જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપરનો ભાવ રૂ.12થી 15 લાખ, કોચિંગ સેન્ટરના બે ડાયરેકટરની અટકાયત


  • Published By :
  • Published Date : 2023-01-29 12:49:58

પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં સમગ્ર રાજ્યમાં હંગામો મચી ગયો છે. રાજ્યના વિવિધ ભાગોમાંથી પરીક્ષા આપવા પહોંચેલા ઉમેદવારોને જ્યારે ખબર પડી કે તેમની પરીક્ષા લેવાય તે પહેલા જ પેપર ફુટી ગયું છે, ત્યારે તેમના પર જાણે આસમાન તુટી પડ્યું હોય તેવી દશા થઈ હતી. આ પરીક્ષા માટે તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. 


પેપરનો ભાવ રૂ. 12થી 15 લાખ


જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કઈ રીતે થયું તે અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ પેપર સૌપ્રથમ હૈદરાબાદ પ્રિન્ટિંગ પ્રેસમાંથી આવ્યું અને પ્રદિપ નામનો એક વ્યક્તિ તે વડોદરાના માંજલપુર વિસ્તારમાં લાવ્યો હતો. આ પેપર લિકકાંડમાં કેતન બારોટ અને શેખર નામના યુવાનની સંડોવણી સામે આવી છે. વડોદરાની સ્ટેક વાઇઝ ટેકનોલોજી કોચિંગ સેન્ટરમાંથી પેપર આવ્યું હતું. જેમાં ઉમેરવાર દીઠ પેપરનો ભાવ 12થી 15 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. આ પેપર લેવા માટે 40થી 50 વિદ્યાર્થીઓ વડોદરાની સ્ટેક વાઇઝ ટેકનોલોજી કોચિંગમાં પહોંચ્યા હતા.


માસ્ટર માઈન્ડ ભાસ્કર ચૌધરી અને રિધ્ધિ ચૌધરી


જૂનિયર ક્લાર્કની પરીક્ષાના પેપરલીક  કાંડ મામલે વડોદરાના સ્ટેક વાઇઝ ટેક્નોલોજી ઇન્સ્ટીટ્યૂટના બે ડાયરેકટરની અટકાયત કરવામાં આવી છે. સ્ટેક વાઈઝ ટેક્નોલોજીના ડાયરેકટર ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની ગુજરાત ATSએ અટકાયત કરી છે. આ પેપર હૈદરાબાદની પ્રિન્ટિગ પ્રેસથી લીક થયા હતા અને સૌ પ્રથમ વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવ્યાં હતા. આ પેપર વડોદરાની સ્ટેક વાઇઝ ટેક્નોલોજીના ઇન્સ્ટીટ્યૂટમાંથી લીક થયું હોવાનું સામે આવતાં આ સંસ્થાના ડાયેરેક્ટર ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌઘરીની ગુજરાત ATSએ અટકાયત કર્યા બાદ પૂછપરછ શરુ કરી છે. 


પેપર લિંક કાંડના તાર દેશભરમાં જોડાયેલા છે


ગુજરાતી એટીએસે મોડી રાત્રે આ વડોદરાના ક્લાસિસ પર ઓપરેશન હાથ થર્યું હતું. પોલીસે 15થી વધારે લોકોની અટકાયત કરી અને હાલમાં પૂછપરછ શરૂ કરી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળનું જુનિયર ક્લાર્કનું પેપર ગુજરાત બહારથી લીક થતાં  તેલંગાણા, બિહાર, તમિલનાડું અને ઓડિશા સહિતના રાજ્યોના લોકો સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. ગુજરાત એટીએસની અલગ અલગ ટીમો આ અલગ અલગ રાજ્યોમાં તપાસ કરવા માટે પહોંચી ગઈ છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.