આતુરતાનો આવ્યો અંત! આજે રાજ્યના 9.53 લાખ જેટલા ઉમેદવારો આપશે જુનિયર ક્લાર્કની પરીક્ષા, તંત્ર એલર્ટ મોડ પર


  • Published By :
  • Published Date : 2023-04-09 11:13:28

રાજ્યના લાખો ઉમેદવારો જે ઘડીની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે આવી ગઈ છે. આજે સમગ્ર રાજ્યના 32 જિલ્લામાં બિન સચિવાલય જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવા જઈ રહી છે. આ પરીક્ષાને લઈ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે જડબેસલાક તૈયારી કરી છે. આજે રાજ્યના 32 જિલ્લાના 3 હજાર કેન્દ્ર પર 9.53 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. આ માટે દરેક પરીક્ષા કેન્દ્ર પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા આજે બપોરે સાડા બાર વાગ્યે યોજાશે. પરીક્ષા કેન્દ્રો ખાતે ઉમેદવારોનું વોર્ન કેમેરાથી ચેકિંગ કરાશે. તમામ પરીક્ષા કેન્દ્રોના ક્લાસરૂમ CCTVથી સુસજ્જ બનાવવામાં આવ્યા છે. તમામ પરીક્ષાર્થીઓ પર બૉડી-વોર્ન કેમેરાથી નજર રખાશે. 


તંત્ર એલર્ટ મોડ પર


જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના માઠા અનુભવોમાંથી શીખ લઈને આ વખતે વહીવટી તંત્રએ ઉમેદવારોના પરીક્ષા કેન્દ્રની જિલ્લા ફેરબદલી કરી નાખી છે. ઉમેદવારો પાન, ઓળખકાર્ડ, કોલ લેટર સિવાય કોઈ પણ વસ્તુ વર્ગખંડમાં નહીં લઇ જઈ શકે. સાથે જ નિરીક્ષક પણ કેન્દ્ર ખાતે મોબાઇલ ફોનનો ઉપયોગ નહીં કરી શકે. ઉમેદવારોએ બુટ-ચંપલ પણ વર્ગ ખંડની બહાર કાઢવા પડશે. સરકારે પ્રથમ વખત પરીક્ષાર્થી ઉમેદવારોને કેન્દ્રો સુધી પહોંચવા માટે 254 રૂપિયા મુસાફરી ભથ્થું આપ્યું છે.


પરીક્ષાર્થીઓ માટે 6 હજાર  ST બસ


જુનિયર ક્લાર્કની પરીક્ષાના ઉમેદવારોની સુવિધા માટે ST વિભાગે હજાર એક્સ્ટ્રા બસની  વ્યવસ્થા કરવામાં આવી છે. તે ઉપરાંત રેલવે દ્વારા પણ ‘પરીક્ષા સ્પેશિયલ ટ્રેન’ દોડાવવામાં આવી છે. પરીક્ષાર્થીઓ ગત રાતે જ પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા માટે રવાના થયા હતા.વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઇ મુશ્કેલી ન પડે તે માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. 


ડમી ઉમેદવાર ચેતી જજો


જુનિયર ક્લાર્કની પરીક્ષાના દરેક કેન્દ્ર પર ઉમેદવારો પર બોડી વોર્ન કેમેરાથી ચેકિંગ કરવામાં આવશે, કોઈપણ ‘ડમી ઉમેદવાર’ કેન્દ્રમાં પ્રવેશવાનો પ્રયત્ન કરશે તો તે ગેટ પર જ પકડાઈ જશે. ડમી ઉમેદવાર સામે નવા કાયદા મુજબ પગલા લેવાશે. સાથે વર્ગ ખંડથી લઈને પરીક્ષા કેન્દ્રના પરિસર અને લોબીમાં સીસીટીવી કેમેરાથી નજર રખાશે. રાજ્યમાં 500થી વધુ ફ્લાઈંગ સ્કોવોર્ડ તૈનાત રહેશે. 




અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.