Cancer સામેની જંગ હાર્યા જૂનિયર મહેમૂદ, બોલિવુડમાં પ્રસરી શોકની લાગણી


  • Published By :
  • Published Date : 2023-12-08 13:43:18

થોડા સમય પહેલા સીઆઈડીમાં ફેડીનો રોલ નિભાવનાર દિનેશ ફડનીસનું નિધન થઈ ગયું હતું ત્યારે ફરી એક વખત ફિલ્મ જગતથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. કેન્સરથી ઝઝુમી રહેલા જૂનિયર મહેમૂદ તરીકે ફેમસ થયેલા નઈમ સૈયદે દુનિયાને અલવિદા કહી દીધું છે. કલાકારનું નિધન શુક્રવાર વહેલી સવારે થયું હતું. 67 વર્ષના જુનિયર મહેમુદ છેલ્લા ઘણા સમયથી કેન્સરની બિમારીથી પીડાઈ રહ્યા હતા. કલાકારના નિધનના સમાચાર સાંભળી બોલિવુડ જગતમાં શોકની વ્યાપી ઉઠી છે. મળતી માહિતી અનુસાર તેમના અંતિમ સંસ્કાર શુક્રવાર સાંજે કરવામાં આવશે.

જાણીતા અભિનેતા જુનિયર મેહમુદનું કેન્સરને કારણે નિધન: ઉંમરના 67માં વર્ષે  લીધા અંતિમ શ્વાસ - મુંબઈ સમાચાર

67 વર્ષની ઉંમરે અભિનેતાએ લીધા અંતિમ શ્વાસ  

કેન્સરનો રોગ જેને થયો હોય તેના માટે સામાન્ય રીતે માનવામાં આવે છે કે તેમનું બચવું અશક્ય છે. અનેક કિસ્સાઓ એવા હોય છે કે જેમાં છેલ્લા સ્ટેજ પહોંચેલા વ્યક્તિનું મોત થઈ જાય છે. ત્યારે બોલિવુડ એક્ટર જૂનિયર મેહમૂદ ઉર્ફે નઈમ સૈયદ પણ કેન્સરની બિમારીથી લડી રહ્યા હતા. તેમનો કેન્સર ચોથા સ્ટેજ પર હતો તેવી માહિતી સામે આવી હતી. તેમના નિધનથી સિનેમા ઈન્ડસ્ટ્રીમાં તેમજ તેમના ફેનમાં શોક વ્યાપી ઉઠ્યો છે. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે તેમની પરિસ્થિતિ અત્યંત નાજુક છે, જીંદગી અને મોત વચ્ચે ઝઝુમી રહ્યા છે. બોલિવુડ સ્ટાર જીતેન્દ્ર પણ તેમને મળવા થોડા દિવસો પહેલા પહોંચ્યા હતા.

જુનિયર મહેમૂદની હાલત જોઈ જિતેન્દ્રના છલકાયા આંસૂ, પૂરી કરી આ ઈચ્છા, ફોટો  વાયરલ | Jeetendra and Sachin Pilgaonkar met Junior Mehmood and fulfilled  his last wish, photos viral. - Gujarati ...

જિતેન્દ્રએ લીધી હતી અભિનેતાની મુલાકાત 

એક્ટરની તબિયત ખરાબ છે તેવા સમાચાર સામે આવતા તેમના ફેન્સ ચિંતિત થઈ ગયા હતા. તેમના ચાહકોએ પ્રાર્થના પણ કરી હતી કે તે જલ્દી સાજા થઈ પરંતુ તેમણે અંતિમ શ્વાસ લીધા છે. જિતેન્દ્ર જ્યારે તેમને મળવા પહોંચ્યા હતા ત્યારે તેમને જોઈ તે ભાવુક થઈ ગયા હતા. મુલાકાતની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી.   



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.

આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.