આવે છે તે આ કાયદાને જાણે તમાચો મારતા હોય તેવું લાગે... અનેક વીડિયો આપણી સામે આવ્યા છે જેમાં દારૂબંધી કાયદાના લીરેલીરા ઉડ્યા હોય.. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે દારૂ અડ્ડા પર વેચાય છે પરંતુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પાન પાર્લરમાં દારૂ વેચાઈ રહ્યું છે... આ વીડિયો જૂનાગઢનો હોય તેવી ચર્ચામાં કરવામાં આવી રહી છે. ના માત્ર દારૂની પરંતુ ચખનાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે...!

ડ્રાય સ્ટેટ ગણાતા ગુજરાતમાં થાય છે ખુલ્લેઆમ દારૂનું વેચાણ

સોશિયલ મીડિયા પર વાયરલ થતા અનેક વીડિયો કાયદાનો અમલ કેટલો થાય છે તેની પોલ ખોલી નાખતા હોય છે. દારૂ ખુલ્લેઆમ વેચાય છે, લોકો પીવે છે તેવા વીડિયો અનેક આપણી સામે છે. કોઈ વખત શિક્ષક તો કોઈ વખત બસ ડ્રાઈવર દારૂના નશામાં દેખાય છે. ડ્રાય સ્ટેટ ગણાતા ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. દર થોડા દિવસે આવા વીડિયો આપણી સામે આવતા હોય છે. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે જાશીપુરા વિસ્તારનો હોવાનું માનવામાં આવે છે. 




પાનની દુકાનમાં દારૂનું વેચાણ!

જૂનાગઢનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. પાનની દુકાનમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી પાનની દુકાનમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આવા વીડિયો અવાર નવાર સામે આવી રહ્યા છે જેને કારણે તંત્રની કાર્યવાહી પર સવાલ થઈ રહ્યા છે. 



પોલીસની કામગીરી પર પણ ઉઠે સવાલ 

અનેક વખત આવા વીડિયો સામે આવતા સવાલ એ પણ થાય કે શું પોલીસને ખબર નહીં હોય કે પાનની દુકાનમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. એવી પણ માહિતી સામે આવી છે કે વીડિયો વાયરલ થયા બાદ એક વ્યક્તિની અટકાયત કરી છે. આ વીડિયો જોયા બાદ તમે પણ કહેશો કે આવી ઘટનાઓ, આવા વીડિયો જોવા તો હવે ગુજરાતીઓ માટે સામાન્ય થઈ ગયા છે... ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો... 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.