જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ ABVPએ સરકારને આપી આ ગર્ભિત ચીમકી


  • Published By :
  • Published Date : 2023-01-29 19:35:44

જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ સમગ્ર રાજ્યમાં સરકાર વિરોધી દેખાવો થઈ રહ્યા છે. પરીક્ષાર્થીઓની સાથે-સાથે વિવિધ રાજકીય પક્ષો પણ સરકાર સામે આકરા પ્રહારો કરી રહ્યા છે. જો કે હવે ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) પણ મેદાનમાં આવી છે. ABVPએ સરકારને 24 કલાકમાં જ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવાની અને 20 દિવસમાં જ પરીક્ષા યોજવાનું અલ્ટીમેટમ આપ્યું છે. જો સરકાર 24 કલાકમાં નવી તારીખ જાહેર નહીં કરો તો રસ્તા પર ઉતરીને સરકાર વિરોધી જબરદસ્ત દેખોવો કરીશું  તેવી ગર્ભીત ચીમકી ઉચ્ચારી છે. 


ABVPના પ્રદેશ મંત્રીએ શું કહ્યું?


પેપર લીક કાંડ બાદ ABVPના નેતાએ એક્શનમાં આવ્યા હતા, ABVPના પ્રદેશ મંત્રી તરીકે યુતીબેન ગજરે જણાવ્યું કે, આ સ્પર્ધાત્મક પરીક્ષાઓના મંડળના તંત્રની રચના પર ફરી વિચાર થવો જોઈએ. અને તેમા પ્રદેશના ઉચ્ચ શિક્ષાવિદો અને પ્રમુખ અનુભવી લોકો‌ને સમિતિમાં સ્થાન આપવું જોઈએ. સરકાર રાજ્ય બહારની પ્રાઈવેટ એજન્સીઓને કામ આપે છે, જેના કારણે મંડળની ગુપ્તતા પર પણ પશ્ન ઉભા થાય છે. આ રીતે વારંવાર પેપરલીક થવાની ઘટના વિધાર્થી પરિષદ સહેજ  પણ સાંખી લેવામાં આવશે નહીં. આજે  ABVP દ્વારા તમામ જિલ્લા કલેકટર કચેરીએ કલેકટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પણ આપવામાં આવશે. 


ABVPના કાર્યકરોના ગાંધીનગરમાં ધરણા


જુનિયર ક્લાર્ક ની પરીક્ષાનું પેપર લીક થયા બાદ પરીક્ષા રદ જાહેર કરાઈ હતી. જો કે આ મુદ્દે ABVPના કાર્યકરોમાં રોષ વ્યાપી નીકળ્યો છે. ABVPના કાર્યકરો ગાંધીનગરમાં કર્મયોગી ભવન ખાતે પંચાયત સેવા પસંદગી બોર્ડની કચેરીએ પહોંચ્યા હતા. ABVPએ 7 માંગણીઓ સાથે સરકારને આપવા આવેદનપત્ર પત્ર તૈયાર કર્યું હતું. જો કે કર્મયોગી ભવનના ગેટ નંબર 1 પર ABVPના કાર્યકરોને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા. 


ABVPએ શું માગ કરી?


1- 24 કલાકમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવે. 

2-20 દિવસની અંદર અંદર આ પરીક્ષા લેવામા‌ આવે.

3-. પરીક્ષા માટે પરીક્ષાર્થીઓ માટે આવશ્યક વ્યવસ્થાઓ યાત્રા, નિવાસ, ભોજનની વિશેષ જવાબદારી રાજ્ય સરકાર લે.

4- આ પેપર લીક કૌભાંડ પર SITની રચના કરવામાં આવે.

5- આ કૌભાંડમાં જવાબદાર વ્યક્તિઓ પર રાજદ્રોહનો કેસ લગાવવામાં આવે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાયલ ચલાવવામાં આવે અને આરોપીઓને ત્વરિત કડકમાં કડક સજા કરવામાં આવે.

6- સ્પર્ધાત્મક પરીક્ષા તંત્રમાં યોગ્ય અધિકારીઓ, શિક્ષણવિદોની ખાલી પડેલ મહત્વના પદો પર જલ્દી નિમણૂક થવી જોઈએ.

7-આરોપીઓની પ્રિન્ટીંગ પ્રેસ, કોચિંગ, સંપતિની સરકાર હરાજી કરીને દાખલો બેસાડવો જોઈએ.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.