હીરાબાને કૈલાસ ખેરની અનોખા અંદાઝમાં શ્રદ્ધાંજલિ, પરિવારજનો પણ રહ્યા ઉપસ્થિત


  • Published By :
  • Published Date : 2023-01-08 14:35:11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાનું તાજેતરમાં જ 100 વર્ષની વયે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં નિધન થયું હતું. પીએમ મોદીનાં માતા હીરાબાનાં નિધનથી દેશ-વિદેશના દિગ્ગજ નેતાઓ, ઉદ્યોગપતિઓ, હસ્તીઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારે જાણીતા ગાયક કલાકાર કૈલાસ ખેરે ગાંધીનગરના રાયસણ આવીને પીએમ મોદીનાં માતા હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે સ્તુતિ ગાઈને હીરાબાને શ્રદ્ધાંજલિ આપી હતી. આ વીડિઓ તેમણે ટ્વિટ પણ કર્યો છે.


હીરાબાને કૈલાશ ખેરની શ્રદ્ધાંજલિ


હીરાબાના અવસાનથી પીએમ મોદીના પરિવાર જનો શોકમગ્ન બન્યા છે. વડાપ્રધાન મોદીના વતન વડનગર અને ગાંધીનગર સહિત દેશી-વિદેશમાં લોકો શોકાતુર બન્યા છે. ત્યારે બોલિવુડના જાણિતા સિંગર કૈલાશ ખેરે ગાંધીનગર રાયસણ સ્થિત હીરાબાના સૌથી નાનાપુત્રના ઘરે પહોંચ્યા હતા. તેમણે અહીં ભગવાનની વિવિધ સ્તુતિઓનું ગાન કરીને હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.


મોદી પરિવારના તમામ સભ્યો જોડાયા


હીરાબાના રાયસણ ખાતેના નિવાસ સ્થાને તેમના પરિવારની હાજરીમાં જ આગવા અંદાજમાં જ સ્તુતિ ગાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન પરિવારના તમામ સભ્યો હાજર રહ્યા હતા. કૈલાશ ખેરે ટ્વીટ કરીને કહ્યું હતું કે, પરમ પિતા પરમેશ્વરની દયા દૃષ્ટિ, ગુરુમહારાજની કૃપાથી આપણા પીએમ મોદીના પરિવાર સાથે મા હીરાબાને સ્તુતિ વંદન કરીને સૌભાગ્ય પ્રાપ્ત થયું. મા હીરાબા તો પંચતત્ત્વમાં વિલીન થઈને પણ સંસ્કાર સ્વરૂપિણી ભગીરથી બનીને પરિવારજનોમાં સ્થાપિત થઈ ગયાં. આજના પ્રારબ્ધને નમન.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે