સચિવાલયના રસ્તે અથડાતા અટવાતા લાખો સપના ધ્રુસકે ધ્રુસકે રડે...!


  • Published By :
  • Published Date : 2023-01-29 15:20:39

ધરતીને પટે પગલે પગલે

મૂઠી ધાન વિના નાનાં બાળ મરે,

પ્રભુહીન આકાશેથી આગ ઝરે :

અહોરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે-

ત્યારે હાય રે હાય, કવિ ! તને પૃથ્વી ને પાણીતણાં શેણે ગીત ગમે !


મેઘાણીની આ વાતમાં થોડા બદલાવ સાથે અમે સરકાર તમને પુછીએ છીએ

સચિવાલયના રસ્તે અથડાતા અટવાતા

લાખો સપના ધ્રુસકે ધ્રુસકે રડે

રાત્રે ખેડૂતની પીડા, દિવસે યુવાનનો આક્રોશ

ચારેય બાજુથી સત્તાને ઘેરી વળે

ત્યારે હાય રે સરકાર...! તને મૃદુ-મક્કમપણાંની શેણે વાતો ગમે!


ગુજરાતના હજારો હોર્ડીંગ પર બોલ્ડ અક્ષરે લખેલી મૃદુ અને મક્કમ સરકાર.... ક્યાં મરી જાય છે તમારી સજ્જતા જ્યારે દર થોડા દિવસે પરીક્ષાઓમાં આવા દુર્ભાગ્ય સર્જાય છે.

તારીખ હતી 29મી જાન્યુઆરી, 2022

સમય સવારે 6.30ની આસપાસ

સતત થતા ફોનના વાઈબ્રેશનના કારણે આંખ ખુલી, અકળામણ સાથે વિચાર આવ્યો કે એવી શું ઈમરજન્સી હશે કે કોઈ સતત ફોન કરી રહ્યું છે તો જોયું અલગ-અલગ નંબરથી ઢગલાબંધ ફોન મીસ થયા હતા, ખબર પડી કે જુનિયર ક્લાર્કનું પેપરલીક થયું છે. અમારી સાથે સૌથી મોટી સમસ્યા એ છે કે અમે કોઈ જ પ્રશ્નોને સરકારો કે નેતાઓની જેમ પ્રેક્ટીકલી કે માત્ર ફાયદા માટે નથી લઈ શકતા, અમને પ્રશ્નો થાય છે અને જ્યાં સુધી જવાબો ના મળે ત્યાં સુધી સવાલ કરવાની કટીબદ્ધતા છે. સરકારનો ભૂતકાળ જોતા સામાન્ય લાગે એવા સમાચાર સામાન્ય એટલે ના લાગ્યા કેમ કે મને હતું અનેક પ્રશ્નોની વચ્ચે 156 સીટ સાથે બનેલી સરકારમાં જવાબદેહી હશે અને કોઈ પણ સંજોગોમાં પેપર તો લીક નહીં જ થવા દે પણ અફસોસ... સરકારના જ સુત્ર પ્રમાણે કહીએ તો ભરોસાની ભેંસે પાડો જણ્યો.


છેલ્લા 5 વર્ષમાં અમારા સવાલો નથી બદલાયા, હાં પહેલા જબરદસ્ત બુમો પાડતી હતી હવે શાંતિથી પુછી લઉં છું, જવાબો પણ નથી જ બદાલાયા અને તૈયારીઓ કરતા ચહેરાઓ પણ નથી બદલાયા, ક્યારેક ડેડીયાપાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તો ક્યારેક અમદાવાદ-ગાંધીનગરની લાઈબ્રેરીમાં આવા છોકરાઓ મળે અને કહે કે બેન આપણે બિનસચિવાલયના આંદોલન માટે મળ્યા હતા પણ અમને ઓર્ડર તો હજું મળ્યા નથી તો કશો જ પર્સનલ વાંક ના હોવા છતાંય શરમ આવે છે કે યાર આ બિચારા લોકો માટે 20 દિવસ બુમો પાડીને આપણે તો આગળ વધી ગયા આ લોકો તો ત્યાંનાં ત્યાં છે, ત્યારે જે લોકો મંત્રી નહોતા એ લોકો મંત્રી બન્યા છે, ચહેરાઓ બદલાઈ ગયા છે, વિપક્ષના ચહેરાઓ પણ બદલાયા છે પણ આ લોકોનું તો ગજબ જીવન છે, કશું બદલાતું જ નથી.


કોઈ જ ઘટનાક્રમ નથી લખવો, કેવી રીતે થયું, શું કામ થયું, સરકારે આ કર્યુ, વિપક્ષે પેલું કર્યું... जाने भी दो यारों क्यां फर्क पडता है!!! પણ જેને ફરક પડતો હોય એ શું કરશે? મને પડે છે તો હું આ લખું છું. સાંજ પડતા સુધીમાં મન કદાચ શાંત થઈ પણ જશે પણ એકસાથે ઉમટેલા અન્યાયની પીડા અને આક્રોશથી હલબલી ઉઠેલા મન શાંત નહીં થાય તો? કોણ એમને સમજાવશે કે આના સિવાયની દુનિયા પણ સુંદર છે...!સંભાવના અને સકારાત્મકતાથી ઘેરાયેલું આખુ વિશ્વ છે! કેટલાય છોકરાઓ એવા હશે જે સાંજ સુધી એ વિચારમાં ઘરે નહીં પહોંચે કે મા-બાપને શું જવાબ આપીશ! આશા એ જ છે કે એ લોકો સુધી કોઈક પહોંચે દિશા બતાવવા વાળું, એનો હાથ પકડીને ભરોસો અપાવવા વાળું. બાકી રાજનીતિ તો મરી પરવારી છે, આ લોકોની તાકાત નથી કે હવે સાંત્વના પણ આપી શકે. જે લોકો મોરબીની દુર્ઘટના પછી પણ સરકારના બચાવની ભુમિકામાં લાગ્યા હતા એ લોકો માટે પેપર ફુટ્યાં પછી પણ સરકારના નિર્ણયને બોલ્ડ નિર્ણય કહી દેવો આસાન થવાનો છે, કેમ કે દરેક લોકો પીડાં સુધી પહોંચી શકવા જેટલા ભાગ્યશાળી નથી હોતા. આ ઘટનાએ ફરી એકવાર અહેસાસ કરાવ્યો છે કે સિસ્ટમ બદલવા તો અમે સક્ષમ નથી, પણ સિસ્ટમથી અથડાંતા લોકોનો અવાજ બનવા માટે તો સક્ષમ છીએ. અને એટલે જ એકસાથે આવાત અમારે સરકારને પણ કરવી છે અને ઉમેદવારોને પણ.ઉમેદવારો તો કદાચ અથડાતા અટવાતા ઉભા થઈ  જશે, પણ સરકાર...તમે જે શાસનને અડીખમ અને પર્મેનન્ટ માની ચુક્યા છો એના પાયા કટાઈ રહ્યા છે. આ ઉમેદવારોને જવાબ આપજો બાકી સમય તો દરેકને જવાબ આપતો જ હોય છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.