Jyoti CNC Automation Limited IPO: આજે ખુલ્યો વર્ષનો પહેલો આઈપીઓ, જાણો કેટલો ચાલી રહ્યો છે GMP


  • Published By :
  • Published Date : 2024-01-09 14:58:55

IPOમાં રોકાણ કરનારા લોકો માટે સારા સમાચાર આવ્યા છે, નવા વર્ષના આરંભ સાથે જ Jyoti CNC Automation Limitedનો આઈપીઓ આ ખુલી ગયો છે. ગુજરાતના રાજકોટની કંપની Jyoti CNC Automation Limitedનો એક હજાર કરોડનો આઈપીઓમાં આગામી 11 જાન્યુઆરી સુધી અરજી કરી શકાય છે.  આઈપીઓની પ્રાઈઝ બેન્ડ 315થી 331 રૂપિયા નક્કી કરવામાં આવી છે.


શું છે કંપનીનો બિઝનેશ? 


IPO માટે  45 શેરનો એક લોટ નક્કી કરવામાં આવ્યો છે, આઈપીઓ માટે 10 ટકા શેર રિટેલ ઈન્વેસ્ટરો માટે અનામત રાખવામાં આવ્યા છે. કંપનીના બિઝનેશ અંગે જાણીએ તો Jyoti CNC Automation Limited ઓેટોમેશન, ન્યૂમેરિકલ કન્ટ્રોલ મશીનોનું નિર્માણ કરનારી કંપનીઓ પૈકીની એક છે, આ કંપન વર્લ્ડ ક્લાસ સીએનસી મશીન ભારતમાં બનાવે છે. તેમાં CNC Turning Centers, CNC Turn Mill Centers, CNC Vertical Machining Centers (VMCs), CNC Horizontal Machining Centers (HMCs), Simultaneous 3-Axis CNC machining Centers, Simultaneous 5-Axis CNC machining Centers और Multi-tasking machinesનો સમાવેસ થાય છે. આ કંપનીની શરૂઆત જાન્યુઆરી 1991માં થઈ હતી. હાલના સમયે ભારતમાં સીએનસી મશીનની સપ્લાઈ કરનારી બીજી સૌથી મોટી કંપની છે. તેના ગ્રાહકોમાં ઈસરો, બ્રહ્મોસ એરોસ્પેશ તિરૂવનંતપુરમ લિમિટેડ ટર્કિશ એરોસ્પેસ, MBDA, યુનિપાર્ટ્સ ઈન્ડિયા, ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ, ટાટા સિકોર્સ્કી એરોસ્પેસ લિમિટેડ, ભારત ફોર્જ લિમિટેડ, કલ્યાણી ટેક્નોફોર્જ લિમિટેડ, રોલેક્સ રિંગ્સ લિમિટેડ અને બોશ લિમિટેડનો સમાવેશ થાય છે. સપ્ટેમ્બર 2023 સુધીમાં, કંપનીની ઓર્ડર બુકમાં રૂ. 3,315.33 કરોડનું કામ હતું.


કેટલો છે GMP?


જ્યોતિ CNC ઓટોમેશન IPOનું ગ્રે માર્કેટ પ્રીમિયમ રૂ. 100 પર ચાલી રહ્યું છે. એટલે કે રોકાણકારો તેને રૂ. 431 પર લિસ્ટેડ થવાની અપેક્ષા રાખી રહ્યા છે. ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ, ICICI સિક્યોરિટીઝ લિમિટેડ અને SBI કેપિટલ માર્કેટ્સ લિમિટેડને આ IPO માટે બુક રનિંગ લીડ મેનેજર બનાવવામાં આવ્યા છે. આ IPO માટે રજિસ્ટ્રાર લિંક ઈન્ટાઇમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડની નિમણૂક કરવામાં આવી છે. કંપનીએ ઈસ્યુ ખુલતા પહેલા એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી રૂ. 447.75 કરોડ એકત્ર કર્યા હતા. આ રાઉન્ડમાં Goldman Sachs, Nomura Funds, Master Trust Bank of Japan, Prudential Hong Kong, Carmignac Portfolio, Allianz Global Investors Fund और Eastspring Investments India Fundએ ભાગ લીધો હતો.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.