Congress છોડી BJPમાં આવનાર Jyotiraditya Scindiaએ UPAના કૌભાંડો ગણાવતી વખતે સાધી ચુપ્પી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-10 16:00:06

સંસદમાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સામાન્ય રીતે કોઈ પણ ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય પાર્ટી એક બીજા પર આરોપ પ્રત્યારોપ લગાવતી હોય છે. શાબ્દિક પ્રહાર કરવામા આવતા હોય છે. એક બીજાની નીતિની ખામીઓ, પોતાની સરકાર દ્વારા કરવામાં આવતા કામો ગણાવવામાં આવતા હોય છે. પરંતુ હવે સંસદ પણ સરકાર માટે પોતાની વાહવાહી કરવાનું સાધન બની ગયું હોય તેવું લાગે છે. સંસદમાં વિપક્ષી પાર્ટીઓ પર સત્તાપક્ષ શાબ્દિક પ્રહાર કરે તો વિપક્ષ સરકારની નીતિઓમાં ખામી શોધે. 

અમિત શાહ બોલતા રહ્યા પરંતુ જ્યોતિરાદિત્ય સિંધિયા મૌન રહ્યા!

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અમિત શાહ યુપીએના સમયે જે કૌભાંડો થયા તે ગણાવી રહ્યા હતા, ત્યારે તેમની પાછળ બેઠેલા જ્યોતિરાદિત્ય સિંધિયા શાંત બેઠેલા દેખાઈ રહ્યા છે. આ વીડિયો સંસદનો છે. એક તરફ અમિત શાહ કૌભાંડોના નામ બોલી રહ્યા હતા, તેમની પાછળ બેઠેલા સાંસદો પણ યુપીએનું નામ જાણે માળા જપતા હોય તેવી રીતે બોલી રહ્યા હતા. પરંતુ આ બધા વચ્ચે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા એકદમ શાંત અને નિરસ જોવા મળ્યા હતા. 



કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે જ્યોતિરાદિત્ય સિંધિયા

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ અલગ અલગ કમેન્ટ કરી રહ્યા છે. મહત્વનું છે કે હાથ છોડી કમળમાં આવ્યા હતા, મતલબ કે કોંગ્રેસ પાર્ટી છોડી તેઓ ભાજપમાં જોડાયા હતા. ત્યારે લોકોએ એન્ગલથી પણ વિચારી રહ્યા છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે એટલા માટે તેઓ અમિત શાહના ભાષણ વખતે કંઈ બોલતા નથી દેખાઈ રહ્યા. આજે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર જ્યોતિરાદિત્ય સિંધિયા બોલ્યા હતા.    



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .