Social Media પર ટ્રેન્ડ થયું #JusticeForGPSCAspirant, જાણો શા માટે GPSC Aspirant ચલાવી રહ્યા છે આ મુહિમ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-07 15:01:09

ભારત આઝાદ થયું એ પહેલાથીજ આપણા સમાજમાં સરકારી નોકરીઓનું મહત્વ ખુબજ રહેલું છે . અને ભારતની આઝાદીમાં જે મોટા નેતાઓ થયા તે પણ કયાંકને ક્યાંક ભારત સરકારની પ્રતિષ્ઠિત પરીક્ષાઓ પાસ કરેલા હતા અથવા સરકારમાં તેઓ ક્યાંકને ક્યાંક પદ પર હતા . આમ આપ ઉદાહરણ તરીકે નેતાજી સુભાષ ચંદ્ર બોઝને લઈ શકો છો. 

સોશિયલ મીડિયા પર શરૂ થયો આ ટ્રેન્ડ!

ભારત સરકાર હોય કે ગુજરાત સરકાર એનો વહીવટ વિવિધ મંત્રાલયોની મદદથી થાય છે . બાબાસાહેબ આંબેડકરે એક વાર કીધું હતું કે , બંધારણ ગમે તેટલું સારું બનાવવામાં આવે , તેનો અમલ કરનારા ખરાબ હોય તો વહીવટ ખરાબ થઈ જાય છે . એટલે છેલ્લે વસ્તુઓ તો વહીવટ કરનારાની વિચારધારા પર જ નિર્ભર હોય છે . હવે આવી જ વાત ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન સાથે બની છે . આજે થયું છે એવું કે , પ્લેટફોર્મ X એટલેકે ટ્વિટર પર #JUSTICEFORGPSCASPIRANTS નામનો ટ્રેન્ડ  ચાલુ થઈ ગયો છે . અને GPSC aspirants તેમની વ્યથા પ્લેટફરોમ X પર ઠાલવી રહ્યા છે . 


શું છે જીપીએસસી એસ્પીરેન્ટના પ્રશ્નો?

વાત આખી એમ છે કે , એક સમયે ગુજરાત સરકારનું નાક ગણાતી સંસ્થા જ આજે ગુજરાત સરકારનું નાક કાપી રહી છે . એક સમયે દેશનું સર્વશ્રેષ્ઠ ગણાતું GPSC આજે સૌથી ધીમું અને અન્યાયી કમિશન બની ગયું છે . GPSC aspirantsના પ્રશ્નો આ મુજબ છે જેમ કે , મુખ્ય પરીક્ષા એટલે કે MAINS પરીક્ષા પેપરમાં ચેડાં , કેટલીક ભરતીઓમાં ગેરરીતિ પણ થઈ છે , કેટલીક ભારતીયોના પરિણામો પણ અટકેલા છે . હવે વિદ્યાર્થીઓએ અવારનવાર ન્યાય મેળવવા હાઈકૉર્ટમાં જવું પડે છે , જેમાં યુવાનોના કિંમતી સમય અને નાણાંનો વ્યય થાય છે . 


જ્યાં સુધી દિનેશ દાસા સર હતા ત્યાં સુધી બરાબર હતું... 

ગુજરાત સરકારે તત્કાલીન ધોરણે આ સંસ્થા પર ધ્યાન આપવું જોઈએ , અને વિદ્યાર્થીઓની સમસ્યાઓને વાચા પણ આપવી જોઈએ . તદુપરાંત GPSCના ચેરમેન પદે કાર્યક્ષમ અને કાયમી વ્યક્તિની નિમણુંક થવી જોઈએ નહિ કે કામચલાઉ વ્યક્તિ . GPSC ના ચેરમેન DINESH DASA હતા ત્યાં સુધી બધું જ બરાબર ચાલતું હતું , ત્યારબાદ બધુ જ અવ્યવસ્થિત રીતે પાટા પરથી ઉતરી ગયું હોય તેવું લાગે છે , સરકારનો કોઈ પણ વિભાગ કે મંત્રાલય એક જ વ્યક્તિના વ્યક્તિત્વનો મોહતાજ ના હોવો જોયીએ . હાલમાં GPSC એસ્પિરેટસમાં એક વાત ચાલી રહી છે કે , કોઈની જિંદગી બગાડવી હોય તો ... એક માત્ર ઉપાય છે ... એને gpscના રવાડે ચઢાવી દેવો . આ હકીકત છે , સાચા મહેનતુ ઉમેદવારોના હાલ GPSC એ બેહાલ કરી નાખ્યા છે .



માતા પિતા પણ સાથે નથી રહેતા હતા હવે તો.. અનેક લોકો એવા હોય છે જે માતા પિતાની સાથે તો રહે છે પરંતુ તેમને દુ:ખી કરે છે.. બાળકના વ્યવહારથી માતા પિતાનું દિલ દુભાય છે.. પરિવારનું મહત્વ શું હોય છે તે જાણવું હોયને તો એક વખત અનાથાશ્રમની મુલાકાત લેવી જોઈએ..

ગઈકાલે પીએમ મોદીએ વારાણસીની લોકસભા બેઠક પરથી પીએમ મોદીએ દાવેદારી નોંધાવી હતી.. ઉમેદવારોએ એફિડેવિટ કરવી પડતી હોય છે જેમાં તેમની પાસે કેટલી મિલકત છે, કેટલું સોનું છે તે સહિતની વિગતો આપવાની રહે છે. પીએમ બન્યા પછી તેમની સંપત્તિમાં વધારો થયો છે.

એક તરફ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો તો બીજી તરફ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. 16 તારીખ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે..

ગુજરાતમાં પણ અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. બનાસકાંઠા, વલસાડ. ભરૂચ, આણંદ સહિતની અનેક બેઠકો એવી છે જેના પરિણામ પર સૌ કોઈની નજર રહેલી છે.. ત્યારે ગુજરાતમાં 26 બેઠકોમાંથી 14 જેટલી બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારની જીત થશે તેવો આશાવાદ અમિત ચાવડાએ વ્યક્ત કર્યો છે.