જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપરનો ભાવ રૂ.12થી 15 લાખ, કોચિંગ સેન્ટરના બે ડાયરેકટરની અટકાયત


  • Published By :
  • Published Date : 2023-01-29 12:49:58

પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં સમગ્ર રાજ્યમાં હંગામો મચી ગયો છે. રાજ્યના વિવિધ ભાગોમાંથી પરીક્ષા આપવા પહોંચેલા ઉમેદવારોને જ્યારે ખબર પડી કે તેમની પરીક્ષા લેવાય તે પહેલા જ પેપર ફુટી ગયું છે, ત્યારે તેમના પર જાણે આસમાન તુટી પડ્યું હોય તેવી દશા થઈ હતી. આ પરીક્ષા માટે તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. 


પેપરનો ભાવ રૂ. 12થી 15 લાખ


જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કઈ રીતે થયું તે અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ પેપર સૌપ્રથમ હૈદરાબાદ પ્રિન્ટિંગ પ્રેસમાંથી આવ્યું અને પ્રદિપ નામનો એક વ્યક્તિ તે વડોદરાના માંજલપુર વિસ્તારમાં લાવ્યો હતો. આ પેપર લિકકાંડમાં કેતન બારોટ અને શેખર નામના યુવાનની સંડોવણી સામે આવી છે. વડોદરાની સ્ટેક વાઇઝ ટેકનોલોજી કોચિંગ સેન્ટરમાંથી પેપર આવ્યું હતું. જેમાં ઉમેરવાર દીઠ પેપરનો ભાવ 12થી 15 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. આ પેપર લેવા માટે 40થી 50 વિદ્યાર્થીઓ વડોદરાની સ્ટેક વાઇઝ ટેકનોલોજી કોચિંગમાં પહોંચ્યા હતા.


માસ્ટર માઈન્ડ ભાસ્કર ચૌધરી અને રિધ્ધિ ચૌધરી


જૂનિયર ક્લાર્કની પરીક્ષાના પેપરલીક  કાંડ મામલે વડોદરાના સ્ટેક વાઇઝ ટેક્નોલોજી ઇન્સ્ટીટ્યૂટના બે ડાયરેકટરની અટકાયત કરવામાં આવી છે. સ્ટેક વાઈઝ ટેક્નોલોજીના ડાયરેકટર ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની ગુજરાત ATSએ અટકાયત કરી છે. આ પેપર હૈદરાબાદની પ્રિન્ટિગ પ્રેસથી લીક થયા હતા અને સૌ પ્રથમ વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવ્યાં હતા. આ પેપર વડોદરાની સ્ટેક વાઇઝ ટેક્નોલોજીના ઇન્સ્ટીટ્યૂટમાંથી લીક થયું હોવાનું સામે આવતાં આ સંસ્થાના ડાયેરેક્ટર ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌઘરીની ગુજરાત ATSએ અટકાયત કર્યા બાદ પૂછપરછ શરુ કરી છે. 


પેપર લિંક કાંડના તાર દેશભરમાં જોડાયેલા છે


ગુજરાતી એટીએસે મોડી રાત્રે આ વડોદરાના ક્લાસિસ પર ઓપરેશન હાથ થર્યું હતું. પોલીસે 15થી વધારે લોકોની અટકાયત કરી અને હાલમાં પૂછપરછ શરૂ કરી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળનું જુનિયર ક્લાર્કનું પેપર ગુજરાત બહારથી લીક થતાં  તેલંગાણા, બિહાર, તમિલનાડું અને ઓડિશા સહિતના રાજ્યોના લોકો સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. ગુજરાત એટીએસની અલગ અલગ ટીમો આ અલગ અલગ રાજ્યોમાં તપાસ કરવા માટે પહોંચી ગઈ છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.