જૂનાગઢ: માવઠાના કારણે ગિરનાર લીલી પરિક્રમાના પદયાત્રીઓની હાલત કફોડી બની, તંત્ર સામે ઉઠ્યા સવાલ


  • Published By :
  • Published Date : 2023-11-26 17:39:27

ગિરનારની લીલી પરિક્રમા શરૂ થયાને  ચાર દિવસ વીતી ગયા છે. આ વખતે ભાવિકોનો વિક્રમજનક 13.26લાખ લોકોએ મુખ્ય પ્રવેશ દ્વાર ઈટવા ઘોડીથી પ્રવેશ મેળવ્યો છે. હવે આ દરમિયાન જુનાગઢમાં ગાજવીજ સાથે ધોમમાર કમોસમી વરસાદ અને કરાવર્ષા થતા લાખો શ્રધ્ધાળુઓ અટવાઈ ગયા છે. ભાવિક ભક્તોની હાલત એટલી કફોડી બની છે કે કેટલાક તો પરત ફરી રહ્યા છે. હવે આ સ્થિતીમાં જુનાગઢ વહીવટી તંત્રીની તૈયારીઓ પર સવાલ ઉઠ્યા છે. લોકોએ બેદરકાર જુનાગઢ વહીવતી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. તો આવી જ સ્થિતી ગિરનાર પર્વત પર ચઢનારા લોકોની થઈ છે. રોપ વે બંધ થતા લોકો નીચે ઉતરવું મુશ્કેલ બન્યું છે.  


પદયાત્રીઓ અટવાયા


લીલી પરિક્રમા અને ગિરનાર આવેલા આવેલા ભાવિકોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક પરિક્રમાર્થીઓ અટવાયા હતા, તો કેટલાકે ગિરનારની તળેટીમાં વરસાદને મન ભરીને માણ્યો હતો. વરસાદને કારણે ગિરનાર અભયારણ્ય અને પરિક્રમા માર્ગ પર વરસાદને કારણે ભાવિકો માટે જંગલ વિસ્તારમાં ચાલવું ખૂબ મુશ્કેલ હતું. જંગલની માટી અને વરસાદી પાણીને કારણે જમીન એકદમ ચીકણી બની જતાં પ્રવાસીઓને ચાલતી વખતે લપસી જવાનો ડર ઉભો થયો હતો. અચાનક વરસાદને કારણે કેટલાક પરિક્રમાર્થીઓનો સામાન પણ વરસાદી પાણીમાં પલળી ગયો હતો. જો કે હાલ વરસાદને કારણે રોપ વે પણ બંધ હોવાથી ગુરૂ શિખર જવા માંગતા ભાવિકોમાં નિરાશા જોવા મળી હતી.


ગિરનાર યાત્રિકોની સ્થિતી કફોડી


ગિરનાર પર ભારે વરસાદથી હજારો યાત્રીઓ ફસાયા છે. અચાનક મોસમ એ લીધેલ બદલાવના કારણે યાત્રીકોને મુશ્કેલી પડી રહી છે. ગિરનાર પરિક્રમા કર્યા બાદ યાત્રિકો ગિરનાર ચડે છે. મુસાફરો વરસાદથી બચવા કોઈ સુવિધા ન હોવાથી મંદિરોમાં આશરો લઇ રહ્યા છે. ઠંડી સાથે વરસાદ યાત્રિકોની મજા બગાડી રહ્યો છે. ગિરનાર રોપ વે પણ બંધ હોવાથી યાત્રિકોને નીચે આવવામાં માં પણ તકલીફ પડી રહી છે. વૃદ્ધો અને નાના બાળકો પણ સાથે હોય યાત્રિકો ચિંતામાં મુકાયા છે. પોલીસ જવાન પણ રોપ વે ચાલુ ન હોવાથી ફરજ પર પહોંચી શક્યા નથી.



થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાએ પાર્ટીમાંથી રાજીનામું. ભાજપમાં ક્યારે જોડાશે તેની રાહ જોવામાં આવતી. ત્યારે થોડા દિવસ પહેલા તેમણે કેસરિયો ધારણ કર્યો છે. આ કાર્યક્રમમાં કુમાર કાનાણી ગેરહાજર હતા જેને લઈ અનેક સવાલો થયા.

ગુજરાતમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર અનેક જગ્યાઓ પર પહોંચી ગયો છે. પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે.

બાળકોને જોઈ અનેક લોકોને પોતાનું બાળપણ યાદ આવે છે... માતાની મમતા યાદ આવે છે અને બાપુજી દ્વારા આપવામાં આવતો ઠપકો યાદ આવે છે..

પરેશ ધાનાણી ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર છે. પ્રચાર દરમિયાન અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ચૂંટણી પ્રચારમાં પાણીપુરી શબ્દનો પ્રયોગ થયો છે.