Cancer સામેની જંગ હાર્યા જૂનિયર મહેમૂદ, બોલિવુડમાં પ્રસરી શોકની લાગણી


  • Published By :
  • Published Date : 2023-12-08 13:43:18

થોડા સમય પહેલા સીઆઈડીમાં ફેડીનો રોલ નિભાવનાર દિનેશ ફડનીસનું નિધન થઈ ગયું હતું ત્યારે ફરી એક વખત ફિલ્મ જગતથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. કેન્સરથી ઝઝુમી રહેલા જૂનિયર મહેમૂદ તરીકે ફેમસ થયેલા નઈમ સૈયદે દુનિયાને અલવિદા કહી દીધું છે. કલાકારનું નિધન શુક્રવાર વહેલી સવારે થયું હતું. 67 વર્ષના જુનિયર મહેમુદ છેલ્લા ઘણા સમયથી કેન્સરની બિમારીથી પીડાઈ રહ્યા હતા. કલાકારના નિધનના સમાચાર સાંભળી બોલિવુડ જગતમાં શોકની વ્યાપી ઉઠી છે. મળતી માહિતી અનુસાર તેમના અંતિમ સંસ્કાર શુક્રવાર સાંજે કરવામાં આવશે.

જાણીતા અભિનેતા જુનિયર મેહમુદનું કેન્સરને કારણે નિધન: ઉંમરના 67માં વર્ષે  લીધા અંતિમ શ્વાસ - મુંબઈ સમાચાર

67 વર્ષની ઉંમરે અભિનેતાએ લીધા અંતિમ શ્વાસ  

કેન્સરનો રોગ જેને થયો હોય તેના માટે સામાન્ય રીતે માનવામાં આવે છે કે તેમનું બચવું અશક્ય છે. અનેક કિસ્સાઓ એવા હોય છે કે જેમાં છેલ્લા સ્ટેજ પહોંચેલા વ્યક્તિનું મોત થઈ જાય છે. ત્યારે બોલિવુડ એક્ટર જૂનિયર મેહમૂદ ઉર્ફે નઈમ સૈયદ પણ કેન્સરની બિમારીથી લડી રહ્યા હતા. તેમનો કેન્સર ચોથા સ્ટેજ પર હતો તેવી માહિતી સામે આવી હતી. તેમના નિધનથી સિનેમા ઈન્ડસ્ટ્રીમાં તેમજ તેમના ફેનમાં શોક વ્યાપી ઉઠ્યો છે. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે તેમની પરિસ્થિતિ અત્યંત નાજુક છે, જીંદગી અને મોત વચ્ચે ઝઝુમી રહ્યા છે. બોલિવુડ સ્ટાર જીતેન્દ્ર પણ તેમને મળવા થોડા દિવસો પહેલા પહોંચ્યા હતા.

જુનિયર મહેમૂદની હાલત જોઈ જિતેન્દ્રના છલકાયા આંસૂ, પૂરી કરી આ ઈચ્છા, ફોટો  વાયરલ | Jeetendra and Sachin Pilgaonkar met Junior Mehmood and fulfilled  his last wish, photos viral. - Gujarati ...

જિતેન્દ્રએ લીધી હતી અભિનેતાની મુલાકાત 

એક્ટરની તબિયત ખરાબ છે તેવા સમાચાર સામે આવતા તેમના ફેન્સ ચિંતિત થઈ ગયા હતા. તેમના ચાહકોએ પ્રાર્થના પણ કરી હતી કે તે જલ્દી સાજા થઈ પરંતુ તેમણે અંતિમ શ્વાસ લીધા છે. જિતેન્દ્ર જ્યારે તેમને મળવા પહોંચ્યા હતા ત્યારે તેમને જોઈ તે ભાવુક થઈ ગયા હતા. મુલાકાતની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી.   



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.