જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપરનો ભાવ રૂ.12થી 15 લાખ, કોચિંગ સેન્ટરના બે ડાયરેકટરની અટકાયત


  • Published By :
  • Published Date : 2023-01-29 12:49:58

પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં સમગ્ર રાજ્યમાં હંગામો મચી ગયો છે. રાજ્યના વિવિધ ભાગોમાંથી પરીક્ષા આપવા પહોંચેલા ઉમેદવારોને જ્યારે ખબર પડી કે તેમની પરીક્ષા લેવાય તે પહેલા જ પેપર ફુટી ગયું છે, ત્યારે તેમના પર જાણે આસમાન તુટી પડ્યું હોય તેવી દશા થઈ હતી. આ પરીક્ષા માટે તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. 


પેપરનો ભાવ રૂ. 12થી 15 લાખ


જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કઈ રીતે થયું તે અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ પેપર સૌપ્રથમ હૈદરાબાદ પ્રિન્ટિંગ પ્રેસમાંથી આવ્યું અને પ્રદિપ નામનો એક વ્યક્તિ તે વડોદરાના માંજલપુર વિસ્તારમાં લાવ્યો હતો. આ પેપર લિકકાંડમાં કેતન બારોટ અને શેખર નામના યુવાનની સંડોવણી સામે આવી છે. વડોદરાની સ્ટેક વાઇઝ ટેકનોલોજી કોચિંગ સેન્ટરમાંથી પેપર આવ્યું હતું. જેમાં ઉમેરવાર દીઠ પેપરનો ભાવ 12થી 15 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. આ પેપર લેવા માટે 40થી 50 વિદ્યાર્થીઓ વડોદરાની સ્ટેક વાઇઝ ટેકનોલોજી કોચિંગમાં પહોંચ્યા હતા.


માસ્ટર માઈન્ડ ભાસ્કર ચૌધરી અને રિધ્ધિ ચૌધરી


જૂનિયર ક્લાર્કની પરીક્ષાના પેપરલીક  કાંડ મામલે વડોદરાના સ્ટેક વાઇઝ ટેક્નોલોજી ઇન્સ્ટીટ્યૂટના બે ડાયરેકટરની અટકાયત કરવામાં આવી છે. સ્ટેક વાઈઝ ટેક્નોલોજીના ડાયરેકટર ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની ગુજરાત ATSએ અટકાયત કરી છે. આ પેપર હૈદરાબાદની પ્રિન્ટિગ પ્રેસથી લીક થયા હતા અને સૌ પ્રથમ વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવ્યાં હતા. આ પેપર વડોદરાની સ્ટેક વાઇઝ ટેક્નોલોજીના ઇન્સ્ટીટ્યૂટમાંથી લીક થયું હોવાનું સામે આવતાં આ સંસ્થાના ડાયેરેક્ટર ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌઘરીની ગુજરાત ATSએ અટકાયત કર્યા બાદ પૂછપરછ શરુ કરી છે. 


પેપર લિંક કાંડના તાર દેશભરમાં જોડાયેલા છે


ગુજરાતી એટીએસે મોડી રાત્રે આ વડોદરાના ક્લાસિસ પર ઓપરેશન હાથ થર્યું હતું. પોલીસે 15થી વધારે લોકોની અટકાયત કરી અને હાલમાં પૂછપરછ શરૂ કરી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળનું જુનિયર ક્લાર્કનું પેપર ગુજરાત બહારથી લીક થતાં  તેલંગાણા, બિહાર, તમિલનાડું અને ઓડિશા સહિતના રાજ્યોના લોકો સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. ગુજરાત એટીએસની અલગ અલગ ટીમો આ અલગ અલગ રાજ્યોમાં તપાસ કરવા માટે પહોંચી ગઈ છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.