આતુરતાનો આવ્યો અંત! આજે રાજ્યના 9.53 લાખ જેટલા ઉમેદવારો આપશે જુનિયર ક્લાર્કની પરીક્ષા, તંત્ર એલર્ટ મોડ પર


  • Published By :
  • Published Date : 2023-04-09 11:13:28

રાજ્યના લાખો ઉમેદવારો જે ઘડીની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે આવી ગઈ છે. આજે સમગ્ર રાજ્યના 32 જિલ્લામાં બિન સચિવાલય જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવા જઈ રહી છે. આ પરીક્ષાને લઈ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે જડબેસલાક તૈયારી કરી છે. આજે રાજ્યના 32 જિલ્લાના 3 હજાર કેન્દ્ર પર 9.53 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. આ માટે દરેક પરીક્ષા કેન્દ્ર પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા આજે બપોરે સાડા બાર વાગ્યે યોજાશે. પરીક્ષા કેન્દ્રો ખાતે ઉમેદવારોનું વોર્ન કેમેરાથી ચેકિંગ કરાશે. તમામ પરીક્ષા કેન્દ્રોના ક્લાસરૂમ CCTVથી સુસજ્જ બનાવવામાં આવ્યા છે. તમામ પરીક્ષાર્થીઓ પર બૉડી-વોર્ન કેમેરાથી નજર રખાશે. 


તંત્ર એલર્ટ મોડ પર


જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના માઠા અનુભવોમાંથી શીખ લઈને આ વખતે વહીવટી તંત્રએ ઉમેદવારોના પરીક્ષા કેન્દ્રની જિલ્લા ફેરબદલી કરી નાખી છે. ઉમેદવારો પાન, ઓળખકાર્ડ, કોલ લેટર સિવાય કોઈ પણ વસ્તુ વર્ગખંડમાં નહીં લઇ જઈ શકે. સાથે જ નિરીક્ષક પણ કેન્દ્ર ખાતે મોબાઇલ ફોનનો ઉપયોગ નહીં કરી શકે. ઉમેદવારોએ બુટ-ચંપલ પણ વર્ગ ખંડની બહાર કાઢવા પડશે. સરકારે પ્રથમ વખત પરીક્ષાર્થી ઉમેદવારોને કેન્દ્રો સુધી પહોંચવા માટે 254 રૂપિયા મુસાફરી ભથ્થું આપ્યું છે.


પરીક્ષાર્થીઓ માટે 6 હજાર  ST બસ


જુનિયર ક્લાર્કની પરીક્ષાના ઉમેદવારોની સુવિધા માટે ST વિભાગે હજાર એક્સ્ટ્રા બસની  વ્યવસ્થા કરવામાં આવી છે. તે ઉપરાંત રેલવે દ્વારા પણ ‘પરીક્ષા સ્પેશિયલ ટ્રેન’ દોડાવવામાં આવી છે. પરીક્ષાર્થીઓ ગત રાતે જ પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા માટે રવાના થયા હતા.વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઇ મુશ્કેલી ન પડે તે માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. 


ડમી ઉમેદવાર ચેતી જજો


જુનિયર ક્લાર્કની પરીક્ષાના દરેક કેન્દ્ર પર ઉમેદવારો પર બોડી વોર્ન કેમેરાથી ચેકિંગ કરવામાં આવશે, કોઈપણ ‘ડમી ઉમેદવાર’ કેન્દ્રમાં પ્રવેશવાનો પ્રયત્ન કરશે તો તે ગેટ પર જ પકડાઈ જશે. ડમી ઉમેદવાર સામે નવા કાયદા મુજબ પગલા લેવાશે. સાથે વર્ગ ખંડથી લઈને પરીક્ષા કેન્દ્રના પરિસર અને લોબીમાં સીસીટીવી કેમેરાથી નજર રખાશે. રાજ્યમાં 500થી વધુ ફ્લાઈંગ સ્કોવોર્ડ તૈનાત રહેશે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.