Congress છોડી BJPમાં આવનાર Jyotiraditya Scindiaએ UPAના કૌભાંડો ગણાવતી વખતે સાધી ચુપ્પી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-10 16:00:06

સંસદમાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સામાન્ય રીતે કોઈ પણ ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય પાર્ટી એક બીજા પર આરોપ પ્રત્યારોપ લગાવતી હોય છે. શાબ્દિક પ્રહાર કરવામા આવતા હોય છે. એક બીજાની નીતિની ખામીઓ, પોતાની સરકાર દ્વારા કરવામાં આવતા કામો ગણાવવામાં આવતા હોય છે. પરંતુ હવે સંસદ પણ સરકાર માટે પોતાની વાહવાહી કરવાનું સાધન બની ગયું હોય તેવું લાગે છે. સંસદમાં વિપક્ષી પાર્ટીઓ પર સત્તાપક્ષ શાબ્દિક પ્રહાર કરે તો વિપક્ષ સરકારની નીતિઓમાં ખામી શોધે. 

અમિત શાહ બોલતા રહ્યા પરંતુ જ્યોતિરાદિત્ય સિંધિયા મૌન રહ્યા!

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અમિત શાહ યુપીએના સમયે જે કૌભાંડો થયા તે ગણાવી રહ્યા હતા, ત્યારે તેમની પાછળ બેઠેલા જ્યોતિરાદિત્ય સિંધિયા શાંત બેઠેલા દેખાઈ રહ્યા છે. આ વીડિયો સંસદનો છે. એક તરફ અમિત શાહ કૌભાંડોના નામ બોલી રહ્યા હતા, તેમની પાછળ બેઠેલા સાંસદો પણ યુપીએનું નામ જાણે માળા જપતા હોય તેવી રીતે બોલી રહ્યા હતા. પરંતુ આ બધા વચ્ચે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા એકદમ શાંત અને નિરસ જોવા મળ્યા હતા. 



કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે જ્યોતિરાદિત્ય સિંધિયા

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ અલગ અલગ કમેન્ટ કરી રહ્યા છે. મહત્વનું છે કે હાથ છોડી કમળમાં આવ્યા હતા, મતલબ કે કોંગ્રેસ પાર્ટી છોડી તેઓ ભાજપમાં જોડાયા હતા. ત્યારે લોકોએ એન્ગલથી પણ વિચારી રહ્યા છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે એટલા માટે તેઓ અમિત શાહના ભાષણ વખતે કંઈ બોલતા નથી દેખાઈ રહ્યા. આજે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર જ્યોતિરાદિત્ય સિંધિયા બોલ્યા હતા.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.