રાજ્યના 1181 કેન્દ્રો પર યોજાશે જુનિયર ક્લાર્કની પરીક્ષા, GPSSBએ શું કરી છે તૈયારી? જાણો


  • Published By :
  • Published Date : 2023-04-05 14:28:09

ગુજરાત સરકારના પંચાયત પસંદગી મંડળ દ્વારા 9 એપ્રિલ 2023ના રોજ  બિન સચિવાલય જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાખોની સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા આપશે. આ વખતે જિલ્લા ફેરબદલી ઉમેદવારો પણ પરીક્ષા આપવા આવશે. જેને પગલે એસટી વિભાગે વધારાની બસ દોડાવવાનો નિર્ણય લીધો છે.


રાજ્યના 1181 કેન્દ્રો પર પરીક્ષા


આ જુનિયર કલાર્કની પરીક્ષા રાજ્યના 1181 કેન્દ્રો પર યોજાશે. પરીક્ષા કેન્દ્રો જાણી જોઇને દૂર દૂર રાખવામાં આવ્યા છે. પીક્ષામાં કોઈ ગેરરિતી સામે આવે તો તુરંત ધ્યાન દોરવા બોર્ડ દ્વારા વિનંતી કરાઈ છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે સ્વૈચ્છિક સંસ્થાઓને પણ વિદ્યાર્થીઓને યથા શક્તિ સહાય કરવા અપીલ કરી હતી.


ગાંધીનગરના 121 કેન્દ્રો પર પરીક્ષા


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની બિન સચિવાલય જુનિયર ક્લાર્ક (વહીવટ / હિસાબી) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 09-04-2023 (રવિવાર)ના રોજ બપોરે 12:30 કલાકથી 13:30 કલાક દરમિયાન યોજાશે. ગાંધીનગર જિલ્લામાં કુલ 121 કેન્દ્રો પર જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજવામાં આવશે. જે અતર્ગત માણસા તાલુકામાં 15 અને કલોલ તાલુકામાં 14 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. દહેગામ તાલુકામાં 10 અને ગાંધીનગર તાલુકામાં 82 કેન્દ્રો પર પરીક્ષા  યોજાશે. ઉલ્લેખનિય છે કે, 1247 બ્લોકમાં 37400 ઉમેદવારો પરીક્ષા આપશે.   


ગેરરીતિ કરનારા સામે કાર્યવાહી


આ પરીક્ષામાં જો કોઈ ગેરરીતિ કરશે તો તેની સામે ગુજરાત પરીક્ષા અધિનિયમ 2023 મુજબ કાર્યવાહી થશે. ગુજરાત પરીક્ષા અધિનિયમ 2023 મુજબ 7થી10 વર્ષની જેલ તથા રૂ. 1 કરોડનો દંડ કરવામાં આવશે.પરીક્ષાર્થી ગેરરીતિ આચરશે તો રૂપિયા 3 લાખનો દંડ અને 1 વર્ષની જેલ અને 2 પરીક્ષા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.


હસમુખ પટેલે યોજી હતી બેઠક


જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે ગુજરાત પંચાયત પસંદગી મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા જિલ્લા કલેકટર, પોલીસ અધિક્ષક, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી વગેરે જિલ્લાના અધિકારીઓ સાથે પરીક્ષા વ્યવસ્થા અંગે વીડિયો કોન્ફરન્સ કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા પ્રમાણે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રને લગતી મદદની જરૂર હોય તો તેઓ સંપર્ક કરી મદદ મેળવી શકે તેવી વ્યવસ્થા પણ કરીને હેલ્પલાઈન નંબર જાહેર કરાયા હતા. ઉપરાંત જો ત્યાંથી કોઈ મદદ નથી મળતી તો રાજ્ય હેલ્પલાઈન નંબર્સ પણ જાહેર કરાયા છે.


જુનિયર ક્લાર્ક હેલ્પલાઈન નંબર


જુનિયર ક્લાર્ક પરીક્ષાના પરીક્ષા કેન્દ્ર શોધવામાં કોઈ મુશ્કેલી હોય, પરીક્ષા કેન્દ્ર જે જિલ્લામાં હોય તે જિલ્લાના નીચે જણાવેલા હેલ્પલાઇન નંબર પર કચેરી સમય દરમિયાન ફોન કરવો તે હેલ્પલાઇન નંબર પર પ્રશ્નનો ઉકેલ ના આવે તો રાજ્ય હેલ્પ લાઈન 8758804212, 8758804217 નો સંપર્ક કરવો.


ઉમેદવારોને મળશે રૂ.254 ટ્રાવેલ એલાઉન્સ 


પંચાયત પસંદગી સેવા બોર્ડ દ્વારા દરેક ઉમેદવારના ખાતામાં ડીબીટીથી 256 રૂપિયા જમા કરવામાં આવ્યા છે. જેમાં અમુક ઉમેદવારને 256 રૂપિયાથી ઓછું ભાડું થશે. જ્યારે અમુક વિદ્યાર્થીને 256 રૂપિયાથી વધારે ભાડું થઈ શકે છે. તો એ તમામ વિદ્યાર્થીઓએ પોતાના સ્વખર્ચે પરીક્ષાના કેન્દ્ર પર પહોંચવાનું રહેશે. પંચાયત પસંદગી સેવા મંડળ બોર્ડની પરીક્ષા 9 એપ્રિલના રોજ યોજાવાની હોવાથી ગુજરાત એસટી નિગમ દ્વારા વધારાની 6,000થી વધુ એસ.ટી.બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓ પોતાની ટિકિટ ઓનલાઇન એપ્લિકેશન દ્વારા પણ બુક કરાવી શકે છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.