Social Media પર ટ્રેન્ડ થયું #JusticeForGPSCAspirant, જાણો શા માટે GPSC Aspirant ચલાવી રહ્યા છે આ મુહિમ?


  • Published By :
  • Published Date : 2024-03-07 15:01:09

ભારત આઝાદ થયું એ પહેલાથીજ આપણા સમાજમાં સરકારી નોકરીઓનું મહત્વ ખુબજ રહેલું છે . અને ભારતની આઝાદીમાં જે મોટા નેતાઓ થયા તે પણ કયાંકને ક્યાંક ભારત સરકારની પ્રતિષ્ઠિત પરીક્ષાઓ પાસ કરેલા હતા અથવા સરકારમાં તેઓ ક્યાંકને ક્યાંક પદ પર હતા . આમ આપ ઉદાહરણ તરીકે નેતાજી સુભાષ ચંદ્ર બોઝને લઈ શકો છો. 

સોશિયલ મીડિયા પર શરૂ થયો આ ટ્રેન્ડ!

ભારત સરકાર હોય કે ગુજરાત સરકાર એનો વહીવટ વિવિધ મંત્રાલયોની મદદથી થાય છે . બાબાસાહેબ આંબેડકરે એક વાર કીધું હતું કે , બંધારણ ગમે તેટલું સારું બનાવવામાં આવે , તેનો અમલ કરનારા ખરાબ હોય તો વહીવટ ખરાબ થઈ જાય છે . એટલે છેલ્લે વસ્તુઓ તો વહીવટ કરનારાની વિચારધારા પર જ નિર્ભર હોય છે . હવે આવી જ વાત ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન સાથે બની છે . આજે થયું છે એવું કે , પ્લેટફોર્મ X એટલેકે ટ્વિટર પર #JUSTICEFORGPSCASPIRANTS નામનો ટ્રેન્ડ  ચાલુ થઈ ગયો છે . અને GPSC aspirants તેમની વ્યથા પ્લેટફરોમ X પર ઠાલવી રહ્યા છે . 


શું છે જીપીએસસી એસ્પીરેન્ટના પ્રશ્નો?

વાત આખી એમ છે કે , એક સમયે ગુજરાત સરકારનું નાક ગણાતી સંસ્થા જ આજે ગુજરાત સરકારનું નાક કાપી રહી છે . એક સમયે દેશનું સર્વશ્રેષ્ઠ ગણાતું GPSC આજે સૌથી ધીમું અને અન્યાયી કમિશન બની ગયું છે . GPSC aspirantsના પ્રશ્નો આ મુજબ છે જેમ કે , મુખ્ય પરીક્ષા એટલે કે MAINS પરીક્ષા પેપરમાં ચેડાં , કેટલીક ભરતીઓમાં ગેરરીતિ પણ થઈ છે , કેટલીક ભારતીયોના પરિણામો પણ અટકેલા છે . હવે વિદ્યાર્થીઓએ અવારનવાર ન્યાય મેળવવા હાઈકૉર્ટમાં જવું પડે છે , જેમાં યુવાનોના કિંમતી સમય અને નાણાંનો વ્યય થાય છે . 


જ્યાં સુધી દિનેશ દાસા સર હતા ત્યાં સુધી બરાબર હતું... 

ગુજરાત સરકારે તત્કાલીન ધોરણે આ સંસ્થા પર ધ્યાન આપવું જોઈએ , અને વિદ્યાર્થીઓની સમસ્યાઓને વાચા પણ આપવી જોઈએ . તદુપરાંત GPSCના ચેરમેન પદે કાર્યક્ષમ અને કાયમી વ્યક્તિની નિમણુંક થવી જોઈએ નહિ કે કામચલાઉ વ્યક્તિ . GPSC ના ચેરમેન DINESH DASA હતા ત્યાં સુધી બધું જ બરાબર ચાલતું હતું , ત્યારબાદ બધુ જ અવ્યવસ્થિત રીતે પાટા પરથી ઉતરી ગયું હોય તેવું લાગે છે , સરકારનો કોઈ પણ વિભાગ કે મંત્રાલય એક જ વ્યક્તિના વ્યક્તિત્વનો મોહતાજ ના હોવો જોયીએ . હાલમાં GPSC એસ્પિરેટસમાં એક વાત ચાલી રહી છે કે , કોઈની જિંદગી બગાડવી હોય તો ... એક માત્ર ઉપાય છે ... એને gpscના રવાડે ચઢાવી દેવો . આ હકીકત છે , સાચા મહેનતુ ઉમેદવારોના હાલ GPSC એ બેહાલ કરી નાખ્યા છે .



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.