Junagadh - ફરી ઉડ્યા દારૂબંધી કાયદાના ધજાગરા! પાનની દુકાનમાં થઈ રહ્યું છે દેશી દારૂનું વેચાણ! જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-24 15:58:06

ગુજરાતમાં દારૂબંધી છે તેવી વાતો અનેક વખત સાંભળી હશે પરંતુ ગાંધીના ગુજરાતમાંથી જે દ્રશ્યો સામે આવે છે તે આ કાયદાને જાણે તમાચો મારતા હોય તેવું લાગે... અનેક વીડિયો આપણી સામે આવ્યા છે જેમાં દારૂબંધી કાયદાના લીરેલીરા ઉડ્યા હોય.. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે દારૂ અડ્ડા પર વેચાય છે પરંતુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પાન પાર્લરમાં દારૂ વેચાઈ રહ્યું છે... આ વીડિયો જૂનાગઢનો હોય તેવી ચર્ચામાં કરવામાં આવી રહી છે. ના માત્ર દારૂની પરંતુ ચખનાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે...!

ડ્રાય સ્ટેટ ગણાતા ગુજરાતમાં થાય છે ખુલ્લેઆમ દારૂનું વેચાણ

સોશિયલ મીડિયા પર વાયરલ થતા અનેક વીડિયો કાયદાનો અમલ કેટલો થાય છે તેની પોલ ખોલી નાખતા હોય છે. દારૂ ખુલ્લેઆમ વેચાય છે, લોકો પીવે છે તેવા વીડિયો અનેક આપણી સામે છે. કોઈ વખત શિક્ષક તો કોઈ વખત બસ ડ્રાઈવર દારૂના નશામાં દેખાય છે. ડ્રાય સ્ટેટ ગણાતા ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. દર થોડા દિવસે આવા વીડિયો આપણી સામે આવતા હોય છે. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે જાશીપુરા વિસ્તારનો હોવાનું માનવામાં આવે છે. 




પાનની દુકાનમાં દારૂનું વેચાણ!

જૂનાગઢનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. પાનની દુકાનમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી પાનની દુકાનમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આવા વીડિયો અવાર નવાર સામે આવી રહ્યા છે જેને કારણે તંત્રની કાર્યવાહી પર સવાલ થઈ રહ્યા છે. 



પોલીસની કામગીરી પર પણ ઉઠે સવાલ 

અનેક વખત આવા વીડિયો સામે આવતા સવાલ એ પણ થાય કે શું પોલીસને ખબર નહીં હોય કે પાનની દુકાનમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. એવી પણ માહિતી સામે આવી છે કે વીડિયો વાયરલ થયા બાદ એક વ્યક્તિની અટકાયત કરી છે. આ વીડિયો જોયા બાદ તમે પણ કહેશો કે આવી ઘટનાઓ, આવા વીડિયો જોવા તો હવે ગુજરાતીઓ માટે સામાન્ય થઈ ગયા છે... ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો... 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.