રાજ્યના 1181 કેન્દ્રો પર યોજાશે જુનિયર ક્લાર્કની પરીક્ષા, GPSSBએ શું કરી છે તૈયારી? જાણો


  • Published By :
  • Published Date : 2023-04-05 14:28:09

ગુજરાત સરકારના પંચાયત પસંદગી મંડળ દ્વારા 9 એપ્રિલ 2023ના રોજ  બિન સચિવાલય જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાખોની સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા આપશે. આ વખતે જિલ્લા ફેરબદલી ઉમેદવારો પણ પરીક્ષા આપવા આવશે. જેને પગલે એસટી વિભાગે વધારાની બસ દોડાવવાનો નિર્ણય લીધો છે.


રાજ્યના 1181 કેન્દ્રો પર પરીક્ષા


આ જુનિયર કલાર્કની પરીક્ષા રાજ્યના 1181 કેન્દ્રો પર યોજાશે. પરીક્ષા કેન્દ્રો જાણી જોઇને દૂર દૂર રાખવામાં આવ્યા છે. પીક્ષામાં કોઈ ગેરરિતી સામે આવે તો તુરંત ધ્યાન દોરવા બોર્ડ દ્વારા વિનંતી કરાઈ છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે સ્વૈચ્છિક સંસ્થાઓને પણ વિદ્યાર્થીઓને યથા શક્તિ સહાય કરવા અપીલ કરી હતી.


ગાંધીનગરના 121 કેન્દ્રો પર પરીક્ષા


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની બિન સચિવાલય જુનિયર ક્લાર્ક (વહીવટ / હિસાબી) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 09-04-2023 (રવિવાર)ના રોજ બપોરે 12:30 કલાકથી 13:30 કલાક દરમિયાન યોજાશે. ગાંધીનગર જિલ્લામાં કુલ 121 કેન્દ્રો પર જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજવામાં આવશે. જે અતર્ગત માણસા તાલુકામાં 15 અને કલોલ તાલુકામાં 14 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. દહેગામ તાલુકામાં 10 અને ગાંધીનગર તાલુકામાં 82 કેન્દ્રો પર પરીક્ષા  યોજાશે. ઉલ્લેખનિય છે કે, 1247 બ્લોકમાં 37400 ઉમેદવારો પરીક્ષા આપશે.   


ગેરરીતિ કરનારા સામે કાર્યવાહી


આ પરીક્ષામાં જો કોઈ ગેરરીતિ કરશે તો તેની સામે ગુજરાત પરીક્ષા અધિનિયમ 2023 મુજબ કાર્યવાહી થશે. ગુજરાત પરીક્ષા અધિનિયમ 2023 મુજબ 7થી10 વર્ષની જેલ તથા રૂ. 1 કરોડનો દંડ કરવામાં આવશે.પરીક્ષાર્થી ગેરરીતિ આચરશે તો રૂપિયા 3 લાખનો દંડ અને 1 વર્ષની જેલ અને 2 પરીક્ષા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.


હસમુખ પટેલે યોજી હતી બેઠક


જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે ગુજરાત પંચાયત પસંદગી મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા જિલ્લા કલેકટર, પોલીસ અધિક્ષક, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી વગેરે જિલ્લાના અધિકારીઓ સાથે પરીક્ષા વ્યવસ્થા અંગે વીડિયો કોન્ફરન્સ કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા પ્રમાણે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રને લગતી મદદની જરૂર હોય તો તેઓ સંપર્ક કરી મદદ મેળવી શકે તેવી વ્યવસ્થા પણ કરીને હેલ્પલાઈન નંબર જાહેર કરાયા હતા. ઉપરાંત જો ત્યાંથી કોઈ મદદ નથી મળતી તો રાજ્ય હેલ્પલાઈન નંબર્સ પણ જાહેર કરાયા છે.


જુનિયર ક્લાર્ક હેલ્પલાઈન નંબર


જુનિયર ક્લાર્ક પરીક્ષાના પરીક્ષા કેન્દ્ર શોધવામાં કોઈ મુશ્કેલી હોય, પરીક્ષા કેન્દ્ર જે જિલ્લામાં હોય તે જિલ્લાના નીચે જણાવેલા હેલ્પલાઇન નંબર પર કચેરી સમય દરમિયાન ફોન કરવો તે હેલ્પલાઇન નંબર પર પ્રશ્નનો ઉકેલ ના આવે તો રાજ્ય હેલ્પ લાઈન 8758804212, 8758804217 નો સંપર્ક કરવો.


ઉમેદવારોને મળશે રૂ.254 ટ્રાવેલ એલાઉન્સ 


પંચાયત પસંદગી સેવા બોર્ડ દ્વારા દરેક ઉમેદવારના ખાતામાં ડીબીટીથી 256 રૂપિયા જમા કરવામાં આવ્યા છે. જેમાં અમુક ઉમેદવારને 256 રૂપિયાથી ઓછું ભાડું થશે. જ્યારે અમુક વિદ્યાર્થીને 256 રૂપિયાથી વધારે ભાડું થઈ શકે છે. તો એ તમામ વિદ્યાર્થીઓએ પોતાના સ્વખર્ચે પરીક્ષાના કેન્દ્ર પર પહોંચવાનું રહેશે. પંચાયત પસંદગી સેવા મંડળ બોર્ડની પરીક્ષા 9 એપ્રિલના રોજ યોજાવાની હોવાથી ગુજરાત એસટી નિગમ દ્વારા વધારાની 6,000થી વધુ એસ.ટી.બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓ પોતાની ટિકિટ ઓનલાઇન એપ્લિકેશન દ્વારા પણ બુક કરાવી શકે છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.