Junagadh : ગટરના ઢાંકણાને કારણે ગયો આશાવાદી યુવાનનો જીવ! બરોબર લેવલિંગ ન કરાતા ઢાંકણા સાથે અથડાઈ બાઈક અને....


  • Published By :
  • Published Date : 2023-12-18 10:37:12

અનેક વખત ભૂગર્ભ ગટરને લઈ તો કોઈ રસ્તાના સમારકામને લઈ ખાડા ખોદવામાં આવતા હોય છે. જે કામ માટે ખાડો ખોદવામાં આવતો હોય છે તે પૂર્ણ પણ થઈ જાય છે પરંતુ કામગીરી દરમિયાન તંત્ર દ્વારા રાખવામાં આવેલી નાની બેદરકારી કોઈનો જીવ લઈ શકે છે તેનું ઉદાહરણ જૂનાગઢથી સામે આવ્યું છે. શહેરના ઝાંઝરડા રોડ રસ્તાની નવીનીકરણ બાદ ગટરના ઢાંકણાનું લેવલ કરવામાં આવ્યું નહીં જેને કારણે એક બાઈકસવારને પોતાનો જીવ ગુમાવ્યો પડ્યો છે.  



મનપાની ભૂલને કારણે યુવકે ગુમાવ્યો જીવ!

અનેક વખત ખરાબ રસ્તો છે તેવી ફરિયાદ ઉઠતી હોય છે. રસ્તાનું સમારકામ થાય તેવી વાતો અનેક વખત કરવામાં આવતી હોય છે. અનેક વખત એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે રસ્તો થોડા સમય પહેલા જ બન્યો હોય અને તેની પર ખાડો ખોદવામાં આવતા હોય! રસ્તાના સમારકામને લઈ ખાડા ખોદવામાં આવતો હોય છે તો કોઈ વખત ભૂગર્ભ ગટરને લઈ. જે કામ માટે ખાડો ખોદવામાં આવતો હોય છે તે પૂર્ણ પણ થઈ જાય છે પરંતુ કામગીરી દરમિયાન તંત્ર દ્વારા રાખવામાં આવેલી બેદરકારી કોઈને જીવ લઈ શકે છે તેનું ઉદાહરણ સામે આવ્યું છે. અત્યાર સુધી આપણે રખડતાં ઢોરનાં કારણે લોકોને રસ્તા પર મરતા જોયા ,ખરાબ રસ્તાને કારણે અકસ્માત થતા જોયા અને લોકોને મરતા જોયા પણ હવે એનાથી પણ ભયાનક મનપાની એક નાનકડી ભૂલે કોઈનો જીવ લીધો. 


ગટરના ઢાંકણા સાથે અથડાયું બાઈક, રસ્તા પર પટકાયો યુવક!

ઘટના છે જૂનાગઢ શહેરની. મળતી માહિતી અનુસાર શહેરના ઝાંઝરડા રોડ પર રસ્તાનું સમારકામ કરવા માટે ખોદકામ કરવામાં આવ્યું. રસ્તાનું નવીનીકરણ થઈ ગયું પરંતુ ગટરના ઢાંકણાનું લેવિંગ કરવા માટે તંત્ર દ્વારા તસ્દી ન લેવામાં આવી જેને કારણે એક આશાવાદી યુવાને પોતાનો જીવ ગમાવ્યો છે. ગટરનાં ઢાંકણાનું લેવલ બરોબર ન હતું જેને કારણે બાઈક ચાલકની ટક્કર થઈ. ગટરનું ઢાંકણું બાઈક સાથે ભટકાતા બાઈક સ્પીલ થઈ ગયું. યુવક રસ્તા પર પડી ગયો, માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તેનો જીવ બચી ન શક્યો. આ નાનકડી ભૂલે એક 22 વર્ષીય આશાસ્પદ યુવકનો જીવ લીધો છે. 


મૃતકના પિતાએ તંત્રને કરી આ અપીલ! 

રસ્તાના અને ભૂગર્ભ ગટરના કામમાં રાખવામાં આવેલી બેદરકારીના કારણે એક પરિવારે જુવાનજોધ પુત્ર ગુમાવવો પડ્યો છે. ત્યારે પરિવારજનોએ ભારે હૃદયે તંત્રને અપીલ કરી છે કે, હવે કોઈને વ્હાલસોયાનો જીવ જાય તે પહેલા આ રસ્તાને વ્યવસ્થિત કરવામાં આવે. 22 વર્ષીય આશાસ્પદ દીકરાનું મોત નિપજતા પૈડા પરિવાર પર આભ ફાટ્યું છે. ત્યારે આ પ્રકારનો અકસ્માત ફરી સર્જાય અને તેમાં કોઈ વ્યકિતએ જીવ ગુમાવવો ન પડે તે માટે મોહિતના પિતા દીપકભાઈએ તંત્રને અપીલ કરી છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.