Junagadh : ગટરના ઢાંકણાને કારણે ગયો આશાવાદી યુવાનનો જીવ! બરોબર લેવલિંગ ન કરાતા ઢાંકણા સાથે અથડાઈ બાઈક અને....


  • Published By :
  • Published Date : 2023-12-18 10:37:12

અનેક વખત ભૂગર્ભ ગટરને લઈ તો કોઈ રસ્તાના સમારકામને લઈ ખાડા ખોદવામાં આવતા હોય છે. જે કામ માટે ખાડો ખોદવામાં આવતો હોય છે તે પૂર્ણ પણ થઈ જાય છે પરંતુ કામગીરી દરમિયાન તંત્ર દ્વારા રાખવામાં આવેલી નાની બેદરકારી કોઈનો જીવ લઈ શકે છે તેનું ઉદાહરણ જૂનાગઢથી સામે આવ્યું છે. શહેરના ઝાંઝરડા રોડ રસ્તાની નવીનીકરણ બાદ ગટરના ઢાંકણાનું લેવલ કરવામાં આવ્યું નહીં જેને કારણે એક બાઈકસવારને પોતાનો જીવ ગુમાવ્યો પડ્યો છે.  



મનપાની ભૂલને કારણે યુવકે ગુમાવ્યો જીવ!

અનેક વખત ખરાબ રસ્તો છે તેવી ફરિયાદ ઉઠતી હોય છે. રસ્તાનું સમારકામ થાય તેવી વાતો અનેક વખત કરવામાં આવતી હોય છે. અનેક વખત એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે રસ્તો થોડા સમય પહેલા જ બન્યો હોય અને તેની પર ખાડો ખોદવામાં આવતા હોય! રસ્તાના સમારકામને લઈ ખાડા ખોદવામાં આવતો હોય છે તો કોઈ વખત ભૂગર્ભ ગટરને લઈ. જે કામ માટે ખાડો ખોદવામાં આવતો હોય છે તે પૂર્ણ પણ થઈ જાય છે પરંતુ કામગીરી દરમિયાન તંત્ર દ્વારા રાખવામાં આવેલી બેદરકારી કોઈને જીવ લઈ શકે છે તેનું ઉદાહરણ સામે આવ્યું છે. અત્યાર સુધી આપણે રખડતાં ઢોરનાં કારણે લોકોને રસ્તા પર મરતા જોયા ,ખરાબ રસ્તાને કારણે અકસ્માત થતા જોયા અને લોકોને મરતા જોયા પણ હવે એનાથી પણ ભયાનક મનપાની એક નાનકડી ભૂલે કોઈનો જીવ લીધો. 


ગટરના ઢાંકણા સાથે અથડાયું બાઈક, રસ્તા પર પટકાયો યુવક!

ઘટના છે જૂનાગઢ શહેરની. મળતી માહિતી અનુસાર શહેરના ઝાંઝરડા રોડ પર રસ્તાનું સમારકામ કરવા માટે ખોદકામ કરવામાં આવ્યું. રસ્તાનું નવીનીકરણ થઈ ગયું પરંતુ ગટરના ઢાંકણાનું લેવિંગ કરવા માટે તંત્ર દ્વારા તસ્દી ન લેવામાં આવી જેને કારણે એક આશાવાદી યુવાને પોતાનો જીવ ગમાવ્યો છે. ગટરનાં ઢાંકણાનું લેવલ બરોબર ન હતું જેને કારણે બાઈક ચાલકની ટક્કર થઈ. ગટરનું ઢાંકણું બાઈક સાથે ભટકાતા બાઈક સ્પીલ થઈ ગયું. યુવક રસ્તા પર પડી ગયો, માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તેનો જીવ બચી ન શક્યો. આ નાનકડી ભૂલે એક 22 વર્ષીય આશાસ્પદ યુવકનો જીવ લીધો છે. 


મૃતકના પિતાએ તંત્રને કરી આ અપીલ! 

રસ્તાના અને ભૂગર્ભ ગટરના કામમાં રાખવામાં આવેલી બેદરકારીના કારણે એક પરિવારે જુવાનજોધ પુત્ર ગુમાવવો પડ્યો છે. ત્યારે પરિવારજનોએ ભારે હૃદયે તંત્રને અપીલ કરી છે કે, હવે કોઈને વ્હાલસોયાનો જીવ જાય તે પહેલા આ રસ્તાને વ્યવસ્થિત કરવામાં આવે. 22 વર્ષીય આશાસ્પદ દીકરાનું મોત નિપજતા પૈડા પરિવાર પર આભ ફાટ્યું છે. ત્યારે આ પ્રકારનો અકસ્માત ફરી સર્જાય અને તેમાં કોઈ વ્યકિતએ જીવ ગુમાવવો ન પડે તે માટે મોહિતના પિતા દીપકભાઈએ તંત્રને અપીલ કરી છે.  



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.