Cancer સામેની જંગ હાર્યા જૂનિયર મહેમૂદ, બોલિવુડમાં પ્રસરી શોકની લાગણી


  • Published By :
  • Published Date : 2023-12-08 13:43:18

થોડા સમય પહેલા સીઆઈડીમાં ફેડીનો રોલ નિભાવનાર દિનેશ ફડનીસનું નિધન થઈ ગયું હતું ત્યારે ફરી એક વખત ફિલ્મ જગતથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. કેન્સરથી ઝઝુમી રહેલા જૂનિયર મહેમૂદ તરીકે ફેમસ થયેલા નઈમ સૈયદે દુનિયાને અલવિદા કહી દીધું છે. કલાકારનું નિધન શુક્રવાર વહેલી સવારે થયું હતું. 67 વર્ષના જુનિયર મહેમુદ છેલ્લા ઘણા સમયથી કેન્સરની બિમારીથી પીડાઈ રહ્યા હતા. કલાકારના નિધનના સમાચાર સાંભળી બોલિવુડ જગતમાં શોકની વ્યાપી ઉઠી છે. મળતી માહિતી અનુસાર તેમના અંતિમ સંસ્કાર શુક્રવાર સાંજે કરવામાં આવશે.

જાણીતા અભિનેતા જુનિયર મેહમુદનું કેન્સરને કારણે નિધન: ઉંમરના 67માં વર્ષે  લીધા અંતિમ શ્વાસ - મુંબઈ સમાચાર

67 વર્ષની ઉંમરે અભિનેતાએ લીધા અંતિમ શ્વાસ  

કેન્સરનો રોગ જેને થયો હોય તેના માટે સામાન્ય રીતે માનવામાં આવે છે કે તેમનું બચવું અશક્ય છે. અનેક કિસ્સાઓ એવા હોય છે કે જેમાં છેલ્લા સ્ટેજ પહોંચેલા વ્યક્તિનું મોત થઈ જાય છે. ત્યારે બોલિવુડ એક્ટર જૂનિયર મેહમૂદ ઉર્ફે નઈમ સૈયદ પણ કેન્સરની બિમારીથી લડી રહ્યા હતા. તેમનો કેન્સર ચોથા સ્ટેજ પર હતો તેવી માહિતી સામે આવી હતી. તેમના નિધનથી સિનેમા ઈન્ડસ્ટ્રીમાં તેમજ તેમના ફેનમાં શોક વ્યાપી ઉઠ્યો છે. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે તેમની પરિસ્થિતિ અત્યંત નાજુક છે, જીંદગી અને મોત વચ્ચે ઝઝુમી રહ્યા છે. બોલિવુડ સ્ટાર જીતેન્દ્ર પણ તેમને મળવા થોડા દિવસો પહેલા પહોંચ્યા હતા.

જુનિયર મહેમૂદની હાલત જોઈ જિતેન્દ્રના છલકાયા આંસૂ, પૂરી કરી આ ઈચ્છા, ફોટો  વાયરલ | Jeetendra and Sachin Pilgaonkar met Junior Mehmood and fulfilled  his last wish, photos viral. - Gujarati ...

જિતેન્દ્રએ લીધી હતી અભિનેતાની મુલાકાત 

એક્ટરની તબિયત ખરાબ છે તેવા સમાચાર સામે આવતા તેમના ફેન્સ ચિંતિત થઈ ગયા હતા. તેમના ચાહકોએ પ્રાર્થના પણ કરી હતી કે તે જલ્દી સાજા થઈ પરંતુ તેમણે અંતિમ શ્વાસ લીધા છે. જિતેન્દ્ર જ્યારે તેમને મળવા પહોંચ્યા હતા ત્યારે તેમને જોઈ તે ભાવુક થઈ ગયા હતા. મુલાકાતની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી.   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.