Congress છોડી BJPમાં આવનાર Jyotiraditya Scindiaએ UPAના કૌભાંડો ગણાવતી વખતે સાધી ચુપ્પી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-10 16:00:06

સંસદમાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સામાન્ય રીતે કોઈ પણ ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય પાર્ટી એક બીજા પર આરોપ પ્રત્યારોપ લગાવતી હોય છે. શાબ્દિક પ્રહાર કરવામા આવતા હોય છે. એક બીજાની નીતિની ખામીઓ, પોતાની સરકાર દ્વારા કરવામાં આવતા કામો ગણાવવામાં આવતા હોય છે. પરંતુ હવે સંસદ પણ સરકાર માટે પોતાની વાહવાહી કરવાનું સાધન બની ગયું હોય તેવું લાગે છે. સંસદમાં વિપક્ષી પાર્ટીઓ પર સત્તાપક્ષ શાબ્દિક પ્રહાર કરે તો વિપક્ષ સરકારની નીતિઓમાં ખામી શોધે. 

અમિત શાહ બોલતા રહ્યા પરંતુ જ્યોતિરાદિત્ય સિંધિયા મૌન રહ્યા!

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અમિત શાહ યુપીએના સમયે જે કૌભાંડો થયા તે ગણાવી રહ્યા હતા, ત્યારે તેમની પાછળ બેઠેલા જ્યોતિરાદિત્ય સિંધિયા શાંત બેઠેલા દેખાઈ રહ્યા છે. આ વીડિયો સંસદનો છે. એક તરફ અમિત શાહ કૌભાંડોના નામ બોલી રહ્યા હતા, તેમની પાછળ બેઠેલા સાંસદો પણ યુપીએનું નામ જાણે માળા જપતા હોય તેવી રીતે બોલી રહ્યા હતા. પરંતુ આ બધા વચ્ચે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા એકદમ શાંત અને નિરસ જોવા મળ્યા હતા. 



કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે જ્યોતિરાદિત્ય સિંધિયા

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ અલગ અલગ કમેન્ટ કરી રહ્યા છે. મહત્વનું છે કે હાથ છોડી કમળમાં આવ્યા હતા, મતલબ કે કોંગ્રેસ પાર્ટી છોડી તેઓ ભાજપમાં જોડાયા હતા. ત્યારે લોકોએ એન્ગલથી પણ વિચારી રહ્યા છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે એટલા માટે તેઓ અમિત શાહના ભાષણ વખતે કંઈ બોલતા નથી દેખાઈ રહ્યા. આજે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર જ્યોતિરાદિત્ય સિંધિયા બોલ્યા હતા.    



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.